પાકમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે બજારમાં વિવિધ પ્રકારની કીટનાશક દવોઓ મળે છે. આ દવાઓ ઘન, પ્રવાહી કે વાયુ (ગેસ) સ્વરૂપે હોય છે. ઘન સ્વરૂપે મળતી દવાઓમાં મુખ્યત્વે ભૂકારૂપ (પાઉડર), દાણાદાર (ગ્રેન્યુલ્સ) અને ગોળી (ટૅબ્લેટ)નો સમાવેશ થાય છે. ભૂકારૂપ દવાઓમાં કેટલીક દવાઓ પાણીમાં અદ્રાવ્ય હોય તેને સીધી પાક પર છાંટી શકાય છે. સામાન્ય રીતે આ પ્રકારની દવાઓમાં સક્રિય તત્વનું પ્રમાણ ૦.૪% (ફેનવલરેટ)થી માંડી ૧૦% (કાર્બારીલ) સુધીનું હોય છે. આવી ભૂકારૂપ દવાઓ ધુલીકરણ યંત્ર (ડસ્ટર) વડે સીધી પાક પર છાંટવામાં આવેછે. ખાસ કરીને સૂકો વિસ્તાર કે જયાં પાણી સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે તેમ ન હોય ત્યાં તેનો ઉપયોગ શકય છ