
મગફ્ળી એ સૂકી ખેતી અને અનિયમિત વરસાદવાળા વાતાવરણમાં વવાતો પાક છે તેથી એકલો પાક લેવાથી મોટુ નુકસાન થવા સંભવ રહે છે. એટલે મગફ્ળી સાથે કપાસ, એરંડા, તુવેર, તલ, સૂર્યમુખી જેવા પાકો આંતરપાક તરીકે લેવાથી ઉત્પાદન જોખમ ઘટાડી શકાય છે અને સરવાળે બે પાકમાંથી ખેડૂતને વધુ આવક મળી શકે છે. એટલે આંતર કે રીલે પાક પદ્ધતિ અપનાવવી. જેમાં નીચે મુજબ વાવેતર કરવાથી વધુ વળતર મળે છે.
ઉભડી મગફ્ળી અને એરંડા અથવા તુવેરને ૩ :૧ ના પ્રમાણમાં આંતરપાક તરીકે લેવાથી એકલા મગફ્ળીના પાક કરતા વધુ વળતર મળે છે.
♦ સંકર કપાસ ૧૮૦ સે.મી.ના અંતરે વાવેતર કરી વચ્ચે ઉભડી મગફ્ળીની બે હાર કરવી.
• મગફ્ળીની વેલડી જાતનું ૯૦ સે.મી.ના અંતરે વાવેતર કરી વચ્ચે સૂર્યમુખીની એક હાર કરવી.
• સંકર એરંડીનું ૧૨૦ સે.મી.ના અંતરે વાવેતર કરી વચ્ચે ઉભડી મગફ્ળીની બે હાર ૩૦ સે.મી.ના અંતરે વાવવી
• આડી મગફળીની જાતના ઊભા પાકમાં છેલ્લી આંતરખેડ પછી તુવેરની મધ્યમ મોડી પાકતી જાત બીડીએન-૨ મગફ્ળીના બે ચાસ વચ્ચે વાવેતર કરવાથી મગફળીના પાકમાં ઉત્પાદનનો ઘટાડો થયા વગર વધારાનું ઉત્પાદન મેળવી શકાય છે.























