aries agro

મરચીનો ફાઇટોપથોરા – મરચીનો સુકારો- રૂટ રોટ

રોગકારક :
જે વિસ્તારમાં સીધા સપાટ ક્યારામાં મરચી થતી હોય પાળા ઉપર મરચી વાવવામાં આવતી ન હોય, જે વિસ્તાર માં વર્ષો થી મરચીની ખેતી થતી હોય ત્યાં પાળા બનાવવામાં ન આવતા હોય ત્યાં ફાયટોપથોરા રોગ વધુ દેખાય છે .

ફાયટોપ્થોરા બ્લાઈટ એટલે કે એક પ્રકારની વોટર મોલ્ડથી થતો સુકારો છે, આ રોગ મરચીના પાકને 100 ટકા સુધી નું નુકશાન કરી શકે છે. ફાયટોપથોરાને 24 થી 29 સેન્ટિગ્રેડ તાપમાન અને 18 સેન્ટિગ્રેડ જમીન તાપમાન અનુકૂળ છે એટલેકે 24 સે. થી + – 4 ડિગ્રી એટલે કે 4 ડિગ્રીની વધઘટ હોય અને જમીનનું તાપમાન 18 સેં. થાય ત્યારે ફાઇટોપથોરા દેખાય છે.

રોગ ના લક્ષણ :

થડ ઉપર કાળો ડાઘ પડે , છોડ, મૂળ અને પાંદડા ખરી જઈને છોડ ઉભો સુકાય તે રોગને ફાય્ટોપ્થોરા બ્લાઈટ કહે છે.

આ ફાયટોપ્થોરા રોગકારકને લીધે થાય છે. પાંદડા ઉપર ઘાટા લીલા ડાઘ કે ફળ પણ થોડો સમય ઘાટા લીલા બની જાય છે. આ રોગ વધુ ભેજ સાચવતી જમીનમાં વધુ થાય છે .

ખુબ જ મોટું એટલે 100 ટકા સુધીનું નુકશાન કરી શકતો ફાયટોપથોરા રોગ મરચીની ખેતીનો મોટો દુશ્મન છે , આ રોગ ના રોગકારક 4 વર્ષ સુધી જમીનમાં પડ્યા રહે છે . જમીનમાં પડેલા રોગકારક વરસાદના ઝાપટા સાથે પાંદડા પાર આવે છે અથજવા પાણી સાથે ખુલ્લા ધોરીયા માં પાણીના વહન ની દિશામાં આ રોગ આગળ વધે છે, રોગકારક એક વાર છોડના મૂળ કે થડ ને લાગે પછી તો હજારો રોગકારક ફેલાવે છે . સુકાય ગયેલ છોડના જડીયામાં પણ રોગકારક હોય છે જે ખેતરમાં પડી રહ્યા હોય તો બીજા વર્ષે ફરી પોતાનું જીવન મરચીના પાકમાં આગળ વધારે છે . બે હાર વચ્ચે ગ્રીન મ્લચીંગ ઘઉંનું કુવલ નાખો અથવા મ્લચીંગ કરીને મરચીની ખેતી કરો .

ચોમાસામાં શું કાળજી લેવી :

ફાયટોપથોરા માટે ફુગનાશક બહુ કામ આવતા નથી પણ તેનાથી બચવા ખેતી પધ્ધતિ બદલો એટલે કે પાળા ઉપર મ્લચીંગ અને ડ્રિપ સાથે મરચીની ખેતી કરો .

પવનને લીધે મરચીનો છોડ ડગડગે નહિ તેની કાળજી લ્યો , મરચીની હાર ઉપર દર દશ ફૂટે લાકડું ખોડી તેમાં દોરી કે તાર બાંધીને છોડને ટેકો આપો , પાણી અને હવાથી આ રોગ પ્રસરે છે , ઝાપટ વાળો વરસાદ થી વધુ ફેલાય છે

છોડ પવનથી હલી હલીને જમીન અને થડના જોડાણ પાસે કોન આકારનો ખાડો બનવો જોઈએ નહિ નહીંતર વરસાદ નું પાણી ત્યાં ભરાશે તો પછીથી ફાઇટોપથોરા જરૂર આવશે ,

ઘાટું વાવેતર ના કરો અને ચાસ માં લાકડા ખોડી ને દોરી થી મરચીના છોડ ને ટામેટીની જેમ બાંધો

એક વાર ફાયટોપથોરા લાગ્યા પછી રોગ ને અટકાવી શકવું ઘણું મુશ્કેલ છે તે યાદ રાખજો . જો તમારી જમીનમાં આ રોગ આવતો હોય તો 4 વર્ષ મરચીનું વાવેતર બીજા ખેતરમાં કરો .

પ્રિ હાર્વેસ્ટ ઈન્ટરવલ એટલેકે ફળ આવે તે પહેલા ડ્રેનચિંગ અને સ્પ્રે કરો ,સેન્દ્રીય તત્વો વધુ નાખો .મેટાલેક્સિલ આ રોગમાં કામ આવતું માંથી

બઝારમાં મળતા નવા ફુગનાશક :

  • મેલોડી ડુઓ (ઇપ્રોવાલીકાર્બ + પ્રોપીનેબ) ૪૫ ગ્રામ/પંપ અથવા
  • પ્રોલીફર (ફોસેટાઈલ+ ફ્લુઓપીકોસાઈડ) ૩૦ ગ્રામ/પંપ અથવા
  • ઇક્વેકશન પ્રો. (ફેમોક્ષાડોન + સાયમોક્ષાનીલ) ૨૫ ગ્રામ/પંપ
  • રેવુસ (મંડીપ્રોપેમાઇડ) નું ડ્રેન્ચિંગ કરવું.

આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ 

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

મનની વાત : કપાસમાં વરસાદ પછીની માવજત

અત્યારે બધી જ જગ્યાએ સારા પ્રમાણમાં વરસાદ પડેલ છે ત્યારે કપાસ અને અન્ય પાકોને નુકશાન થવાની શક્યતા છે ત્યારે કપાસના પાકમાં મુખ્યત્વે સુકારો અને ફળ ખરવાના પ્રશ્નો જોવા મળે છે તો આપણે

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત – ૧

મરચીના પાનના ટપકાનો રોગ કેવી રીતે લાગે ? મરચીના પાન સતત ૧૪ કલાક વરસાદ કે ઝાકળથી અથવા વરસાદ થી ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનું છોડ પર આક્રમણ થાય અને મરચીને ચેપ લાગે,

વધુ વાંચો....

રોગ : દિવેલામાં સૂકારો

છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો. સૂકારા સામે પ્રતિકારક ગુજરાત દિવેલા સંકર ૭ જાતનું વાવેતર કરવું. બીજને વાવતાં પહેલાં કાર્બેન્ડાઝીમ 2 ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી જૈવિક નિયંત્રકનો 20 ગ્રામ

વધુ વાંચો....

રોગ : કપાસમાં ખૂણિયા ટપકાં/ જીવાણુ જન્ય રોગ

1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 60 ગ્રામ કોપર ઓકિંઝક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રકના 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીનો ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત

વધુ વાંચો....

રોગ : ડાંગર પાનનો ઝાળ રોગ/ બેક્ટેરીયલ લીફ બ્લાઇટ

રોગની શરૂઆત થાય ત્યારે 1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ + 30 ગ્રામ કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પાકમાં ભલામણ મુજબ જ નાઇટ્રોજનયુક્ત ખાતરો ત્રણ કે ચાર હપ્તામાં આપવા.

વધુ વાંચો....

ખેતી અને હવામાન

સમગ્ર સૂર્યમંડળમાં વાતાવરણની મહામૂલી ભેટ ફક્ત આપણી પૃથ્વીને જ મળેલી છે. વનસ્પતિ જીવન અને માનવજીવનને અનુકૂળ એવું વાતાવરણ પણ તેને મળ્યું છે. તેથી જીવસૃષ્ટિનું પૃથ્વી ઉપર નિર્માણ શક્ય બન્યું છે. પૃથ્વીની સપાટી

વધુ વાંચો....

રોગ : મકાઇ પાનનો સૂકારો/ મેઇડીસ લીફ બ્લાઇટ

ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મીલિ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી 15 મીલિ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ૧૦ ટકા ગૌમૂત્ર (૧ લિટર પ્રતિ ૧૦ લિટર

વધુ વાંચો....

રોગ : વેલાવાળા શાકભાજીમાં પાનના ટપકાં

વેલાવાળા શાકભાજીમાં પાનના ટપકાં : કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8  ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 50 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45  ગ્રામ 15  લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ

વધુ વાંચો....

મગફળીના થડનો કોહવારો

પાક ફેરબદલી કરવી, એકની એક જમીનમાં મગફ્ળીનું વાવેતર કરવું નહીં. સંપૂર્ણ સડી ગયેલા સેન્દ્રિય ખાતરો જ વાપરવા. ટ્રાયકોડર્મા હારજીયાનમ ૨.૫ કિ.ગ્રા./હેક્ટર જમીનમાં વાવેતર સમયે ચાસમાં ૧૦૦ કિ.ગ્રા. એરંડાના ખોળ અથવા દેશી ખાતર

વધુ વાંચો....

મગફળીમાં અફલારોટ

વાવણી સમયે ઈજા થયેલ અને ફુગવાળા દાણા દૂર કરી સારું બીજ જ વાવેતર માટે વાપરવું જોઈએ. ફુગનાશક દવાઓની ભલામણ મુજબ બીજ માવજત આપી વાવેતર કરવું. પાક ફેરબદલી કરવી. મગફ્ળીનાં ડોડવા અને દાણામાં

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks