aries agro

Powdery mildew, oidium - fungi on your plants | CANNA Australia
રોગકારક :

આ રોગ એક ફૂગ થી થાય છે તે રેવેઈલીલુંલા ટૌરીકા નામના રોગકારકને લીધે હવાથી ફેલાય છે.
જે પાંદડા ઉપર અને નીચે ફૂગના સફેદ સ્પોર સ્વરૂપે જોવા મળે છે જાણે પાનની ઉપર સફેદ છારી બાજી હોય,
સમય ચૂકીએ અને મોડું કરીયે અને વધુ ઉપદ્રવ થાય તો પાન ઉપર તરફ વળે અને પીળા-બ્રાઉન થાય,
પાન ખરી જાય .જુવો ચિત્ર પાન ઉપર સફેદ છારી તો ભૂકી છારો , પાનમાં પીળા ધાબા તો તળછારો .


ભૂકીછારો થવાનું કારણ :

ભૂકીછારો 15 થી 27 સેં .સુકું અને ભેજવાળા એમ બંને તાપમાનમાં થાય, ભેજવાળામાં વધુ ફેલાય , 32 થી ઊંચું તાપમાન ભૂકીછારા ને અનુકૂળ આવતું નથી , સૌ પ્રથમ ભૂકી છારો જુના પાનમાં દેખાય છે પાંદડા ઉપર છારો કે છાસીયો લાગે છે.રોગ લાગ્યા પછી કાળજી લેવામાંના આવે તો ૧૫ દિવસે આ રોગના લીધે પાંદડા પીળા થઈ ખરી પડે છે.ભૂકીછારાથી પાન ખરે તે ખેડૂત ની ભૂલ સમજવી કારણ કે આ રોગ ક્યારે લાગે તે ખબર હોવી જોઈએ , એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડુંજ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ? સમજાય તેવી વાત છે
ભુકીછારો રોગ ને સમજીલો તો તેનું નિયંત્રણ સાવ સહેલું , સમય ચુકી ગયા તો પાન ખરશે ત્યારે ઘણું મોડું થઇ ગયુ હશે આ રોગનું નિયંત્રણ પાન લીલા હોય ત્યારે કરો તો જ ફાયદામાં રહી શકાય.

ભૂકીછારો ક્યારે આવે ?

શિયાળા જેવું વાતાવરણ થાય એટલે કે દિવસનું મહત્તમ અને રાત્રિનું મીનીમમ તાપમાન વચ્ચે ૧૫ સેન્ટીગ્રેડનો ફેરફાર હોય ત્યારે આપણી ચામડી સુકી થાય, હોઠ ફાટે તો આપણે શું કરીયે ? વેસેલીન લગાડીયે .
મરચીમાં આ સમય છે ભૂકીછારા નામનો રોગ આવવાનો . જુન-જુલાઈ-ઓગસ્ટમાં ભૂકીછારો આવતો નથી. જ્યારે મિનિમમ (રાત્રિનું) અને મહત્તમ (દિવસ)ના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો તફાવત હોય ત્યારે ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે , ટૂંકમાં ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે.

બઝારમાં મળતી નવી દવાઓ :

નેટીવો ( ટ્રાયફ્લોક્ષાસ્ટ્રોબીન + ટેબુકોનાઝોલ ) 12 ગ્રામ/પંપ અથવા

કસ્ટોડીયા ( એઝાસ્ટ્રોબીન+ ટેબુકોનાઝોલ ) ૧૫ મિલી/ પંપ અથવા

એમીસ્ટાર ( એઝાસ્ટ્રોબીન) ૨૫ મિલી/ પંપ અથવા

અરમોન ( ક્રેસોક્ષામિથાઈલ ) ૧૫ મિલી/પંપ

અથવા

ફ્લ્યૂસીલાઝોલ અને ટેબુકોનાઝોલ નો વારાફરતી પ્રયોગ કરવો.






——xxxx——
તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

મગફળીના થડનો કોહવારો

પાક ફેરબદલી કરવી, એકની એક જમીનમાં મગફ્ળીનું વાવેતર કરવું નહીં. સંપૂર્ણ સડી ગયેલા સેન્દ્રિય ખાતરો જ વાપરવા. ટ્રાયકોડર્મા હારજીયાનમ ૨.૫ કિ.ગ્રા./હેક્ટર જમીનમાં વાવેતર સમયે ચાસમાં ૧૦૦ કિ.ગ્રા. એરંડાના ખોળ અથવા દેશી ખાતર

વધુ વાંચો....

મગફળીમાં અફલારોટ

વાવણી સમયે ઈજા થયેલ અને ફુગવાળા દાણા દૂર કરી સારું બીજ જ વાવેતર માટે વાપરવું જોઈએ. ફુગનાશક દવાઓની ભલામણ મુજબ બીજ માવજત આપી વાવેતર કરવું. પાક ફેરબદલી કરવી. મગફ્ળીનાં ડોડવા અને દાણામાં

વધુ વાંચો....

રોગ : મગફળીમાં ટીક્કા રોગ નિયંત્રણ

સારી ગુણવત્તાવાળા અને નુકસાન વિનાના બીજનો જ વાવેતરના ઉપયોગમાં લેવા જોઈએ. મગફળી ફોલીને તેના બીજને ભેજવાળી જગ્યામાં રાખવા નહીં. બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા. બીજની માવજત માટે ટેબૂકોનાઝોલ ૧.૨૫ ગ્રામ અથવા ૫

વધુ વાંચો....

રોગ : દાડમમાં જીવાણુંથી થતા પાન અને ફળના ટપકા

રોગની શરૂઆત જણાય કે તરત જ કોપર ઓક્સિકલોરાઈડ ૦.૨% (૬૦ ગ્રામ) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. કોપર ઓક્ઝીક્લોરાઈડ ૦.૨% (૬૦ ગ્રામ) અને સ્ટ્રેપ્ટોસાયક્લીન ૧.૫ ગ્રામ ૧૫ લીટર પાણીમાં મિશ્ર કરી

વધુ વાંચો....

દાડમ : ફૂગથી થતા પાન અને ફળના ટપકાં

રોગની શરૂઆત જણાય કે તરત જ કાર્બેન્ડાઝીમ (૧૫ ગ્રામ) અથવા ડાયફેનકોનાઝોલ (૧૫ મીલી) અથવા પ્રોપીકોનાઝોલ (૧૫ મીલી) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. બીજા છંટકાવ વારાફરતી ૧૫ દિવસના અંતરે કરવા.

વધુ વાંચો....

રોગ : આંબામાં ભૂકીછારો

રોગની શરૂઆત જણાય કે તરત જ પ્રથમ છંટકાવ વેટેબલ સલ્ફર ૫૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી કરવો. બીજાે છંટકાવ ૧૫ દિવસે હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીનો કરવાથી રોગનું અસરકારક

વધુ વાંચો....

રોગ : આંબામાં મોરની વિકૃતિ

આંબામાં મોરની વિકૃતિ રોગિષ્ઠ ભાગો અને વિકૃત થયેલ ડાળીઓની ૬ ઇંચ જેટલા તંદુરસ્ત ભાગ સાથે છટણી કરી કાપેલ ભાગ ઉપર બોર્ડો પેસ્ટ (મોરથૂથું ૧ કિ.ગ્રા., કળીચૂનો ૧ કિ.ગ્રા. તથા ૧૦ લિટર પાણી)

વધુ વાંચો....

રોગ : લીંબુમાં ગુંદરીયો

જમીનને અડકતી ડાળીઓની છટણી કરી બાળી નાંખવી. ખેતીકાર્યો કરતી વખતે છોડની ડાળીઓ કે થડને કોઇ ઇજા ન થાય તેની કાળજી રાખવી.  થડને પાણીનો સીધો સંર્પક ન થાય તે માટે થડ પર બોર્ડો

વધુ વાંચો....
aries agro
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks