ડો.બી.જી.પ્રજાપતિ, નિવૃત્ત કિટકશાસ્ત્રી,
૨૩, સૌન્દર્ય પેલેસ, અવસર પાર્ટી પ્લોટની પાછળ, મોઢેરા રોડ, મહેસાણા – ૩૮૪૦૦૨, મોબાઈલ : ૯૪૨૭૩ ૭૫૦૯૩

ચીકણા પિંજર (સ્ટીકી ટ્રેપ) શું છે ?

ચીકણા પિંજર (સ્ટીકી ટ્રેપ) એ એક કલર્ડ પેપર અથવા પ્લાસ્ટિકના બોર્ડ કે જેની બેઉ બાજુએ એક જ કલર હોય છે અને તેની ઉપર ચોંટી શકે તેવો ગુંદર હોય છે કે જે સૂર્યપ્રકાશ અને પાણી સામે લાંબા સમય સુધી ટકી શકે છે. કીટકો આવા ગુંદર સાથે ચોંટી જાય છે અને પાકમાં નુકશાન કરવા જઈ શકતા નથી. આવા ચીકણા પિંજર કોઈ પણ પ્રકારના રસાયણ વિના પાકને જીવાતોના ઉપદ્રવથી બચાવે છે. આવા પિંજર જંતુનાશક દવાઓ કરતાં ખૂબ જ સસ્તા છે. આમ, સ્ટીકી ટ્રેપ એ એક પાતળી શીટ છે જેમાં ચીકણો પદાર્થ જોડાયેલ છે તે પીળો, વાદળી, કાળો, સફેદ, લાલ અને નારંગી જેવા ઘણા રંગોમાં આવે છે. વિવિધ જીવાતો આ રંગોથી આકર્ષાય છે અને તેની તરફ આવે છે અને અટકી જાય છે. કેટલીક જીવાતો જેવીકે કરોળિયા, ઢાલીયા કીટકો, કથીરી અને ઝીણી ચુસીયા જીવાતો ચીકણા પિંજરથી ટ્રેપ કરી શકાય છે.

ચીકણા પિંજરના પ્રકાર :
ચીકણા પિંજર(સ્ટીકી ટ્રેપ) ઘણા રંગના હોય છે. જેમાં પીળો, વાદળી, કાળો, સફેદ, લાલ અને નારંગી કલરના ચીકણા પિંજર સામે જુદી જુદી જાતિની જીવાતો આકર્ષાય છે.
પીળા ચીકણા પિંજર (યલો સ્ટીકી ટ્રેપ) :
પીળા ચીકણા પિંજર એ સફેદમાખી, મોલો અને પાનકોરિયા જેવી જીવાતો માટે ખૂબ જ સાનુકૂળ છે.આવા પિંજરનો ઉપયોગ મુખ્યત્વે ચૂસીયા જીવાતોના નિયંત્રણમાં થાય છે.
વાદળી ચીકણા પિંજર (બ્લ્યુ સ્ટીકી ટ્રેપ) :
વાદળી ચીકણા પિંજરનો ઉપયોગ થ્રીપ્સ નામની જીવાતોના નિયંત્રણમાં થાય છે.
કાળા ચીકણા પિંજર (બ્લેક સ્ટીકી ટ્રેપ) :
આ પ્રકારના પિંજર ટામેટીના ખેતરમાં નુકશાન કરતાં અમેરિકન પીન વર્મના નિયંત્રણમાં થાય છે.
રાતા ચીકણા પિંજર (રેડ સ્ટીકી ટ્રેપ) :
રાતા ચીકણા પિંજરનો ઉપયોગ પીઅર બ્લાઈટ બીટલના નિયંત્રણમાં થાય છે.
નારંગી ચીકણા પિંજર (ઓરેન્જ સ્ટીકી ટ્રેપ) :
નારંગી ચીકણા પિંજર કેરટ ફ્લાય (ગાજરની માખી)ના નિયંત્રણમાં ઉપયોગી છે.
ચીકણા પિંજરના ફાયદા :
ચીકણા પિંજર એ એક બિન ઝેરી અને રસાયણ મુક્ત છે પાકના નુકશાનમાં ૪૦ થી ૫૦% નો ઘટાડો કરી શકાય છે. વિવિધ જીવાતોને સરળતાથી મોનીટરીંગ/નિયંત્રિત કરી શકાય છે. ચીકણા પિંજરથી ખાસ કરીને ચૂસીયા જીવાતોના નિયંત્રણમાં ઉપયોગી છે.
ચીકણા પિંજર વાપરવાની પદ્ધતિ :

