aries agro

 મરચી ની ખેતી કરવી હોઈ તો થર્મોમીટર વસાવવાનું મારુ કહેવું તમને શા માટે છે તેની વાત કરું તો

મરચીની ખેતીમાં ફાલ લાગવામાં તાપમાનનું બહુ મહત્વ છે, તાપમાનની વિગતો હવે તો ગૂગલ ઉપર સહેલાઇ થી મળે છે પરંતુ વાડીયે વાડીયે માઈક્રો ક્લાયમેટમાં ફેરફાર હોય છે, બાર ગાવે બોલી બદલાય તેવી રીતે તાપમાનમાં બદલાવ હોય છે તેથી વાડીયે થર્મોમીટર વસાવવું જોઈએ તેવો મારો આગ્રહ ભલે તમને હસવા જેવો લાગતો હોય પણ એક દિવસ તમે જરૂર માનશો કે, મરચીની ખેતીમાં તાપમાનનું કેટલું મહત્વ છે?

૧૫ સેન્ટિગ્રેડ થી ઓછુ તાપમાન હોઈ તો મરચીમાં ફાલ ઓછો લાગે છે

અને ૩૨ સેન્ટિગ્રેડથી વધુ તાપમાન હોય તો પણ મરચી માં ફાલ ઓછો લાગે

આ તાપમાન યાદ રાખી લો , નહીંતર શું થાય તેની વાર્તા વાંચો :
 
હવે રૂપિયા , સમય અને મજૂરી બચાવવાની કૃષિવિજ્ઞાનની ટિપ્સ નોંધી લ્યો તમારું 399/- રૂપિયાનું લવાજમ વસુલ કરી લો, આવીતો અનેક ટિપ્સ કૃષિ વિજ્ઞાન મેગેઝીન  આપે છે
વિના મુલ્યે વાંચવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ માં જોડાઈ જાવ , આવું તો કેટલુંય  મળશે ને તમારા રૂપિયા બચશે 
 
દા . ત . તમને તમારા ખેતરના તાપમાનની ખબર નથી , તમારા ખેતરમાં મરચીના ફૂલ ખરે છે તમે દોડતા ડીલર પાસે જાવ છો અને  તે તમને આલ્ફા નેફથેલિક એસિટિક એસિડ આપે છે અને તમે છાંટો છો પણ ફળ ખરતા અટકતા  નથી  એટલે  તમે ચોથા  દિવસે ફરી દોડતા જાવ કે વેપારી ભાઈ  મારે હજી ફાલ ખરવાનું ચાલુ  છે ! એટલે તે આ વખતે તે તમને માઈક્રોનુટ્રીયન્ટ આપે છે અને તો પણ ફૂલ ખરતા અટકતા નથી એટલે તમે બાજુવાળા પાડોશી ખેડૂત મિત્રને પણ  પૂછ્યા વગર ફરી દોડોને જાવ છો , આ વખતે તમને તમારા વિશ્વાશું વેપારી તમને   ઝીબ્રેલીક એસિડ આપે છે ને  તમે ખુબ હોંશે હોંશે છાંટો છો અને  ફૂલ ખરતા અટકી જાય છે . તમે ખુશ થાવ છો !
 
તો શું ? જીબ્રેલીક એસિડ કામ કરી ગયું ?  
જી ના તાપમાન બદલાયું એટલે ફાલ ખરણ અટક્યું એમાં કેમિકલનો કોઈ રોલ નથી .આ ફાલ ખરણ તાપમાનના બદલાવને લીધે હતું.કારણકે ફાલ લાગવા માટે નીચેના કારણો જવાબદાર છે તે યાદ રાખી લો અને ખોટા  ખર્ચમાંથી બચો  
ફાલ  લાગવાનું મુખ્ય કારણ તો તાપમાન છે,
 
પહેલું કારણ : રાત્રીનું મિનિમમ તાપમાન  ૨૮ થી ૩૦° ગ્રે. થી ઊંચું હોય તો ફાલ લાગતો નથી. તાપમાન નીચો જતા આપો આપ ફાલ લાગવાનું ચાલુ થઈ શકે.

 

બીજું કારણ : ઈયળ હોય અને ફૂલને નુકસાન કરતી હોય.

 

ત્રીજુ કારણ : ફાલ લાગેલો છે. ફળો ઉતરતા નથી. નવા ફૂલ ખરી જાય છે. પોષણ ઓછું હોય તો પહેલા જુના ફળોને મળે છે.

 

ચોથું કારણ : સતત વરસાદ છે બેક્ટેરિયાનો રોગ લાગ્યો છે તો પણ ફાલ ખરણ થઈ શકે.
 
પાંચમું કારણ :પાણીની ખેંચ અથવા વધુ પડતું પાણીનો સ્ટ્રેસ.

 

છઠ્ઠું કારણ : વાઇરસ હોય .

 

સાતમુ કારણ : સતત વાદળછાયું વાતાવરણ સૂર્ય પ્રકાશની ગેરહાજરી નવા ફૂલ ખરી પડશે
આમ વિવિધ કારણો છે પરંતુ મહત્વનું કારણ તાપમાન છે

 

પણ જો તમે 250 રૂપિયાનું થર્મોમીટર વસાવ્યું હોત અથવા ગુગલ હવામાનને જોયું હોત તો 1200 નો ખર્ચ બચી જાત ,  ખેતી કરો તો કૃષિ નું વિજ્ઞાન સમજીને કરો , નિયમ આધારિત ખેતી કરશો તો ફાવશો . આવા અનેક કૃષિના વિજ્ઞાન ને જાણવા કૃષિ વિજ્ઞાન ફેસબુક પેજ અથવા  ટેલિગ્રામ ચેનલ જોઈન કરો  અથવા  રૂપિયા 399  /- ભરી તમારી કૃષિ વિજ્ઞાન ની કોપી ટપાલમાં ઘેર બેઠા  મંગાવો 9825229966
 
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ખેતી અને હવામાન

સમગ્ર સૂર્યમંડળમાં વાતાવરણની મહામૂલી ભેટ ફક્ત આપણી પૃથ્વીને જ મળેલી છે. વનસ્પતિ જીવન અને માનવજીવનને અનુકૂળ એવું વાતાવરણ પણ તેને મળ્યું છે. તેથી જીવસૃષ્ટિનું પૃથ્વી ઉપર નિર્માણ શક્ય બન્યું છે. પૃથ્વીની સપાટી

વધુ વાંચો....

ગ્રો કવર શું છે ? તે રોપ ઉપર અને ફેરરોપણી પછી થોડા દિવસ ઢાંકવાનું કેમ કહે છે ?

મચ્છરદાની શું કામ રાખવાની હોય ?  મચ્છર ન કરડે એટલા માટે ,  મચ્છર કરડે તો શું થાય ?  મચ્છર કરડે તો થોડા દિવસ પછી મેલેરિયા થાય એ આપણ ને ખબર છે ,

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત – 21

મરચીનો ફાઇટોપથોરા – મરચીનો સુકારો- રૂટ રોટ રોગનું નિયંત્રણ કેમ કરવું અને મરચીને ફરી જીવતી કેમ કરવી ? તે વિષે જાણવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત – ૯

વરસાદ પછીની માવજત – ૯
————-
મરચીના છોડનો સુકારો લાગવાનું કારણ શું ? તેને કેવી રીતે અટકાવી શકાય ? આ સુકારો આવે નહિ તે માટે આગોતરા ક્યાં ક્યાં પગલાં લાવે

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત – ૪

આ વર્ષે મરચીનો ફાયટોપ્થોરા બ્લાઈટ સુકારો કોને આવશે? વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ન હોઈ તેને પુષ્કળ મરચા બેસે ત્યારે ફાઇટોપથોરા નામનો

વધુ વાંચો....

આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે

તમને સમાચાર મળ્યા ? વૈજ્ઞાનિકો કહે છે કે આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે . અલીનીનોની અસર કહોકે બદલાય રહેલા હવામાન કહો કે પછી ગ્લોબલ વોર્મિંગ કહો આખા વિશ્વમાં ગરમી વધવાના

વધુ વાંચો....

મરચીમાં ભૂકીછારો – પાઉડરી મીલ્ડ્યું .

રોગકારક : આ રોગ એક ફૂગ થી થાય છે તે રેવેઈલીલુંલા ટૌરીકા નામના રોગકારકને લીધે હવાથી ફેલાય છે. જે પાંદડા ઉપર અને નીચે ફૂગના સફેદ સ્પોર સ્વરૂપે જોવા મળે છે જાણે પાનની

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks