aries agro

મરચીનો બેક્ટેરીયલ સ્પોટ – પાનનાં ટપકા

મરચીમાં ટપકાનો આ રોગ ઝેન્થોમોનાસ રોગકારક બેક્ટેરિયાને લીધે થાય છે.

જેમ વાયરસ કે ફૂગ થી રોગ લાગે તેમ બેક્ટેરિયા થી પણ રોગ લાગે , બેક્ટેરિયા ફૂગ કરતા નાનું હોય , બેક્ટેરિયાને જીવાણું પણ કહેવાય તેને લીધે સૌ પ્રથમ પાંદડાના નીચેના ભાગે નાના, અનિયમિત આકારના, પાણી પોચા ટપકા પડે છે. તે પાછળથી ટપકા મોટા બને છે. ડાર્ક બ્રાઉનથી કાળા બને છે. જેમાં ચારે ફરતે કાળું પણ વચ્ચે પીળો ડાઘ હોય છે. રોગ વધુ થતા પાંદડા ખરવાનું શરુ થાય છે. થડમાં પણ ડાઘ પડે છે, ફળ ઉપર બળિયા ટપકા જેવા ટપકા પડે , આ મુજબ ના લક્ષણો ધરાવતા રોગને બેક્ટેરીયલ સ્પોટ કહેવાય છે. જયાં સતત ભેજ રહે ત્યાં બેક્ટેરિયા લાગે , ફુગને સમજવા એક દાખલો લઈએ આપણા ચામડાના બુટ ભીંજાય ગયા પછી છાંયડામાં સુકવ્યા છે , બે ચાર દિવસમાં શું થશે ? બુટ ઉપર સફેદ કલરની ફૂગ લાગશે , ફૂગ ને વિકાસ પામતા સમય લાગે, ફૂગ નુકશાનકારક અને ઉપયોગી બંને પ્રકારની હોય , ટ્રાઈકોડરમાં વિરિડી , માયકોરાયઝા વગેરે ખેતી ઉપયોગી ફૂગ છે.

દા.ત. ૧૪ કલાક મરચીના પાન , વરસાદ કે ઝાકળના લીધે ભીના ને ભીના રહ્યા તો વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાનો ચેપ મરચીને લાગશે. જે મરચીમાં પાનના ટપકાનો રોગ લાવશે. બેક્ટેરિયલ પાનના ટપકાનો રોગ માટે સમયસર પગલાં લેવા ખુબ અગત્યના છે પણ આપણે મરચીના પાનને ચેપ લાગ્યા પછી જયારે પાન 15 દિવસ પછી ખરે ત્યારે દવા છાંટીએ.

આ રોગ થવાનું કારણ : ગરમ અને ભેજવાળું હવામાન

નિયંત્રણ : બેક્ટેરીયલ સ્પોટ ને અટકાવવા માટે રોપ સારો વાપરો, પાક પૂરો થયે થડીયા અને ઝડીયા કાઢી નાખો પાક નીકળી જાય એટલે ખેતર ને એમનામ ખેતર માં જાડિયા પડ્યા રેવા દેવા જોઈએ નહિ , ગ્લયફોસેટ છાંટી સંપૂર્ણ બાળી નાખો , વધુ વિગત માટે બ્લોગના હોમ માં 3 લીટી છે ત્યાં જઈ ને બેક્ટેરિયલ સ્પોટ વિષે વિગતે વાંચો અને અમારી ટેલિગ્રામ ચેનલ ખેતર ની વાત માં જોડાઈ ને બધા સમાચાર સમયસર મેળવો

સતત વરસાદની શક્યતા હોય, ઝાકળની શક્યતા હોય, ત્યારે જો સ્ટીકિંગ એજન્ટ કે સ્પ્રેડર કે જે વેપારીઓ લાગઠ બધાને આપતા હોય છે અને કહેતા હોય છે કે દવા બધે ચોટી રહે પણ જો તમે ઉપરની વિગત પ્રમાણેનું વાતાવરણ હશે ત્યારે તમે ૧ ઢાંકણું પંપમાં નાખ્યું તો તમે નુકશાનમાં આવી જશો.

