
છોડની સમસ્યાઓનું સાચું નિદાન = સાચી સારવાર = વધુ ઉત્પાદન. તમારા ગામમાં એક ખેડૂત જરૂર એવો હશે જે પ્રતિવર્ષ પોતાની ખેતીમાં સફળતા મેળવતો હશે અને પાછો જે પાક વાવે તેમાં તે નફો કમાતો હશે . આ ખેડૂત પાસે કયો મંત્ર હશે ? મિત્રો એ મંત્ર છે અવલોકનની કળા એટલે કે સ્કાઉટીંગની કુનેહ કારણ કે દરેક પાંદડું એક વાર્તા કહે છે. પીળા પડવું, વળવું, ડાઘ પડવા અથવા અટકેલી વૃદ્ધિ એ તમારા પાક દ્વારા મળતા પાનના સંકેત છે. ખેતીમાં સાચી સફળતા માત્ર પ્રતિક્રિયા આપવામાં નથી પરંતુ તેના મૂળ કારણને સમજીને તેની યોગ્ય સારવાર કરવામાં છે.



























