
શરૂઆતમાં ફૉસ્ફરસ એટલે મૂળનો વિકાસ પછી નાઇટ્રોજન એટલે વનસ્પતિક વિકાસ એટલે જ શરૂઆતમાં પોટાશ ઓછું આપો. ફૂલ આવવાથી લઈને ફળ પાકે ત્યાં સુધી પોટાશનો ઉપયોગ વધારો. શા માટે? કારણ કે ત્યારે જ છોડને પોટાશના ટેકાની જરૂર હોય છે. કારણ કે તેને ફળનું કદ વધારવું છે. ફળની ગુણવત્તા અને રંગ સાથે છોડને રોગ-પ્રતિકારક શક્તિ આપવી છે એટલે ખાતર માટે જથ્થો નહીં સમય પારખો. સમય સમજી લીધો તો પરિણામ વધુ મજબૂત મળશે ટૂંકમાં કહું તો મૂળને પોષણ આપવું એ જથ્થા વિશે નથી તે છોડની જૈવિક પ્રક્રિયા (Biology) એટલે કે વિજ્ઞાન સાથે તાલમેલ બેસાડવાની વાત છે . તમે વિચારો કે ખાતર માટે જથ્થો અગત્યનો છે કે સમય ???








