
સંગ્રહેલ અનાજમાં જીવાતો
- કઠોળનાં ભોટવાં, ચોખાના ચાંચવા અને અનાજની ફુદીનો ઉપદ્રવ ખેતરમાંથી જ શરૂ થાય છે. તેથી આવા ઉપદ્રવવાળા કઠોળ/અનાજને સંગ્રહવામાં આવે તો તેમાં જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે.
- જીવાતવાળા જૂના બારદાન (કોથળા)નો ઉપયોગ કરવામાં આવે તો નવું અનાજ બગડવાનો ભય રહે છે.
- સડેલા જૂના અનાજમાંથી જીવાતો કોઠારના નવા અનાજમાં ભળે છે.
- કોઠાર, ગોદામ, પીપ, કોઠીની તિરાડોમાં ભરાઈ રહેલ જીવાત દ્વારા પણ ઉપદ્રવ થતો હોય છે.


























