જમીનની નિતારશક્તિમાં સુધારો જરૂરી : જમીનની નિતારશક્તિ જો નબળી હોય તો તે પાકના વિકાસમાં અવરોધ ઊભો કરે છે તેમજ જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવાણુઓની પ્રક્રિયાઓ પણ અવળી અસર કરે છે. આ અવરોધને દૂર કરવા માટે આપણે જમીનની નિતારશક્તિમાં સુધારો કરવો જોઈએ, જેથી કરીને છોડના મૂળનો વિકાસ સારો થાય અને સાથે સાથે અમુક પોષક્તત્ત્વોનું પણ લભ્ય સ્વરૂપમાં રૂપાંતર થવાથી જમીનની ફળકઠ્ઠુપતામાં વધારો થાય છે.

કઠોળ પાક જમીનને કેમ ફળદ્રુપ બનાવે ?
કઠોળપાકને કુદરતે અર્ધ સ્વાવલંબી બનાવી મૂળિયામાં એવી કરામત ગોઠવીને લેગ્યુમ બેક્ટેરિયાનો વાસ કરાવેલ છે કે નાઇટ્રોજનનો ઘણોબધો જથ્થો એ હવામાંથી બારોબાર ખેંચી મૂળની ગાંઠોમા સંગ્રહે છે. જે પોતે તો વાપરે જ છે



