  • પાકની શરૂઆતની અવસ્થાએ અને પાકમાં જીવાતનો ઉપદ્રવ થાય તે પહેલાં ચીકણા પિંજર લગાવવા જોઈએ.
  • ચીકણા પિંજર પાકની ઊંચાઈથી અંદાજે એકાદ કે દોઢેક ફૂટ વધુ ઊંચાઈએ લગાડવા. ૭૦% કે તેથી વધુ સપાટી કીટકો કે ધૂળના રજકણોથી ઢંકાઈ જાય કે તુરત જ બદલી નાંખવા.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ફાર્મ ઈન્પુટ : ખેતીમાં નોન વુવન ક્રોપ કવરનો ઉપયોગ

ખેડૂતો રક્ષણાત્મક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે .તેમાંનું એક પાસું એટલે ખેતી માં ક્રોપ કવર નો ઉપયોગ .તો ખેડૂત મિત્રો આ લેખ માં આપણે ક્રોપ કવર વિષે માહિતી મેળવીશું .

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ફાર્મ ઈન્પુટ : 11મુ એગ્રી એશિયા પ્રદર્શન -2022

સંરક્ષિત ખેતીમાં લોકોની રુચિ અને ગ્રોઇટના સંરક્ષિત ખેતી ઉત્પાદનો અને તકનીકો વિશેની લોકોની જાગૃકતા વધુ પ્રોત્સાહક છે સૌથી સારી વાત એ છે કે અમે એવા કેહદુંતો સુધી પહોંચી શક્યા જેઓ ખેતીમાં નવી તકનીકનો ઉપયોગ કરી આવક વધારવા માંગે છે…. વધુ માહિતી માટે કંપની સાથે સીધો સંપર્ક કરો.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ફાર્મ ઇનપુટ : આધુનિક ખેતી તરફ પ્રયાસ ખેતીમાં નોન વુવન ક્રોપ કવરનો ઉપયોગ

ક્રોપ કવર ક્યાં ક્યાં પાકોમાં ઉપયોગ કરી શકાય ? ક્રોપ કવર ઉપયોગ કરવા કઈ વસ્તુઓ ની જરૂરિયાત રહે છે? ક્રોપ કવર લગાડવાની સાચી પદ્ધતિ કઈ ? અને તેનાથી શું ફાયદા થાશે ? જાણો કૃષિ વિજ્ઞાન દ્વારા.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતરમાં હવામાનની સચોટ જાણકારી દ્વારા સફળ ખેતી થશે

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા, લાંબા આયુષ્યની વાત પછી, પહેલા નવી આવેલી એઆઈ ટેક્નોલોજીનો, ખેતીના લાભની વાત કરીયે. એ આઈ આવશે એટલે, આપણા ખેતરમાં ફાર્મ મેનેજમેન્ટ કરવામાં, આપણને ઘણી સરળતા મળશે , કારણ કે આને લગતા મોબાઇલ એપ્પ આવશે. એમાં આપણે બધા ડેટા, – માહિતી, જેવીકે આપણા ખેતરની ચતુર્દિશા, આપણું ખેતર, જીપીએસ સાથે જોડાશે,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કપાસના વાવેતર અને નક્ષત્રનો સંબંધ: વૈજ્ઞાનિક અને પ્રાચીન જ્ઞાનનો સમન્વય

કપાસ પાક એ ગુજરાત સહિત અનેક રાજ્યના ખેડૂતો માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે. આજકાલ કૃષિ ખર્ચ વધતા, ખેડૂતો માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવી એક

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નર્સરીમાં બીજ વાવવા પહેલાં જમીનની શું માવજત કરવી ?

જમીનમાં હાનિકારક જીવાતો, તેમના ઇંડા, ઇયળ અને કોશેટા, રોગના બીજકણ, ફૂગ, બેકટેરિયા, નેમાટોડ્સ અને નીંદણના બીજ પણ હોય છે, જે રોપાઓના વૃદ્ધિ અને વિકાસને વધુ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતીમાં કઈ નવી ટેકનોલોજી આવશે ?

વિચાર કરવાની શક્તિ આપણને ભગવાને આપી છે. માણસને કઈ પણ કરતા પહેલા, વિચાર આવે છે કે, આ કરું કે તે કરું?, મગફળી કરું? કે કપાસ? અને સાથે સમજણ પણ આપી છે…

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શું છે ખેતીના એ આઈ રોબોટ ?

કીડીઓ અને મધમાખીઓ નો સામજિક ઢાંચો જડ છે. જ્યારે માણસોએ પોતાની બુદ્ધિ , વિચાર અને સમજણ થી અનેક વખત પોતાના સમાજજીવનને ધરમૂળથી બદલી નાખ્યાના દાખલા છે. પરંપરાગત જીવનસાથીની પસંદગી થી માંડીને સોશિયલ મીડિયા દ્વારા લગ્ન કરીને સાથે જીવતા અનેક યુગલો આપણા સમાજમાં છે અને આપણે તેમને સ્વીકાર્યા છે. અરે! સમાજ જીવનમાં જે એક સમયે પાપ ગણાતા એવા સમલૈંગિક સંબંધો ને કાયદાકીય મૂંજૂરી મળી છે એ પણ માણસના પરિવર્તનશીલ સમાજજીવનનું જ ઉદાહરણ છે! એટલે મનુષ્યમાં પરિવર્તન એ વિકાસનો રસ્તો છે .આપણે પણ ખેતીના નવા આયામ તરફ લઇ જવી પડશે. ભગવાને મનુષ્યમાં ઈચ્છા મુજબ કરવાની છૂટ આપી છે જે પશુને નથી આપી, સાથે આપણને વિવેક પણ આપ્યો છે . મનુષ્ય પાસે વિવેક છે અને કરેલા ઉપકારને યાદ રાખવાની કૃતજ્ઞતા છે તે વિશેષતા ને લીધે આજે મનુષ્ય બીજા પ્રાણીઓ કરતા જુદો પડે છે . કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણને મનુષ્ય એ ખેતીના કામ માટે હવે ખેતીના રોબોટ બનાવ્યા છે તેની વાતો જાણવા મળશે ….

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

એ આઈ દ્વારા ખેતીમાં રોબોટ આવશે

તૈયાર થઈ જાવ, ખેતીના ભવિષ્યની અજોડ વાત, કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા જાણવા. આપણને ખબર છે, માણસ તેની બુદ્ધિ સાથે વિજ્ઞાનનો ઉપયોગ કરીને, નવા સંશોધન કરી રહ્યો છે, ચાંદ પર પહોંચ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સોઇલ સોલારાઈઝેશન કેવી રીતે કરી શકાય ?

ગરમીનું પ્રમાણ વધુ હોય તે સમયગાળા દરમિયાન જમીનને ખેડીને ભરભરી બનાવવી અને જમીનમાં પૂરતો ભેજ જળવાઈ રહે તેટલું પિયત આપવું. ત્યારબાદ તરત જ ધરૂવાડિયા કે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેત પેદાશોનું વર્ગીકરણ (ગ્રેડિંગ)

ખેત પેદાશોને અનુલક્ષીને ગ્રેડિંગના ધારા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. દરેક પાકમાં ત્રણથી ચાર ગ્રેડ સુનિશ્ચિત કરવામા આવ્યા છે. જો ખેડૂતમિત્રો આ ધારા ધોરણોના આધારે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ?

શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ? તો સૌથી પહેલું કામ તેને માટે એક આરામદાયક ગાદલું

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સોઈલ સોલારાઈઝેશન કયારે અને કેવી રીતે કરી શકાય ?

ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે ઉત્તમ સમય છે. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય અને ન્યૂનતમ પવન હોય ત્યારે સોલારાઈઝેશન કરવામાં આવે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃમિ નિયંત્રણનો ઉપયોગ સોઇલ સોલારાઈઝેશન

મોટાભાગના શાકભાજી અને ફળફળાદી પાકોમાં કૃમિનો ઉપદ્રવ જોવા મળે છે. આ કૃમિ સૂક્ષ્મદર્શા હોય છે, તેને નરી આંખે જોઈ શકાતા નથી તેથી જમીનમાં તેની હાજરીનો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સોઇલ સોલારાઈઝેશન ક્યારે કરી શકાય ?

ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે શ્રેષ્ઠ ગણી શકાય. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય દા.ત. અમુક વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૫મી અપ્રિલ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નર્સરીમાં રોપાઓ ઉછેરવાના ફાયદા

એકમ વિસ્તાર દીઠ મોટી સંખ્યામાં છોડ ઉગાડીને જાળવી શકાય છે. કોઈપણ બગાડ વિના કિમંતી અને ખૂબ નાના બીજમાંથી અસરકારક રીતે રોપ ઉછેરી કરી શકાય छे

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીનને જંતુરહિત કરવાની ફોર્મેલિનની માવજત

ફોર્મેલિન સોલ્યુશનનો ઉપયોગ જમીનને જંતુરહિત કરવા માટે થાય છે. જે પ્રતિ લિટર પાણીમાં ૨.૫૦ મિલિ વ્યાપારિક શ્રેણીના ફોર્માલ્ડિહાઈડ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. જમીનને ટોચની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આંગળીના ટેરવે : એ આઈનો કૃષિમાં ઉપયોગ

આંગળીના ટેરવે : એ આઈનો કૃષિમાં ઉપયોગ કૃષિ, પરંપરાગત રીતો અને માનવ મજૂરી પર આધારિત રહી છે. તેમ છતાં, કાર્યક્ષમતા, ઉત્પાદકતા અને ટકાઉપણું વધારવા માટે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સોઇલ સોલારાઈઝેશન એટલે શું ?

સોઇલ સોલારાઈઝેશન એટલે જમીનનું સૌરીકરણ. જમીન પર ચોક્કસ સમય માટે પારદર્શી પ્લાસ્ટિકનું હવાચુસ્ત આવરણ કરવાથી સૂર્યના કિરણોની મદદથી જમીનનું તાપમાન લગભગ ૧૦સે. જેટલુ વધી જાય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મૂલ્યવર્ધન અપનાવવું પડશે

આપણા દેશમા ખાદ્ય પાકોમા ૧૨ થી ૧૫% અને ફળ-શાકભાજીમા ૨૦ થી ૩૦% જેટલો બગાડ થાય છે. કાપણી પછી યોગ્ય માવજત આપી અને મૂલ્યવર્ધન દ્વારા ખેત

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પશુ વીમા કેટલા સમય માટે પશુની સુરક્ષા આવરી લેશે ?

-પશુ વીમામાં કયા-કયા રોગ આવરી લેવામાં આવેલ છે અને કયા-કયા રોગને બાકાત કરવામાં આવેલ છે •બધી કંપનીઓના પ્રીમિયમ અને કંપનીના પશુ વીમામાં થતા ફાયદા-નુકસાનની સરખામણી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેત પેદાશનો સંગ્રહ :

સામાન્ય રીતે ખેડૂત મિત્રો જોતાં હોય છે કે, કાપણી બાદ ખેત પેદાશોના ભાવ નીચા જતા રહેતા હોય છે. બજારમા માંગ કરતાં પુરવઠો વધતા આવું થતું

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ યાંત્રિકરણના લાભો

ખેતી કાર્યો માટે સમયાંતરે ખેત મજૂરોની ઉપલબ્ધતામાં ઘટાડો થઇ રહેલ છે ઉપરાંત, ખેત મજૂરના મહેનતાણામાં પણ વધારો થયો છે જેથી મજૂરી ખર્ચ વધ્યો. ઘનિષ્ટ ખેતીમાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
Enable Notifications OK No thanks