aries agro





યાદ રાખો કોઈ પણ પાકના તૈયાર રોપ લઈને વાવેતર કરવું સારું છે. પરંતુ માન્ય અને આધુનિક નર્સરીમાંથી રોપ લાવવા જોઈએ . કેમ ? તમને ખબર ન હોય તો જાણો કે મહારાષ્ટ્ર અને સાઉથ ગુજરાતમાંથી દાડમના કે મરચી,  ટામેટાના રોપા લાવીને વાવનાર ઘણા ખેડૂતોની જમીનમાં નિમેટોડ આવી ગયા .

કારણ તેની જમીનમાં નીમેટોડ એટલે કે સૂત્ર કૃમિ નામની મૂળમાં થતી નરી આંખે ન દેખાતી અને છોડમાં મૂળમાં રહી ખોરાક લઇ લેતી અને ગાંઠો કરતી અને છોડને વધવા ન દેતી જીવાતે ખેતી પૂરી કરી નાખી,

બોલો ખેડૂતને પૂછતા જાણવા મળ્યું કે આ કૃમી તેને રોપ સાથે આવી અને ખેતરની પથારી ફરી ગઈ !


આજે 🌿મરચી ઉગાડનાર ખેડૂતો પણ રોપ જે તે નર્સરી પાસેથી સસ્તાના લોભે લાવે છે પણ સીધા ચોપી દે છે.  
સાવચેતી રૂપે તમારે મૂળને જંતુનાશકના દ્રાવણ માં  બોળી બોળીને ફરજીયાત  વાવેતર કરવું પડશે . આજ થી નક્કી કરો કોઈ રોપ કે છોડને પોતાના ખેતર માં પ્રવેશ કરતા પહેલા માવજત કરી ને વાવેતર કરવું ફરજીયાત છે .


આપણે સમજવા માટે નીમેટોડ (રૂટનોટ નીમેટોડ) સૂત્રકૃમિ નું જીવનચક્ર સમજીએ.નીમેટોડનું જીવનચક્ર ૨ મહિનાનું હોય છે. ૨ મહીને તે ૨૦૦ થી ૪૦૦ બચ્ચા આપે એમ ગણીએ કે ધારો કે ૨ મહીને ૨૦૦ બચ્ચા આપે છે. આપણી મરચી કે ટામેટી કેટલા મહિનાનો પાક છે, આઠ મહિનાનો, તો પહેલા એક  નીમેટોડ ૨ મહીને ૨૦૦ થાય બીજા ૨ મહીને ૨૦૦x ૨૦૦ = ૪૦,૦૦૦ થાય, ત્રીજા ૨ મહીને ૪૦,૦૦૦ x ૨૦૦ = ૮૦,૦૦,૦૦૦ એશી લાખ થાય અને હજુ બીજા ૨ મહીના થાય એટલે કેટલા થાય ? તમારા કેલ્કયુલેટરમાં પણ આકડો ન આવે તેટલા. એટલે કે તમારી મરચી ફીનીશ થઇ જાય કેટલી ભયંકર આ કૃમિ છે અને આપણે ગમે  ત્યાંથી રોપ લાવીએ, રોપા લાવીએ અને સૂત્રકૃમી પણ લાવીએ, કોનો વાંક, આપણા બાપ દાદાની જમીન બગાડવાનું આપણને જ આવડે છે !!
આ જેટલા ગ્રીન હાઉસ થયા હતા તે બધા અને દાડમ વાળા અને અમુક મરચી વાળા  કેમ નિષ્ફળ ગયા એકવાર પુછજો પુછજો….
જો સૂત્રકૃમિ આવી તો આ જીવાતનું નિયંત્રણ ખુબ જ ખર્ચાળ અને અશક્ય છે વર્ષો સુધી વાવેતર બંધ કરો તો અટકે અથવા જમીનને ફ્યુમીગેશન દ્વારા સ્ટરીલાયઝ  કરવાની તૈયારી રાખજો  વધુ વિગતો વાંચવા માટે કૃષિવિજ્ઞાન ફેસબુક પેજ લાઈક કરો 





——xxxx——
તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

રોગ : વેલાવાળા શાકભાજીમાં પાનના ટપકાં

વેલાવાળા શાકભાજીમાં પાનના ટપકાં : કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8  ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 50 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45  ગ્રામ 15  લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ

વધુ વાંચો....

મગફળીના થડનો કોહવારો

પાક ફેરબદલી કરવી, એકની એક જમીનમાં મગફ્ળીનું વાવેતર કરવું નહીં. સંપૂર્ણ સડી ગયેલા સેન્દ્રિય ખાતરો જ વાપરવા. ટ્રાયકોડર્મા હારજીયાનમ ૨.૫ કિ.ગ્રા./હેક્ટર જમીનમાં વાવેતર સમયે ચાસમાં ૧૦૦ કિ.ગ્રા. એરંડાના ખોળ અથવા દેશી ખાતર

વધુ વાંચો....

મગફળીમાં અફલારોટ

વાવણી સમયે ઈજા થયેલ અને ફુગવાળા દાણા દૂર કરી સારું બીજ જ વાવેતર માટે વાપરવું જોઈએ. ફુગનાશક દવાઓની ભલામણ મુજબ બીજ માવજત આપી વાવેતર કરવું. પાક ફેરબદલી કરવી. મગફ્ળીનાં ડોડવા અને દાણામાં

વધુ વાંચો....

રોગ : મગફળીમાં ટીક્કા રોગ નિયંત્રણ

સારી ગુણવત્તાવાળા અને નુકસાન વિનાના બીજનો જ વાવેતરના ઉપયોગમાં લેવા જોઈએ. મગફળી ફોલીને તેના બીજને ભેજવાળી જગ્યામાં રાખવા નહીં. બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા. બીજની માવજત માટે ટેબૂકોનાઝોલ ૧.૨૫ ગ્રામ અથવા ૫

વધુ વાંચો....

મરચીમાં તીખાશ શેના લીધે હોય અને તેને શું કહેવાય , તીખાશનું મીટર શું?

મરચીમાં તીખાશ હોય છે તે મરચીની અંદર રહેલા એક ખાસ તત્વ કેપ્સાઈસીનોઈડના લીધે હોય છે. મરચીમાં રહેલું આ તત્વ માપવા SHU કેટલું છે તેના આધારે નક્કી થાય છે. જેમ SHU એટલે કે

વધુ વાંચો....

રોગ : દાડમમાં જીવાણુંથી થતા પાન અને ફળના ટપકા

રોગની શરૂઆત જણાય કે તરત જ કોપર ઓક્સિકલોરાઈડ ૦.૨% (૬૦ ગ્રામ) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. કોપર ઓક્ઝીક્લોરાઈડ ૦.૨% (૬૦ ગ્રામ) અને સ્ટ્રેપ્ટોસાયક્લીન ૧.૫ ગ્રામ ૧૫ લીટર પાણીમાં મિશ્ર કરી

વધુ વાંચો....

દાડમ : ફૂગથી થતા પાન અને ફળના ટપકાં

રોગની શરૂઆત જણાય કે તરત જ કાર્બેન્ડાઝીમ (૧૫ ગ્રામ) અથવા ડાયફેનકોનાઝોલ (૧૫ મીલી) અથવા પ્રોપીકોનાઝોલ (૧૫ મીલી) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. બીજા છંટકાવ વારાફરતી ૧૫ દિવસના અંતરે કરવા.

વધુ વાંચો....

રોગ : આંબામાં ભૂકીછારો

રોગની શરૂઆત જણાય કે તરત જ પ્રથમ છંટકાવ વેટેબલ સલ્ફર ૫૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી કરવો. બીજાે છંટકાવ ૧૫ દિવસે હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીનો કરવાથી રોગનું અસરકારક

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks