aries agro

આ ધરતી પર વસવાટ કરતાં દરેક જીવ પછી તે સૂક્ષ્મ જીવાણુ હોય, પશુપક્ષી હોય કે પછી વનસ્પતિ હોય તે દરેકના જીવનનો આધાર જમીનના સ્વાસ્થ્ય પર રહેલો છે. માટે જ જમીનના સ્વાસ્થ્યની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે. જમીનના સ્વાસ્થ્ય માટે જમીનમાં રહેલા સેન્દ્રિય કાર્બનનું ખૂબ જ મહત્ત્વ છે. આમ આ જમીનનો સેન્દ્રિય કાર્બન એ એક જમીન, વનસ્પતિ, સમુદ્ર અને વાતાવરણમાં થતાં વૈશ્વિક કાર્બન સાઈકલનો એક ભાગ છે. દિવસેને દિવસે થઈ રહેલી ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ તથા ઓછા થતાં જતાં સેન્દ્રિય ખાતરોના ઉપયોગના લીધે જમીનમાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ ઘટતું જાય છે.

આમ તો આપણાં આખા દેશમાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. આ ઓછા સેન્દ્રિય કાર્બનનું કારણ જોઈએ તો આપણા દેશમાં વિષુવવૃત્ત મધ્યમાંથી પસાર થાય છે માટે અહીં સૂર્યના કિરણો જમીન પર સીધા પડે છે, જ્યારે સૂર્યપ્રકાશના કિરણો સીધા જ જમીનના સંપર્કમાં આવે ત્યારે જમીનમાં રહેલ કાર્બન વિઘટન થઈ જઈને તે વાતાવરણમાં નાશ પામે છે, સાથે સાથે જમીનમાં રહેલા કાર્બનિક પદાર્થોનું વિઘટન થવાના લીધે જમીનમાંનો કાર્બન વિઘટિત થઈને વાતાવરણમાં ભળી જાય છે; માટે તેનું પ્રમાણ જાળવી રાખવું થોડું મુશ્કેલ છે. વધુમાં જોઈએ તો તેની સામે આપણી પાસે સેન્દ્રિય ખાતરોની માત્રા પણ ખૂબ જ ઓછી ઉપલબ્ધ છે. માટે તેનો ઓછો ઉપયોગ થવાના લીધે જમીનમાં તેનું પ્રમાણ સતત ને સતત ઘટતું જાય છે.

મોટા ભાગના ખેડૂતો વર્ષમાં એકાદ વખત જ છાણિયા/સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરતાં હોય છે. તો આવા કારણોના લીધે આપણી જમીનોમાં કાર્બનની માત્રા ઘણી જ ઓછી જોવા મળે છે. હવે આપણી જમીનમાં સેન્દ્રિય કાર્બન ઘટવાના કારણે ખાતરોની કાર્યક્ષમતા ઘટી રહી છે. વધુમાં જમીનમાં પાણીની સંગ્રહક્ષમતા પણ ઘટી ગઈ છે જેના લીધે વધુ વખત પિયત કરવાની જરૂર પડી રહી છે. આમ વધુ પિયતના લીધે પાણીના તળ દિવસેને દિવસે નીચા જઈ રહ્યા છે. સાથે સાથે જમીનની ઉપરનું ફળદ્રુપ આવરણ પણ ધોવાણ થઈ રહ્યું છે; જમીનમાં જો પૂરતી માત્રામાં સેન્દ્રિય કાર્બન ઉપલબ્ધ હોય તો તે માટીનાકર્ણાને એકબીજા સાથે જડીને રાખે છે પરંતુ તેની માત્ર ઘટવાથી દરકે પિયતની સાથે માટીના કણોનું પણ ધોવાણ થઈ રહ્યું છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

aries agro

ખેતી પાકોમાં કૃમિથી જીવાત નિયંત્રણ

આજના ઝડપી યુગમાં મોટાભાગના માણસો માનતા હોય છે કે, ફકત રાસાયણિક જંતુનાશક દવાથી જ જીવાતોનું ઝડપી અને સફળ નિયંત્રણ થઇ શકે છે. પરંતુ વાસ્તવમાં હકીક્ત તદન જુદી છે. જૈવિક નિયંત્રણ ભલે ધીમી

વધુ વાંચો....

જીરુંની ખેતી : જીરુંના પાકની વૈજ્ઞાનિક ખેતી

જીરૂ એ ટુંકા ગાળાનો તથા છીછરા મુળ વાળો પાક હોઇ સામાન્ય રીતે દર વર્ષ છાણિયું ખાતર આપવાની જરૂરિયાત નથી. છતાં વધારે રેતાળ જમીન કે જ્યા ફળદ્રુપતા ઓછી હોય…..

વધુ વાંચો....

દિવેલાનો સૂકારો

છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો.  સૂકારા સામે પ્રતિકારક  બીજની જાત ગુજરાત દિવેલા સંકર 7  જાતનું વાવેતર કરવું.  પહેલાં કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી જૈવિક નિયંત્રકનો ૧૦ ગ્રામ

વધુ વાંચો....

સોઇલ સોલારાઈઝેશન કેવી રીતે કરી શકાય ?

ગરમીનું પ્રમાણ વધુ હોય તે સમયગાળા દરમિયાન જમીનને ખેડીને ભરભરી બનાવવી અને જમીનમાં પૂરતો ભેજ જળવાઈ રહે તેટલું પિયત આપવું. ત્યારબાદ તરત જ ધરૂવાડિયા કે ખેતરના ક્ચારા પ્રમાણે ૨પ માઇક્રોનની (૧૦૦ ગેઝની)

વધુ વાંચો....

સોઈલ સોલારાઈઝેશન કયારે અને કેવી રીતે કરી શકાય ?

ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે ઉત્તમ સમય છે. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય અને ન્યૂનતમ પવન હોય ત્યારે સોલારાઈઝેશન કરવામાં આવે તો સચોટ પરિણામ મેળવી શકાય. ગુજરાતમાં ૧૫મી

વધુ વાંચો....

કૃમિ નિયંત્રણનો ઉપયોગ સોઇલ સોલારાઈઝેશન

મોટાભાગના શાકભાજી અને ફળફળાદી પાકોમાં કૃમિનો ઉપદ્રવ જોવા મળે છે. આ કૃમિ સૂક્ષ્મદર્શા હોય છે, તેને નરી આંખે જોઈ શકાતા નથી તેથી જમીનમાં તેની હાજરીનો ખ્યાલ આવી શકતો નથી. ગુજરાતમાં પાકમાં રોગ

વધુ વાંચો....

સોઇલ સોલારાઈઝેશન ક્યારે કરી શકાય ?

ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે શ્રેષ્ઠ ગણી શકાય. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય દા.ત. અમુક વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૫મી અપ્રિલ થી ૧૫મી જૂન સુધી ૩૨૦ ૪૩૦ સે.

વધુ વાંચો....

સોઇલ સોલારાઈઝેશન એટલે શું ?

સોઇલ સોલારાઈઝેશન એટલે જમીનનું સૌરીકરણ. જમીન પર ચોક્કસ સમય માટે પારદર્શી પ્લાસ્ટિકનું હવાચુસ્ત આવરણ કરવાથી સૂર્યના કિરણોની મદદથી જમીનનું તાપમાન લગભગ ૧૦સે. જેટલુ વધી જાય છે, જેના કારણે જમીનમાં રહેલ પાકને નુકસાનકર્તા

વધુ વાંચો....

જમીન : સોઈલ સોલારાઈઝેશન એટલે શું ?

સોઈલ સોલારાઈઝેશન એટલે જમીનનું સૌરીકરણ, જમીન પર ખાસ સમય માટે પારદર્શી પ્લાસ્ટિકનું હવા ચુસ્ત આવરણ કરવાથી સૂર્યના કિરણોની મદદથી જમીનનું તાપમાન લગભગ ૧૦ સે. જેટલુ વધી જાય છે, જેના કારણે જમીનમાં રહેલ

વધુ વાંચો....

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે જમીનનું ધોવાણ અટકાવો

નીચાણવાળા વિસ્તારમાં કે ઢાળઢોળાવવાળી જમીનોમાં જ્યારે વધુ માત્રામાં પિયત કરવામાં આવે ત્યારે જમીનનું ઉપરનું પડ ધોવાઈ જતું હોય છે. તો જર્મીનના ઢોળાવની વિરુદ્ધ દિશામાં ખેડ કાર્યો કરવામાં આવે તો જમીનના પડને ધોવાણ

વધુ વાંચો....

જમીનમાં પડેલા પોષક દ્રવ્યો છોડને કેવી રીતે લભ્ય થાય છે.

● યુરીયા જમીનમાં નાખવાથી જમીનમાં રહેલ માઈક્રોબ્ઝ તેના વિઘટન માટે લાગી પડે છે. આ માઈક્રોબ્ઝ યુરિયાના એમોનીકલ ફોર્મ માંથી નાઈટ્રેટ સ્વરૂપે ફેરવે છે એટલે હવે નાઈટ્રેટ સ્વરૂપે તૈયાર થયેલો નાઈટ્રોજન છોડને લભ્ય

વધુ વાંચો....
aries agro
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks