‘મોકળાશ‘એટલે‘મોકળાશ‘ !એક જાતની પગથાણ.કોઈની સહેજ પણ અડચણ વિના બસ,અનુકુળ રીતે જીવન ખીલવવામાં કશી બાધા ઊભી ન થતી હોય,અને જે કાર્ય કરવા માંગતા હોઈએ તે મુક્ત રીતે કરી શકીએ એવી છૂટ કે સ્વતત્રતા,એનું નામ મોકળાશ!
માણશની માફક વનસ્પતિ સૃષ્ટીને અને એમાંય આપના પાલતું પાકોને વધવા–વિકસવામાં જરૂરી મોકળાશ મળે તો કેવા બને,અને‘સંકળાશ‘ (ગીચતા)કેવી આપદા ઊભી કરે છે,તેની વાત કરવી છે.





























