aries agro

ઓછા પાણીએ વધુ પિયત

ટપક સિંચાઈ પદ્ધતિ” થી પાણી [1] સીધું જ વનસ્પતિના મોઢામાં જ ટપકીને પિરસાતું હોવાથી ત્રીજા જ ભાગના પાણીથી જરૂરી ભેજ અને એ પણ સતત ટકાવી શકાય છે. એટલે એટલાજ પાણીથી ત્રણગણાથી વધુ પિયત કરી શકાય છે

[2] રોજેરોજ જરૂરી પાણી મળતું હોવાથી ભેજ ગરમી અને હવાનું એવું સરસ સંકલન થાય કે જેથી વનસ્પતિના મૂળ વધારે કાર્યરત રહે, ફૂલેફાલે પણ વધારે.

[3] પાણી એની એ જગ્યાએ ટપક્યા કરે, જેથી નીચે ભીંજાય વધારે પણ ઉપરની સપાટી પર ફેલાય ઓછું, પરિણામે બાસ્પીભવનથી ઊડી જતા પાણીનું પ્રમાણ ઘટે.

[4] ક્યારા, પાળી, ખામણાં કે ધોરિયા બાંધવા કે પાણી વાળનાર પાણતિયાની પણ જરૂરત ન હોઇ ઓછા મજૂરોથી કામ આટોપી શકાય.

[5] જેમ જેમ છોડ પચાવતો જાય તેમતેમ ફર્ટી ટેંક દ્વારા પૂરકખાતરો આપી શકાતા હોવાથી તેમાં પણ 33% નો બચાવ થાય છે.

[6] ઊંચી-નીચી ધરતીને સમતળ કરવાની જરૂર નથી.

[7] પ્લોટમાં ઓછા ભેજવાળું વાતાવરણ તેથી ઓછો ફૂગજન્ય રોગ

[8]જમીન વધુ ક્ષેત્રફળમાં ભીંજાતી ન હોવાથી વજનથી નમી, જમીનને અડકેલા ફળો બગડતા નથી.

[9] ભેજની સતત હાજરી રહેવાથી એ જમીનમાં અળસિયાંની વૃધ્ધિ થાય છે.

[10]મોટાભાગના બધાજ પાકો થોડા વધુ,વહેલા અને ગુણવત્તામાં શ્રેષ્ઠ ઉત્પન્ન થાય છે.

[11] ખેડૂત કે ખેતી વ્યવસ્થાપક્ના માથે સમયસર પિયત કરી શકાશે કે નહીં-એવો માનસિક બોજ બિલકૂલ રહેતો નથી.તેથી ખેતી વિકાસના બીજા કાર્યોમાં મન પરોવી શકાય છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

વેલાવાળા પાકોનું વધુ ઉત્પાદન મેળવવા શું કરાય ?

વેલાવાળા શાકભાજીના પાકો પાસેથી વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન લેવા માટે વેલા જમીન પર પડી રહેવાને બદલે એને ગમતી પરિસ્થિતિ ઉભી કરવા, એટલે કે એ ઉંચે લટકી રહે એવું કરવા “માંડવા પદ્ધતિ” અપનાવવી

વધુ વાંચો....

રોપ ઉછેર માટે ગાદી ક્યારાની માહિતી

તમામ ૠતુઓમાં અને ખાસ કરીને વરસાદનીૠતુમાં ગાદી કયારા પસંદ કરવામાં આવે છે. નર્સરીનીજમીનને લેવલ કરી તેને નીંદણ, જડિયા, પથ્થરો, કાંકરા વગેરે દૂર કરવા છે. નર્સરી બેડની માટીને ૫-૧૦ કિગ્રા પ્રતિ ચો.મી. સારી

વધુ વાંચો....

પ્લગ ટ્રે નર્સરીની તકનીક

હાઈ-ટેક નર્સરીમાં પ્લાસ્ટીકની ટ્રે અથવા પ્રો-ટ્રેનો ઉપયોગ સામાન્ય રીતે શાકભાજીના તંદુરસ્ત રોપાઓ ઉછેરવા માટે થાય છે. રોપાઓ ઉછેરવા માટે મુખ્યત્વે બે પ્રકારની પ્લાસ્ટિક પ્રો-ટ્રેનો ઉપયોગ થાય છે. કાકડી, શક્કરટેટી, ટામેટા અને રીંગણના

વધુ વાંચો....

ડ્રીપ સિસ્ટમમાં ડ્રીપર્સ બંધાવાય નહિ એવું થઇ શકે ?

ડ્રીપ સિસ્ટમમાં ડ્રીપર્સ બંધાવાય નહિ એવું જરૂર થઇ શકે….આ માટે [1] પહેલું ધ્યાન રાખવાનું ફિલ્ટરની પસંદગી, આખી સિસ્ટમનું હદય “ફિલ્ટર” છે. પસંદગી કરતાં પહેલાં એ વિચારી લેવું પડે કે સિસ્ટમમાં આવનારું પાણી

વધુ વાંચો....

શું કરીયે તો ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ ?

ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ વાડી વચ્ચે લંબાવેલી ચાલુ લેટરલમાં ઉંદરડા થકી નુકસાન એટલું નથી હોતું, જેટલું લાઇનોને સંકેલ્યા પછી તેને શેઢે-પાળે કે ઝાડવાને થડિયે અથવા અવાવરુ જગ્યાએ પડેલ હોય શું

વધુ વાંચો....

ઘઉંમાં પિયતની કાળજી

ઘઉંના પાકની પાણીની જરૂરિયાત ઘઉંની જાત, જમીનના પ્રકાર અને હવામાન ઉપર આધાર રાખે છે. જેને ધ્યાને લેતાં ઘઉંના પાકને તેની કટોકટી અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તેની કાળજી રાખવી ખૂબ જ અનિવાર્ય

વધુ વાંચો....

ડ્રીપ દ્વારા ફર્ટિગેશન કેમ અપનાવવું પડશે ?

ડ્રીપ દ્વારા  ફર્ટિગેશન ડ્રીપ દ્વારા ફર્ટીગેશનથી લાભ શું ? [1] ચાસે ચાસે કે પાટલે પાટલે ફરી ખાતર વેરવાની મજૂરીનો બચાવ [2] પાકને જોઇએ તે સમયે, જોઇતા પ્રમાણમાં અને જરૂર હોય તે રૂપમાં

વધુ વાંચો....

ઊંડા તળનાં નઠારાં પાણીથી પાકને પિયત અપાય ?

નઠારાં પાણીથી પાકને પિયત “વધુ પાણી તો વધુ ઉત્પન્ન” ના ખોટા ગણિતે જ પહેલા કૂવાના તળ તળિયે પહોંચાડ્યા પછી બોરવેલની ભેર લઇ ધરતીનું પેટાળ વિંધવા માંડ્યા, અને છાતીના અમી ખૂટ્યા તો નાભીએ

વધુ વાંચો....

તમારો કૂવો છલોછલ ભરેલો હોય તો પણ ડ્રીપ ઈરીગેશન વાપરો.

ઇઝરાયેલની ખેતીના વિડિઓ બધા ને જોવા છે પણ ઇઝરાયેલ કરે તેમ કરવું નથી હજુ ઘણા પૂછે છે કે શું ડ્રીપ ઈરીગશન નબળા વરસમાં જ વાપરી શકાય ? ના એવું નથી, જો સાંભળો

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks