aries agro

ડો.બી.જી.પ્રજાપતિ, નિવૃત્ત કિટકશાસ્ત્રી,
૨૩, સૌન્દર્ય પેલેસ, અવસર પાર્ટી પ્લોટની પાછળ, મોઢેરા રોડ, મહેસાણા – ૩૮૪૦૦૨, મોબાઈલ : ૯૪૨૭૩ ૭૫૦૯૩

ચીકણા પિંજર (સ્ટીકી ટ્રેપ) શું છે ?

ચીકણા પિંજર (સ્ટીકી ટ્રેપ) એ એક કલર્ડ પેપર અથવા પ્લાસ્ટિકના બોર્ડ કે જેની બેઉ બાજુએ એક જ કલર હોય છે અને તેની ઉપર ચોંટી શકે તેવો ગુંદર હોય છે કે જે સૂર્યપ્રકાશ અને પાણી સામે લાંબા સમય સુધી ટકી શકે છે. કીટકો આવા ગુંદર સાથે ચોંટી જાય છે અને પાકમાં નુકશાન કરવા જઈ શકતા નથી. આવા ચીકણા પિંજર કોઈ પણ પ્રકારના રસાયણ વિના પાકને જીવાતોના ઉપદ્રવથી બચાવે છે. આવા પિંજર જંતુનાશક દવાઓ કરતાં ખૂબ જ સસ્તા છે. આમ, સ્ટીકી ટ્રેપ એ એક પાતળી શીટ છે જેમાં ચીકણો પદાર્થ જોડાયેલ છે તે પીળો, વાદળી, કાળો, સફેદ, લાલ અને નારંગી જેવા ઘણા રંગોમાં આવે છે. વિવિધ જીવાતો આ રંગોથી આકર્ષાય છે અને તેની તરફ આવે છે અને અટકી જાય છે. કેટલીક જીવાતો જેવીકે કરોળિયા, ઢાલીયા કીટકો, કથીરી અને ઝીણી ચુસીયા જીવાતો ચીકણા પિંજરથી ટ્રેપ કરી શકાય છે.

ચીકણા પિંજરના પ્રકાર :
ચીકણા પિંજર(સ્ટીકી ટ્રેપ) ઘણા રંગના હોય છે. જેમાં પીળો, વાદળી, કાળો, સફેદ, લાલ અને નારંગી કલરના ચીકણા પિંજર સામે જુદી જુદી જાતિની જીવાતો આકર્ષાય છે.
પીળા ચીકણા પિંજર (યલો સ્ટીકી ટ્રેપ) :
પીળા ચીકણા પિંજર એ સફેદમાખી, મોલો અને પાનકોરિયા જેવી જીવાતો માટે ખૂબ જ સાનુકૂળ છે.આવા પિંજરનો ઉપયોગ મુખ્યત્વે ચૂસીયા જીવાતોના નિયંત્રણમાં થાય છે.
વાદળી ચીકણા પિંજર (બ્લ્યુ સ્ટીકી ટ્રેપ) :
વાદળી ચીકણા પિંજરનો ઉપયોગ થ્રીપ્સ નામની જીવાતોના નિયંત્રણમાં થાય છે.
કાળા ચીકણા પિંજર (બ્લેક સ્ટીકી ટ્રેપ) :
આ પ્રકારના પિંજર ટામેટીના ખેતરમાં નુકશાન કરતાં અમેરિકન પીન વર્મના નિયંત્રણમાં થાય છે.
રાતા ચીકણા પિંજર (રેડ સ્ટીકી ટ્રેપ) :
રાતા ચીકણા પિંજરનો ઉપયોગ પીઅર બ્લાઈટ બીટલના નિયંત્રણમાં થાય છે.
નારંગી ચીકણા પિંજર (ઓરેન્જ સ્ટીકી ટ્રેપ) :
નારંગી ચીકણા પિંજર કેરટ ફ્લાય (ગાજરની માખી)ના નિયંત્રણમાં ઉપયોગી છે.
ચીકણા પિંજરના ફાયદા :
ચીકણા પિંજર એ એક બિન ઝેરી અને રસાયણ મુક્ત છે પાકના નુકશાનમાં ૪૦ થી ૫૦% નો ઘટાડો કરી શકાય છે. વિવિધ જીવાતોને સરળતાથી મોનીટરીંગ/નિયંત્રિત કરી શકાય છે. ચીકણા પિંજરથી ખાસ કરીને ચૂસીયા જીવાતોના નિયંત્રણમાં ઉપયોગી છે.
ચીકણા પિંજર વાપરવાની પદ્ધતિ :

  • પાકની શરૂઆતની અવસ્થાએ અને પાકમાં જીવાતનો ઉપદ્રવ થાય તે પહેલાં ચીકણા પિંજર લગાવવા જોઈએ.
  • ચીકણા પિંજર પાકની ઊંચાઈથી અંદાજે એકાદ કે દોઢેક ફૂટ વધુ ઊંચાઈએ લગાડવા. ૭૦% કે તેથી વધુ સપાટી કીટકો કે ધૂળના રજકણોથી ઢંકાઈ જાય કે તુરત જ બદલી નાંખવા.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ફાર્મ ઈન્પુટ : ખેતીમાં નોન વુવન ક્રોપ કવરનો ઉપયોગ

ખેડૂતો રક્ષણાત્મક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે .તેમાંનું એક પાસું એટલે ખેતી માં ક્રોપ કવર નો ઉપયોગ .તો ખેડૂત મિત્રો આ લેખ માં આપણે ક્રોપ કવર વિષે માહિતી મેળવીશું .

વધુ વાંચો....

ફાર્મ ઈન્પુટ : 11મુ એગ્રી એશિયા પ્રદર્શન -2022

સંરક્ષિત ખેતીમાં લોકોની રુચિ અને ગ્રોઇટના સંરક્ષિત ખેતી ઉત્પાદનો અને તકનીકો વિશેની લોકોની જાગૃકતા વધુ પ્રોત્સાહક છે સૌથી સારી વાત એ છે કે અમે એવા કેહદુંતો સુધી પહોંચી શક્યા જેઓ ખેતીમાં નવી

વધુ વાંચો....

ફાર્મ ઇનપુટ : આધુનિક ખેતી તરફ પ્રયાસ ખેતીમાં નોન વુવન ક્રોપ કવરનો ઉપયોગ

ક્રોપ કવર ક્યાં ક્યાં પાકોમાં ઉપયોગ કરી શકાય ? ક્રોપ કવર ઉપયોગ કરવા કઈ વસ્તુઓ ની જરૂરિયાત રહે છે? ક્રોપ કવર લગાડવાની સાચી પદ્ધતિ કઈ ? અને તેનાથી શું ફાયદા થાશે ?

વધુ વાંચો....

સાયલેજ માટે પાકની પસંદગી

સાયલેજ બનાવવા માટે ઘણાંબધાં પાકની પસંદગી કરી શકીએ છીએ. પરંતુ સારી ગુણવત્તાનો સાયલેજ બનાવવા માટે મુખ્યત્વે જુવાર, મકાઇ, બાજરી, ઓટ અને જવ જેવા પાકની પસંદગી કરવી યોગ્ય છે, આ ઉપરાંત આપણે હાઇબ્રિડ

વધુ વાંચો....
કૃષિ ટેકનોલોજી : ટામેટાના રોગ માટે નવી શોધ

એમોનિયમ સલ્ફેટ વિષે જાણો

એમોનિયમ સલ્ફેટ ((NH),SO) એક બહુમુખી ખાતર તરીકે અલગ તરી આવે છે, જે નાઈટ્રોજન અને સલ્ફર બંનેના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે. તેની રાસાયણિક રચના છોડને આ પોષક તત્ત્વોની ઝડપી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્ર (Rhizophagy Cycle) વિષે જાણો. (૫)

સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે છોડ માત્ર જમીનના પાણીમાં ઓગળેલા પોષક તત્વો શોષી લે છે અને માયકોરાઇઝલ ફૂગ તેમને મેળવવામાં મદદ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોના સંશોધનોએ એક અદ્ભુત પ્રક્રિયા

વધુ વાંચો....

બદલાતી પરિસ્થિતિમાં ખેતીમાં બદલાવ -1

વધુ ભેજસંગ્રહ માટે ઘાસની જીવંત વાડ બનાવવી. ઢાળની આડી દિશામાં ખેડ તથા વાવેતર કરવું. પાકની કાપણી બાદ ઊંડી ખેડ કરવી. ભારે જમીનની ભેજસંગ્રહ શક્તિ વધારવા સેન્દ્રિય ખાતરો તથા મોરમનો ઉપયોગ કરવો. આંતરપાક,

વધુ વાંચો....

બાયોચાર એટલે શું ?

બાયોચાર = બાયો (એટલે કે જૈવિક) + ચાર (એટલે કે કોલસો) બાયોચાર (જૈવકોલ / જૈવિક કોલસો) એ બાયોમાસ (કૃષિ અવશેષો) ના કાર્બોનાઇઝેશનમાંથી મેળવવામાં આવેલ ઘન પદાર્થ છે. બાયોચારની પરમાણુ રચનાને કારણે, તે

વધુ વાંચો....

“ગાદી ક્યારા પદ્ધત્તિ” થી ક્યાં ક્યાં પાક લઇ શકાય ?

જમીનની અંદર તૈયાર થનારા, બટેટા, ગાજર, મૂળા, ડુંગળી, બીટ, આદુ, હળદર જેવા બધા કંદપાકોમાં ગાદી ક્યારા થી સહેજે ઉત્પાદનમાં દોઢા વજનનો વધારો અને ઉત્તમ ગુણવત્તા મેળવી શકાય છે. બે ફૂટ પહોળા અને

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોસ્ફિયર (Rhizosphere) કામ શું છે? (૪)

રાઇઝોસ્ફિયર છોડ માટે એક પ્રકારનું જીવંત રાસાયણિક બજાર છે. અહીં સૂક્ષ્મજીવો જમીનમાંથી પોષક તત્વો એકત્રિત કરે છે, તેમનું રૂપાંતર કરે છે અને છોડ માટે ઉપલબ્ધ બનાવે છે. આ જ વિસ્તારમાંથી રાઇઝોફેજી ચક્ર

વધુ વાંચો....

જમીન ખોદયા વગર બટેટાના ખેતરનો ઉત્પાદન અંદાજ

આપણે ત્યાં અનુમાન થી મગફળીના થોડા છોડવા ઉપાડીને પોપટા ગણીને અંદાજ કરવામાં આવે છે કે આ વીઘા માંથી કેટલી મગફળીનો ઉતારો આવશે? હવેનો યુગ બદલાયો છે. બટેટા જેવા જમીનમાં ઉગતા પાકમાં એક

વધુ વાંચો....

સાયલેજ : લીલા ઘાસચારાનું અથાણું

લીલા ધાન્ય વર્ગના ઘાસચારાને હવાચુસ્ત વાતાવરણમાં સંગ્રહ કરવામાં આવે જેને સાયલેજ કહેવામાં આવે છે. આપણા રાજયની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઇએ તો અમુક ઋતુમાં લીલો ઘાસચારો જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં હોય છે. જયારે

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks