મગફ્ળી એ સૂકી ખેતી અને અનિયમિત વરસાદવાળા વાતાવરણમાં વવાતો પાક છે તેથી એકલો પાક લેવાથી મોટુ નુકસાન થવા સંભવ રહે છે. એટલે મગફ્ળી સાથે કપાસ, એરંડા, તુવેર, તલ, સૂર્યમુખી જેવા પાકો આંતરપાક તરીકે લેવાથી ઉત્પાદન જોખમ ઘટાડી શકાય છે અને સરવાળે બે પાકમાંથી ખેડૂતને વધુ આવક મળી શકે છે. એટલે આંતર કે રીલે પાક પદ્ધતિ અપનાવવી. જેમાં નીચે મુજબ વાવેતર કરવાથી વધુ વળતર મળે છે.

ઉભડી મગફ્ળી અને એરંડા અથવા તુવેરને ૩ :૧ ના પ્રમાણમાં આંતરપાક તરીકે લેવાથી એકલા મગફ્ળીના પાક કરતા વધુ વળતર મળે છે. 

♦ સંકર કપાસ ૧૮૦ સે.મી.ના અંતરે વાવેતર કરી વચ્ચે ઉભડી મગફ્ળીની બે હાર કરવી.

• મગફ્ળીની વેલડી જાતનું ૯૦ સે.મી.ના અંતરે વાવેતર કરી વચ્ચે સૂર્યમુખીની એક હાર કરવી. 

• સંકર એરંડીનું ૧૨૦ સે.મી.ના અંતરે વાવેતર કરી વચ્ચે ઉભડી મગફ્ળીની બે હાર ૩૦ સે.મી.ના અંતરે વાવવી

• આડી મગફળીની જાતના ઊભા પાકમાં છેલ્લી આંતરખેડ પછી તુવેરની મધ્યમ મોડી પાકતી જાત બીડીએન-૨ મગફ્ળીના બે ચાસ વચ્ચે વાવેતર કરવાથી મગફળીના પાકમાં ઉત્પાદનનો ઘટાડો થયા વગર વધારાનું ઉત્પાદન મેળવી શકાય છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

રોગ : મગફળી માં ગેરૂ

ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 10 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ ૧૨ થી ૧૫ દિવસના અંતરે કરવા.

વધુ વાંચો....

મગફળી ટીકકા અને ગેરૂ

ટેબુકોનાઝોલ ૦.૦૩૫ ટકા દવાના ત્રણ છંટકાવ ૩૫, ૫૦ અને 90 દિવસે કરવાથી રોગનું નિયંત્રણ થાય છે. ગેરુ માટે મગફ્ળી પાક ૪૦ દિવસનો થાય ત્યારે કલોરોથેલોનીલ ૦.ર ટકા દવા છાંટવી. આવા બીજા બે

વધુ વાંચો....

રોગ : મગફળી પાનનાં ટપકાં/ ટીક્કા

રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 10 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 10 મીલિ અથવા ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 20

વધુ વાંચો....

મગફળી – મગફળીમાં મોલો-મશી, તડતડીયા(લીલી પોપટી), થ્રીપ્સ, સફેદ માખી અને લાલ કથીરી

 ચુસિયા પ્રકારની જીવાતોમાં મુખ્યત્વે મોલો-મશી, તડતડીયા (લીલી પો૫ટી), થ્રીપ્સ, સફેદ માખી અને લાલ કથીરી નો ઉપદ્રવ વધારે હોય છે. આ કીટકો પાનમાંથી રસ ચુસી નુકસાન કરે છે. જીવાતોના સંકલિત નિયંત્રણ માટે પાકની

વધુ વાંચો....

મગફળીમાં પીળાશનું નિયંત્રણ

સામાન્ય રીતે મગફળીના પાનમાં પીળાશ પડવા માટે મુખ્યત્વે લોહની ઉણપ અથવા રેચક જમીન અથવા તાજા સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કે રોગ જીવાતની અસરની પરિસ્થિતી જવાબદાર છે. જો લોહ તત્ત્વની ખામી હોય તો મગફળીનો

વધુ વાંચો....

મગફળીનાં ધૈણ

ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા તેમજ પાન ખાનાર ઇયળના ફૂદાનો નાશ કરવો. ધૈણ  ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે

વધુ વાંચો....

મગફળીની પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા)

પાન ખાનાર ઈયળ (સ્પોડોપ્ટેરા)  સામૂહિક ધોરણે ફેરોમોન ટ્રેપ ૪૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવી આ જીવાતની વસ્તી કાબૂમાં  રાખી શકાય.  શરૂઆતમાં બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ 

વધુ વાંચો....

મગફળીના થડનો કોહવારો

પાક ફેરબદલી કરવી. એકની એક જમીનમાં મગફળીનું વાવેતર કરવું નહીં. સંપૂર્ણ સડી ગયેલા સેન્દ્રિય ખાતરો જ વાપરવા. ટ્રાયકોડર્મા હારજીયાનમ ૨.૫ કિ.ગ્રા./ હેક્ટર જમીનમાં વાવેતર સમયે ચાસમાં ૧૦૦ કિ.ગ્રા. એરંડાના ખોળ અથવા દેશી

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks