અનાજ કઠોળ સડી ન જાય તે માટે

[1]અનાજ, ચોખા, કઠોળને સુરક્ષિત રાખવા દર સો કિલો અનાજમાં એક કિલો મુજબ દિવલનો પટ આપી-મોઇને સંગ્રહ કરવો

[2] મગ, અડદ, તુવેર, ચણા જેવા કઠોળને આખેઆખા સંગ્રહવાને બદલે તેની ‘દાળ’ બનાવી સઘર્યાં હોય તો તેમાં કઠોળના ભોટવા લાગતા નથી.

[3]પીપમાં કઠોળ ભરી ઉપર ઝીણી રેતીના અરધો ઇંચના થરનું ઢાંકણ કરી દીધું હોય તો પણ ભોટવાથી રક્ષણ મળે છે.

[4] કઠોળની દાળને પણ જો દિવેલનો પટ ચડાવી દીધો હોય તો તે સડતી નથી.[5].અનાજ-કઠોળમાં પારો ભેળવી ઢાંકી મૂકીએ તો પણ તે સડતું નથી.

[6]લીમડામા પાન કે લીંબોળીનો ભૂકો કે ઝીણી રાખ અંદર ભેળવ્યાં હોય તો પણ તે સડતા નથી.

[7] કેટલીક બહેનો તો ફુદીનો, લસણ અને આમલીના પાન ભેળવી આ બધું સુરક્ષિત રાખે છે.

[8] કોથળાની થપ્પી કરતી વખતે તમાકુનો ભૂકો કે મીઠું વચ્ચે વચ્ચે ભભરાવતા રહ્યા હોઇએ તો પણ જીવાતો દૂર રહે છે.

[9] વચ્ચે વચ્ચે સંભાળતા રહેવાથી ખ્યાલ આવે કે ઉપરોક્ત ઉપાયો ઊણા ઉતરશે તો રાસાયણિક દવાઓનો ઉપાય ‘અનિવાર્ય અનિષ્ટ’ ગણી-એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની ત્રણ ગ્રામની ગોળી એક ક્વીંટલ અનાજ માટે મૂકી, હવાચૂસ્ત ઢાંકણ કાપડ-પ્લાસ્ટિક ઢાંકી દેવું.

આવી બીજી પણ ઘણી દવાઓ હવે તો બજારમાં મળવા માંડી છે. જેના સમયસરના ઉપયોગથી સંરક્ષણમાં વાંધો આવતો નથી

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

જમીનને જંતુરહિત કરવાની ફોર્મેલિનની માવજત

ફોર્મેલિન સોલ્યુશનનો ઉપયોગ જમીનને જંતુરહિત કરવા માટે થાય છે. જે પ્રતિ લિટર પાણીમાં ૨.૫૦ મિલિ વ્યાપારિક શ્રેણીના ફોર્માલ્ડિહાઈડ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. જમીનને ટોચની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતી ખર્ચ કેમ ઘટાડવો ?

હાલના સમયમા ખેડૂતભાઈઓની મોટી તકલીફ એ છે કે, ખેતી ખર્ચ વધતો અને નફો ઓછો થતો જાય છે. ખેતી ખર્ચ ઘટાડવા માટે નીચે મુજબના મુદ્દા ધ્યાને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સિલિકોન વનસ્પતિમાં શું કરે છે ?

સિલિકોન પૃથ્વીના બાહ્યસ્તરમાં બીજુ સૌથી વધુ પ્રમાણ (૫૯ % સિલિકા સ્વરૂપે) માં મળતું અકાર્બનિકતત્વછે. આમતો ડાંગર અને શેરડી સિવાયના પાકોમાં તેનું મહત્વ ઓછુ હોવા છતાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
[the_ad_group id="1393"]
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
[the_ad_group id="1296"]
[the_ad_group id="1850"]
Enable Notifications OK No thanks