ધણી વખત બીયારણનો ઉગાવો ધાર્યા પ્રમાણે થતો નથી. તેના કારણે ખેડૂત વાવણી કરે તે પછી ખાલાં પડતાં હોવાથી તે ખૂબ નિરાશા અનુભવતો હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે કપાસ જેવા પાકોમાં ખાલાં પડી ગયાં હોય ત્યાં કપાસ રોપવામાં આવે તો તે બંને છોડ વચ્ચે અંતર રહે છે.
આવી સમસ્યામાંથી ઉકેલ શોધવા વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના કઠોલી ગામના ગોપાલસિંહે પોતાની કોઠાસુઝથી છાણમાંથી કુંડા બનાવી અનોખી પહેલ કરી છે. ગોપાલભાઈના અનુભવ મુજબ *સામાન્ય કુંડાની જેમ જ છાણમાંથી કુંડા બનાવવાનો અખતરો કર્યો અને મને લાગ્યું કે આ કુંડામાં કપાસના છોડ ઉછેરી સીધુ ખેતરમાં રોપાણ કરીએ તો છોડનો ખાતરની સાથે ઝડપી વિકાસ થઈ શકે. વળી ઉનાળામાં ઓછા પાણી સામે અને ભેલાણ તથા ગરમીની તકલીફમાંથી છુટકારો મળે છે. ચાલુ વર્ષે મેં મારા ઘરના ધાબા પર છાણમાંથી બનાવેલા કુંડામાં છોડ ઉછેરી ખેતરમાં કપાસનું સફળતાપૂર્વક વાવેતર કર્યું. આ પદ્ધતિનો બીજો ફાયદો એ છે કે ખાલાં પડવાની સમસ્યા થતી નથી. આમાં છાણનાં કુંડાનો ખેડૂત બીજી રીતે પણ ઉપયોગ કરી શકે છે, જેમ કે ખેતરમા જે દિવસે કપાસનું વાવેતર કર્યું હોય તેના એક-બે દિવસ પછી ધરના ધાબા ઉપર અથવા વૃક્ષના છાયે છાણનાં કુંડામાં જો કપાસ વાવી દઈએ તો જયારે ખેતરમાં ખાલા પડે ત્યારે સરખી ઊંચાઈના છોડ ખાલાં પૂરવા માટે ઉપલબ્ધ હોય. આ પદ્ધતિનો ફાયદો એ છે કે, ખેડુત માટે કુંડા ઘરે બની શકે છે, જે સસ્તી અને પર્યાવરણમિત્ર ટેકનોલોજી છે.
ગુજરાતમાં કન્યાઓ ગૌરીવ્રત કરે ત્યારે વાંસની નાની ટોપલીમાં અથવા નાના કુંડામાં અલગ-અલગ જાતનાં અનાજ કે કઠોળ ઉછેરતી હોય છે. આ જોઈને મને છાણામાંથી બનેલા કુંડા બનાવવાનો વિચાર સુઝયો. અમારે ત્યાં છાણ ઉપલબ્ધ હોવાથી અને ખાતર તરીકે પણ ઉપયોગી હોવાથી છાણામાંથી કુંડા બનાવવાનો વિચાર કર્યો.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

પ્રયોગ : ભેલાણ અટકાવવા છાણામાં મરચાંનો ધુમાડો

બનાસકાંઠા જીલ્લામાં દિયોદર ગામે ખેડૂતો સાથેની એક ગોષ્ઠિ દરમિયાન ખબર પડી હતી કે, મરચાંનો બારિક ભૂકો ભૂંડ આવવાના રસ્તા ઉપર છાંટવાથી ભૂંડના નાકમાં તકલીફ થાય અને રસ્તો છોડી ભાગી જાય ! ખેડૂતોને જણાવી ત્યારે એક ખેડૂતે સહજ રીતે પુછ્યું કે સાહેબ, તેના કરતા લાલ ન હોય તેવા સાવ હલકી કક્ષાનાં સૂકાં મરચાંને છાણામાં થાપીએ અને તેનો ધુમાડો કરીએ તો? વાતમાંથી વાત નીકળી અને આ પદ્ધતિ આમ અચાનક જ વિચાર સ્વરૂપે ઉદ્ભવી. અગાઉ નીલગાય અને ભૂંડને ખેતરથી દૂર રાખવા માટે મરેલા પશુના શિંગડા કે ચામડાનો છાણાં વડે ધુમાડો કરવાની પદ્ધતિ તો હતી જ. મરચાનો ઉપયોગ ધુમાડો (ધુપ) કરવા થાય તે વાતવિચાર નવીન છે !
કઠોળ કે મગફળીનો સંગ્રહ જે ઓરડામાં કર્યો હોય ત્યાં ફુદાનો ઉપદ્રવ વધુ થાય છે. એવા સમયે પણ સૂકાં મરચાંનો ધુમાડો સંગ્રહ કરેલ રૂમમાં કરીને પછી બારી-બારણા ખોલી દેવાથી ફૂદાંનો ઉપદ્રવ પણ દૂર થાય છે તેવું અગાઉ જુનાગઢ જિલ્લાના પાણખાણ ગામના ઠાકરશીભાઈ સાવલીયાએ અમને કહ્યું હતું.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ : રીંગણામાં કોકડવા નિયંત્રણ કેમ કરવું?

રીંગણામાં કોકડવાનો ઉપદ્રવ મોટી સમસ્યા છે. ખાસ કરીને ભેજવાળું કે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે ચૂસિયા જીવાતના ઉપદ્રવ પછી કોકડવાની શરૂઆત થઈ જાય છે, જેમાં પાન
કોકડાઈ જાય છ.નવા ફુટ અન ફૂલ આવવાનાં બંધ થઈ જાયછે. પાક લગભગ નિષ્ફળ જાય છે. આવી સમસ્યા ઉદભવે ત્યારે સિદ્ધપૂર તાલુકાના બીલિયા ગામના મૂકેશભાઈ રબારી કરેણ, આંકડો, ગૌમૂત્ર અને શેવાળનો ઉપયોગ કરે છે. ખેડૂતના અનુભવ મુજબ, અઢી કિલો આંકડાનાં પાન તથા અઢી કિલો કરેણના પાનને ઝીણાં વાટી દસ લિટર પાણીમાં ઉમેરી ધીમા તાપે દ્રાવણ અડધું થાય ત્યાર બાદ આ દ્રાવણને ઠંડું પડયે ગાળી લઈ તેમાં અઢી લીટર ગૌમૂત્ર અને એક કિલો દરિયાઈ શેવાળ ઉમેરવામાં આવે છે. આ દ્રાવણને ૨૪ કલાક રહેવા દીધા પછી ગાળી લઈ એક પંપમાં ૫૦૦ ગ્રામ મુજબ છંટકાવ કરવાથી રીંગણના કોકડાઈ ગયેલા છોડમાં નવી ફૂટ અને ફુલ આવે છે. આ પદ્ધતિ છ-છ દિવસના અંતરે ત્રણ વખત કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે.
આ પદ્ધતિ સંશોધકે પોતાના ખેતરમાં અજમાવી છે. આસપાસના પડોશી ખેડૂતોને તેના પ્રયોગો બતાવેલા છે અને સૌએ તે જોઈને અજમાવવાની તૈયારી પણ બતાવી છે. આ પદ્ધતિમાં સાવચેતી એ જ રાખવા છે કે દરિયાઈ શોવાળને ઓછામાં ઓછા ૨૪ કલાક ભીંજવવાની છે, જેથી શેવાળનો અર્ક દ્રાવણમાં આવી જાય. દવાનો છંટકાવ વહેલી સવારે કરવાથી વધુ ફાયદો થાય છે. છંટકાવ કરતી વખતે છોડ પૂરેપૂરો ઉપરનીચે ભીંજાય જાય તે રીતે દવા છાંટવાની હોય છે. અમારા ગામના રમેશભાઈ અમથાભાઈ રબારી તથા હિતેશભાઈ રમેશભાઈ રબારીએ આ દવાનો ઉપયોગ કરી પરિણામો લીધેલા છે.
સંશોધક મુકેશભાઈ રબારી પાસે માત્ર પાંચ વિધા ટૂંકી જમીન છે, જેમાં મુખ્યત્વે શાકભાજી અને પશુઓ માટે લીલો ચારો ઉગાડે છે. માત્ર ત્રણ ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે ૩૨ વર્ષના મુકેશભાઈ અવનવું વાંચવાનો શોધ ધરાવે છે અને ખેતીમાં પ્રયોગો કરી ઓછા ખર્ચે સારી ખેતી કરવા તેઓ મથતા હોય છે. (૧૯(૪):૦૬)

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ : ગંધાતી સફેદમાખીના નિયંત્રણ માટે સફળ ઔષધિ

સફેદમાખીનું નિયંત્રણ કેવી રીતે કરવું ? આ સમસ્યાના ઉપચાર માટે મોડાસાના પ્રયોગશીલ ગ્રામસેવક શ્રી રજનીકાંત કે. પટેલે ગંધાતીના ઉપયોગ વડે નિયંત્રણ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ : સસ્તું કમ્પોસ્ટ ખાતર

મગનભાઈ હમીરભાઈ આહિર મુ. નિગાલ, તા. રાપર, જિ. કચ્છ-ભુજ મોબાઈલ . 9979319629 કહે છે કે મારો અનુભવ એવો છે કે જ મીનમાં સેન્દ્રિય કાર્બન વધારવાથી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ : સ્કૂલના થેલાનો ભાર ઊંચકવા માટેનો નવીન કીમિયો

શ્રી ઉદય રાજા (૫૪ વર્ષ)એ મદુરાઈ ખાતે સમાજશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓએ થોડા વર્ષો માટે એરફોર્સમાં નોકરી કરી અને સ્વૈચ્છિક નિવૃત્તિ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ: સોલાર ટ્રેક્ટર

નવીનભાઈ ગોરધનજીભાઈ માળી (મો. 9913482888)એ ખેતીકામ માટે એક નાનું સોલાર ટ્રેક્ટર બનાવ્યું છે. આ ટ્રેક્ટરથી ખેતીનાં કામો કરી શકાય છે, જે ડીઝલ પેટ્રોલની સાપેક્ષમાં ઓછું

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ : બિલાનું જૈવ રસાયણ: પાકા બિલાની અંદરનો ગર્ભ

બિલાનું જૈવ રસાયણ ૩ કિલો, એક કિલો ગોળ, ૧૦ લિટર પાણી; આ તમામ સામગ્રીને એક કેરબામાં હવાચુસ્ત રીતે બંધ કરીને ૯૦ દિવસ માટે મૂકી દઈએ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
Enable Notifications OK No thanks