
જીરૂના પાકમાં હેકટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં ભેળવી દેવું. વાવણી વખતે પાયાના ખાતર તરીકે ૧૫ કિલોનાઈટ્રોજન અને ૧૫ કિલો ફોસ્ફરસ પ્રતિ હેકટરે આપવું અને પૂર્તિ ખાતર તરીકે ૧૫ કિલો નાઈટ્રોજન પ્રતિ હેકટરે વાવણી પછી ૩૫ થી ૪૦ દિવસે આપવું. સંકલિત પોષણ વ્યવસ્થા અન્વયે ભલામણ કરેલ ૩૦ કિલો નાઈટ્રોજન અને ૧૫ કિલો ફોસ્ફરસ પૈકીનો ૧૫ કિલો નાઈટ્રોજન અને ૭.૫ કિલો ફોસ્ફરસ રાયડાના ખોળ અને બાકીનો જથ્થો એટલે કે ૧૫ કિલો નાઈટ્રોજન અને ૭.૫ કિલો ફોસ્ફરસ રસાયણિક ખાતર દ્વારા આપવાની ભલામણ કરવામાં આવેલ છે.


