બેક્ટેરિયલ સ્પોટ પાનના ટપકાના રોગને લીધે પાન પોતમેળે ખરે , ખરેલા પાન જોઈને દવા લેવા જશો તો કેટલું મોડું થયું ગણાય ? 15 દિવસ

એગ્રીમાઈસીન (સ્ટ્રેપ્ટોસાયકલીન) અથવા

કોપર + એલીએટ (ફોઝેટાઈલ) નો ઘાટો સ્પ્રે કરવો.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

મનની વાત : કપાસમાં વરસાદ પછીની માવજત

અત્યારે બધી જ જગ્યાએ સારા પ્રમાણમાં વરસાદ પડેલ છે ત્યારે કપાસ અને અન્ય પાકોને નુકશાન થવાની શક્યતા છે ત્યારે કપાસના પાકમાં મુખ્યત્વે સુકારો અને ફળ ખરવાના પ્રશ્નો જોવા મળે છે તો આપણે

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત – ૧

મરચીના પાનના ટપકાનો રોગ કેવી રીતે લાગે ? મરચીના પાન સતત ૧૪ કલાક વરસાદ કે ઝાકળથી અથવા વરસાદ થી ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનું છોડ પર આક્રમણ થાય અને મરચીને ચેપ લાગે,

વધુ વાંચો....

મગફળીમાં ઘૈણ

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે

વધુ વાંચો....

કપાસના પેરા વિલ્ટ/ સુદાન વિલ્ટ/ ન્યૂ વિલ્ટ

જમીનમાં ભેજની અછત ટાળવી અને આવી ૫રિસ્થિતીમાં પિયત આ૫વાથી સૂકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે. વરાપે ખેડ કરવાથી અથવા છોડના મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરવાથી ફાયદો થાય છે. છોડ ઉ૫ર

વધુ વાંચો....

ડાંગરનો પાનનો ઝાળ રોગ/ બેક્ટેરીયલ લીફ બ્લાઇટ

રોગની શરૂઆત થાય ત્યારે 1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ અને 60 ગ્રામ કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં પાકમાં ભલામણ મુજબ જભેળવી છંટકાવ કરવો. નાઇટ્રોજનયુક્ત ખાતરો ત્રણ કે ચાર હપ્તામાં આપવા.

વધુ વાંચો....

ટામેટાંમાં ખેતીમાં પાછોતરો સુકારો અને વહેલો સુકારા વચ્ચેનો તફાવત ખબર હોય તો પાક સંરક્ષણ સહેલું પડે છે.

ટામેટાંમાં ખેતીમાં પાછોતરો  સુકારો અને વહેલો સુકારો આવે છે આ બને સુકારા વચ્ચે નો તફાવત ખબર હોય તો પાક સંરક્ષણ સહેલું પડે છે ચાલો જાણીયે આ બંને વચ્ચેનો તફાવત .પાછોતરો  સુકારા માં

વધુ વાંચો....

મકાઇના પાનનો સૂકારો

ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મિલિ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી 15 મિલિ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ૧૦ ટકા ગૌમૂત્ર (૧ લિટર પ્રતિ ૧૦ લિટર

વધુ વાંચો....

તલનો પર્ણગુચ્છ/ ફાયલોડી

આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ફોસ્ફામીડોન ૪૦ એસએલ 15 મિલિ 15 લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

વધુ વાંચો....

ડાંગરનો કરમોડી/ ખડખડીયો/ બ્લાસ્ટ

રોગ જણાય કે તરત જ ટ્રાયસાયક્લાઝોલ ૭૫ વેપા 10 ગ્રામ અથવા આઇપ્રોબેનફોસ ૪૮ ઇસી 15 મિલિ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી ૧૫- ૨૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks