
આપણી ખેતીમાં આપણે વિવિધ ખાતરો વાપરીએ છીયે . આપણા મોટાભાગના ખેડૂતોને *ખાતરની સમસ્યા નથી… તેમને આપવાના સમય (Timing) ની સમસ્યા છે*. ખાતર ક્યારે આપવું તે જો આપણે સમજી જઈએ તો ઉત્પાદન અને ઇનપુટનો કાર્યક્ષમ ઉપયોગની ચાવી આપણને મળી જાય. આ વાતને જરા દાખલા સાથે સમજીએ. આપણે ખેતીના ખર્ચ (Inputs) પાછળ હજારો રૂપિયા ખર્ચીએ છીયે છતાં વપરાશમાં લેવાયેલ 40–60% નાઈટ્રોજન માત્ર એટલા માટે વેડફાઈ જાય છે કારણ કે જ્યારે છોડને તેની ખરેખર જરૂર હતી ત્યારે તે આપવામાં આવ્યું ન હતું.શું આ જમીનની સમસ્યા છે ? જી ના . શું આ પ્રોડક્ટની સમસ્યા છે ? બંને નો જવાબ છે જી ના.





