
આપણા દેશમા ખાદ્ય પાકોમા ૧૨ થી ૧૫% અને ફળ-શાકભાજીમા ૨૦ થી ૩૦% જેટલો બગાડ થાય છે. કાપણી પછી યોગ્ય માવજત આપી અને મૂલ્યવર્ધન દ્વારા ખેત પેદાશોથી થતું નુકશાન ઘટાડી શકાય અને ઊંચા ભાવ મેળવી, વધુ સારી આવક મેળવી શકાય છે. જે માટે નીચેના મુદ્દા દયાને લેવા જોઈએ. • ખેડૂતોએ યોગ્ય એગ્રો પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધિત પદ્ધતિઓ જેવી કે, ગ્રેઇન ક્લીનર, ફ્રૂટ ગ્રેડર, પલ્પર, પાક સૂકવણી વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. • ગામડામાં કાર્યરત સહકારી સંસ્થાઓએ એગ્રો પ્રોસેસિંગ સેન્ટર સ્થાપવા જોઈએ જેથી ખેડૂતોને નજીકમાં જ સુવિધા મળી રહેતા ૨૦ થી ૨૫ % જેટલો વધુ ભાવ મળી શકે. ઉપરાંત, ગામડાના યુવાનોને રોજગારી પૂરી પાડવામાં મદદરૂપ બની શકે. તાલુકા સ્તરે ઝડપથી બગાડતા ઉત્પાદનો જેવા કે ફળો અને શાકભાજી ઉત્પાદનો માટે કોલ્ડ ચેઇન ઊભા કરવા પ્રોત્સાહન આપવું. હબ અને સ્પોક મોડેલ્સ દ્વારા પ્રાથમિક પ્રોસેસિંગ























