

કેરીના પલ્પમાં વિવિધ પ્રકારના ફિનોલિક એસિડ હોય છે, જે પોષણ રાબંધિત ગુણધર્મો ધરાવે છે. એલાજિક એસિડ, કેરીમાં જોવા મળતું અગત્યનું ફિનોલિક એસિડ છે, જે સ્થૂળતા અને સ્થૂળતા સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે એથરોસ્કોરોસિસ, ટાઇપ-૨ ડાયાબિટીસ અને નોન-આલ્કોહોલિક ફેટી લીવર જેવા રોગને દૂર કરવામાં ખૂબ અસરકારક છે. તે ઉત્તમ એન્ટી ઓકિસડન્ટ, એન્ટી કાર્સિનોજેનિક, એન્ટી મ્યુટેજેનિક અને એન્ટી વાયરલ અસરો પણ દર્શાવે છે. કેરીના પલ્પ દરમિયાન ઉત્પન્ન થતો કચરો એલાજિક એસિડ કાઢવા માટે એક નવો સ્ત્રોત પ્રદાન કરે છે. કેરીના પલ્પમાં અન્ય અગ્રણી ફિનોલિક એસિડ, જેને ફેરુલિક એસિડ કહે છે તે ઉત્તમ એન્ટી એજિંગ અને ત્વચાની કાયાકલ્પ અસરો માટે જાણીતું છે.




























