
બ્રોકલી એ ફુલાવર ના કુળનું શાકભાજી છે. બ્રોકલી એ શરીરને આવશ્યક ક્ષારો અને વિટામિન્સનો ઉત્તમ સ્ત્રોત છે. બ્રોકોલીમાં સલ્ફર તથા વિટામિન સી સારા એવા પ્રમાણમાં હોય છે જે શરીરમાંથી ખરાબ દ્રવ્યો દૂર કરે છે, તેમાં રહેલા રેસાઓને કારણે પાનમાં તેમજ તેમાં એન્ટિ એજીંગ માટેના ગુણધર્મો પણ રહેલા છે, તેમાં રહેલ ઓમેગા-૩ ફેટી એસિડ આપના શરીરમાં આવતા હાર્ટ એટેકથી પણ બચવામાં મદદ કરે છે, તેમજ બીટા કેરોટિનનો સ્ત્રોત હોવાથી આંખની સતેજતા પણ વધારે છે. બ્રોકલી લોહતત્વનો સારો એવો સ્ત્રોત હોવાથી એનીમિયા જેવી બીમારી સામે પણ અસરકારક નીવડે છે.






