
વેલાવાળા શાકભાજીના પાકો પાસેથી વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન લેવા માટે વેલા જમીન પર પડી રહેવાને બદલે એને ગમતી પરિસ્થિતિ ઉભી કરવા, એટલે કે એ ઉંચે લટકી રહે એવું કરવા “માંડવા પદ્ધતિ” અપનાવવી જોઈએ. આ પદ્ધતિમાં વેલા જમીનથી ઉંચા રહેતા હોવાથી સૂર્ય પ્રકાશના સીધા સંપર્કમાં તો આવે છે પરિણામે વેલાના વિકાસ અને ફળોના ઉત્પાદન બન્નેમાં વિક્રમી ઉમેરો થાય છે. ઊંચે હીંચકતા વેલાને આરપાર-ચોપાસ પવન ફરફરી ફરી શકે, પતંગિયા અને મધમાખીઓ કૂદાકૂદ કરી શકે, એટલે પરાગરજની પણ એટલી વધુ હરફર થવા પામે. પરિણામે ઉત્પાદન ઘણું વધારે મળે છે. જમીનમાંના ભેજથી દૂર રહેવાનું થતું હોવાથી ફળોનો દેખાવ,તેની ચમક અને આકર્ષકતા ગ્રાહકને ગમી જાય તેવાં બને છે. સંરક્ષણ અર્થે ઇયળોને હાથથી વીણી લેવાના કે દવા છંટકાવના અને ફળો ઉતારવાના કામોમાં આસાનીથી કરી શકાતાં હોય છે


























