aries agro

કપાસ પાક એ ગુજરાત સહિત અનેક રાજ્યના ખેડૂતો માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે. આજકાલ કૃષિ ખર્ચ વધતા, ખેડૂતો માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવી એક કળા બની ગઈ છે. પણ આપણી પરંપરાગત જ્ઞાનમાં તેની ચાવી પહેલેથી જ રહેલી છે – એ છે નક્ષત્ર આધારિત વાવેતર.

આજની કૃષિ વિજ્ઞાનમય તો છે, પણ સાથે સાથે કુદરત સાથે જોડાયેલ પણ હોવી જોઈએ. ખેડૂતોએ આજ સુધી કપાસ વાવેતરના સમય માટે “મોસમ” આધારિત વિચાર કર્યા છે, પણ હવે સમય છે કે આપણે નક્ષત્ર આધારિત વાવેતર અને પોષણ વ્યવસ્થાપન તરફ ધ્યાન દઈએ – જે અંતે વધુ ઉપજ, ઓછા ઇનપુટ ખર્ચ અને વધુ કુદરતી સમતોલ ઉપજ આપે છે.


આજની કૃષિ વિજ્ઞાનમય તો છે, પણ સાથે સાથે કુદરત સાથે જોડાયેલ પણ હોવી જોઈએ. ખેડૂતોએ આજ સુધી કપાસ વાવેતરના સમય માટે “મોસમ” આધારિત વિચાર કર્યા છે, પણ હવે સમય છે કે આપણે નક્ષત્ર આધારિત વાવેતર અને પોષણ વ્યવસ્થાપન તરફ ધ્યાન દઈએ – જે અંતે વધુ ઉપજ, ઓછા ઇનપુટ ખર્ચ અને વધુ કુદરતી સમતોલ ઉપજ આપે છે.
કૃષિ માત્ર પૃથ્વી પર આધારિત પ્રવૃતિ નથી, પણ તેનું ઊંડું જોડાણ આકાશ સાથે પણ છે. આપણાં પૂર્વજોએ નક્ષત્રોના આધારે વાવેતર અને કૃષિ વ્યવસ્થાપનનાં સિદ્ધાંતો વિકસાવ્યા હતા, જે આજે પણ અસરકારક રીતે માન્ય છે.

શા માટે નક્ષત્ર મુજબ વાવેતર કરવું?

નક્ષત્રોનો પ્રભાવ માત્ર માન્યતાઓ સુધી સીમિત નથી. અનેક ખેડૂતોના અનુભવો અને વૈજ્ઞાનિક નિરીક્ષણો મુજબ, યોગ્ય નક્ષત્રમાં વાવેતર કરવાથી:

  • બીજ નો ઉગાવો પણ સારો થાય છે
  • છોડ વધુ તંદુરસ્ત બને છે
  • રોગ ઓછા આવે છે
  • પાક છેલ્લે સુધી લીલોછમ અને તંદુરસ્ત રહે છે
  • ઉત્પાદન 15–25% સુધી વધારે મળી શકે છે

આ શ્રેષ્ઠ નક્ષત્રોમાં કપાસનું વાવેતર કરો:
ઉત્તરાષાઢા, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાભાદ્રપદ, મૂળ, મઘા, મૃગશિર્ષ, રોહિણી, રેવતી, હસ્ત, જયેષ્ઠ, અનુરાધા
સાથે સાથે ખેડૂત મિત્રો ઋષિ પરાશર અનુસાર પાકનું વાવેતર મંગળવાર અને શનિવારે ટાળવું જોઈએ કેમ કે મંગળવારે વાવેતર કરવાથી જે તે પ્રદેશને ધ્યાનમાં રાખતા મૂષક (ઉંદર )નું પ્રમાણ વધુ જોવા મળે છે અને શનિવારે વાવેતર કરવાથી રોગ અને જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે

આ સિવાય આપણે અમાસ અને પૂનમ અને તેના ૨૪ કલાક પેહલા વાવેતર ટાળવું જોઈએ.

ચંદ્રકિરણો માઈક્રોબાયોલોજીકલ પ્રવૃત્તિઓને અસર કરે છે
અમાસ/પૂનમ દરમિયાન જમીનમાં રહેલા જીવોની ગતિશીલતા ઘટે છે
અમાસ એટલે?
ચંદ્રચક્રનો અંતિમ દિવસ — જયારે ચંદ્ર નજરે દેખાતો નથી. આ દિવસને “દ્રવ્યહીન, ઊર્જાહીન અને જડતાવાળો” માનવામાં આવે છે.
અમાસના દિવસે વાવેતર ન કરવાના કારણો:
જમીનમાં પોષણશક્તિ ઓછી રહે છે
ચંદ્રકિરણોની ઉર્જા બીજ સુધી પહોંચી શકતી નથી
બીજના ઊંડાણ અને જીવંતપણામાં ઘટાડો આવે
ઉગાવટમાં વિલંબ અથવા અસમાન વૃદ્ધિ થાય
પૂનમના દિવસે વાવેતર ટાળવા પાછળનાં કારણો:
તીવ્ર ચંદ્રકિરણ બીજમાં ઊર્જાનો અતિરસ પણ કરી શકે
પાણીના સ્તરમાં અસમાન ચઢાવ-ઉતાર થતું હોય છે (gravitational pull)
વિજ્ઞાન કુદરત સામે નહીં, પણ સાથે મળીને ચાલે ત્યારે કૃષિ અદ્ભુત પરિણામ આપે છે. કપાસ પાકમાં નક્ષત્ર આધારીત વાવેતર અને પોષણ વ્યવસ્થાપન એ માત્ર પરંપરાગત માન્યતા નથી રહી, હવે તે અનુભવી ખેડૂતોએ પણ સાબિત કરી છે.
જેમ યોગ્ય નક્ષત્રમાં વાવેતર મજબૂત મૂળ આપે છે, તેમ યોગ્ય નક્ષત્રમાં પોષણ આપવું ઊંડો પાયો બનાવે છે.”
ભગવતગીતા ના ૧૫ માં અધ્યાય ના ૧૩ માં શ્લોક માં ભગવાને કહ્યું છે કે હું રસ સ્વરૂપ ચંદ્ર બની ને બધી વનસ્પતિઓને પોષણ કરવાનું કાર્ય હું કરું છું
“જેમ પ્રકાશ વિના વૃક્ષ ઉગતું નથી, તેમ અનુકૂળ ચંદ્રપ્રભા વિના બીજ સંપૂર્ણ ઉગી શકતું નથી.”
અમાસ અને પૂનમમાં જમીન ઊર્જાથી ભરેલી નથી હોતી, તેથી તે દિવસો “વિશ્વામ દિવસો” તરીકે ગણાય છે – જ્યારે કુદરત પોતે આરામ કરે છે.
નક્ષત્ર અને વિજ્ઞાનનો સમન્વય કરીને ક્યાં ખેડૂતોએ સફળતા મેળવી તે વિષે જાણવા માટે તમે ડો. પલ્કેશ પટેલનો મોબાઈલ ઉપર સંપર્ક કરીને તમારા અનુભવો જણાવો. આ અનુભવનો વિષય છે મોબાઈલ નંબર – 99798 69094.

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

કપાસની ગુલાબી ઇયળ

 ગુલાબી ઈયળના નર ફૂદાંને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ મોજણી અને નિગાહ અર્થે હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવા. જ્યારે ફૂદા ટ્રેપમાં પકડાવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

વધુ વાંચો....

કૃષિ માહિતી : કપાસમાં ટૂંકા ગાળે  વાવેતર પદ્ધતિ એટલે શું ?  

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ (હાઇ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ -HDPS) એ એક નવી ખેતી પદ્ધતિ છે, જેણે વિશ્વભરમાં, ખાસ કરીને ચીન, ભારત, તુર્કી, બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં કપાસની ખેતીમાં લોકપ્રિયતા મેળવી છે.

વધુ વાંચો....

કપાસ : કપાસના ઘાટા વાવેતર માટેની જાતો કેવી હોય ? 

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિને અનુરૂપ જાતોના સંવર્ધન માટે એવા લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેમાં છોડ ઓછી જગ્યામાં ઊગી ફેલાઈ શકે અને સાથે સાથે ઉત્પાદકતા અને ગુણવત્તા પણ જાળવી રાખે.

વધુ વાંચો....

કાગળની અરજીમાંથી ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે

આપણને ખબર છે કે જ્યારે કોઇપણ સેવા કે કાર્ય કાગળની અરજી માંથી મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ ખૂબ જ ઝડપથી મોટા સમુદાય સુધી પહોંચાડી શકાય છે.

વધુ વાંચો....

ફળ ફાટવાની સમસ્યા

ઘણી વખત દાડમના ફળ પાકવા આવવાની અવસ્થાએ ઝાડ પર જ ફાટી જાય છે. આવ કિસ્સામાં ઘણી વખત ખેડૂતો જાણ્યે-અજાણ્યે તેને રોગ સમજી તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. જો યોગ્ય

વધુ વાંચો....

જેવો પીએચ તેવી જમીનની સ્થિતિ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

માટીનો pH જમીનની રચના અને સ્થિરતાને અસર કરે છે. નીચા pH મૂલ્યો પર, માટીના કણો અસ્થિર થઈ શકે છે, જેના કારણે આવી માટીનું ધોવાણ થાય છે અને આવી માટીમાં પાણી….

રોજ વાંચતા

વધુ વાંચો....

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ ભાગ – ૨

૫. સિંચાઈ : હાયપરસ્પેકટ્રલ, મલ્ટિસ્પેક્ટ્રલ અથવા થર્મલ સેન્સરવાળા ડ્રોન ક્ષેત્રના કયા ભાગો શુષ્ક છે તે ઓળખી શકે છે જેથી જળ સંસાધનો વધુ આર્થિક રીતે ફાળવી શકાય એટલે કે શુષ્ક વિસ્તારો માટે વધુ

વધુ વાંચો....

કપાસની ગુલાબી ઇયળ

 ગુલાબી ઈયળના નર ફૂદાંને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ મોજણી અને નિગાહ અર્થે હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવા. જ્યારે ફૂદા ટ્રેપમાં પકડાવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

વધુ વાંચો....

જમીનની pH ગુણવત્તા – કૃષિવિજ્ઞાન ટીપ્સ

માટીનો pH છોડના વિકાસ અને આરોગ્યને સીધી અસર કરે છે. કેટલાક છોડ એસિડિક માટી પસંદ કરે છે, જ્યારે અમુક છોડ આલ્કલાઇન માટી પસંદ કરે છે. જો માટીનો pH છોડ માટે….

વધુ વાંચો....

ક-ખ-ગ શીખવતા ટેબ્લેટની શોધ થઇ ગઈ છે

લ્યો આ વાત તો તમને એવી નવાઈ લગાડશે કે આવી રીતે કખગ શીખવાનું સરળ થઇ જશે તો તમારા ગામના વડીલ જીવા આતા જેવા ઘણા પણ તેના દીકરાના દીકરાને કહેશે કે મને પણ

વધુ વાંચો....

સૂક્ષ્મ જીવો ની મદદ જોઈએ તો પીએચ સમતોલ જરૂરી – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જમીનનો pH પોષણ ની ઉપલભ્યતાને અસર કરે છે એટલુંજ નહિ જમીનમાં સુક્ષ્મસજીવો ની પ્રવૃત્તિ ઉ પર અસર કરે છે, જે જમીનની ફળદ્રુપતા ઉપર સીધી અસર કરે છે . વિવિધ સુક્ષ્મસજીવો વિવિધ pH

વધુ વાંચો....

સલ્ફરના છોડમાં અગત્યના કાર્યો શું છે ?

૧. છોડમાં એમીનો એસિડ અને પ્રોટીનની બનાવટમાં મુખ્ય ભાગ ભજવે છે.૨. તેલીબિયાં પાકોના દાણામાં તેલનું પ્રમાણ, પ્રોટીનનું પ્રમાણ વધારે છે.૩. કઠોળ વર્ગના પાકોમાં નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવામાં મદદરૂપ થાય છે.૪. પાકની પેદાશોની ગુણવત્તા

વધુ વાંચો....
aries agro
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks