aries agro

ડો.બી.જી.પ્રજાપતિ, નિવૃત્ત કિટકશાસ્ત્રી,
૨૩, સૌન્દર્ય પેલેસ, અવસર પાર્ટી પ્લોટની પાછળ, મોઢેરા રોડ, મહેસાણા – ૩૮૪૦૦૨, મોબાઈલ : ૯૪૨૭૩ ૭૫૦૯૩

ચીકણા પિંજર (સ્ટીકી ટ્રેપ) શું છે ?

ચીકણા પિંજર (સ્ટીકી ટ્રેપ) એ એક કલર્ડ પેપર અથવા પ્લાસ્ટિકના બોર્ડ કે જેની બેઉ બાજુએ એક જ કલર હોય છે અને તેની ઉપર ચોંટી શકે તેવો ગુંદર હોય છે કે જે સૂર્યપ્રકાશ અને પાણી સામે લાંબા સમય સુધી ટકી શકે છે. કીટકો આવા ગુંદર સાથે ચોંટી જાય છે અને પાકમાં નુકશાન કરવા જઈ શકતા નથી. આવા ચીકણા પિંજર કોઈ પણ પ્રકારના રસાયણ વિના પાકને જીવાતોના ઉપદ્રવથી બચાવે છે. આવા પિંજર જંતુનાશક દવાઓ કરતાં ખૂબ જ સસ્તા છે. આમ, સ્ટીકી ટ્રેપ એ એક પાતળી શીટ છે જેમાં ચીકણો પદાર્થ જોડાયેલ છે તે પીળો, વાદળી, કાળો, સફેદ, લાલ અને નારંગી જેવા ઘણા રંગોમાં આવે છે. વિવિધ જીવાતો આ રંગોથી આકર્ષાય છે અને તેની તરફ આવે છે અને અટકી જાય છે. કેટલીક જીવાતો જેવીકે કરોળિયા, ઢાલીયા કીટકો, કથીરી અને ઝીણી ચુસીયા જીવાતો ચીકણા પિંજરથી ટ્રેપ કરી શકાય છે.

ચીકણા પિંજરના પ્રકાર :
ચીકણા પિંજર(સ્ટીકી ટ્રેપ) ઘણા રંગના હોય છે. જેમાં પીળો, વાદળી, કાળો, સફેદ, લાલ અને નારંગી કલરના ચીકણા પિંજર સામે જુદી જુદી જાતિની જીવાતો આકર્ષાય છે.
પીળા ચીકણા પિંજર (યલો સ્ટીકી ટ્રેપ) :
પીળા ચીકણા પિંજર એ સફેદમાખી, મોલો અને પાનકોરિયા જેવી જીવાતો માટે ખૂબ જ સાનુકૂળ છે.આવા પિંજરનો ઉપયોગ મુખ્યત્વે ચૂસીયા જીવાતોના નિયંત્રણમાં થાય છે.
વાદળી ચીકણા પિંજર (બ્લ્યુ સ્ટીકી ટ્રેપ) :
વાદળી ચીકણા પિંજરનો ઉપયોગ થ્રીપ્સ નામની જીવાતોના નિયંત્રણમાં થાય છે.
કાળા ચીકણા પિંજર (બ્લેક સ્ટીકી ટ્રેપ) :
આ પ્રકારના પિંજર ટામેટીના ખેતરમાં નુકશાન કરતાં અમેરિકન પીન વર્મના નિયંત્રણમાં થાય છે.
રાતા ચીકણા પિંજર (રેડ સ્ટીકી ટ્રેપ) :
રાતા ચીકણા પિંજરનો ઉપયોગ પીઅર બ્લાઈટ બીટલના નિયંત્રણમાં થાય છે.
નારંગી ચીકણા પિંજર (ઓરેન્જ સ્ટીકી ટ્રેપ) :
નારંગી ચીકણા પિંજર કેરટ ફ્લાય (ગાજરની માખી)ના નિયંત્રણમાં ઉપયોગી છે.
ચીકણા પિંજરના ફાયદા :
ચીકણા પિંજર એ એક બિન ઝેરી અને રસાયણ મુક્ત છે પાકના નુકશાનમાં ૪૦ થી ૫૦% નો ઘટાડો કરી શકાય છે. વિવિધ જીવાતોને સરળતાથી મોનીટરીંગ/નિયંત્રિત કરી શકાય છે. ચીકણા પિંજરથી ખાસ કરીને ચૂસીયા જીવાતોના નિયંત્રણમાં ઉપયોગી છે.
ચીકણા પિંજર વાપરવાની પદ્ધતિ :

  • પાકની શરૂઆતની અવસ્થાએ અને પાકમાં જીવાતનો ઉપદ્રવ થાય તે પહેલાં ચીકણા પિંજર લગાવવા જોઈએ.
  • ચીકણા પિંજર પાકની ઊંચાઈથી અંદાજે એકાદ કે દોઢેક ફૂટ વધુ ઊંચાઈએ લગાડવા. ૭૦% કે તેથી વધુ સપાટી કીટકો કે ધૂળના રજકણોથી ઢંકાઈ જાય કે તુરત જ બદલી નાંખવા.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

ફાર્મ ઈન્પુટ : ખેતીમાં નોન વુવન ક્રોપ કવરનો ઉપયોગ

ખેડૂતો રક્ષણાત્મક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે .તેમાંનું એક પાસું એટલે ખેતી માં ક્રોપ કવર નો ઉપયોગ .તો ખેડૂત મિત્રો આ લેખ માં આપણે ક્રોપ કવર વિષે માહિતી મેળવીશું .

વધુ વાંચો....

ફાર્મ ઈન્પુટ : 11મુ એગ્રી એશિયા પ્રદર્શન -2022

સંરક્ષિત ખેતીમાં લોકોની રુચિ અને ગ્રોઇટના સંરક્ષિત ખેતી ઉત્પાદનો અને તકનીકો વિશેની લોકોની જાગૃકતા વધુ પ્રોત્સાહક છે સૌથી સારી વાત એ છે કે અમે એવા કેહદુંતો સુધી પહોંચી શક્યા જેઓ ખેતીમાં નવી

વધુ વાંચો....

ફાર્મ ઇનપુટ : આધુનિક ખેતી તરફ પ્રયાસ ખેતીમાં નોન વુવન ક્રોપ કવરનો ઉપયોગ

ક્રોપ કવર ક્યાં ક્યાં પાકોમાં ઉપયોગ કરી શકાય ? ક્રોપ કવર ઉપયોગ કરવા કઈ વસ્તુઓ ની જરૂરિયાત રહે છે? ક્રોપ કવર લગાડવાની સાચી પદ્ધતિ કઈ ? અને તેનાથી શું ફાયદા થાશે ?

વધુ વાંચો....

બાયોચાર કેવી રીતે અસરકારક બને છે

બાયોચાર – 1 જ્યારે પવન હળવો હોય ત્યારે યોગ્ય હવામાન પરિસ્થિતિઓ હેઠળ બાયોચાર લાગુ કરો. હળવા વરસાદની સ્થિતિમાં બાયોચાર લાગુ કરવું પણ મદદરૂપ થઈ શકે છે જ્યાં હળવા વરસાદથી બાયોચારની ધૂળ ભીની

વધુ વાંચો....

આધુનિક નિંદામણનાશકો

આધુનિક ખેતીમાં ખેડૂતો નીંદણનાશક રસાયણો વાપરતા થયા છે. ભાલમણ ન હોય અને વાપરવામાં આવે તો પાક પર તેની વિપરીત અસર થવાની સંભાવના રહે છે. જેમ કે ઘઉંના પાકમાં કલોડીનાફોટા પ્રોપારજીલ વાપરવાની ભલામણ

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં પરાગનયન કેવી રીતે કરવું?

આપણ ને ખબર છે કે ટામેટાનાં ફૂલોમાં દરેક ફૂલની અંદર નર અને માદા બંને ભાગ હોય છે.. ખુલા ખેતર ની જતી અલગ હોય છે , ખુલા ખેતરમાં પવન , મધમાખી વગેરે ફલીની

વધુ વાંચો....

વાલોળ માટે ખાતરની જરૂરિયાત

આ પાકનો જીવનકાળ લાંબો હોવાથી હેક્ટરે ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આપવું. આ પાક કઠોળ વર્ગનો પાક હોવાથી નાઈટ્રોજનયુકત ખાતરની ખાસ જરૂરિયાત રહેતી નથી. આમ છતાં રાસાયણિક ખાતરોમાં પ્રતિ

વધુ વાંચો....

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં વિદેશની કંપનીના સ્ટોલ, કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ

વધુ વાંચો....

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો

વધુ વાંચો....

બાયોચારનો વપરાશ દર

કોઈપણ જમીન સુધારણાની ભલામણ માટીના પરીક્ષણ, જમીનના પ્રકારો અને પાકો પર આધાર રાખતો હોય છે. તેવી જ રીતે બાયોમાસ પણ અલગ અલગ ઇનપુટ બાયોમાસ સામગ્રીઓ અને તેમની લાક્ષણિકતાઓ પર આધારિત છે, આમ

વધુ વાંચો....

આંતરરાષ્ટ્રીય કૃષિ મેળો એગ્રી એશિયા ૨૦૨૬ – ગાંધીનગર

ગાંધીનગર ખાતે ૧૧-૧૨-૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગરમાં એગ્રી એશિયા ૨૦૨૬ કૃષિ મેળો યોજાશે. આ મેળામાં વિદેશની અને ભારતની વિધ વિધ કંપનીઓ ભાગ લેશે, આ મેળામાં નર્સરી ગ્રાફ્ટેડ રોપ જોવા મળશે

વધુ વાંચો....

ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ -1

૧. ડ્રોનની વિશિષ્ટ વિશેષતાઓ જેવી કે ઓપરેશનની ઓછી કિંમત, ઓછું વજન, ગ્રાઉન્ડ સ્ટેશનનું સંપૂર્ણ નિયંત્રણ, સંચાલન અને આયોજન માટે થઈ શકે છે. ૨. નેવિગેશન સેન્સર્સ સાથે ડ્રોનની સ્વાયત્ત અને સ્થિર ઉડાન અને

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks