
કૃષિ વિજ્ઞાનના જુના અંક વર્ષ ૧૯૭૭ અને ડિસેમ્બર મહિનામાં ખાતર વિષેની માહિતી આપવામાં આવેલી, વિચાર કરો કૃષિ વિજ્ઞાન વર્ષોથી ખેતી ઉપયોગી માહિતી આપતું રહે છે જે આજે પણ પ્રસ્તુત છે.
યુરિયા એક ખુબ જ પ્રચલિત ખાતર છે. તેની અંદર ફક્ત નાઈટ્રોજન (૪૫ ટકા) રહેલો હોય છે. અને તે એમાઈડના રૂપમાં રહેલો હોય છે. તેનું છોડ લઈ શકે તેવા રૂપમાં રૂપાંતર થતાં ૩ થી ૪ દિવસ લાગે છે. આથી વાવણીના સમયે આપવું જોઇએ. એમોનિયમ સલ્ફેટ કરતાં તે ઓછું એસિડિક છે. અને બધાં જ નાઈટ્રોજનયુક્ત ખાતરોની સરખામણીમાં સસ્તું છે. તે હવામાંનો ભેજ ઝડપથી ચુસી લે છે. આથી યુરિયાના કોથળા ભેજરહિત જગ્યાએ રાખવા.
દ્રાવણ બનાવીને છાંટવા માટે યુરિયા ઉત્તમ ખાતર છે. ભલામણ કર્યા પ્રમાણે ૨ થી ૪ ટકાનું દ્રાવણ બનાવીને છાંટી શકાય. દ્રાવણ બનાવવાની રીત નીચે પ્રમાણે છે. ધારો કે ઘઉંના પાકમાં ૧૦ કીલો નાઈટ્રોજન યુરિયાના ૪ ટકાના દ્રાવણમાં છાંટવાની ભલામણ છે. ૧૦ કીલો નાઇટ્રોજન માટે કેટલું યુરિયા જોઈએ? આશરે ૨૫ કીલો યુરિયા જોઈએ. ૨૫ કીલો યુરિયાનું ૪ ટંકાનું દ્રાવણ બનાવવા માટે આશરે ૬૨૫ લીટર પાણી જોઈએ.
ક્યારીની જમીનમાં હંમેશાં પ્રાણવાયુ (ઘડ્ઢુલયક્ષ)ની ઊણપ હોય છે તેથી યુરિયાનું રૂપાંતર કરનાર યુરિએઝ એન્ઝાઈમની પણ ઊણપ હોય છે. આથી યુરિયાનું એમોનિયમ કાબેનેટમાં રૂપાંતર ઝડપી અને સંપૂર્ણ થઈ શકે નહીં અને પાક તેને ઉપયોગ કરી શકે નહિ. આમ થવાથી અણવપરાયેલો યુરિયા થોડે ઘણે અંશે જમીનમાં પાણી સાથે ઊતરી જાય ને વેડફાઈ જાય. આ પરિસ્થિતિ નિવારવા કેયોરિંગની પદ્ધતિ અપનાવવામાં આવે છે. જેમાં નીમ સાથે ભેળવવાથી યુરિયાનું એમોનિયમ કાબર્ાેનેટમાં રૂપાંતર લગભગ ૪૮ કલાકના ગાળામાં થઈ શકે. નાઈટ્રોજન એમોનિયાના રૂપમાં આવી જવાથી તે જમીનના રજકણો સાથે બંધાઈ જશે અને પછી પાણીથી ભરેલી ક્યારીની જમીનમાં તેને વેરવામાં આવતાં છોડ તેનાથી બનતા દ્રાવણના રૂપમાં તેનો ઉપયોગ કરી શકશે. આમ, યુરિયા વાપર્યું હોવા છતાં ક્યોરિંગની પદ્ધપિથી એમોનિયમ સલ્ફેટ વાપર્યું‘ હેાય તેવા ફાયદા મેળવી શકીએ આમ, યુરિયા સસ્તું અને ઉત્તમ ખાતર હોવા છતાં એનો ઉપયોગ ઘણી કાળજી માંગી લે છે.
નાઇટ્રોજન યુક્ત રાસાયણિક ખાતરો એમોનિયમ સલ્ફેટ અને યુરિયા પાકને જેટલા પ્રમાણમાં આપવાની ભલામણ કરી હોય તેટલાં હંમેશાં બેથી ત્રણ હપ્તે જ આપવાં જોઈએ.આપણે ભુખ્યા હોઈએ ત્યારે કોઈ એક અઠવાડિયાનું ભોજન એક સાથે પીરસે તો આપણે બધું જ સફાચટ કરી જઈ શકીએ ખરા ? વધારાનું અનાજ તો બગડે જ ને? એના જેવી આ વાત છે.









