‘નર’ પપૈયાના થડમાં લાકડા કે લોઢાની ફાડ મારી દઈએ એટલે એ ‘નર’ ઝાડને પણ ફળો લાગવા માંડે છે :

હા, થોડા ઘણા અંશે આ વાત સાચી છે, પણ એ ન સમજાય તેવો ચમત્કાર નથી. મધપૂડામાં ઈંડા મૂકવાનું કામ માત્ર ‘રાણીમાખી’ જ કરતી હોય છે. વળી આખી વસાહતમાં રાણી તો એક જ હોય છે. થોડી નર માખીઓને બાદ કરતાં બાકીની બધી જ માખીઓ જે સ્વયંસેવકની ફરજ બજાવતી હોય છે, તે બધી નપુંસક હોય છે, પણ જયારે રાણીમાખીનું જીવન ઓચિંતાનું સમાપ્ત થવાની ઘટના બને છે ત્યારે વસાહતને જાળવી રાખવાના અદમ્ય આશયથી આવા સ્વયંસેવકો પોતે પણ કયારેક ઈંડા મુકવા લાગી જાય છે. પણ તે નિર્જીવ હોવાથી તેમાંથી માખીઓ બનથી નથી. કંઈક એમ જ…

નર પપૈયાને સામાન્ય પરિસ્થિતિ માં ફળો લાગતાં નથી. પણ જયારે આપણે એના થડમાં લોઢું કે લાકડું-ફાટ પાડીને ભરાવી દઈએ, ત્યારે  એને ઈજા પહોંચે છે. એની જીંદગી જોખમમાં મૂકાઈ જાય છે. એને ‘અકાળે મૃત્યુ આવી જશે’ એવો ભય લાગે છે. એના મનમાં ચિંતા ઉદભવે છે કે ‘અરેરે ! બચ્ચાં (બિયાં) પેદા ન થયા અને મારે મરી જવાનું થશે ! વંશ વહ્યો જશે તો ?’ એટલે નર ફુલોની વચ્ચે માદા ફુલો ખિલવા માંડે છે અને બીજ પેદા કરવાનો પ્રયત્ન શરૂ કરે છે. નર પપૈયો આવા માદાફૂલો તો ખિલવે છે પણ તે સંપૂર્ણ અવયવો વાળા ન હોવાથી બંધાયેલા ફળમાં બિયાં ઉત્પન્ન થતાં નથી. બરાબર નિરીક્ષણ કરજો ! નર પપૈયાના ઝાડને જે ફળો લાગેલાં હશે, તે લાંબી દાંડી પર ઘાટઘૂટ વિનાના અને અંદર બિયાં ન હોય તેવા માલુમ પડશે. પ્રકૃતિ સૌ જીવમાં પોતાનો વંશ ચાલુ રાખવાની જે અદામ્ય ઈચ્છા મુકી છે તે આના પરથી સાબિત થાય છે.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

શાકભાજી ઉછેરવાની ઉચ્ચ તકનીકી નર્સરી તકનીકો

1. બીજની ટ્રે (પ્રો-ટ્રે) ને માધ્યમ (કોકો પીટ, પર્લાઇટ અને વર્મીક્યુલાઇટ) વડે ભરવી. 2. શાકભાજીના બીજ વાવવા માટે પ્રો ટ્રે/પ્લગ ટ્રેના સેલની મધ્યમાં એક કાણું

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ ટેકનોલોજી : વર્ટિકલ ફાર્મિંગ

દૂનિયામાં ખેતીલાયક જમીનો ઘટતી જાય છે, જમીન જન્ય રોગ પણ વધતા જાય છે, ગ્રીનહાઉસની ખેતીમાં નીમેટોડનો ઉપદ્રવ વધી રહ્યો છે. ત્યારે જમીન વગરની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. વર્ટિકલ ફાર્મિંગ એટલે માળવાળી ખેતી શરૂ થઈ છે, શાકભાજીની ખેતીમાં વર્ટિકલ ફાર્મિંગ ખૂબ જ વધી રહ્યું છે. જમીન વગર ઉદ્યોગના સ્વરૂપે આ ખેતી ભવિષ્યમાં ખુબ જ આગળ વધશે તેવું લાગી રહ્યું છે. વિશ્વની વસ્તી કુદકે ને ભુસકે વધી રહી છે. ત્યારે આ નવો પ્રયોગ ખરેખર ફુડ સીક્યોરીટી માટે કામ લાગશે. (201509)

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોપ ઉછેર માટે ગાદી ક્યારાની માહિતી

તમામ ૠતુઓમાં અને ખાસ કરીને વરસાદનીૠતુમાં ગાદી કયારા પસંદ કરવામાં આવે છે. નર્સરીનીજમીનને લેવલ કરી તેને નીંદણ, જડિયા, પથ્થરો, કાંકરા વગેરે દૂર કરવા છે. નર્સરી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પપૈયામાં છોડનો વિકાસ અટકાવનાર આ રોગનું નિયંત્રણ કેમ કરશો ?

પપૈયાના પાન કરચલીવાળા અને વિકૃત થવા, પાંદડાની કિનારીઓ અંદર અને નીચે તરફ વળી જાય , નસો જાડી થવી.પાંદડા ચામડા જેવા, બરડ અને વિકૃત થઈ જાય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
aries agro
Enable Notifications OK No thanks