‘નર’ પપૈયાના થડમાં લાકડા કે લોઢાની ફાડ મારી દઈએ એટલે એ ‘નર’ ઝાડને પણ ફળો લાગવા માંડે છે :

હા, થોડા ઘણા અંશે આ વાત સાચી છે, પણ એ ન સમજાય તેવો ચમત્કાર નથી. મધપૂડામાં ઈંડા મૂકવાનું કામ માત્ર ‘રાણીમાખી’ જ કરતી હોય છે. વળી આખી વસાહતમાં રાણી તો એક જ હોય છે. થોડી નર માખીઓને બાદ કરતાં બાકીની બધી જ માખીઓ જે સ્વયંસેવકની ફરજ બજાવતી હોય છે, તે બધી નપુંસક હોય છે, પણ જયારે રાણીમાખીનું જીવન ઓચિંતાનું સમાપ્ત થવાની ઘટના બને છે ત્યારે વસાહતને જાળવી રાખવાના અદમ્ય આશયથી આવા સ્વયંસેવકો પોતે પણ કયારેક ઈંડા મુકવા લાગી જાય છે. પણ તે નિર્જીવ હોવાથી તેમાંથી માખીઓ બનથી નથી. કંઈક એમ જ…

નર પપૈયાને સામાન્ય પરિસ્થિતિ માં ફળો લાગતાં નથી. પણ જયારે આપણે એના થડમાં લોઢું કે લાકડું-ફાટ પાડીને ભરાવી દઈએ, ત્યારે  એને ઈજા પહોંચે છે. એની જીંદગી જોખમમાં મૂકાઈ જાય છે. એને ‘અકાળે મૃત્યુ આવી જશે’ એવો ભય લાગે છે. એના મનમાં ચિંતા ઉદભવે છે કે ‘અરેરે ! બચ્ચાં (બિયાં) પેદા ન થયા અને મારે મરી જવાનું થશે ! વંશ વહ્યો જશે તો ?’ એટલે નર ફુલોની વચ્ચે માદા ફુલો ખિલવા માંડે છે અને બીજ પેદા કરવાનો પ્રયત્ન શરૂ કરે છે. નર પપૈયો આવા માદાફૂલો તો ખિલવે છે પણ તે સંપૂર્ણ અવયવો વાળા ન હોવાથી બંધાયેલા ફળમાં બિયાં ઉત્પન્ન થતાં નથી. બરાબર નિરીક્ષણ કરજો ! નર પપૈયાના ઝાડને જે ફળો લાગેલાં હશે, તે લાંબી દાંડી પર ઘાટઘૂટ વિનાના અને અંદર બિયાં ન હોય તેવા માલુમ પડશે. પ્રકૃતિ સૌ જીવમાં પોતાનો વંશ ચાલુ રાખવાની જે અદામ્ય ઈચ્છા મુકી છે તે આના પરથી સાબિત થાય છે.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

અવલોકનની કળા એટલે કે સ્કાઉટીંગની કુનેહ

છોડની સમસ્યાઓનું  સાચું નિદાન = સાચી સારવાર = વધુ ઉત્પાદન. તમારા ગામમાં એક ખેડૂત જરૂર એવો હશે જે પ્રતિવર્ષ પોતાની ખેતીમાં સફળતા મેળવતો હશે અને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીનને જંતુરહિત કરવાની ફોર્મેલિનની માવજત

ફોર્મેલિન સોલ્યુશનનો ઉપયોગ જમીનને જંતુરહિત કરવા માટે થાય છે. જે પ્રતિ લિટર પાણીમાં ૨.૫૦ મિલિ વ્યાપારિક શ્રેણીના ફોર્માલ્ડિહાઈડ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. જમીનને ટોચની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતી ખર્ચ કેમ ઘટાડવો ?

હાલના સમયમા ખેડૂતભાઈઓની મોટી તકલીફ એ છે કે, ખેતી ખર્ચ વધતો અને નફો ઓછો થતો જાય છે. ખેતી ખર્ચ ઘટાડવા માટે નીચે મુજબના મુદ્દા ધ્યાને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પપૈયામાં છોડનો વિકાસ અટકાવનાર આ રોગનું નિયંત્રણ કેમ કરશો ?

પપૈયાના પાન કરચલીવાળા અને વિકૃત થવા, પાંદડાની કિનારીઓ અંદર અને નીચે તરફ વળી જાય , નસો જાડી થવી.પાંદડા ચામડા જેવા, બરડ અને વિકૃત થઈ જાય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
aries agro
Enable Notifications OK No thanks