
ખુલ્લી ખેતીમાં પણ હવે ખેતરની સ્વચ્છતા એટલું જ જરૂરી છે, જોકે ત્યાં તેને અમલમાં મૂકવું ગ્રીનહાઉસ કરતા થોડું અલગ અને પડકારજનક હોઈ શકે છે. ToBRFV જેવા વાયરસ હવે માત્ર ગ્રીનહાઉસ પૂરતા મર્યાદિત નથી તે હવે ખુલ્લા મેદાનમાં પણ પ્રવેશી શકે છે તો આપણે સેનિટેશન કેમ અને કેવી રીતે કરવું જોઈએ ? તે ખાસ કરીને ટામેટા અને મરચી ની ખેતી કરતા ખેડૂતોએ વિચારવું પડશે તેવું વૈજ્ઞાનિકો કહે છે

























