aries agro

તમે ખેતરનીવાતની શ્રેણીમાં છો

પાક વૃદ્ધિ ઉત્તેજકો કોને કહેવાય ?

જે પદાર્થ વનસ્પતિની વૃદ્ધિ તથા (વનસ્પતિની જૈવિક ક્રિયાઓ જેવી કે અભિક્રિયા અને ચયાપચય વધારવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાર્થોને વૃદ્ધિ ઉત્તેજકો કહેવાય છે. દા.ત. દરેક પ્રકારના ઓકઝીન જેવા કે ૧-નેપ્થેલીન એસિટીક એસિડ (એન.એ.એ.), ૩-ઇન્ડોલ એસિટીક એસિડ (આઈ.એ.એ.), ૩-ઈન્ડોલ (બ્યુટારીક એસિડ (આઈ. બી.એ.), જીબ્રાલીન (GA3), સાયટોકાઇનીન જેવા

વધુ વાંચો>>>>

ફોસ્ફરસ પૂરતું હોવા છતાં છોડમાં તેની ઉણપ કેવી રીતે હોઈ શકે?

કાગળ પર ફોસ્ફરસ પૂરતું હોવા છતાં છોડમાં તેની ઉણપ કેવી રીતે હોઈ શકે? ફોસ્ફરસની મોટાભાગની સમસ્યાઓ જથ્થાની નથી હોતી પણ તે છોડને ઉપલબ્ધ કેટલો થાય છે તે સમસ્યા છે. જમીનમાં પુષ્કળ પ્રમાણમાં ફોસ્ફરસ હોઈ શકે છે, છતાં પાક ભૂખ્યો રહી શકે છે. તેનો મોટો હિસ્સો માટીના

વધુ વાંચો>>>>

મોસમ આવી મહેનતની

વર્ષા ઋતુ આવે એટલે મોસમ આવી મહેનતની , આપણા પાકના વધુ ઉત્પાદન માટે આપણે સમતોલ ખાતરનો ઉપયોગ કરીને આપણી આ વર્ષની ખેતીમાં સારું ઉત્પાદન લેવાનું છે ત્યારે આપણે જે તત્વો ખાતરના રૂપમાં આપીયે છીએ તે એન. પી . કે માંથી આજે પી . એટલે કે ફોસ્ફરસની

વધુ વાંચો>>>>

સાચી અને સમયસરની સાચા મોલેક્યુલની દવા ન છાંટવામાં આવે તો ક્યાં ક્યાં રોગો આવે ?

સાચી અને સમયસરની સાચા મોલેક્યુલની દવા ન છાંટવામાં આવે તો ટામેટા આગોતરો સુકારો (Early blight), પાછોતરો સુકારો (Late blight), પાન પરના ડાઘ (Leaf spot) મરચાં એન્થ્રેકનોઝ (Anthracnose), સુકારો (Wilt), કોકડવાને લીધે થતી સમસ્યાઓ (Leaf curl ) રીંગણ બ્લાઇટ (blight), બેક્ટેરિયલ સુકારો (Bacterial wilt) કાકડી તળછારો (Downy

વધુ વાંચો>>>>

ચોમાસા દરમિયાન રોગોનું પ્રમાણ વધવા માટે ક્યાં પરિબળો જવાબદાર છે. ?

ચોમાસા દરમિયાન રોગોનું પ્રમાણ વધવા માટે કેટલાક પરિબળો જવાબદાર છે. હવામાં ઊંચો ભેજ ફૂગના બીજાણુઓ (spores) ને અંકુરિત થવામાં મદદ કરે છે. સતત પડતો વરસાદ પાંદડાને લાંબા સમય સુધી ભીના રાખે છે. હવામાં રહેલા બેક્ટેરિયા ને લીધે પાનના ટપકાંઓ રોગ આવી શકે છે . જોરથી પડતા

વધુ વાંચો>>>>

ચોમાસું આવે એટલે ફૂગ, બેક્ટેરિયા અને અન્ય રોગકારકોને શા માટે વધુ આવે છે.

ચોમાસાની ઋતુ આવે એટલે જરૂરી વરસાદ લાવે છે જે પાકના વિકાસમાં મદદ કરે છે, ભૂગર્ભજળના સ્તરને સુધારે છે અને જમીનમાં ભેજ વધારે છે. જો કે, આ જ હવામાન ઘણી વનસ્પતિઓના રોગો માટે પણ અનુકૂળ વાતાવરણ ઊભું કરે છે. હવામાં ઊંચો ભેજ, વારંવાર પડતો વરસાદ, હવાની નબળી

વધુ વાંચો>>>>

ફોસ્ફરસ ખાતર આપવાની રીત

ગુજરાત રાજ્યની મોટાભાગની જમીનમાં ફોસ્ફરસ પુરતા પ્રમાણમાં છે. તે જમીનમાં માટીના રજકણો સાથે જકડાયેલો હોય છે. તેથી પાકને તે સરળતાથી લભ્ય થઈ શકતો નથી. આવા અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવવા યોગ્ય ઉપાયો યોજવા જોઈએ. પાકની શરૂઆતની અવસ્થામાં ફોસ્ફરસની જરૂરિયાત વધુ હોય છે. તેથી તેને પાયાના ખાતર

વધુ વાંચો>>>>

પોષક તત્વો : શાકભાજીના પાકોમાં પોષક તત્વો આપવા શા માટે જરૂરી ?

ઉત્તર ગુજરાતના લોહતત્ત્વની ઉણપવાળી જમીનમાં બટાટા ઉગાડતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત મલ્ટી માઈક્રોન્યુટ્રીઅન્સ મિક્સર ગ્રેડ-૨ (કે જેમાં લોહ ૬%, મેંગેનીઝ ૧%, ઝીંક ૪%, કોપર ૦.૩% અને બોરોન ૦.૫% હોય છે)ના ૧%ના દ્રાવણનો રોપણી બાદ ૪૦, ૫૦ અને ૬૦ દિવસે

વધુ વાંચો>>>>

આવી શોધ કરનારને દુનિયા મદદ પણ કરે છે.

આવી શોધ કરનારને દુનિયા મદદ પણ કરે છે. વિશ્વને હજુ ક્લાઈમેટ સામે લડે તેવી જરૂરિયાતને ધ્યાનમાં લઈને બેલ્જિયમની રેઈનબો ક્રોપ નામની કંપનીએ આબોહવા પરિવર્તન (Climate Change) સામે ટકી શકે તેવા અને વધુ ઉત્પાદન આપતા બિયારણો વિકસાવવાનું જબરું સંશોધન કરે છે. જીનોમ એડિટિંગ અને અત્યંત આધુનિક બ્રીડિંગ

વધુ વાંચો>>>>

આવું થાય ખરું ?

અગાઉ કૃષિ વૈજ્ઞાનિકોએ આઘાત સહન કરી શકે તેવી નવી જાતોનું સંશોધન કરવું પડશે. તે વાત કરી હતી તે વિષે આગળ વાત કરીએ તો આવું થાય ખરું ? ફિલિપાઈન્સનો દાખલો લઈએ IRRI ના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ જુહાર અલી કહે છે કે IRRIના ટુ-લાઇન રાઈસ હાઇબ્રિડ પ્રોગ્રામ હેઠળ વિકસિત, M-120

વધુ વાંચો>>>>

ટામેટા, તરબૂચ અને કોબીજ જેવા પાકોમાં ફળ કે દડો ફાટી જવો એ શું કોઈ રોગને કારણે હશે ?

ટામેટા, તરબૂચ અને કોબીજ જેવા પાકોમાં ફળ કે દડો ફાટી જવો એ એક સામાન્ય સમસ્યા છે. ઘણા ખેડૂતો માને છે કે આ કોઈ રોગને કારણે અથવા બીજને કારણે થાય છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં આ એક તાપમાન અને (Physiological) સમસ્યા છે, યાદ રાખો કે તે પાણી, પોષક

વધુ વાંચો>>>>

ખેતરના શેઢે બોર્ડ મારવું પડશે કે પ્રવેશ નિષેધ

આપણી ખેતીમાં ઘણા રોગો અટકાવવા ખેતરના શેઢે બોર્ડ મારવું પડશે કે પ્રવેશ નિષેધ . ખેતીમાં વપરાતા મોટા મશીનો (ટ્રેક્ટરના ટાયર, હળ) ને ખેતરમાં પ્રવેશતા પહેલા અને કામ પૂરું થયા પછી સાફ કરવા પડશે .હવે પાકની ફેરબદલી (Crop Rotation) કરવી પડશે .એક જ જગ્યાએ વારંવાર ટામેટા કે

વધુ વાંચો>>>>

એક ખેતરમાંથી બીજા ખેતરમાં નવા રોગો ફેલાવી શકે છે.

આપણને ખબર છે કે ખુલ્લા ખેતરમાં મજૂરો એક હરોળથી બીજી હરોળમાં સતત ફરતા હોય છે, જે વાયરસ ફેલાવવાનું મુખ્ય કારણ બને તો ખરી મુશ્કેલી આવી શકે. આપણે સાધનોનો પણ સહિયારો ઉપયોગ કરીયે છીએ ત્યારે આપણા ટ્રેક્ટર, હળ, અને કાપણીના સાધનો વગેરે જો યોગ્ય રીતે સાફ ન

વધુ વાંચો>>>>

ToBRFV જેવા વાયરસ હવે માત્ર ગ્રીનહાઉસ પૂરતા મર્યાદિત નથી

ખુલ્લી ખેતીમાં પણ હવે ખેતરની સ્વચ્છતા એટલું જ જરૂરી છે, જોકે ત્યાં તેને અમલમાં મૂકવું ગ્રીનહાઉસ કરતા થોડું અલગ અને પડકારજનક હોઈ શકે છે. ToBRFV જેવા વાયરસ હવે માત્ર ગ્રીનહાઉસ પૂરતા મર્યાદિત નથી તે હવે ખુલ્લા મેદાનમાં પણ પ્રવેશી શકે છે તો આપણે સેનિટેશન કેમ અને

વધુ વાંચો>>>>

ટામેટા અને મરચાં ToBRFV નવો વાયરસ ! શું આનિયંત્રણ આપણે કરી શકીશું ?

આ નોંધો,  યુરોપની જેમ ToBRFV (ટોમેટો બ્રાઉન રુગોઝ ફ્રૂટ વાયરસ) ગ્રીન હાઉસનો વાઇરસ ઓપન ફિલ્ડમાં ઉગાડતા ટામેટા અને મરચાંની ખેતી માટે પણ ગંભીર ખતરો ભવિષ્યમાં આપણે ત્યાં ઉભો કરી શકે  છે કારણ કે આ વાઇરસ અન્ય સામાન્ય વાયરસની જેમ  મોલો-મશી અથવા સફેદ માખી દ્વારા ફેલાતા નથી

વધુ વાંચો>>>>

પાંદડાની વૃદ્ધિ અટકી જવાનું કારણ હોઈ શકે મૂળને નુકસાન અને …

પાંદડા પર ડાઘ / પેશીઓનો નાશ (નેક્રોસિસ)નું કારણ ફૂગ/બેક્ટેરિયલ ચેપ અથવા પોષક તત્વોનું અસંતુલન. મેન્કોઝેબ / કોપર ઓક્સિક્લોરાઇડ / કાર્બેન્ડાઝિમનો છંટકાવ કરો. છોડ પર ઉપરથી પાણી છાંટવાનું ટાળો. સંતુલિત પોષણની ખાતરી કરો. પાંદડાની  વૃદ્ધિ અટકી જવાનું કારણ હોઈ શકે મૂળને નુકસાન, જમીનનું સખત થવું, જમીનનું નબળું

વધુ વાંચો>>>>

અવલોકનની કળા એટલે કે સ્કાઉટીંગની કુનેહ

છોડની સમસ્યાઓનું  સાચું નિદાન = સાચી સારવાર = વધુ ઉત્પાદન. તમારા ગામમાં એક ખેડૂત જરૂર એવો હશે જે પ્રતિવર્ષ પોતાની ખેતીમાં સફળતા મેળવતો હશે અને પાછો જે પાક વાવે તેમાં તે નફો કમાતો હશે . આ ખેડૂત પાસે કયો મંત્ર હશે  ? મિત્રો એ મંત્ર છે

વધુ વાંચો>>>>

ગુણવત્તાયુકત પાક ઉત્પાદન મેળવવાની ચાવી

ખેત પેદાશની ગુણવત્તા આજે સારા ભાવ મેળવવા અને આયાત-નિકાસમા પાયાનો માપદંડ છે. ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદનની ગ્રાહકો તરફ્થી માંગ રહેતી હોય છે, જેમની ઊંચી કિંમત આપવા તૈયાર હોય છે. સજીવ ખેતી દ્વારા પાકેલ ઘઉં, બાજરા અને કઠોળ વગેરેનો વધુ ભાવમળી રહેતો હોય છે. ખેત પેદાશોની નિકાસ માટે

વધુ વાંચો>>>>

સોઈલ સોલારાઈઝેશન કયારે અને કેવી રીતે કરી શકાય ?

ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે ઉત્તમ સમય છે. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય અને ન્યૂનતમ પવન હોય ત્યારે સોલારાઈઝેશન કરવામાં આવે તો સચોટ પરિણામ મેળવી શકાય. ગુજરાતમાં ૧૫મી અપ્રિલ થી ૧૫મી જૂન સુધી ગરમીનું પ્રમાણ વધુ હોય છે આ સમયગાળો સોઈલ સોલારાઈઝેશન

વધુ વાંચો>>>>

મરચીમા આવતી સમસ્યાઓની યાદી નોંધી લો અને તેના વિષે અત્ત થી ઇતિ જાણી લો.

કૃષિ વિજ્ઞાન માસિકનો માર્ચ મહિનાનો વિશેષાંક મરચી બીજ પસંદગી વિશેષાંક 399/-લવાજમ ભરી મંગાવો અથવા વિના મુલ્યે વાંચવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.

વધુ વાંચો>>>>

લીંબુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

લીંબુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો : • ફળપાકોમાં ખાસ કરીને લીંબુના પાકમાં નેપ્થલીક એસિટીક એસિડ (એન.એ.એ.) ૨૦ પી.પી.એમ. અથવા ૨-૪-ડી ૮ પી.પી.એમનાં છંટકાવ કરવાથી ફળો ખરતાં અટકાવી શકાય છે. (૧૦ લીટર પાણીમાં ૨૦૦ મીલીગ્રામ એન.એ.એ. અથવા ૮૦ મીલીગ્રામ ૨-૪-ડી). • ફળ એક સરખા અને એકસાથે પકવવા માટે

વધુ વાંચો>>>>

સોઈલ સોલારાઈઝેશનના ફાયદાઓ

જમીનના તાપમાનમાં વધારો ‘: સોલારાઈઝેશનથી જમીનના તાપમાનમાં વધારો થાય છે. જમીનની સપાટી પર સૌથી વધુ અને ઊંડાઈ સાથે ઘટે છે. ઉપરના ૫ સે.મી. સુધીમાં ભાગ ૧૦° સે. થી ૧૫° સે. સુધી વધી જાય જે લગભગ ૪૨° સે. થી ૫૫° સે. સુધી પહોંચી જાય છે, જયારે ઊંડાઈમાં

વધુ વાંચો>>>>

ખેત પેદાશોનું પેકેજિંગ

આજના આધુનિક યુગમા ગ્રાહકો દ્વારા સારું પેકેજિંગ હોય એવી કોમોડિટી અગ્રમતા આપવામાં આવે છે. પેકેજિંગ એ કૃષિ પાકોના માર્કેટિંગનુ પ્રથમ પગથિયું છે. સારું પેકિંગથી ગ્રાહકોનું આકર્ષણ વધે છે. ઉપરાંત, ખેત પેદાશોનું યોગ્ય પેકિંગ ન હોય તો, બગાડ થાય છે સાથે સાથે ગુણવત્તા પણ ઘટે છે.

વધુ વાંચો>>>>

વરસાદ પહેલા ઢાલિયાનું નિયંત્રણ કરવું જોઈએ

આજે નવી દવાઓની પણ વાત કરવી છે આપણે ત્યાં સફેદ ધૈણ જેને અંગ્રેજીમાં વાઈટ ગ્રબ કહેવાય છે અને ગામડામાં તેને મુંડા કહે છે આ સફેદ ધૈણ ના ઢાલીયા ખેતરના શેઢે આવેલા વૃક્ષોમાં ચોમાસા પહેલા જોવા મળે છે વરસાદ પહેલા ઢાલિયાનું નિયંત્રણ કરવું જોઈએ ઇન્સેક્ટિસાઇડ ઇન્ડિયા લિમિટેડ

વધુ વાંચો>>>>

આંબામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

આંબામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો • હાફુસ અને કેસર કેરીને મોડી પકવવા માટે ૨૦૦ પી.પી.એમ. (એક લીટર પાણીમાં ૨૦૦ મી.ગ્રા.) જિબ્રેલીક એસિડ (જી.એ-૩.)માં બોળવાથી ચાર દિવસ મોડી પાકે છે. આંબામાં ફૂલોનું પ્રમાણ વધુ લાવવા ૫૦ પી.પી.એમ. જિબ્રેલીક એસિડ (જી.એ-૩.) છંટકાવ કરવો.(૧૦ લીટર પાણીમાં ૫૦૦ મીલીગ્રામ જી.એ-૩.). •

વધુ વાંચો>>>>

તાપમાનનો રોલ આપણી ખેતીમાં શું છે ?

તમારી જમીનનું તાપમાન અને ભેજ કેટલો છે તે તમને ખબર હોવી જોઈએ આ માટે હવે ટેન્શીયોમીટર બઝારમાં મળે છે. પિયત કયારે અને કેટલું આપવું તે આ ડેટા ઉપરથી તમે જાણી શકો છો. એટલે કે ટેન્શીયોમીટર વાંચતા હવે શીખવું પડે. પાકમાં ફાલ ખરી જાય છે તેમાં ઘણા

વધુ વાંચો>>>>

છોડને યોગ્ય રીતે પરિપકવ થવા કઈ ત્રણ વાતોની માહિતી રોજ તમારી પાસે હોવી જોઈએ?

આપણે ખેતીમાં આવી રહેલી નવી ટેક્નિકની વાતો કરી રહ્યા છીએ .જાણવું જરૂરી છે. બીજના ઉગાવાથી લઈ છોડ પરિપકવ થાય ત્યાં સુધીમાં કેવી કેવી પરિસ્થિતિમાં છોડને પસાર થવું પડે છે તેનો તમે કોઈ દિવસ વિચાર કર્યો છે? છોડની વૃદ્ધિ વિકાસ અને ઉપજ આપવા માટે જમીન અને પર્યાવરણ

વધુ વાંચો>>>>

પાકની ઉત્પાદન ક્ષમતાને બહાર લાવવામાં કેવા કેવા પરિબળો કામ કરતા હશે ?

મનુષ્યને વિકસવામાં હુંફ જોઈએ, પોષણ જોઈએ, પ્રેમ જોઈએ, ટાઢ-તડકાને વરસાદ સામે રક્ષણ જોઈએ ટુંકમાં રોટી – કપડા- મકાન ની પ્રાથમિક જરૂરિયાત મેળવે પછી પોતાની બુદ્ધિ, કૌશલ્ય અને સમજણનો સમન્વય કરીને ઉંચાઈઓ આંબી શકે. છોડની આજુબાજુનું પર્યાવરણ અને તેને લગતા વિજ્ઞાનીક ઉપકરણોને આધારે વિદેશ ની ખેતી સમૃદ્ધ

વધુ વાંચો>>>>

તલ : ઉનાળુ પાકો માટે બીજ પસંદગી ખૂબ અગત્યની હોય છે

ઉનાળુ સિઝન માટે શાકભાજીની ખેતી કરતા ખેડૂતો પોતાની પિયત વ્યવસ્થા મુજબ અલગ અલગ પાકોની પસંદગી કરતા હોય છે. ટૂંકા ગાળાના શાકભાજીના પાકોની વાત કરીએ તો 14 જાન્યુઆરી સંક્રાત પછી જેમ જેમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ ખેડૂતો હાઈબ્રીડ ભીંડા, બીટ, કોબીજ, તરબૂચ, ટેટી, ઉનાળુ

વધુ વાંચો>>>>

ફળ પાકોમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

૧. ચીકુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણ ૫૦ પી.પી.એમ. (૫૦ મી.ગ્રા. એક લીટર પાણીમાં ૫૦ પી.પી.એમ.) નેપ્થેલીક એસિટીક એસિડ (એન. એ.એ.)નો માર્ચ એપ્રિલ માસમાં ૧૫-૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવાથી ફૂલ ખરતાં અટકે છે અને ફળ બેસવામાં મદદ થાય છે. ૨. કેળામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણ કેળામાં ૧૦૦ પી.પી.એમ.

વધુ વાંચો>>>>

શાકભાજી પાકમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

શાકભાજી પાકમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો ટમેટામાં ફૂલ આવવાની શરૂઆત થયે ૨.૪-ડી ૫ પી.પી.એમ.નો (૫ મી.ગ્રા. એક લીટર પાણીમાં) અને ત્યાર બાદ ૧૫ દીવસે છંટકાવ કરવાથી સારી ગુણવત્તાવાળા વધુ ફળનું ઉત્પાદન મળે છે. ડુંગળીની ફેરરોપણી કર્યા પછી ૪૫માં દિવસથી શરૂ કરીને ૧૫ દિવસના અંતરે ૧૦૦ પી.પી.એમ. (૧૦૦

વધુ વાંચો>>>>

પાકને ૧ ટન ઉત્પાદન લેવા કેટલું પોષણ જોઈએ ? ક્યાં ક્યાં તત્વો જોઈએ.

આપણા ખેતરમાં આપણે કપાસ વાવીએ કે મગફળી, બટેટા વાવીએ કે કમોદ,ટામેટા વાવીએ કે મરચા બધા પાકને ૧ ટન ઉત્પાદન લેવા કેટલું પોષણ જોઈએ તે આંકડા અલગ અલગ હોય છે. પણ ક્યાં ક્યાં તત્વો જોઈએ તેની વાત કરું તો કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજન આ ત્રણ તત્વો આપણને

વધુ વાંચો>>>>

જમીનમાં પડેલા પોષક દ્રવ્યો છોડને કેવી રીતે લભ્ય થાય છે.

● યુરીયા જમીનમાં નાખવાથી જમીનમાં રહેલ માઈક્રોબ્ઝ તેના વિઘટન માટે લાગી પડે છે. આ માઈક્રોબ્ઝ યુરિયાના એમોનીકલ ફોર્મ માંથી નાઈટ્રેટ સ્વરૂપે ફેરવે છે એટલે હવે નાઈટ્રેટ સ્વરૂપે તૈયાર થયેલો નાઈટ્રોજન છોડને લભ્ય બને છે આ પ્રક્રિયા માટે જરૂર છે માઈક્રોબ્ઝની, આ માટે જરૂર છે સેન્દ્રીય પદાર્થો

વધુ વાંચો>>>>

જીવાત : ઘઉંમાં મોલો

મોલોના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા (લેડી બર્ડ બીટલ), લીલી પોપટી (ક્રાયસોપર્લા) તથા સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી કીટનાશક છાંટવાની જરૂરિયાત રહેતી નથી. મોલોનું પ્રમાણ વધારે જણાય અને પાકને નુકસાન થતું હોય તો ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

વધુ વાંચો>>>>

કેળની માવજત : નર ફૂલને દૂર કરવું

લૂમના સંપૂર્ણપણે વિકાસ/લૂમમાં માદા ફિંગર્સનો (નાનું કેળું) તબક્કો પૂર્ણ થયા બાદ નર ફૂલની કળીને દૂર કરવાની પ્રક્રિયાને ડીનેવેલિંગ કહેવામાં આવે છે. રોપણીના ૭-૮ મહિનાના સમયગાળા બાદ કેળમાં ફૂલ આવવાની પ્રક્રિયા શરૂ થાય છે. એક વખત માદા ફિંગર્સનો વિકાસ થઇ ગયા બાદ લૂમની રેચીસના નીચેના ભાગે જોવા

વધુ વાંચો>>>>

જમીનમાં માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે.

● વિદેશમાં આ માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે. ઓછામાં ઓછી ખેડ અથવાતો જમીનને ઓછામાં ઓછી ખલેલ પહોચાડવાથી આપણી જમીનમાં માઈક્રોબ્ઝની સંખ્યા વિપુલ પ્રમાણમાં વધે છે અને તેને લીધે સેન્દ્રીય પદાર્થ અથવાતો આવેલા ખાતરોને છોડને જોઈએ તે ફોર્મમાં મૂળ દ્વારા લભ્ય બને તેવું બનાવવામાં

વધુ વાંચો>>>>

સૌથી પ્રથમ આપણે આપણી ધરતીનું સ્વાસ્થ્ય સુધારવું પડશે

● ઓર્ગેનિક ખેતી હોય કે ઇનઓર્ગેનિક ખેતી હોય સૌથી પ્રથમ આપણે આપણી ધરતીનું સ્વાસ્થ્ય સુધારવું પડશે. કુદરતે ધરતીમાં કરોડો ઉપયોગી બેક્ટેરિયા, ફૂગ, પ્રોટોઝૂઆ, અળશિયા વગેરે આપણને ભેટ ધર્યા છે તેના લીધે આપણી જમીન જીવતી છે આને વૈજ્ઞાનિક ભાષામાં માઈક્રોબ્ઝ કહે છે. માઈક્રોબ્ઝની હાજરી આપણી ખેતીમાં કેમ

વધુ વાંચો>>>>

શેરડીમાં નિંદણ નિયંત્રણ

શેરડીના પાકને શરૂઆતના ૯૦ થી ૧૨૦ દિવસ સુધી નિંદણમુકત રાખવો જરૂરી છે. નિંદણ નિયંત્રણ હાથથી ત્રણ વખત નિંદણ કરી તેમજ આંતરખેડ દ્વારા કરતા રહેવું જોઈએ. તેમ છતાં પૂરતા પ્રમાણમાં મજૂરો ઉપલબ્ધ ન થાય તો નીચે જણાવ્યા પૈકીની ગમે તે એક નિંદણનાશક દવાનો ઉપયોગ કરી નિંદણ નિયંત્રણ

વધુ વાંચો>>>>

કેળની માવજત : પીલા દૂર કરવા (ડી-સકરીંગ)

માતૃછોડની બાજુમાંથી/કેળની ગાંઠમાંથી ઊગી નીકળતા વધારાના પીલાને દૂર કરવું અત્યંત આવશ્યક છે. વધારાના નકામા (અનિચ્છનીય) પિલાને દૂર કરવાની પ્રક્રિયાને ડી-સકરીંગ કહેવામાં આવે છે. છોડ અથવા ગાંઠ દીઠ ઊગી નીકળતા પીલાઓની સંખ્યા કેળની જાત, જમીનની ફળદ્રુપતા, પર્યાવરણ વગેરેના આધારે બદલાય છે. આ પીલાને દર ૧૦-૧૫ દિવસના અંતરે

વધુ વાંચો>>>>

શેરડી રોપણીનો સમય અને રોપણી અંતર

શેરડીની રોપણી ઓક્ટોબર-નવેમ્બર (ઓટમ પ્લાન્ટીંગ) તેમજ જાન્યુઆરી-ફેબ્રુઆરી (સ્પ્રીંગ પ્લાન્ટીંગ) માસ સુધીમાં પૂરી કરવી જોઈએ. સામાન્ય રીતે શેરડીની રોપણી ૯૦ સે.મી. થી ૧૨૦ સે.મી.ના અંતરે કરવામાં આવે છે. શેરડીના સારા ઉત્પાદન માટે રોપણી જોડીયા હારમાં કરવી. બે જોડીયા ચાસ વચ્ચે ૬૦ સે.મી. અને બે જોડીયા હાર વચ્ચે

વધુ વાંચો>>>>

શેરડીની જાતોની પસંદગી

શેરડીની જાતોની પસંદગીમાં વધુ ઉત્પાદનની સાથે સારી રીકવરી, રોગ-જીવાત સામે ટકી રહેવાની શક્તિ, પાકની પાછલી અવસ્થામાં ફૂલ ન આવવા, દુષ્કાળ સામે ટકી શકે તેવી, ઢળી પડતી ન હોય તેવી, લામ પાક માટે અનુકૂળ અને ખેતરમાં લાંબા સમય માટે ટકી રહે તે ખાસ જરૂરી છે. વહેલી રોપણી

વધુ વાંચો>>>>

રોગ : તમાકુમાં પચરંગીયાનું નિયંત્રણ કેમ કરવું ?

તમાકુમાં પચરંગીયા રોગ આવે તો તેના નિયંત્રણ માટે… તમાકુના દડનો ખાતર તરીકે તેમજ ખેતરમાં કામ કરતી વખતે તમાકુમાંથી બનેલી કોઈપણ પેદાશોનો ઉપયોગ કરવો નહિ. ખેતરમાંથી નીંદણ દૂર કરવા તેમજ શેઢા-પાળા ચોખ્ખા રાખવા. ખેતરમાં રોગિષ્ટ છોડ દેખાય કે તરત જ આવા છોડ ઉપાડી નાશ કરવો. ખેતરમાં કામ

વધુ વાંચો>>>>

શું ફક્ત ઓછી જમીનમાં વાવેતર કરી ઉત્પાદનનું વેચાણ કરીને આત્મનિર્ભરતા મેળવી શકાય?

શું ફક્ત એક એકરમાં કુટુંબની જરૂરિયાત પૂરતું અનાજ,શાકભાજી,ફળો, દૂધ,કઠોળ વગેરેનું વેચાણ કરીને વાર્ષિક ભરણપોષણ કરીને આત્મનિર્ભરતા મળી શકે ? મોટાભાગના લોકો માને છે કે આવું શક્ય નથી પરંતુ મહારાષ્ટ્રના એક કિસાન ગ્રુપ દવારા સાથે મળીને સબકા સાથ સબકા વિકાસ દવારા આર્થિક અને સામાજિક ઉન્નતિ  મેળવી છે

વધુ વાંચો>>>>

રિજનરેટિવ એગ્રીકલ્ચર : પુનર્જીવિત ખેતીમાં રસાયણો ધીમે ધીમે ઘટાડો ઉપર ભાર મુકીએ.

રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલેકે પુનર્જીવિત ખેતીમાં રસાયણો ધીમે ધીમે ઘટાડો ઉપર ભાર મુકવામાં આવે છે. રાસાયણિક ખતરો પરની નિર્ભરતા ઘટાડીને ધીરે ધીરે યુરિયામાં 10-20% ઘટાડો કરવા માટે કઠોળ પાકોનું આંતર પાક તરીકે વાવેતર સાથે વૃક્ષો વાવેતર કરવાની પણ ભલામણ છે . ખેતીમાં સમતોલ પાણી મળે મૂળ પ્રદેશમાં

વધુ વાંચો>>>>

રિજનરેટિવ એગ્રીકલ્ચર : જમીનમાં પોષક તત્વો પુનઃસ્થાપિત કરવા

રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલે કે પુનર્જીવિત ખેતીમાં પાક ફેરબદલી કરવા ઉપર ખાસ મહત્વ આપવામાં આવે છે. પાક ફેરબદલી કરવાથી એકને એક પાક જે પોષક તત્વોનું ખેંચાણ કરીને જમીનમાં તત્વોની અછત પેદા કરે છે એના બદલે પાક ફેરબદલી દ્વારા પોષક તત્વો પુનઃસ્થાપિત કરવા ઉમેરણ કરવા માટે અને જીવાત

વધુ વાંચો>>>>

ઘઉં : ઘઉંનો યોગ્ય વાવણી સમય

ઘઉં ઉત્પાદનમાં વાવણી સમય ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આપણા રાજ્યમાં શિયાળો ટૂંકો અને ઠંડીનું પ્રમાણ ઓછું રહે છે. આ સંજોગોમાં પ્રવર્તમાન પરિસ્થિતિનો મહત્તમ લાભ મેળવવા માટે સમયસર વાવણી કરવી ખૂબ જ જરૂરી છે. વાવણી સમયને ધ્યાનમાં લેતાં તેને બે તબક્કામાં વહેંચવામાં આવેલ છે.

વધુ વાંચો>>>>

રિજનરેટિવ એગ્રીકલ્ચર : જમીનને સાચવવાની અને જમીનને જીવતી રાખવાની વાત

આપણે રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલે કે પુનર્જીવિત ખેતીનો વિચાર કરી રહ્યા છીએ આ ખેતી અપનાવીને જમીનને સાચવવાની અને જમીનને જીવતી રાખવાની વાત છે ત્યારે વૈજ્ઞાનિકો ગ્રીન મેનયોર એટલે કે લીલા પડવાશ કરવાની ભલામણ કરે છે મગ, ચોળી,ઇક્કડ , શણ સનહેમ્પ, બરસીમ વાવીને ફૂલ આવ્યે રોટાવેટરથી જમીનમાં દાબી

વધુ વાંચો>>>>

બટેટાના મુખ્ય રોગ અને નિયંત્રણ કેમ કરશો  ? 

કંદના રોગોમાં કોમન સ્ક્રેબ અને કાળા ચાઠાનો રોગ મુખ્ય છે. કોમન સ્કેબ  તથા કાળા ચાઠાના-નિયંત્રણ માટે બિયારણને વાવતાં પહેલાં આખા બટાટાને બોરિક એસિડ (આઈપી ગ્રેડ) 3 ટકાના (૩૦ ગ્રામ દવા ૧ લિટર પાણીમાં) દ્રાવણમાં ૩૦ મિનિટ સુધી બોળીને માવજત આપવી જરૂરી છે. બટાટા બેસવાની અવસ્થાએ એટલે

વધુ વાંચો>>>>

બટેટા ની મુખ્ય જીવાત અને નિયંત્રણ કેમ કરશો ?

ચૂસિયા પ્રકારની જીવાતો (મોલો, લીલા તડતડિયા, સફેદ માખી) પાન નીચે રહી રસ ચૂસી નુકસાન પહોંચાડે છે. વધુમાં મોલો જેવી જીવાત વિષાણુમાંથી થતા રોગો જેમ કે, પંચરંગીયો, કોકડવા વગેરેનો ફેલાવો કરવામાં વાહક તરીકે અગત્યનો ભાગ ભજવે છે. ફ્લોનીકામાઈડ ૫૦ ડબ્લ્યુ જી. ૩ ગ્રામ / ૧૦ લિટર પાણી,

વધુ વાંચો>>>>

બટેટાના ૫ાકમાં મુખ્ય જીવાત અને નિયંત્રણ

• ચૂસીયા પ્રકારની જીવાતો ઃ (મોલો, લીલા તડતડીયા, સફેદમાખી) ૫ાન નીચે રહી રસ ચુસી નુકસાન ૫હોંચાડે છે વધુમાં મોલો જેવી જીવાત વિષાણુંથી થતા રોગો જેમ કે, ૫ંચરંગીયો, કોકડવા વિગેરેનો ફેલાવો કરવામાં વાહક તરીકે અગત્યનો ભાગ ભજવે છે. ફોલોનીકામાઈડ ૫૦ ડબ્લ્યુ જી ૩ ગ્રામ/ ૧૦ લિટર ૫ાણી,

વધુ વાંચો>>>>

બટેટાના મુખ્ય રોગ અને નિયંત્રણ

ફૂગજન્ય રોગોમાં આગોતરો સુકારો મુખ્ય છે. જેના નિયંત્રણ માટે વાવેતર બાદ ૩૫-૪૦ દિવસે પ્રથમ છંટકાવ ક્લોરોથેનોનીલ ૭૫% વે.૫ા.ના ર૫ ગ્રામ પ્રમાણે અને રોગની તીવ્રતા વધુ હોય તો બીજો છંટકાવ પ્રથમ છંટકાવ બાદ ૧૦ થી ૧૫ દિવસે હેક્ઝાકોનાઝોલ ૫% ઇ.સી.ના ૫ મિ.લિ. પ્રમાણે અને ત્રીજો છંટકાવ ૧૦

વધુ વાંચો>>>>

એવું શું કરવું કે ગ્રાહકો આપણી પેદાશો સામેથી માંગે થાય ?

ગ્રાહકો આપણી પેદાશો સામેથી માંગે આવું કરવા માટે આપણે ખેડૂતોએ ત્રણ-ચાર બાબતો ડાબે કાળજે લખી લેવી પડશે. જેવી કે આપણામાં લોકોનો સો ટકા વિશ્વાસ ઉભો થવો જોઈએ. તેઓની સાથે જે વાત કરતા હોઈએ તે પૂરેપૂરી સત્ય હોવી જોઈએ. જે પેદાશનો સોદો થવાનો હોય તે પેદાશ ચોખ્ખી,

વધુ વાંચો>>>>

ઉત્પન્નનું ગ્રેડીંગ ન કરીએ શું થાય ?

ઉત્પન્નનું ગ્રેડીંગ અરે બહુ ફેર પડે ભાઇ ! પાકા આમળાં કે બોરના પેકીંગનું મોઢું માર્કેટયાર્ડમાં દલાલ ખોલે કે તરત ખરીદનાર વેપારી “અધ-બે-હરો ને સાવ નબળો છે” કહી બને તેટલા નીચે ભાવે પડાવી લેવાની પેરવી આદરે છે,તે પણ આપણે ક્યાં નથી નિહાળ્યું ? રીંગણાં કે ભીંડાની પોટકી

વધુ વાંચો>>>>

રિજનરેટિવ એગ્રીકલ્ચરમાં કઈ કઈ વાતોનો સમાવેશ થાય છે ?

રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલે કે પુનર્જીવિત ખેતી માં માટીને ઢાંકી રાખવાની વાત છે. માટીનું ધોવાણ અટકાવવાની વાત છે અને કાર્બનિક કાર્બન સુધારવા માટે આચ્છાદન એટલે કે મલ્ચિંગ, અવશેષો નાખીને જમીનને ઢાંકવાની સલાહ આપવામાં આવે છે. આપણને હવે બધાને મલ્ચિંગ ના ફાયદાની ખબર છે એટલે જ તો હવે

વધુ વાંચો>>>>

તરબૂચ – ટેટી ઘરુ ઉછેર કરવાનો યોગ્ય સમય કયો છે ?

તરબૂચ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વાવવામાં આવે છે પરંતુ તેના બદલે નવેમ્બર-ડિસેમ્બર માસમાં તરબૂચના બીજ પોલીથીન કોથળીમાં વાવી પોલીટનલમાં એક માસ ઉછેરી જાન્યુઆરીમાં ઠંડી ઓછી થાય કે તરત જ જમીનમાં તૈયાર કરેલ છોડ રોપી તરબૂચનો પાક ૩૦ થી ૪૦ દિવસ વહેલો મેળવી શકાય જેથી બજાર ભાવ સારા મળે. તરબૂચ

વધુ વાંચો>>>>

રિજનરેટિવ એગ્રીકલ્ચરની અગત્યતા શું છે ?

રિજનરેટિવ એગ્રીકલ્ચરમાં સૌથી અગત્યની વાત હોય તો તે છે જમીનનું ખેડાણ ઘટાડવું. જમીનના સૂક્ષ્મ જીવાણુઓને સુરક્ષિત રાખવા અને ભેજ જાળવી રાખવા માટે ઊંડા ખેડાણથી જમીનને બહુ ખેડવાની વાત સામે ઓછામાં ઓછી ખેડાણ કરવાની વાત આ ખેતી કરે છે એને વિશ્વમાં આવું કરવાનો વાયરો વાયો છે આને

વધુ વાંચો>>>>

રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલે શું?

રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલેકે  પુનર્જીવિત ખેતીનો વિચાર આજે આખા વિશ્વમાં ફેલાઈ રહ્યો છે એટલે આજે તેનો વિચાર કરીયે. શું છે રિજનરેટિવ એગ્રીકલ્ચર?  શું આ ખેતી ખેડૂતો આજથી જ શરૂ કરી શકે? તેવી સરળ પદ્ધતિઓ છે? મિત્રો આ ખેતીનો ઉદેશ છે ખેડૂતોના ખેતરની માટીના સ્વાસ્થ્યને જાળવવાની અને સુધારવાની

વધુ વાંચો>>>>

કૃમિ – નીમેટોડનું જીવનક્રમ શું છે ? શું તમે જાણો છો ?

આજે દાડમની પણ વાત કરવી છે. દાડમની ખેતી બધાએ અપનાવી પરંતુ દાડમની ખેતીમાં કૃમિ મોટો શત્રુ સાબીત થઈ રહ્યો છે. આ કૃમિ ને અંગ્રેજીમાં નેમેટોડ કહે છે. દાડમનો છોડ ૪ થી પ વર્ષનો થાય પછી કૃમિનું નુકશાન જોવા મળે છે. આ કૃમિ જમીનમાં શુક્ષ્મ નરી આંખે

વધુ વાંચો>>>>

મરચીના પાંદડા ખરે કેવી રીતે ?

મરચીના પાંદડા ખરવાનું કારણ… મરચીમાં બે રોગ આવે છે એક બેકટેરીયલ સ્પોટ- પાનના ટપકાનો રોગ અને બીજો સરકોસ્પોરા લીફ સ્પોટ- આ બન્ને રોગ લાગ્યા પછી મરચીના પાન ૧૫ થી ૨૦ દિવસ પછી ખરે. હવે યાદ રાખો કે દવા કયારે છાંટવાની હતી ૧૫ દિવસ પહેલા અને ખેડૂતો

વધુ વાંચો>>>>

મકાઈનો વાવણી સમય અને બીજ દર શું હોવો જોઈએ?

૧૫મી ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર સુધી વાવણી કરવી. મકાઈ માં બીજનો દર : ૨૦ થી ૨૫ કિલો પ્રતિ હેક્ટર બે હાર વચ્ચે બે ફૂટ તથા બે છોડ વચ્ચે ૨૦ સેન્ટીમીટર અંતર રાખી થાણીને વાવણી કરવી.

વધુ વાંચો>>>>

વિવિધ વૃદ્ધિ નિયંત્રકોના કાર્યો ભાગ 2

૯. ફળ અને દાણા મોટા કરવા ઓક્ઝીન (Auxin), જીબ્રેલીન (GA), સાયટોકાઈનીન (Cytokinin) (કાયનેટીન). ૧૦. ફળને સમયસર પકવવા ઈથીલિન (ઈથરલ) (Ethrel) (ટમેટા, બોર, સફરજન, કેળા). ૧૧. ફળની બજારની સીઝનને લંબાવવા – ઓકઝીન (Auxin), જીબ્રેલીન (GA). ૧૨. ફૂલોની સંખ્યા ઘટાડવા – મેલીકહાઈડ્રેઝાઈડ (M.H.). ૧૩. ધાન્ય પાકોને ઢળતા અટકાવવા

વધુ વાંચો>>>>

હળદરનું પોલિશિંગ

સૂકી હળદરનો દેખાવ નબળો હોય છે અને મૂળના ટુકડાઓ સાથે ખરબચડી નીરસ બાહ્ય સપાટી હોય છે. બાહ્ય સપાટીને સ્મૂથનિંગ અને પોલિશ કરવાથી ચળકાટ વધે છે, માર્કેટમાં માંગ વધે છે. મેન્યુઅલ પોલિશિંગ હળદરની સૂકી ગાંઠોને સખત સપાટી પર ઘસવામાં આવે છે. સુધારેલ પદ્ધતિમાં હાથથી સંચાલિત બેરલ અથવા

વધુ વાંચો>>>>

ધાણામાં ભૂકીછારો

● પાન પર સફેદ રંગની ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. પાનમાં ફૂગની વૃદ્ધિ થતાં આખું પાન સફેદ પાવડર છાંટેલ હોય તેવું દેખાય છે. સમય જતાં પાન રાખોડી અને છેવટે કથ્થઈ બને છે. છોડનો વિકાસ અટકે છે. ● નિયંત્રણ : ૩૦૦ મેશ ગંદકની ભૂકોનો ૩૦ કિલો/હે. દેખાયે

વધુ વાંચો>>>>

ધાણાની ખેતી માટે બીજનો દર કેટલો હોય છે ?

● એક હેક્ટર ધાણાના વાવેતર માટે ૧૫-૨૦ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે. વાવતાં પહેલાં આખા ઘાણાને ઘીમા દબાણથી બે ભાગ (ફાડિયા) કરવાથી બીજની જરૂરિયાત ઘટે છે. ● ધાણાના બિયારણને ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી ત્યાર બાદ છાયામાં સૂકવીને વાવણી કરવાથી ઊગાવો સારો અને ઝડપી થાય

વધુ વાંચો>>>>

મરચાના છેડા ઉપર ડાઘ પડે છે શું કરવું ?

મરચાના છેડા ઉપર ડાઘ રોગ નથી આ ડિસઓર્ડર એટલે કે ખામી છે  કેલ્શિયમની ખામીના લીધે મરચીમાં બ્લોસમ રોટ અથવા  એન્ડ રોટ લાગુ પડે છે મરચીની ખેતીમાં કેલ્શિયમ અને અન્ય મેગ્નેશિયમ જેવા સૂક્ષ્મ તત્વની ખાસ આવશ્યકતા હોય  છે તે ખાસ યાદ રાખવું . જમીન ચકાસણીના આધારે જો

વધુ વાંચો>>>>

ખેતીમાં નવી ટેકનોલોજી સાથે ખેતી ટકાવી રાખવા શું જરૂરી છે ?

સીધા ઉપભોક્તાને વેચાણ તેવા પ્રકારની ડાયરેક્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજી કરીશું તો ખેતી કરવાની હિંમત આવશે . બીજું કે ખેતી તો ટકવાની છે. ખેતી વગર કોઈ આરો નથી, કરોડો લોકોને અનાજ , ફળ , શાકભાજી આપણે જ પુરા પાડીયે છીએ . અનાજ કઈ મશીનમાં નથી પેદા થવાનું .

વધુ વાંચો>>>>

શાકભાજી ઉગાડતા ખેડૂતો ડાઇરેક્ટ માર્કેટિંગ કેવી રીતે કરી શકશે ?

શાકભાજી ઉગાડતા ખેડૂતોએ સંગઠિત થવાની જરૂર છે . દા .ત .મોટા શહેરની આજુ બાજુના ગામના ખેડૂતોએ સંગઠિત થઈને શહેરમાં એકસાથે દશ થી પંદર જગ્યાએ પોતાના ટ્રેક્ટર કે ટેમ્પામાં શાકભાજીને બજારમાં જે ભાવ ચાલે છે તે કરતા થોડું સસ્તું એટલે કે વ્યાજબી ભાવે નિશ્ચિત વજનના પ્લાસ્ટિકના ઝબલા

વધુ વાંચો>>>>

જીવાત : દિવેલાની ડોડવા કોરી ખાનાર ઇયળનુ નિયંત્રણ કેમ કરવું

ડોડવા કોરી ખાનાર ઇયળનું નિયંત્રણ બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15  લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.  વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ   ૨૦ ઈસી 30  મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી 6  મિ.લી.અથવા ફ્લૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી 6  મિ.લી. અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી

વધુ વાંચો>>>>

નોરતાના વરસાદને લીધે મગફળીના ઉતારા સારા મળશે કે કેમ ?

મગફળીના ઉતારા સારા મળશે તેવા વાવડ છે ત્યાં આ નોરતાના વરસાદે પાછું નુકસાન આપવાનું વિચાર્યું ! અમુક વિસ્તારમાં મગફળી ઉપાડવાનું ચાલે છે ત્યાં પાથરા પલળી ગયા , મરચીમાં આવેલ સુકારાની વાત સંભળાય છે અમુક વિસ્તારમાં ગલ મીંજ નામની નાનક્ડી માખી આવી છે તે મરચા વાંકા વળી

વધુ વાંચો>>>>

હળદરની સૂકવણી

ઉકાળેલી ફિંગર રાઇઝોમ્સને વાંસની સાદડીઓ અથવા સૂકવવાના ફ્લોર પર ૫-૭ સેમી જાડા સ્તરોમાં ફેલાવીને તડકામાં સૂકવવામાં આવે છે. રાત્રિના સમયે સુકાવવા માટે રાખેલ ઢગલા પર હવાની અવર-જવર થાય એ રીતે તેને કવર કરવું, સંપૂર્ણ ઢગલાને સુકાતા ૧૦-૧૫ દિવસ સુધીનો સમય લાગે છે. કુત્રિમ રીતે સૂકાવવા માટે

વધુ વાંચો>>>>

આમળાં ના મૂલ્યવર્ધન કરી કમાણી કેમ થાય ?

આમળાં સીધું ખાવાનું થાય તો થોડું તૂરું અને ખટમીઠું લાગે, પણ ખાધા પછી જો પાણી પીઇએ તો જાણે શરબત પીતા હોઇએ એવું મીઠું લાગે ! બીજાં ફળોની જેમ આમળાં -ફળ સીધું વધારે પ્રમાણમાં ભલે નથી ખવાતું, પણ તેની કેટલીય બનાવટો બનાવવાની તૈયારી રાખવી પડશે. . રસ

વધુ વાંચો>>>>

વિવિધ વૃદ્ધિ નિયંત્રકોના કાર્યો ભાગ ૧

૧. વૃદ્ધિમાં વધારો કરવા માટે ઓકઝીન (Auxin), જીબ્રેલીન (GA,), સાયટોકાઈનીન (Cytokinin) ર. બીજની સુષુપ્તાવસ્થા દૂર કરવા ઓક્ઝીન (Auxin), જીબ્રેલીન (GA、), સાયટોકાઈનીન (Cytokinin), ६थीसिन (Ethrel). ૩. બીજની સુષુપ્તાવસ્થા દાખલ કરવા મેલીકહાઈડ્રેઝાઈડ (M.H.), એબ્સેસિક એસિડ (A.B.A.). ૪. ફૂલોની સંખ્યા વધારવા અને જલ્દી લાવવા માટે – જીબેલીન (GA), ઈથીલિન

વધુ વાંચો>>>>

લસણની સૂકવણી, પેકીંગ અને યોગ્ય સંગ્રહ

લસણનાં પાકમાં સંગ્રહશક્તિ વધારવા કાપણીના ૧૫ દિવસ પહેલાં મેલિકહાઈડ્રેઝાઈડ (MH)નો ૧૫૦૦ પીપીએમ (૧૫ ગ્રામ/૧૦ લીટર પાણી)નો છંટકાવ છોડ પર કરવો. બીજને બરાબર સાફ કરી ૬ થી ૮ % ભેજનું પ્રમાણ રહે તે રીતે સૂકવણી કરવી. સૂકવણી વખતે હવાનું તાપમાન ૪૦° સે.થી ઓછુ રહેવું જોઈએ. બીજને સુકવણી

વધુ વાંચો>>>>

વૃક્ષોમાં છાંટણીથી શું ફાયદો ?

“ છાંટણી ” એટલે વૃક્ષોની બાબતમાં તે કેટલાક ચોક્કસ હેતુઓ માટે તેના અંગ-ઉપાંગોની ગણતરી પૂર્વકની જે કાપકૂપ કરવામાં આવે છે તેને ‘છાંટણી’ જેવા ટુંકા નામથી સંબોધવામા આવે છે.છાંટણી ઝાડ અને ખેડૂત બન્નેને લાભકર્તા જ હોયછે ઝાડમાંથી સૂકાઇ ગયેલી કે કો રોગીષ્ટ બની ગયેલી ડાળીઓને કાપી દૂર

વધુ વાંચો>>>>

લસણની લણણી

લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય. ૪ થી ૫ મહિનામાં કંદ તૈયાર થઈ જાય અને તેનો આધાર વાવેતર, સંભાળ ૠતુ

વધુ વાંચો>>>>

ખારેકની ખેતી ટીસ્યુ કલ્ચરના રોપા દ્વારા કેમ ?

અમુક વૃક્ષોમાં નરફૂલો અને માદાફૂલો એમ અલગ અલગ હોય છે. જ્યારે ખારેકના વૃક્ષમાં આખે આખા વૃક્ષો જ જોજોબાની જેમ નર અને માદાના અલગ અલગ હોય છે. બન્ને વૃક્ષો થડિયે, પાંદડે, રંગે, દેખાવે સાવ જ સરખાં, પણ ફૂલ આવે ત્યારે જ તેની ખબર પડે કે કોણ નર

વધુ વાંચો>>>>

બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ?

મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો, બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે, એટલે મેળામાં જવું હોય તો ટુકડી બનાવીને જવાનું. મેળાના દરવાજે બધા છુટ્ટા એક ટુકડી મશીનરીના સ્ટોલની માહિતી મેળવે તો બીજી પ્રાકૃતિક ખેતીની, ત્રીજી

વધુ વાંચો>>>>

હળદર ઉપચાર (કયોરિંગ)ની પરંપરાગત પદ્ધતિ

ઉપચારની પરંપરાગત પદ્ધતિમાં, સાફ કરેલા રાઇઝોમ્સને જ્યાં સુધી સંપૂર્ણ ડૂબે નહિ ત્યાં સુધી પાણી નાખીને ઉકાળવાની શરૂઆત કરવામાં આવે છે. જ્યારે થોડી તદ્દન અલગ પ્રકારની સુગંધ આવે અને સફેદ ફીણ આવવા લાગે ત્યારે બોઈલિંગ પ્રક્રિયા બંધ કરી દેવામાં આવે છે. બોઈલિંગ કરવામાં આવતા રાઈઝોમ આશરે ૪૫-૬૦

વધુ વાંચો>>>>

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૮- ૧૯- ૨૦ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ ઈરીગેશન, ફર્ટીગેશન

વધુ વાંચો>>>>

ઓર્ગનિક પેદાશ માટે મહત્તમ અવશેષ મર્યાદા એટલે શું ?

કોઈપણ જંતુનાશકોના અવશેષોનું પ્રમાણ જે તે ખાધ પદાર્થમાં નુકસાનકારક છે કે નહીં તે નક્કી કરવા માટે વૈજ્ઞાનિકોએ જંતુનાશકોના અવશેષોની જે તે ખાધ પદાર્થમાં મર્યાદા નક્કી કરેલ છે. આવી મર્યાદા કરતા વધુ પ્રમાણ નુકસાનકારક નીવડી શકે છે તેમજ નિકાસલક્ષી ખેત પેદાશો બહારના દેશો સ્વીકારતા નથી.

વધુ વાંચો>>>>

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૮- ૧૯- ૨૦ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં વિદેશની કંપનીના સ્ટોલ, કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ ઈરીગેશન, ફર્ટીગેશન માટેના નવા ખાતરો, ગાયોના દૂધ દોવાની મશીનરીઓ દવા છાંટવાના અદ્યતન સાધનો, હવામાન

વધુ વાંચો>>>>

વૃક્ષોમાં કેળવણી પ્રક્રિયા એ શું છે ?

વૃક્ષના રોપા કે કલમને જમીનમાં રોપણી કર્યા પછી તે યોગ્ય રીતે વધે, વિકસે, ઉંચું જાય અને વ્યવસ્થિત ઘટા બંધાય તે માટેની ખેડૂતો તરફથી રખાતી તકેદારીને ‘ કેળવણી ’ કહેવાય. ઝાડનું થડ નમી ન પડે, સીધું જ આગળ વધે-વાંકુંચૂંકું ન થાય, તે માટે શરૂઆતમાં ફૂટતી ડાળીઓને રોકવી

વધુ વાંચો>>>>

બ્રોકલીની ખેતી માટે જમીનની જરૂરીયાત 

બ્રોકલી ને બધા જ પ્રકારની જમીન માફ્ક આવે છે તેમ છતાં ફ્ળદ્રુપ, સારા નિતારવાળી અને પાણીનો ભરાવો ન થાય તેવી રેતાળ ગોરાડુ અને બેસર જમીન વધારે માફક આવે છે. જમીનનો પીએચ ૬-૭ હોવો જોઈએ. જીવાત અને રોગનો ફેલાવો ઓછો થાય તે માટે તે જમીન પર કોબીજ

વધુ વાંચો>>>>

લસણની રોપણી, રોપણી અંતર અને બીજનો દર

લસણનું ઉત્પાદન રોપાણ જગ્યા અને જાત પર આધાર રાખે છે, સામાન્ય રીતે બે ચાસ વચ્ચે ૧૦ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ૭.૫ સે.મી. નું અંતર રાખી રોપણી કરવી, અંતર ઓછું રાખવાથી ‘પર્પલ બ્લોચ”નામનો રોગ થઈ શકે છે. મોટા કંદ અને ક્લોવમાટે ૧૫ X ૧૭ સે.મી.

વધુ વાંચો>>>>

જુના વર્ષોમાં કપાસની ખેતીમાં વિક્રમ -5 અને વિક્રમ -9 દ્વારા ખેડૂતોને સારી આવક મળી હતી.

વિક્રમ સીડ્સના પ્રણેતા બાબુભાઈ પટેલ ને યાદ કરી સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો વતી કૃતજ્ઞતા વ્યક્ત કરીયે કે જુના વર્ષોમાં  કપાસની ખેતીમાં વિક્રમ -5 અને વિક્રમ -9 કપાસ દ્વારા સૌરાષ્ટ્રના ખેડૂતોને સારી આવક મળી હતી. સમય જતા વિક્રમ કંપની મહિકો એ ખરીદી લીધી પછી બાબુભાઇ પરિવારના નાગરભાઈએ શિવમ

વધુ વાંચો>>>>

ટામેટાંમાં ખેતીમાં પાછોતરો સુકારો અને વહેલો સુકારા વચ્ચેનો તફાવત ખબર હોય તો પાક સંરક્ષણ સહેલું પડે છે.

ટામેટાંમાં ખેતીમાં પાછોતરો  સુકારો અને વહેલો સુકારો આવે છે આ બને સુકારા વચ્ચે નો તફાવત ખબર હોય તો પાક સંરક્ષણ સહેલું પડે છે ચાલો જાણીયે આ બંને વચ્ચેનો તફાવત .પાછોતરો  સુકારા માં પાન ઉપર અનિયમિત, પાણીપોચાં કાળા ફોલ્લીઓ પડે છે અને તે  ઠંડા, ભીના હવામાનમાં ઝડપથી

વધુ વાંચો>>>>

મરચીના પાકમાં કાળી થ્રીપ્સ જીવાત ખુબજ નુકશાન કરે છે તેના માટે બજારમાં ઉપલબ્ધ દવાના નામ નોંધો.

મરચાંના પાકમાં અત્યારે  કાળી થ્રીપ્સનો પ્રકોપ થયો છે . મરચીના પાકમાં આ જીવાત ખુબજ નુકશાન કરેછે . મરચીના  પાંદડા ઉપર કરચલીઓ વિકસે છે અને ઉપરની તરફ વળે છે . પાંદડા લાંબા અને કળીઓ બરડ થઈ જાય છે અને નીચે પડી જાય છે. ઉપદ્રવથી વૃદ્ધિ અને ફૂલોનું

વધુ વાંચો>>>>

વૃદ્ધિ અંતઃ સ્ત્રાવો/નિયંત્રક પદાર્થોની ઉપયોગીતા

પાક વૃદ્ધિ નિયંત્રક પદાર્થોનો ઉપયોગ • અપરિપકવ ફળ તથા પાન બળી જતા અટકાવવા • છોડને ઢળી પડતો (વળી જતો) અટકાવવા. • કળીની સંખ્યામાં વધારો કરવા અને અપરાગ ફ્લન વાળા ફળ ઉત્પન્ન કરવા એટલે કે બીજ વગરના ફળ મેળવવા. • કળીઓનુ અંકુરણ થતું અટકાવવા • પાકમાં થતા

વધુ વાંચો>>>>

ગુલાબી ઈયળના કુદાની એકટીવીટી પૂરી થઈ,  તૈયારી શું કરવાની ?

તૈયારી શું કરવાની ? કપાસમાં વિધે ૩ થી ૪ ફેરોમોન ટ્રેપ લગાડજો એટલે ઓછા નામે ગુલાબી ઈયળના નર ફૂદા પકડાય તો સિન્થેટિક પાઇરેથ્રોઇડ આધારિત દવા છાંટવાની સમયસર ખબર પડે અને ગુલાબીની લ્યુર એગ્રીલેન્ડ કંપનીની  લેજો અને સમયે સમયે બદલતા રહેજો, આ લખાય છે ત્યારે ગુલાબી ઈયળના

વધુ વાંચો>>>>

જોયું આ સારા વરસાદથી આ વર્ષની ખેતીનું ચિત્ર બદલાય ગયું છે.

કપાસ આ વર્ષે સારા છે પરંતુ હજુ ગુલાબી ઈયળ માટે એટલું નોંધી લ્યો કે ગુલાબી ઈયળ  કપાસના ખેતરમાં આવવાનો સાચો સમય તો ઓક્ટોબર નવેમ્બર છે. કારણ કે ભૂર પવન  વાય ત્યારે તમારી જમીનમાં પડેલા કોસેટા આળશ મરડીને એટલેકે ઠંડી પડવાનું શરૂ થાય ત્યારે સુશુપ્ત અવસ્થામાં પડેલી

વધુ વાંચો>>>>

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં અને રહેવામાં અડચણ પેદા થાય છે. વધુ ઉપદ્રવ હોય તો ક્લોરપાયરીફોસ 20 ઈસી 30

વધુ વાંચો>>>>

કૃષિ મેળો : ૧૪મો એગ્રી એશિયા ૨૦૨૫ -આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન

૧૮ મી સપ્ટેમ્બર થી ૨૦ મી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન એગ્રી એશિયા ૨૦૨૫ યોજાય રહ્યો છે . આ પ્રદર્શન નવી કૃષિ ટેકનોલોજી અને નવા સંશોધનોની દેશ વિદેશની માહિતી આપણા ખેડૂતભાઈઓ માટે અને ખેતી આધારિત ઉદ્યોગો માટે એક નવી દિશા આપશે.

વધુ વાંચો>>>>

ખેતીમાં જરૂરી સાચી વૈજ્ઞાનિક માહિતી ક્યાંથી મેળવવી?

ખેતીમાં જરૂરી સાચી વૈજ્ઞાનિક માહિતી ક્યાંથી મેળવવી ? તેની હવે વાત કરવી છે ખેતીમાં નવી નવી માહિતી સમયે સમયે આપણે મેળવતી રહેવી પડે એટલે જ આપણા વડવાઓ કહેતા કે પૂછતા પંડિત થવાય ! ખેતી હોય કે કોઈપણ વ્યવસાય જો નવી નવી ટેકનોલોજી અને નવી પદ્ધતિ, ઉપકરણ

વધુ વાંચો>>>>

ખેતીમાં પવનની અસરો

ખેતીમાં પવનની અસરો પ્રકાશ સંશ્લેષણ, શ્વસન અને ઉત્સવેદનનો દર વધારે છે. • ગરમ પવનોના કારણે છોડની સુકાવવાની ક્રિયાને વેગ મળે છે. • પવનની વધારે પડતી ઝડપને કારણે છોડ (મકાઈ, ઘઉં, શેરડી અને ડાંગર) ઢળી પડે છે. • ફૂલ અને તેમજ ફળધારણ અવસ્થાએ ભારે પવનના કારણે ફૂલ

વધુ વાંચો>>>>

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં અને રહેવામાં અડચણ પેદા થાય છે. વધુ ઉપદ્રવ હોય તો ક્લોરપાયરીફોસ 20 ઈસી 30

વધુ વાંચો>>>>

વિઘટન કરનાર મિશ્રણ પુસા-ડિકોમ્પોઝર

ખેડૂતો ૪ કેપ્સ્યુલ (ભાવ : ૨૦ રૂપિયા પ્રતિ ૪ કેપ્સ્યુલ), ગોળ અને ચણાના લોટને મિશ્ર કરીને ૨૫ લિટર પ્રવાહી મિશ્રણ તૈયાર કરી શકે છે. મિશ્રણ ૧ હેક્ટર જમીન અથવા ૨.૫ એકર ક્ષેત્રને આવરી લેવા માટે પૂરતું છે. આનો ઉપયોગ તમામ સ્વરૂપોમાં અને કોઈપણ ખેતરમાં કરી શકાય

વધુ વાંચો>>>>

માણસ ઈશ્વરની શક્તિ હાંસલ કરી રહ્યો છે કે શું !?

આ એ આઈ ટેકનોલોજી એટલે શું ? તે તમને મારે કહેવું છે , આપણી ખેતીના કેટલાક કામ આ એ આઈ આપણને ઓછામાં ઓછી મહેનત થી કરી દેવાનું છે, વચમાં એક વાત કરું દુનિયાના તમામ સમાજોને અને આપણને પણ સ્વર્ગની કલ્પના છે. સ્વર્ગ એટલે એવી જાદુઈ જગ્યા,

વધુ વાંચો>>>>

બાયોચાર એટલે શું ?

બાયોચાર = બાયો (એટલે કે જૈવિક) + ચાર (એટલે કે કોલસો) બાયોચાર (જૈવકોલ / જૈવિક કોલસો) એ બાયોમાસ (કૃષિ અવશેષો) ના કાર્બોનાઇઝેશનમાંથી મેળવવામાં આવેલ ઘન પદાર્થ છે. બાયોચારની પરમાણુ રચનાને કારણે, તે રાસાયણિક અને જૈવિક બંને રીતે મૂળ કાર્બન (એટલે કે છોડના અવશેષો, અન્ય ખાતર વગેરે)

વધુ વાંચો>>>>

ખેતરની વાત : ઘણા ખેતરમાં ડુંગળીના પાંદડા ગૂંચળું વળીને વાંકાચૂકા થઇ ગયા ત્યારે ડો. ગની સાહેબની સલાહ..

આ વર્ષે ડુંગળીના ઘણા વાવેતર થયા છે ત્યારે ગયા વરસની એક વાત યાદ કરીયે ગયા વર્ષે ઘણા ખેતરમાં ડુંગળીના પાંદડા ગૂંચળું વળીને વાંકાચૂકા થઇ ગયા હતા . બધા કહેતા હતા કે આ વાયરસ છે બધા ભાતભાતની દવા છાંટતા હતા પણ કંટ્રોલ થતો ના હતો પરંતુ તે

વધુ વાંચો>>>>

મગફળીનું “દોઢું” ઉત્પાદનની ગાદી ક્યારા પદ્ધતિ કઈ ?

બે બેડ વચ્ચે એક ફૂટની જગ્યા છોડી-બે ફૂટ પહોળા અને 3-4 ઇંચ ઊંચા એવા ગાદી ક્યારા [બેડ] બનાવી તેનાપર 8 ઇંચના ગાળે નાના ટ્રેક્ટરની મદદથી ત્રણ ચાસે બિયાની વાવણી કરો અને બેડ વચ્ચેની નીચી જગ્યા-ચરમાં પિયત આપી પાક લ્યો . ગાદી ક્યારાની બાજુની ચરમાં પાણી પાઇ,

વધુ વાંચો>>>>

ખેતરની વાત : બધી જીવાત એટલી નકટી છે કે ન પૂછો વાત ! તો કરવું શું ?

કપાસ હોય કે ડાંગર, મકાઈ હોય કે કોબીજ કે પછી ફ્લાવર કોબી બધામાં મોલોમશી નો કયારેક એટલો ઉપદ્રવ થાય કે વાત ન પૂછો, અને દવા છાંટો ત્યાં બીજા અઠવાડિયા પાછા મોલો હાજર. મોલો હોય કે તડતડીયા, સફેદમાખી હોય કે થ્રીપ્સ કે પછી મીલીબગ બધી જીવાત એટલી

વધુ વાંચો>>>>

ખેતરની વાત : આપણા પાકમાં આવતી ઈયળના ફુદા ક્યારે ઈંડા મૂકે?

આપણને ખબર છે કે આપણા પાકમાં આવતી ઈયળના ફુદા ક્યારે ઈંડા મૂકે તે આપણને ખબર પડી જાય તો આપણે તરત ઈંડા નાશક છાંટીને સૌથી સહેલો અને ઓછા ખર્ચે નિયંત્રણ કરી શકીયે પણ આ ખબર કેમ પડે ? આપણને તો ઈયળ નુકસાન કરે ત્યારે દેખાય છે .

વધુ વાંચો>>>>

હળદર વાવેતર માટે બિયારણ

સંપૂર્ણ અથવા વિભાજિત માતૃ અથવા અંગુલી રાઇઝોમ (ગાંઠ)નો ઉપયોગ વાવેતર માટે કરવામાં આવે છે. ૩૦ × ૧૫ અથવા ૩૦ x ૨૫ સે.મી.ના અંતરે વાવેતર કરવામાં આવે છે. સારી રીતે વિકસિત તંદુરસ્ત અને રોગ મુક્ત રાઇઝોમ્સ (ગાંઠ) પસંદ કરવી .ભારતમાં હળદર પાકની કેટલીક લોકપ્રિય જાતો જે ગરમ

વધુ વાંચો>>>>

બોલકી ધરતી : જો ધ્યાન ન રાખો તો તમારી વાડીમાં બુટ ચંપલ સાથે નિંદામણોના બીજ આવી જતા હોય છે.

બોલકી ધરતી એમ પણ કહે છે કે તમે જો ધ્યાન ન રાખો તો તમારી વાડીમાં બુટ ચંપલ સાથે આવતા નિંદામણો, ઓજારો , ટ્રેક્ટર , બળદ ગાડા સાથે ચોંટીને આવતા નિંદામણોના બીજ આવી જતા હોય છે તેનું ધ્યાન રાખવું .બીજાના ખેતરમાંથી અથવા રોપા દ્વારા માટી સાથે આવતા

વધુ વાંચો>>>>

બોલકી ધરતી – ૧૨ : પાકને પાણી તો તેમના મૂળ પ્રદેશમાં ભેજ પૂરતુંજ જોઈએ છે

‘પાણી બચાવો’ એ માત્ર સૂત્ર તરીકે ન રહેતાં, સરકાર અને મનુષ્ય તરીકે આપણે સહિયારો પુરુષાર્થ કરીએ તો તેનાં પરિણામો અદભુત આવી શકે છે.પાણીનું બુંદ કહે છે કે હજુ પણ કેટલાય લોકો પાણીનું મૂલ્ય સમજ્યા નથી અને પાણીનો બગાડ અને વધુ પડતો વપરાશને કારણે પોતાના પાકનું ઉત્પાદન

વધુ વાંચો>>>>

બોલકી ધરતી – ૧૧ : માઈક્રોન્યુટ્રીયન્ટની નાની સરખી ખામી ઘણું  વધુ ઉત્પાદન ઘટાડી શકે છે

બોલકી ધરતી આપણને એમ પણ કહે છે કે આ વર્ષે ચોમાસા પહેલા સોઈલ હેલ્થકાર્ડ થોડા રૂપિયા ખર્ચીને સારી લેબમા માઈક્રોન્યુટ્રીયન્ટનો પણ ટેસ્ટ કરાવી લીધો તે બધાને ખબર છે કે આજના નવા યુગમાં સોઈલ હેલ્થ જાળવણી માટે માઈક્રોન્યુટ્રીયન્ટની નાની સરખી ખામી ઘણું  વધુ ઉત્પાદન ઘટાડી શકે છે દાળમાં

વધુ વાંચો>>>>

પાણીનું બુંદ : પાણીનું બુંદ પાણીના મૂલ્યને સમજાવીને આપણને કહી રહ્યું છે કે…

પાણીનું બુંદ પાણીના મૂલ્યને સમજાવીને આપણને પાણીના બુંદ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત થઇ જાય તેવી વાત કરી રહ્યું છે ને કહે છે કે પાણી એ જીવનનું અણમૂલું દ્રવ્ય હોવાથી તેને બચાવવું કે કરકસરથી વાપરવું એ જરૂરી જ નહિ, અનિવાર્ય પણ છે. પાણીના મુખ્ય બે પ્રકાર છે. આકાશમાંથી

વધુ વાંચો>>>>

પાણીનું બુંદ : ધરતીમાંથી ઉત્પાદન લેવા શું કરવું  ? તેની એક વાત સમજી લો.

ધરતીમાંથી ઉત્પાદન લેવા શું કરવું  ? તેની એક વાત સમજી લો . જે જમીનમાં વધુ ખેતી થાય તેમાંથી પોષક તત્વોનો ઉપાડ વધુ થાય છે . ટુંકમાં જેટલો ઉપાડ તેટલું પોષણ આપવું પડે.  ઈઝરાયલનો ખેડૂત કૃષિ વૈજ્ઞાનિક પાસે જાય અને કહે કે મેં ટમેટાની ખેતી માંથી  મારે

વધુ વાંચો>>>>

પાણીનું બુંદ : ધરતીની સોઇલ કેમેસ્ટ્રી જે ખેડૂત સમજે  તેને  નફાકારક ખેતી કરતા કોઈ રોકી શકે નહિ.

જમીન અને ઉત્પાદકતા જોડાયેલી છે જમીનને સુધારવી હોય તો જરૂરી ખેડ, જમીનજન્ય રોગ જેવા કે ઉગસુક , સુકારો , પીથીયમ જેવા રોગો સામે જરૂરી પગલા લેવા જરૂરી જૈવિક કંટ્રોલનો ઉપયોગ, જમીનમાં નિતાર સારો હોવો જોઈએ જો પાણી ભરાય રહેતું હોય તો તે જમીનમાં હવા ઉજાસ રહેતો નથી, જમીનમાં

વધુ વાંચો>>>>

પાણીનું બુંદ : ભૂલ નહિ કરતા આ પાણીના બુંદની સલાહ માનજો

પાણીનું  બુંદ કહે, જો જો ભૂલ નહિ કરતા આ પાણીના બુંદની સલાહ માનજો . વરસાદ પછી પણ આપણે આપણા કૂવાના પાણી અને જમીનનું  પૃથ્થકરણ કરીને જોવું પડે કે આપણું પાણી કેવું છે ? પાણીમાં ક્ષાર કેટલા છે ? પાણી ને સારું બનાવવા માટે એટલે કે તેનો ઇસી

વધુ વાંચો>>>>

બોલકી ધરતી – ૧૦ : માટીની સંભાળ, માપ, દેખરેખ, વ્યવસ્થાપન

બોલકી ધરતી બોલી કે આ ચોમાસે સારો પાક લઈને જ્યારે 5 ડિસેમ્બર વિશ્વ સોઈલ ડે ઉજવો ત્યારે મને યાદ કરીને આ વર્ષની થીમને યાદ કરી તે પ્રમાણે કરશો તો મને ગમશે વિશ્વ માટી દિવસ ની થીમ છે “માટીની સંભાળ, માપ, દેખરેખ, વ્યવસ્થાપન” , જે ખાદ્ય સુરક્ષા,

વધુ વાંચો>>>>

પાણીનું બુંદ : પાણી પોતાનામાં જેને ભેળવે તે આપણા માટે ઉપયોગી .

પાણી બુંદ આપણા માટે , પાણી પોતાનામાં જેને ભેળવે તે આપણા માટે ઉપયોગી .આપણા પાકને એન પી કે અને સૂક્ષ્મ તત્વો જે જોઈએ તે આપતા પહેલા જોઈ લો કે જે પાણીના બુંદમાં ભળે તે આપણા માટે ઉપયોગી . આ પાણીનું ટીપું આપણી ખેતીમાં કઈ રીતે ઉપયોગી

વધુ વાંચો>>>>

પાણીનું બુંદ : ચોમાસુ એટલે ગંધની ઋતુ.

પાણીના બુંદ એટલે કે વરસાદની રાહ પુરી થતા વરસાદનું આગમન થાય છે ત્યારે આંગણે ઓસરીમાં બાંધેલાં ગાય, બળદ, ભેંસનાં છાણ, ગંધની તીવ્રતા વધી જાય છે. પલળી ગયેલા સૂકા ઘાસમાંથી ઊઠતી તીખી ગંધ તેમાં વધારો કરે છે. ઉકરડાની ગંધ તો વળી સૌથી જુદી. છાણ, ઘાસ,ધૂળ વગેરેની ભેગી

વધુ વાંચો>>>>

બોલકી ધરતી – ૯ : રડતી ધરતી સૌરાષ્ટ્રના ખેડૂતોને ખાસ શીખ આપે છે કે…

રડતી ધરતી સૌરાષ્ટ્રના ખેડૂતોને ખાસ શીખ આપે છે કે સોઈલ હેલ્થ સુધારવી હોય તો તમારા બાપદાદાએ આપેલી પાડાના કાંધ જેવી જમીનને આડેધડ ડુંગરાની ટાશ કે મોરમ નાખીને બગાડતા નહિ. ડુંગરકે ધાર ઉપર જયાં નિંદામણ પણ નથી ઉગતું તેવા ટેકરા, ઢોરામાંથી પેલો જેસીબી વાળો ડંમ્પર ભરી આવે

વધુ વાંચો>>>>

પાણીનું બુંદ : પાણીનું ટીપું આપણને પોતાના વિષે વાત કરતા વધુ કહે છે કે…

પાણીનું બુંદ એટલે કે પાણીનું ટીપું આપણને પોતાના વિષે વાત કરતા વધુ કહે છે કે મારુ રાસાયણિક સંજ્ઞા H2O અર્થાત્ આર્દ્રવાયુ અને પ્રાણવાયુનું મિશ્રણ છે. મતલબ કે પાણી માણસના શરીરમાં કે જીવનમાં તમામ કોષોને કાર્યરત-જીવંત- સક્રિય બનાવી રાખવામાં આ વાયુનું મિશ્રણ જરૂરી જ નહિ અનિવાર્ય છે.

વધુ વાંચો>>>>

સોયાબીન : સોયાબીનમાંથી સોયા લોટ કેવી રીતે બને ?

બજારમાં મળતા સારી જાતના સોયાબીનને લઈ તેની સાફસફાઈ કરી તેમાંથી અલ્પવિકસીત, ક્ષતિયુકત દાણા તથા અશુદ્ધિ દૂર કરવી. ત્યારબાદ સૂર્યના તાપમાં અથવા ઈલેકટ્રીક ઓવનમાં જરૂરી સૂકવણી કરી, પારંપરિક ઘંટી દ્વારા ઉપરના ફોતરા અલગ કરી તેની દાળ તૈયાર કરવી. આ રીતે તૈયાર થયેલ દાળને ૩ લિટર ઉકળતા પાણીમાં

વધુ વાંચો>>>>

પાણીનું બુંદ : પાણીને સાચવીને વાપરવાની પદ્ધતિ એટલે કે ડ્રિપ ઇરીગેશન અમારી પૂજા કરે છે….

પાણીના બૂંદથી બને છે નદી , તળાવ અને મહાસાગર. પૃથ્વીની સપાટીનો થી વધુ ભાગ પાણીથી ઘેરાયેલો છે અથવા તો પાણીમાં ગરકાવ છે. આપણે મનુષ્ય પાણીના અનેકાનેક ઉપયોગ કરવા ટેવાયેલા છીએ. જેમ કે, પીવા માટે, ન્હાવા માટે, કપડાં ધોવા માટે, રાંધવા માટે, બાગ-બગીચા માટે, ખેતી માટે, આગ

વધુ વાંચો>>>>

ખારેક્માં નર હાથો કયારે ઉતારવો અને પરાગરજ કઈ રીતે એકત્રિત કરવી

નરનો હાથો પૂરેપૂરો ફાટ્યો ન હોય તો પણ કાપી લેવો જરૂરી છે (નહીં તો પરાગરજનો વ્યય થાય છે). નર હાથાની પરિપક્વતા ચકાસવા તેને અંગુઠા અને પહેલી આંગળી વચ્ચે દબાવતાં તેમાંથી ચર ચર અવાજ સાંભળવા મળે તો તે તેની પરિપક્વતા સુચવે છે. નરનો હાથો કાપ્યા બાદ તેનું

વધુ વાંચો>>>>

બોલકી ધરતી – ૮ : જમીનનો પીએચની ખબર જ નથી અને વધુ પડતા ખાતરો દીધે રાખે છે.

બોલકી ધરતી ઊંડા શ્વાશ લઈને કહે છે કે ઉંડેથી આવતા ઉંના ઉના પાણી, ક્ષાર વાળા પાણી, વધુ પડતા રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ અને જમીનમાં રહેલા નુકશાનકારક જંતુઓને મારવા આડેધડ જંતુનાશકો પાવાથી બોલકી ધરતી સાવ જીણા અવાજે કહે છે કે મારી સોઈલ હેલ્થ માટે જરૂરી ઉપયોગી બેકટેરીયા

વધુ વાંચો>>>>

“પારવણી” એટલે શું ? શા માટે જરૂરી ?

બીજની વાવણી થયા પછી માપથી વધુ ઘાટા ઊગેલ છોડને વ્યવસ્થિત રીતે માપસરના અંતરે ઉભા રહેવા દઈ, વચ્ચેના વધારાના છોડ ખેંચી લેવાની કામગીરીને “પારવણી” કહેવામાં આવે છે.. બાજુ બાજુમાં જ, એકબીજાને અડી-અડીને છોડ ઊભેલા હોય તો પોષણ વગેરે મેળવવાની સ્પર્ધામાં હોય છે, પાતળા રહી જવા પામે એટલે

વધુ વાંચો>>>>

બોલકી ધરતી – ૭ : પોષક તત્વોના 4R સિદ્ધાંત મહત્વપૂર્ણ છે.

બોલકી ધરતી આપણને સમજાવે છે કે જયારે તમારા પાકને પોષણ -ખાતર -ન્યુટ્રિયન્ટ કે સૂક્ષ્મ તત્વો આપો એટલકે કે જ્યારે પણ તમે પોષક તત્વોનો ઉપયોગ કરો છો, પછી ભલે તમે કોઈપણ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરો છો, ત્યારે પોષક તત્વોના 4R સિદ્ધાંતોનું ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે. 1. યોગ્ય સ્ત્રોત

વધુ વાંચો>>>>

પાણીનું બુંદ : પાની રે પાની તેરા રંગ કેસા જિસમેં મિલાદો લગે ઉસજેસા

ખેતી માટે પાણી એ માત્ર શબ્દ નથી, ખેતી માટે પાણી સર્વેસર્વા છે. મનુષ્યદેહ સાથે જોડાયેલાં પાંચ તત્ત્વો-આકાશ, પૃથ્વી, તેજ, જળ, વાયુ-માંનું એક ખૂબ જ અગત્યનું અને મહત્ત્વનું કહી શકાય એવું તત્ત્વ એટલે પાણી. એમ કહેવાય છે કે જળ જેની સાથે ભળે છે એના જેવું જ થઈને

વધુ વાંચો>>>>

ખેતરની વાત : વાદળ ઉમટી પડે અને ગોરંભાયેલું નભ જોવું કોને ન ગમે?

બોલકી ધરતીની વાતો સાંભળીને આજે પાણીનું બુંદ પણ આપણી સાથે વાતો કરવા આવ્યું છે .પાણીનું બુંદ કહે છે કે વાદળ ઉમટી પડે અને ગોરંભાયેલું નભ જોવું કોને ન ગમે? એમાં પણ વળી બફારાના લીધે ચામડીમાંથી પરસેવાની ગંધ આવતી હોય ત્યારે તો ખાસ એવી ઇચ્છા થાય કે

વધુ વાંચો>>>>

આંબા અને જામફળની ફળમાખીનુ નિયંત્રણ

ફ્લુબેનડીયામાઈડ ૮૩૩ + ડેમેટ્રીન ૫.૫૬ એસ.સી. ૨૫ મિ.લિ. અથવા સ્પિનોસાડ ૪૫ એસ.સી. @ ૭ મિ.લિ. અથવા ફ્લુબેનડીયામાઈડ ૧૯.૯૨ + થાયાક્લોપ્રીડ ૧૯.૯૨ એસ.સી. ૧૦ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ભેળવી વારાફરતી ફ્ળ વટાણા કદના થાય ત્યારે અને ત્યારબાદ ૧૫ દિવસનાં ગાળે બે છંટકાવ કરવો. • પુખ્ત માખીને આકર્ષીત

વધુ વાંચો>>>>
soyabean cookies

સોયાબીન : સોયાબીનમાંથી શું બની શકે ?

સોયાબીનમાંથી વિવિધ ખાદ્ય ઉત્પાદન બનાવવામાં આવે છે, જેમ કે સંપૂર્ણ સોયા લોટ, સોયાદૂધ, સોયા પનીર (ટોફૂ), સોયા દહીં, સોયા શ્રીખંડ, સોયા આઈસક્રીમ, સોયાનટ, સોયાપૌંઆ તથા બેકરી આઈટમ વગેરે. ઉત્તમ પ્રોટીનના સ્ત્રોત સમાન સોયાબીનનો દૈનિક વિવિધ આહારમાં ઉપયોગ થઈ શકે તે હેતુ સંપૂર્ણ સોયાલોટ પણ બનાવી શકાય

વધુ વાંચો>>>>

કેરીમાં પોષક તત્વો

કેરીના ફળમાં કાર્બોહાઇડ્રેટ્સ, ખનિજો (પોટેશિયમ, ફોસ્ફોરસ અને કેલ્શિયમ), શર્કરા (ગ્લુકોઝ ક્ટોઝ અને સુક્રોઝ), ડાયેટરી ફાઇબર (પેક્ટિન), વિટામિનC, વિટામિન A, કેરોટીનોઈડસ, ફ્લેવોનોઈડસ, પોલીફીનોલ્સ, મેંજીફેરિન અને લ્યુપીઓલ (પેન્ટાસાયકલીક ટ્રાયટરપીન) જેવા કુદરતી બાયોએક્ટિવ રસાયણો સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતા ગુણધર્મોના કારણે તથા એન્ટી ટ્યુમર, એન્ટી ઈન્ફલેમેન્ટરી, એન્ટી આર્થરાઈટીક, એન્ટી મ્યુટાજેનીક અને

વધુ વાંચો>>>>

બોલકી ધરતી – ૬ : એકને એક પાકનું વાવેતર અને નજીકથી સંબંધિત પ્રજાતિઓનું એક સાથે વાવશો નહીં

બોલકી ધરતી આપણને સલાહ આપતા કહે છે કે એકને એક પાકનું વાવેતર અને નજીકથી સંબંધિત પ્રજાતિઓનું એક સાથે વાવશો નહીં, કારણ કે જંતુઓ, રોગ અને નેમાટોડ્સની સમસ્યાઓ વારંવાર નજીકથી સંબંધિત પાકના સભ્યો દ્વારા ફેલાય છે. કયા પાક પછી કયો પાક વાવવો તે ખાસ ધ્યાન આપો. પાક

વધુ વાંચો>>>>

ફળ : કેરીમાં એસ્કોર્બિક એસિડ પ્રાઈવ પોષક તત્વો

એસ્કોર્બિક એસિડ (વિટામિન સી) એન્ટી ઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે, જે ઓક્સિડેટીવ તણાવ-પ્રેરિત સ્વાસ્થ્ય બિમારીઓ સામે રક્ષણ આપે છે. વધુમાં, તે સ્કર્વીને રોકવામાં મદદ કરે છે, રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને રૂઝ આવવામાં મદદ કરે છે. કેરીના ફળો એસ્કોર્બિક એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. ભારતીય કેરી જાત

વધુ વાંચો>>>>

મગફળીનું પાનનું ચાચવું : મગફ્ળીના પાકમા સીરટોઝેમીયા

ડીસ્પર જાતના (Cyrtozemia Dispar) પાનનું ચાંચવા (Leaf Weevil)નું નુકસાન પણ વત્તા-ઓછા પ્રમાણમા જોવા મળે છે. આ જીવાતએ મગફ્ળી, કપાસ ઉપરાંત બીજા ૧૫ જાતના યજમાન પાક/ધાસ પર પણ જોવા મળે છે. આ જીવાતની ઈયળોએ જમીનમાં રહેલ મગફ્ળીના ડોડવા ને નુકસાન કરે છે. જયારે પુખ્ત મગફ્ળીના ડોડવાને નુકસાન

વધુ વાંચો>>>>

ખેતરની વાત : મગફળી મલ્ચીંગ સાથે કરવામાં આવે તો મગફળીની ક્વોલીટી સારી થઇ શકે.

ઓર્ગેનિક મગફળી ઉગાડીને ઓર્ગનિક પ્રોડક્ટની વિદેશમાં નિકાસ કરતી કંપનીઓ પણ ભારતમાં છે. ચાઈનાની જેમ મગફળી મલચીંગ સાથે કરવામાં આવે તો મગફળીની ક્વોલીટી સારી થઇ શકે. મગફળી જયારે મલચીંગ અને ડ્રિપ સાથે કરવામાં આવે ત્યારે ઓછા માઈક્રોનનું એકદમ પાતળું મલચીંગ વાપરવાનું હોય છે કારણકે મગફળીના સુયા આરામથી

વધુ વાંચો>>>>

ખેતરની વાત : વરસાદ કેવા આવશે ? કેટલો વહેલો કે મોડો આવશે તે પણ આપણને ક્યાં ખબર છે.?

કપાસનો હજુ આપણી પાસે કોઈ વિકલ્પ નથી. આપણે બધી જમીનમાં મગફળી વાવેતર કરીયે તો આપણને બીજ ખર્ચ ઊંચું આવે અને પાયાના ખાતરોનો ખર્ચ કરીને મગફળી કરવાની હોય છે તે વાત પણ ધ્યાનમાં લેવી પડે. કપાસમાં કોરામાં મૂકીને આયોજન કરી શકાય અને પછી વરસાદની રૂખ જોઈને ખાતર-પાણી

વધુ વાંચો>>>>

મગફળીની ભલામણ

મગફળીના પાકમાં જમીનજન્ય ફૂગથી થતો થડ અને ડોડવાનો સડો (કોહવારો) કે જે સફેદ ફૂગના રોગ તરીકે ઓળખાય છે. ખાસ કરીને જે જમીન વધારે પડતી ભરભરી (પોચી/નરમ) હોય અને દર વરસે એકના એક ચાસમાં વાવેતર કરવામાં આવતુ હોય ત્યાં આ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે. વધારે

વધુ વાંચો>>>>

સફેદ ઘૈણ (મુંડા) જીવનચક્ર વિષે જાણો.

સફેદ ઘૈણ (મુંડા) જીવનચક્ર ઘૈણના ઢાલિયા કીટકો ચોમાસાના પ્રથમ વરસાદ બાદ જમીનમાંથી સુષુપ્ત અવસ્થામાંથી બહાર નીકળવાનું શરૂ કરે છે અને રાત્રિના સમયે નર અને માદા ઢાલિયા ખેતરની આજુબાજુ શેઢાપાળા પરના ઝાડો (દેશી બાવળ, બોરડી, લીમડો, સરગવો) પર એકઠા થઈ અને ઝાડના પાન ખાય છે. આ જીવાતની

વધુ વાંચો>>>>

શું આ સીઝનમાં કઠોળ વર્ગના પાકો અને મગફળી પસંદગીનો પાક બનશે?

સૌથી મોટું કપાસ ઉત્પાદક રાજ્ય ગુજરાત, કઠોળ, મગફળી, જીરું અને તલ તરફ વળવાની શક્યતા છે પરંતુ વરસાદના વહેલા મોડા ઉપર કપાસની વાવેતરની વધ ઘટ થશે . વધુમાં મજબૂત સરકારી ટેકો અને નિકાસ માંગને કારણે આ સીઝનમાં કઠોળ વર્ગના પાકો અને મગફળી પસંદગીનો પાક બની શકે છે

વધુ વાંચો>>>>

ખેતરની વાત : શું આ વર્ષે કપાસની ખેતી પડકારજનક છે?

એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ કોટન (ELS) ના ઉત્પાદનમાં ઓછી ઉપજ, વધુ ઉત્પાદન ખર્ચ અને ચૂસીયા જીવાત અને બોલવોર્મ પ્રત્યે વધેલી સંવેદનશીલતાને કારણે કપાસની ખેતી પડકારજનક છે .પંજાબમાં વાવેતર વિસ્તાર સ્થિર રહેવાની આગાહી છે, હરિયાણા માં ડાંગરના વાવેતર તરફ વળવાની આગાહી છે. રાજસ્થાનમાં ખેડૂતો મળતા અપેક્ષિત ઊંચા ભાવને

વધુ વાંચો>>>>

ખેત પેદાશની વેચાણની પદ્ધતિઓ

મોટા ભાગની ખેત પેદાશોના માર્કેટિંગમા ખેડૂત અને ગ્રાહક વચ્ચે ઘણી સંસ્થા, વ્યક્તિઓ જોડાયેલ હોય છે. ખેત પેદાશ જ્યારે ખેડૂતથી અંતિમ ગ્રાહક સુધી પહોંચે છે ત્યાં સુધીમા કમિશન એજન્ટ, બ્રોકર, દલાલ અને જથ્થાબંધ વેપારી વગેરેના હાથોથી પસાર થાય છે. આ દરમ્યાન ખેત પેદાશમાં વિવિધ ખર્ચ અને વચેટિયાઓનો

વધુ વાંચો>>>>

ખેતરની વાત : મગફળીમાં તૂટેલા અને રોગિષ્ટ બીજનું વાવેતર ટાળવું.

ખેડૂત તરીકે તમને ખબર ન હોય તો નોંધી લો કે છેલ્લા કેટલાક વર્ષોથી આપણા ગુજરાતની મગફળીમાં ઇચ્છિત માત્રા કરતાં વધુ ભેજની મગફળીનો સંગ્રહ અથવા ભીની મગફળીના વેચાણ થવાથી અથવા ઉપદ્રવીત તૂટેલા બીજનું વાવેતર દ્વારા આવી મગફળીમાં અફ્લાટોક્સીન જેવા ઝેરી ફુગના અવશેષો જોવા મળે છે. આવી મગફળીમાંથી

વધુ વાંચો>>>>

પાક વીમો, ધિરાણ અને ખેતી ખર્ચનું કરો આયોજન

ખેતી એક જોખમભર્યો વ્યવસાય ગણવામા આવે છે. ખેતીમાં રહેલુ જોખમ પાક વીમા દ્વારા મહદઅંશે ઓછું કરી શકાય છે. અતિવૃષ્ટિ, દુષ્કાળ અને આગ જેવા બનાવોમા ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવી પડતી હોય ત્યારે પાક વીમા દ્વારા આ નુકશાની સામે રક્ષણ લાવી શકીએ. ઉપરાંત, પાક ધિરાણનો જો યોગ્ય ઉપયોગ

વધુ વાંચો>>>>

બોલકી ધરતી – 3 : બોલકી ધરતી આપણને બધાને જાગી જાવાની ચેતવણી આપતા કહે છે કે…

બોલકી ધરતી આજે આપણને બધાને જાગી જાવાની ચેતવણી આપતા  કહે છે કે  ભારત, એક વિશાળ અને વધતી જતી વસ્તી ધરાવતો પ્રચંડ દેશ છે , દરેક વ્યક્તિને હંમેશા પૂરતો, સલામત અને પૌષ્ટિક ખોરાક મળે તે સુનિશ્ચિત કરવા માટે ખાદ્ય સુરક્ષા  ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે

વધુ વાંચો>>>>

બોલકી ધરતી – ૨ : બોલકી ધરતી આપણને કંઇક કહેવા માંગે છે. કાન દઈને સાંભળો….

ધરતીની તબીયત ફરી સુધારવી પડશે આ સુધારણા કેમ કરવી? તેની વાત આપણે ધરતી પાસેથી જ જાણીએ. બોલકી ધરતી આપને કંઇક કહેવા માંગે છે. બોલકી ધરતીને કાન દઈને સાંભળો….બોલકી ધરતી કહે છે કે મારી ફળદ્રુપતાનો લાભ તમે વર્ષો વર્ષથી લેતા આવ્યા છો. ધરતીમાં વાવેતર થતા બધા પાકોને

વધુ વાંચો>>>>

ખેતરની વાત : વધુ સારા ઉત્પાદન માટે બીજની પસંદગીમાં શું કાળજી લેવી ?

મિત્રો, અત્યારે જે બોલગાર્ડ ટૂ ટેક્નોલોજી આપણી પાસે છે તેમાંથી આપણો કપાસ સારો કેમ થાય? વધુ સારા ઉત્પાદન માટે બીજની પસંદગીમાં શું કાળજી લેવી ? ગયા વર્ષે 4જી અને 5જી કરતા બોલગાર્ડના ઉતારામાં સારું રહ્યું. ગયા વર્ષે વધુ વરસાદને લીધે ચોમાસું પાકમાં કપાસ અને મરચીના પાકમાં

વધુ વાંચો>>>>

સોયાબીન : એક કઠોળ

સોયાબીનના પાકને વૈજ્ઞાનિક ભાષામાં ગ્લાયસીન મેક્ષ તરીકે ઓળખવામાં આવે છે. સોયાબીનને ગોલ્ડન બીન પણ કહેવાય છે. તેલીબિયાના પાક તરીકે તેની ગણના થાય છે. ખાસ કરીને આપણા દેશમાં તેનું ખરીફ ૠતુમાં જૂન મહીના દરમ્યાન પાકનું વાવેતર થતું હોય છે અને સપ્ટેમ્બર મહિના દરમ્યાન તેનું હાવેર્સ્ટિંગ થતુ હોય

વધુ વાંચો>>>>

બોલકી ધરતી – ૧ : બોલકી ધરતી આપણને શું કહે છે?

ધરતી એટલે આપણીમાં એટલે જ આપણે ધરતીને ધરતી માતા કહીને પોકારીયે છીએ. આપણે જાણીએ છીએ કે આપણી ખેતીની જમીન હજારો વર્ષો પછી બની છે. આપણા બાપદાદાઓ એ આ જમીનની કેળવી અને જમીનના પોતને જાળવી રાખવા આપણા પશુઓ ગાય અને બળદોએ આપણને મદદ કરી . ધરતીને આપણે

વધુ વાંચો>>>>

ખેતરની વાત : કપાસ સારો કરવા ડ્રિપ વસાવવું જોઈએ.

યુએસડીએની ફોરેન એગ્રિકલચર સર્વિસ  મુંબઈનો અંદાજ છે કે વર્ષ 2025-26 માં 11.4 મિલિયન  હેક્ટર વિસ્તારમાં કપાસનું  વાવેતર થશે અને  25 મિલિયન  480 પાઉન્ડ ગાંસડીનું ઉત્પાદન થશે, જે અગાઉના વર્ષ  કરતા ઘટાડો છે. સામાન્ય ચોમાસાની ઋતુની અપેક્ષાના આધારે, વર્ષ 2025/26 માટે પ્રતિ  હેક્ટર સરેરાશ 477 કિલોગ્રામ  ઉપજની 

વધુ વાંચો>>>>

ખેતરની વાત : બોલગાર્ડ ટૂ પછીની નવી ટેક્નોલોજી કપાસના ખેડૂતોને ક્યારે મળશે ?

સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ નાગપુર દ્વારા કપાસની ખેતી માટે ટેક્નોલોજી મિશન દ્વારા લંબતારી કપાસની ખેતી ફરીવાર સારી થાય અને કપાસનું ઉત્પાદન ખુબ વધે અને કપાસની નિકાસ થાય અને ભારતને ફરી હૂંડિયામણ મળે તેના માટે એક નિતી તૈયાર કરવામાં આવી છે . મિશન ત્યારે સફળ ગણાય

વધુ વાંચો>>>>

ખેતરની વાત : મગફળીના મૂલ્યવર્ધન દ્વારા સારી કમાણી

મગફળીનું મૂલ્યવર્ધન કરતી કંપનીઓ અને અમુક પ્રગતિશીલ ખેડૂતો આજે મગફળીના મૂલ્યવર્ધન દ્વારા સારું કમાય છે. મગફળી બાફેલા, શેકેલા, અથવા સ્વાદ-ભરેલા નાસ્તા માટે ઉપયોગમાં આવે છે. ચેવડો હોય કે , ચીકી .ખારીશીંગ હોય કે ગુજરાતી દાળ મગફળીના દાણા વગર અધૂરી છે. વિદેશમાં મગફળીની શીંગ ગ્રેડિંગ કરીને વિવિધ

વધુ વાંચો>>>>

ખેતરની વાત : આ વર્ષે ખરીફ પાકમાં મગફળીની ખેતી વધવાની છે

મગફળીને યાદ કરીયે . મગફળી એટલે શીંગ, મગફળી એટલે પીનટ, મગફળી એટલે ગ્રાઉન્ડ નટ. મગફળી વિવિધ રીતે ખોરાક માટે ઉપયોગમાં આવે છે. આપણે ત્યાં પ્રસિદ્ધ થયેલી ગુજરાતની મગફળીની જાતો વિષે આપણે બધા જાણીયે છીએ. આફ્રિકામાં લાલ રંગની મગફળી કિંગકોંગ તરીકે ઓળખાય છે.. મગફળી સંશોધન કેન્દ્રં જૂનાગઢની

વધુ વાંચો>>>>

ખેતરની વાત : શું કપાસની ખેતીના ફરી આવા દિવસો આવશે ?

નવી ટેકનોલોજી અને સંવર્ધન નવીનતાઓ પ્રત્યે ખુલ્લાપણાની આ પરંપરાએ ભારતમાં આનુવંશિક રીતે સુધારેલા (GM) Bt કપાસ સંકરનું વ્યાપારીકરણ પણ શક્ય બનાવ્યું. આમાંથી પહેલું – માટીમાં રહેલા બેક્ટેરિયમ, બેસિલસ થુરિંગિએન્સિસથી અલગ કરાયેલ જનીન, જે કપાસની અમેરિકન બોલવોર્મ જીવાત માટે ઝેરી પ્રોટીન ઉત્પન્ન કરે છે, તેને 2002-03 ની

વધુ વાંચો>>>>

ખેતરની વાત : ભારત કપાસનો અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર કેવી રીતે બન્યો?

ભારત કપાસનો અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર કેવી રીતે બન્યો? જવાબ ટેકનોલોજી છે. ભારતમાં કેટલાક શ્રેષ્ઠ કપાસ સંવર્ધકો છે. સી ટી પટેલે “H-4” વિકસાવ્યું, જે વિશ્વનું પ્રથમ સંકર કપાસ છે જે 1970 માં વ્યાપારી ખેતી માટે બહાર પાડવામાં આવ્યું હતું અને બે ગોસીપિયમ હિરસુટમ જાતો, ગુજરાત-67 અને

વધુ વાંચો>>>>

મકાઈ : મકાઈમાં નીદામણ નિયંત્રણ

મકાઈ વાવેતર કર્યા બાદ પરંતુ મકાઈ ઊગતાં પહેલાં હેક્ટર દીઠ ૧ કિલો એટ્રાજીન સક્રિય તત્ત્વના રૂપમાં (૨ કિલો જથ્થો) ૫૦૦ લિટર પાણીમાં ઓગાળી આખા ખેતરમાં છંટકાવ કરવો જોઈએ.મકાઈના વાવેતર બાદ ૨૫ દિવસે ૧ હેક્ટરમાં ૧૨૦ ગ્રામ ટેમ્બ્રોટીઓન નીંદણનાશક દવાનો છંટકાવ હેક્ટરે ૫૦૦ લિટર પાણીમાં ઓગાળીને કરવો

વધુ વાંચો>>>>

ફળ : કેરી એક ઉત્તમ ફળ

કેરી ફળ પાકોનો રાજા એટલે કેરી, તમામ ભાષાઓની માતા સંસ્કૃતમાં કેરીને આમ્ર તરીકે ઓળખવામાં આવે છે. કેરી વિશ્વના ઉષ્ણ કટિબંધીય અને સમતોશીષ્ણ કટિબંધીય પ્રદેશોમાં સૌથી લોકપ્રિય ફળોમાંનું એક છે. દુનિયામાં આ એક જ એવું ફળ છે, જેને લોકો મણમાં ખરીદતા હોય છે. બજારમાંથી કાચી અને પાકી

વધુ વાંચો>>>>

ખેતરની વાત : કપાસની બોલગાર્ડ ક્રાંતિ

ભારતમાં ૨૦૦૨-૦૩ અને ૨૦૧૩-૧૪ વચ્ચે કપાસની બોલગાર્ડ ક્રાંતિ થઇ હતી તેના આંકડા જોઈ લઈએ. ટેક્નોલોજીના લીધે ભારતનું કપાસનું ઉત્પાદન લગભગ ૧.૩૬ કરોડ ગાંસડી માંથી થી ૩.૯૮ કરોડ ગાંસડી ( ૧ ગાંસડી = ૧૭૦ કિલો) થઈ ગયું. ૨૦૧૩-૧૪ ના અંતે આ બાબત સંપૂર્ણપણે બદલાઈ ગઈ, આયાત અડધી

વધુ વાંચો>>>>

ખેતરની વાત : ગ્લોબલ વોર્મિંગની અસર આપણા પાક પાણીમાં જોવા મળી રહી છે.

ગ્લોબલ વોર્મિંગ એટલેકે વૈશ્વિક તાપમાનમાં થઇ રહેલો વધારો. આપણા પાક પાણીમાં હવે તેની અસર જોવા મળી રહી છે . વાતાવરણમાં અવારનવાર બદલાવ જેવા કે કમોસમી વરસાદ, ઠંડીના સમયમાં ગરમી, ગરમીના સમયમાં માવઠું, દિવસ ગરમ રાત ઠંડી, ઝાકળ વગેરેના કારણે ખેતરમાં વાવેતર કરેલ અનેક પાકમાં વહેલું પાકી

વધુ વાંચો>>>>

ખેતરની વાત : મરચીનું કોઈ ન વાવતું હોય તેવું નવું સેગ્મેન્ટ પકડો

મરચી વિષે બે ખેડૂતનો અનુભવ જોઈએ. ગયા વર્ષે એક ખેડૂતે ૧૫ વિધાનું મરચીનું વાવેતર કર્યૂં હતું તેને લીલા મરચાની વીણી માં સારા ભાવ મળ્યા સારી આવક થઇ પરંતુ પછી સૂકા મરચા કરવા માટે મરચી છોડી પછી વધુ વરસાદને લીધે એન્થ્રેકનોઝની અસર અને તેને લીધે ડાઘી વાળા

વધુ વાંચો>>>>

ગ્લોબલ વોર્મિંગ કોને સીધું અસર કરે છે ??

ગરમીમાં જયારે 43-44 ડિગ્રી સેન્ટિગ્રેડ ગરમી પડે છે ત્યારે ઉનાળાની બપોર પશુ ,પક્ષી અને જાનવરો માટે અને ખાસ કરી ને ઝૂંપડામાં રહેતા ગરીબો માટે કેટલી દોહીલી હશે . અત્યારે મજૂરોની પણ વિકટ પરિસ્થિતિ છે એમાંય શહેર અને ગામડાના રોડનું ડામરનું કામ કરતા મજૂરોને જોઈએ ત્યારે આ

વધુ વાંચો>>>>

ગુજરાતમાં મરચીમાં અલગ અલગ 5 સેગ્મેન્ટ ક્યાં ક્યાં છે ?

ગુજરાતમાં મરચીમાં અલગ અલગ 5 સેગ્મેન્ટની મરચીનું વાવેતર થાય છે. 1) પોપટિયા રંગનું અને છ ઇંચ આસપાસ લંબાઈ ધરાવતું મરચું. 2) લાલ અને લીલામાં ચાલે એ ટાઈપનું સિંગલ પટ્ટો મરચું જે ઘાટા લીલા રંગનું હોય છે અને એક ઇંચ આસપાસની જાડાઈ અને 6 ઈંચ આસપાસ લંબાઈ

વધુ વાંચો>>>>

આપણે વિજ્ઞાન અને હવામાન, તાપમાનને ધ્યાનમાં રાખીને ખેતી કરવી જોઈએ.

જ્યારે બજાર ભાવ તૂટી જાય છે અથવા પાક નિષ્ફળ જાય છે, ત્યારે ખેડૂતો મોટાભાગે પુરવઠા શૃંખલામાં સૌથી સુલભ ખાતર સપ્લાયર્સ, બીજ વેચનારાઓ, જંતુનાશકોના ડીલરો અને બજાર વેપારીઓનો દોષ કાઢીને પોતાની હતાશા વાળે છે.બજારના વેપારીઓ એવું કહે છે કે ખેડૂત વર્ષોથી એકની એક મરચીની જાત વાવ્યા કરે

વધુ વાંચો>>>>

ભારતમાં મરચાંના અને કપાસના ખેડૂતોને એક સાથે અનેક કટોકટી સામે આવી છે.

ભારતમાં મરચાંના અને કપાસના ખેડૂતો એક સાથે અનેક કટોકટીનો સામનો કરી રહ્યા છે, જેમાં બજાર ભાવમાં ઘટાડો, કમોસમી વરસાદ અને પાકના રોગોને લીધે મળેલી ઓછી આવક ખેડૂતોને આર્થિક સંકટમાં ધકેલી રહી છે . 25 માર્ચ ના રોજ, આંધ્ર મરચાંના ખેડૂતોએ ગુંટુર મરચાં બજારની સામે રસ્તા રોકો

વધુ વાંચો>>>>

જેની વાવણીની મુઠ હોય તેને બદલે નોખું કરો તો ફાયદો

ગામના ઓટલે અને સોસીયલ મીડિયામાં થતી વાતો ગભરાવી દે છે. અત્યારે ડુંગળીની ખેતી જેણે કરી તેનો દાખલો લ્યો કોઈ નહોતું વાવતું ત્યારે ડુંગળીની ખેતીને પકડી રાખે તે બે વર્ષમાં એક વર્ષ ખેતીમાંથી સારી આવક મેળવી શકે છે. આજે ડુંગળી નથી વાવી તે પસ્તાય છે

વધુ વાંચો>>>>

ખેતીને વિજ્ઞાન આધારિત કરવાનો સમય છે

મિત્રો હવે ખેતીને વિજ્ઞાન આધારિત કરવાનો સમય છે ઇઝરાયેલનો ખેડૂત પોતાના પાકનું ઉત્પાદન લેવા માટે પહેલા ટાર્ગેટ નક્કી કરે અને પછી ફર્ટીગેશન કરીને ધાર્યું ઉત્પાદન લે છે. આ માટે જરૂરી હોય તે જમીન અને પાણીનું પૃથ્થકરણ કરાવીને ખેતી કરે છે . આપણે પણ આવી રીતે ખેતી

વધુ વાંચો>>>>

50 મણ-લીલા મરચા તોડી ને વેચવા જાવ છો ત્યારે તમારી જમીનમાંથી શું ઓછું થયું ?

ફર્ટિગેશન વિશે સમજવા આ વાત ને ધ્યાન માં લ્યો .દાખલ તરીકે તમે લીલા મરચાની જાત નામધારી 2401 વાવી છે અને તમે માર્કેટ યાર્ડમાં 50 મણ – 1000 કિલો લીલા મરચા તોડી ને વેચવા જાવ છો . ત્યારે તમારી જમીનમાંથી શું ઓછું થયું ? તમે શું વેચ્યું

વધુ વાંચો>>>>

ખેતી ખર્ચની ગણતરીનું મહત્વ શું છે?

કોઈ પણ વ્યવસાયમાં આવક જાવકનો હિસાબ રાખવાનું ખુબ જ મહત્વનું ગણાય છે કેમકે તેના ૫૨થી નફા-નુકસાનની જાણકા૨ી મળે છે અને વ્યવસાયમાં જરૂરી બદલાવ લાવવામાં આ માહિતી ખુબ જ ઉપયોગી બને છે. ખેતી પણ એક વ્યવસાય છે એ દ્રષ્ટિએ તેમાં પણ આવક—જાવક નો હિસાબ રાખવાનું એટલુ જ

વધુ વાંચો>>>>

અઠવાડિયે ટેકનોલોજી મીટીંગ કોઈપણ એકની વાડીએ રાખીએ.

આપણે પણ ગામમાં બુધવારીયા મિટિંગ કરવી છે અને એકબીજાને મદદ કરી પાક ઉત્પાદન વધુ કરીને બધા એ કમાવું છે ટેકનોલોજીની વાત જાણીને તમે પણ નક્કી કરો કે હવે દર બુધવારે આપણે ફરતી ફરતી ટેકનોલોજી મીટીંગ કોઈપણ એકની વાડીએ રાખીશું અને મોબાઈલમાં આપણા ગામનું એક વોટ્સઅપ ગૃપ

વધુ વાંચો>>>>

ખેતરમાં વિજ્ઞાનને લાવવું પડશે.

દર અઠવાડીયે મળતી આ મીટીંગમાં સૌને પોતાના પ્રશ્નોનું નિરાકરણ મળી જાય છે આ બધાએ હવે એક છત્તીસગઢ યુવા પ્રગતિશીલ ખેડૂત નું વોટ્સઅપ ગૃપ બનાવ્યું છે અને તેમાં પોતાના ખેતરની જીવાત, રોગ, પાંદડા, મૂળના ફોટા એકબીજાને શેર કરે છે. નિરાકરણ ગૃપમાં ને ગૃપમાં થઈ જાય છે. આ

વધુ વાંચો>>>>

છત્તીસગઢમાં સવાયું ઈઝરાયલ

ટેકનોલોજીની હજુ આપણે વાતુ કરીએ અને વિચારીએ ત્યારે આપણને થાય આવું તે શે થાય ! પણ તમે વિચારો ગુજરાતને સવાયું ઈઝરાયલ તો આપણે કરતા કરીશું પણ આપણો ગુજરાતી આખા વિશ્વમાં ઠેરઠેર છે અને તે જયાં જાય ત્યાં સવાયું ગુજરાત કરી દે છે. છત્તીસગઢની વાત કરો તો

વધુ વાંચો>>>>

તમને થશે હવે આવું તો કેમ મપાય ?

તમને થશે હવે આવું તો કેમ મપાય ? પાંદડામાં ભીનાશ અને પાંદડામાં કલોરોફીલ એટલે કે હરીતદ્રવ્ય કેટલું છે તેના આધારે છોડને પાણી અને પોષણની આવશ્યકતાની ખબર પડે છે. આજે સૂર્યોદય અને સૂર્યાસ્ત કયારે થયો તે આધારે છોડ ને પિયતની જરૂરીયાત માં ફેરફાર કરવાનો થાય છે. આ

વધુ વાંચો>>>>

આપણા ખેતર માટે આંખ કાન ખુલ્લા રાખી નિર્ણયો લેવાના હોય છે

આપણું જીવન લ્યો કે આપણા ખેતરમાં ઊભેલા પાકને લ્યો બન્ને માટે આંખ કાન ખુલ્લા રાખી નિર્ણયો લેવાના હોય છે આપણે કેવા છીએ ? શું છીએ ? શું પ્રગતિ કરી ? ખેતી કયાં લઈ ગયા ? મળેલી સફળતા કે નિષ્ફળતા બધામાં એક વાત મહત્વની છે અને તે

વધુ વાંચો>>>>

નીંદામણ ઓછું ઊગે અને ઓછું વિકસે એ માટે ઘર ઘરાઉ ઉપાયો ખરા ?

નીંદામણ ઓછું ઊગે તે માટે… [1] પાક પૂરો થયે જમીન ઉથલાવીને ફેરવી નાખે તેવી ઊંડી ખેડ કરવાથી જમીનની ઉપલી સપાટીમાં ખરેલાં બીજ ઊગી ન શકેતેટલા ઊંડા ધરબાઇ જાય છે ને ચીઢો, ધરો, નોળી જેવાં નીંદામણો મૂળસોતા નાશ પામે છે [2] ભાલની ડાંગર-ઘઉંની ક્યારીઓમાં ચોમાસે પાણી ભરી

વધુ વાંચો>>>>

આપણા પાકોમાં ઉત્પાદન ઓછું આવવાના કારણોમાં છોડને લાગતા આઘાતો

આપણા પાકોમાં ઉત્પાદન ઓછું આવવાના કારણોમાં છોડને લાગતા આઘાતો મુખ્ય છે આઘાતો બે પ્રકારના હોય છે એક છે જૈવિક આઘાત અને બીજો છે અજૈવિક આઘાત . જૈવિક આઘાતમાં રોગ , જીવાત, વાયરસ , પશુ , પક્ષીના લીધે છોડને આઘાત એટલે કે સ્ટ્રેશ આવે છે તે નુકસાનમાંથી

વધુ વાંચો>>>>

ખેડૂત માંથી વેપારી બનવાનું કદમ… ફાર્મ ટુ ફોર્ક.

● ટેકનોલોજી – મોબાઈલ એપ દ્વારા પોતાના ગ્રાહકો સાથે સીધા જોડાઈને વેચવાનો વિચાર કરો, ખેડૂત માંથી વેપારી બનો, સીધા સંપર્ક દ્વારા પોતાની પેદાશ વેચવા માટે આજથી જ શરૂઆત કરો આજે ૧ કિલો આવતી કાલે ૫ કિલો, મહિના પછી એક ટન વર્ષે ૨૦ ટન શાકભાજી ફળો રીટેઈલ

વધુ વાંચો>>>>

બેસ્ટ એગ્રોલાઇફ લિ.નું નવું અદ્યતન જંતુનાશક ફોર્મ્યુલેશન, ‘બેસ્ટમેન’

બેસ્ટ એગ્રોલાઇફ લિ.એ તેના અદ્યતન જંતુનાશક ફોર્મ્યુલેશન, ‘બેસ્ટમેન’ માટે પેટન્ટ આપવાની જાહેરાત કરી છે. આ પ્રોડક્ટ, સસ્પેન્શન કોન્સેન્ટ્રેટ (SC)માં ફિપ્રોનિલ, એબેમેક્ટીન અને ટોલ્ફેનપાયરાડનું મિશ્રણ છે જે મરચાં, કપાસ અને શાકભાજીના પાકમાં અસરકારક જંતુનાશક સાબિત થયું છે. ૨૦૨૪માં બેસ્ટ એગ્રોલાઇફ આ છઠ્ઠી પેટન્ટ છે. આ સિઝન દરમિયાન

વધુ વાંચો>>>>

તમે પણ શરુ કરી શકો – ફાર્મ ટુ ફોર્ક

● એક સત્ય ઘટના વાંચો એક ખેડૂતનો પુત્ર કારખાનામાં નોકરી કરે છે પરંતુ તેને ૧૨૦૦૦નો પગાર મળે છે. તેને પિતા સાથે ખેતી કરવાનો વિચાર આવ્યો, તેણે પોતાના ખેતરમાં એકઝોટીક વેજીટેબલનું કટકે કટકે વાવેતર કરીને શહેરના ગ્રાહકોને હોમ ડીલીવરી કરવાનો વિચાર કર્યો અને આજે એ યુવાન સવારે

વધુ વાંચો>>>>

જમીનને જીવતી રાખવા સેન્દ્રીય ખાતરો ઉમેરવા જરૂરી છે

આપણે વધુ ઉત્પાદન લેવું છે તે માટે આપણે ખેતીમાં આપણી મહેનત, આવડત લગાડીએ છીએ. આપણી જમીનને જીવતી રાખવા આપણે દર વર્ષે જરૂરી સેન્દ્રીય ખાતરો ઉમેરવા જરૂરી છે. સમય જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ યાંત્રીકરણ આવતું જાય છે. સાધનો મદદે આવી ગયા છે. મીની

વધુ વાંચો>>>>

ચણાની ખેતીની વાત

હંમેશા વાવેતર કરતા પહેલા બીજ માવજત આપવી ખૂબ જ જરૂરી છે. બીજ માવજત માટે વાવણી વખતે પહેલા ફૂગનાશક દવા અને પછી રાઈઝોબિયમ કલ્ચરનો પટ આપવો. રોગ સામે રક્ષણ માટે ૧ કિ.ગ્રા. બિયારણમાં ૩ ગ્રામ મુજબ ફૂગનાશક દવા કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ અને થાયરમ ર ગ્રામ અથવા ટ્રાયકોડર્મા

વધુ વાંચો>>>>

કૃષિ ટેકનોલોજી : હિમ ઉડાડવા પંખા

હિમ ઉડાડવા પંખા આપણે ત્યાં ગરમી કે વધુ વરસાદ આપણા પ્રશ્નો જુદા છે. યુરોપમાં હિમ પડે સ્નોફોલ થાય આ બધામાં પાકને બચાવવો હોય તો નવી ટેકનિક અને ટેકનોલોજીનો સહારો લેવો પડે દાખલા તરીકે આપણે ત્યાં ગરમી અને વધુ વરસાદથી બચવા ઊંચા પાળા જેને રેઝ બેડ કહેવાય

વધુ વાંચો>>>>

વિપરીત વાતાવરણ – વાવણી મોડી થશે.

વૈજ્ઞાનિકો કહે છે કે પાકને અસાધારણ તાપમાનના બદલાવને લીધે પાક ઉત્પાદન ઘટે છે અને ઉભા પાકને ઘણું નુકશાન થાય છે. જો વિપરીત હવામાન, તાપમાન હોય તો ઘઉંનું ઉત્પાદન ૬ ટકા જેટલું ઘટી શકે છે. કારણ કે ઘઉંમાં ફૂટ પાડવા વખતે જે નીચું તાપમાન જોઈએ તેને બદલે

વધુ વાંચો>>>>

ગૃહ લક્ષ્મી : દુધાળા પશુઓનો આહાર

દૂધાળા પશુઓનો આહાર પશુપાલન વ્યવસાયમાં ૬૦ થી ૭૦% ખર્ચ ખોરાકનો થાય છે. માટે તેમાં શક્ય તેટલી કરકસર અને કાળજીની ખાસ જરૂર રહે છે. દૂજણા પશુઓનો આહાર મુખ્યત્વે ઘાંસચારો, દાણા અને ક્ષાર મિશ્રણનો બનેલો હોય છે.દૂધાળ ઢોરને રોજ તેના વજનનાં ૨.૫ % જેટલા સૂકા ચારા (ડ્રાય મેટર)ની

વધુ વાંચો>>>>

કૃષિમાં ડ્રોન ઃ કારકિર્દી એગ્રીઓન ફાર્મટેક અને સરકારની સહાય યોજનાઓ

કારકિર્દી, એગ્રીઓન ફાર્મટેક અને સરકારની સહાય યોજનાઓ એગ્રીઓન દ્વારા અગ્રીઓન ભારતીય નાના અને સીમાંત ખેડૂતો માટે ખેતીની કામગીરીની ઉત્પાદકતા વધારવા અને IOT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) આધાર ફાર્મ મિકેનાઇઝેશન સોલ્યુશન્સ પર કામ કરે છે અને ગુજરાત માટે એગ્રીકલ્ચર સ્પ્રેયિંગ ડ્રોન ભાડા પર, જમીન પરીક્ષણ ઓન ફાર્મ, DAP

વધુ વાંચો>>>>

અનુભવ : બટાટાની ખેતીમાં લીધું અધધ ઉત્પાદન, કરશનભાઈની કહાણી

મારો અનુભવઃ હું પટેલ કરશનભાઈ લખાભાઈ (આકોદરા, હીમતનગર)નો રહેવાસી મારો મોબાઈલ નંબર. ૬૩૫૧૭ ૪૧૩૫૫. હું એક ખેડૂત છું. બટાકાની ખેતી કરું છું. ગયા વર્ષે, મારી ખેડૂતજીવનની નવી દિશામાં શરૂઆત થઈ જ્યારે મેં કામા ઈન્ટરનેશનલ ઓર્ગેનિક પ્રા. લિ. કંપનીની જૈવિક પ્રોડક્ટ્સનો મારા બટાકાના પાકમાં ઉપયોગ કર્યો. સૌ

વધુ વાંચો>>>>

શું તમને ખબર છે કે કૃષિ વિજ્ઞાન મેગેઝીન વાર્ષિક લવાજમ ૩૯૯ છે તે હવે ટેલીગ્રામ ચેનલમાં ફ્રી છે ? આજે જ જોડાવ

કૃષિ વિજ્ઞાનમાં શું વાંચવા મળે છે ? એપ્રિલ અંક > કપાસની નવી જાતોના ખેડૂતોના અનુભવો કપાસ બીજ પસંદગી વિશેષાંક. મે અંક > કપાસની ખેતીમાંથી આવક કેમ મેળવશો ? જુન અંક > ચોમાસું પાકોમાં ક્યા પાકનું વાવેતર નફાકારક રહેશે ?. આજે ટેલીગ્રામ ચેનલમાં જોડાઈને કૃષિ વિજ્ઞાન માસિક

વધુ વાંચો>>>>

આ દીપાવલીના પર્વમાં મોબાઈલને ખેતી ઉપયોગી યંત્ર બનાવો, દીપાવલીની ખાસ ઓફરનો લાભ લ્યો.

શું તમને ખબર છે કૃષિ વિજ્ઞાન મેગેઝીન કે જેનું વાર્ષિક લવાજમ રૂ. ૩૯૯ છે તે કૃષિ વિજ્ઞાન હવે ટેલીગ્રામ ચેનલ ઉપર ફ્રી વાંચવા મળશે. આખો અંક દર મહીને વાંચો અને તમારી ખેતી સમૃદ્ધ બનાવો, જોડાવ આજે જ કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલમાં.

વધુ વાંચો>>>>

આજે ખેતીમાં આગળ વધવા રોજ જ્ઞાન વધારવું જરૂરી છે ત્યારે તમારે કૃષિ વિજ્ઞાન માસિકનું લવાજમ ૩૯૯ છે તે ફ્રી વાંચવા ટેલીગ્રામમાં જોડાવું જોઈએ.

કૃષિ વિજ્ઞાન આપે છે દુનિયાની છેલ્લામાં છેલ્લી કૃષિ માહિતી, નવી શોધ, નવા બિયારણો, નવી દવાઓના સફળ પ્રયોગોની વાત, કૃષિ વિજ્ઞાન વાંચીને ખેતીને સમૃદ્ધ બનાવવા આજે જ ટેલીગ્રામ ચેનલ માં જોડાઈ જાવ.

વધુ વાંચો>>>>

મરચીના છોડમાં રોગ કેવી રીતે આવે છે ?

હવે મરચીના છોડમાં રોગ કેવી રીતે આવે છે ? તે સમજીએ, રોગકારકના ફેલાવામાં કોણ કોણ ભાગ ભજવે છે તે પણ સમજી લેવું જોઈએ. કોઈપણ રોગકારક જે તમારા ખેતરમાં આવ્યું છે તેને ફેલાવા માટે અનુકુળ વાતાવરણ અને સમય જોઈએ. રોગકારક તો જ ફેલાય જો તેને હોસ્ટ મળે

વધુ વાંચો>>>>

કથીરી એ અષ્ટપગી કરોળિયા ગ્રુપની જીવાત છે

કથીરી એ અષ્ટપગી કરોળિયા ગ્રુપની જીવાત છે તે સંયુક્ત રીતે સમૂહમાં જીવે છે તે મરચીના પાનની નીચે હોય છે એક કોલોનીમાં કેટલીએ કથીરી હોય છે જે પાકને રસ ચૂસીને ખૂબ જ નુકશાન કરે છે તેના ઈંડા ઝીણાં પાણીના ટીપા પડ્યા હોય તેવા હોય છે. કથીરી પાન

વધુ વાંચો>>>>

ખરા ઉનાળે આપણા બાગમાં પાકા લીંબુ ઉતરે એ માટે શું કરવું ?

વરસાદ પૂરો થયે ઝાડવા પરથી મોટા લીંબુ બધા ઉતારી લેવા અને પિયત આપવાનું સદંતર બંધ કરવું. જેથી પાન પાકી જઇ ખરવા માંડશે. જમીન ભેજ ન છોડતી હોય તો તંતુમૂળ તૂટે એવો ઊંડો ગૉડ આપી જમીનમાં ભેજ છોડાવવો. પાંદ બધા ભલે ખરી ન જાય પણ સાવ પાકોટી

વધુ વાંચો>>>>

ખેતી અને હિમવર્ષા – કરાને લીધે થતી અસરો

હિમવર્ષા – કરાને લીધે થતી અસરો • તાપમાન એકદમ શૂન્ય નજીક જતાં પાકની ભૌતિક અને દેહધાર્મિક ક્રિયાઓને નુકસાન થાય છે. • વધારે પડતા બરફ/હિમવર્ષાથી પાંદડા, થડ અને ફળો ફાટી જાય છે. • કરાના કારણે છોડની ડાળીઓ ભાંગી તૂટી જાય છે તથા ફૂલ, દાણા અને ફળો ખરી

વધુ વાંચો>>>>

ટીસ્યુકલ્ચર એ શું છે ?

આ બીજેત્તર વર્ધનની એક ઉત્તમ રીત છે. જે ઝાડ ખડતલતાં, ઉત્પાદકતા, રોગપ્રતિકારકતા જેવી બધી ઉત્તમ બાબતોમાં શ્રેષ્ઠ પુરવાર થયું હોય, તેના શરીરના કોઇપણ ભાગ-મૂળ, થડ, ડાળી, પાંદ, કે ફૂલમાંથી થોડો ટુકડો લઇ, તેને લેબોરેટરીમાં ખાસ માવજત આપી એક ટુકડામાંથી હજારો છોડ-બધા એક જ સરખા રંગે, રૂપે,

વધુ વાંચો>>>>

ખેતીમાં બાષ્પીભવન અને ઉત્સવેદન

જમીન કે પાણીની સપાટી પરથી પાણી વરાળ સ્વરૂપે પરિવર્તિત થઈ હવામાં ઊડી જાય છે તેને બાષ્પીભવન કહે છે. જ્યારે પાણી વનસ્પતિમાંથી વરાળ સ્વરૂપે પરિવર્તિત થઈ હવામાં ઊડી જાય છે તેને ઉત્સવેદન કહે છે. પર્ણરંધ્રો દ્વારા વાતાવરણમા વરાળ અને કાર્બન ડાયોક્સાઈડની અવરજવર થાય છે. જેના પરિણામે છોડના

વધુ વાંચો>>>>

ખેતીમાં હવામાં રહેલો ભેજ

હવામાં ભેજ વરાળ સ્વરૂપે, પાણીના બિંદુ સ્વરૂપે અને બરફના કણો સ્વરૂપે હોય છે. હવાના ભેજને સાપેક્ષ ભેજ તરીકે એટલે કે ટકામાં દર્શાવવામાં આવે છે. હવામાં ભેજ સમાવવાની શક્તિ છે. હવાનું જેમ તાપમાન વધે તેમ ભેજ સમાવવાની શક્તિ વધે છે. હવા નિયત તાપમાને તેના કુલ કદના વધુમાં

વધુ વાંચો>>>>

ખેતીમાં વરસાદ

વાતાવરણમાં નીચેની સપાટીની ભેજવાળી હવા સૂર્યની ગરમીને લઈ ગરમ થતાં પાતળી અને હલકી બને છે. આ પાતળી અને હલકી હવા ઊંચે ચડે છે. હવામાં ઉપર જઈએ તેમ તાપમાન અને દબાણ ઘટતું હોઈ વરાળ ઠારણબિંદુ તાપમાને વાદળમાં ફેરવાય છે. જો આ વાદળ ફરી ઉપર ગતિ કરે ત્યારે

વધુ વાંચો>>>>

ખેતીમાં હવામાન પરિબળો/ઘટકો

(૧) સૂર્યપ્રકાશ, (૨) હવાનું તાપમાન, (૩) જમીનનું તાપમાન, (૪) વરસાદ, (૫) હવામાં રહેલોભેજ, (૬) બાષ્પીભવન અને ઉત્સવેદન, (૭) પવનની ગતિ અને દિશા, (૮) હિમવર્ષા અને કરા ની પાક પર અસર થાય છે

વધુ વાંચો>>>>

ભારતમાં પેદા થતા ચોખાની નિકાસ કેમ હવે ઓછી થાય છે ?

કેરી અને કેળા જેવા ફળોને પકવવા વિક્રેતાઓ કાર્બાઇડનો ઉપયોગ કરી પ્રદૂષિત કરે છે. અમુક ફળોને લાંબો સમય સાચવી રાખવા (સેલ્ફ લાઇફ વધારવા) કે ચળકાટ લાવવા અમુક હોર્મોન્સનો ઉપયોગ કરે છે. વિશ્વ કક્ષાએ ચોખાની નિકાસમાં ભારત દેશનો હિસ્સો ૪૦ ટકાથી વધારે છે અને ૧૪૦ થી વધુ દેશોમાં

વધુ વાંચો>>>>

ખેતીમાં હવાનું તાપમાન/ઉષ્ણતામાન

સૂર્ય વિકિરણ આપણને પ્રકાશ અને ગરમી આપે છે. સૂર્યના કિરણો જ્યારે વાતાવરણમાંથી પસાર થઈને પૃથ્વીની સપાટીએ પહોંચે છે. આ કિરણો હવા અને પૃથ્વીની સપાટી દ્વારા શોષણ થતાં તાપમાન વધે છે. પરંતુ રાત્રીના સમયે સૂર્યની ગેરહાજરીમાં જમીન, પાણી, વનસ્પતિ વગેરે ગરમી વિકિરણના સ્વરૂપે હવામાં ફેંકે છે. તેને

વધુ વાંચો>>>>

પશુઓ માટે બારેમાસ લીલાચારા તરીકે મોરિંગાની ખેતી

સરગવો પશુચારા : સદીઓથી મનુષ્યો દ્વારા મોરિંગાનો એક બહુઉપયોગી વૃક્ષ તરીકે ખોરાક અને ઔષધિ માટે ઉપયોગ થઈ રહ્યો છે. તેમાં પ્રોટીન, ખનીજ અને વિટામિન્સની વિપુલ માત્રા હોવાને કારણે તેને ‘મિરેકલ ટ્રી’ તરીકે પણ ઓળખાય છે. તે મોરિગેસી પરિવારનું એક સદસ્ય છે, જે મોરિંગા વંશના અન્ય ૧૪

વધુ વાંચો>>>>

પુસા-ડિકોમ્પોઝર

 ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, પુસાના વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત ઉકેલ છે જે પાકના અવશેષોને ૧૫ થી ૨૦ દિવસમાં ખાતરમાં ફેરવી નાખે છે જેથી પરાળને સળગતા અટકાવી શકાય છે. પુસા-ડીકોમ્પોઝરમાં સામેલ છે પુસા ડીકોમ્પોઝર કેપ્સ્યુલ્સ જેને સરળતાથી ઉપલબ્ધ અન્ય મિશ્રણોમાં ભેળવીને પ્રવાહી ફોમ્ર્યુલેશન બનાવી શકાય છે. આ મિશ્રણને

વધુ વાંચો>>>>

રેસિડયુઅલ ફ્રી ખેતીમાં જંતુનાશકોના અવશેષો તેમજ આડઅસર ઘટાડવા માટેના પગલાઓ

પાક ઉપર જીવાતની સંખ્યા ક્ષમ્ય માત્રા કરતા વધારે જોવા મળે ત્યારેજ જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ.સેન્ટ્રલ ઈન્સેકટીસાઈડ બોર્ડ અને રજિસ્ટ્રેશન કમિટી (CIB & RC) નવી દિલ્હી દ્વારા ભલામણ થયેલ જંતુનાશકોનો ભલામણ થયેલ માત્રામાં જ ઉપયોગ કરવો.શક્ય હોય ત્યાં સુધી જલ્દીથી વિઘટન પામતા જંતુનાશકો જેવા કે, એમામેકટીન બેન્ઝોએટ,

વધુ વાંચો>>>>

અવષેશ મુક્ત ખેતી એટલે શું ? જંતુનાશકોના અવશેષ એટલે શું ?

કોઈપણ જંતુનાશકનો વપરાશ નિયત માત્રામાં જે તે પાક પર કરવામાં આવે અને કાપણી પછી તેના અવશેષો મૂળ સ્વરૂપે કે તેનાથી બદલાયેલ સ્વરૂપે હોય અને જો મનુષ્ય/ પ્રાણી/ ઉપયોગી સજીવો પર નુકસાન કરે તેમ હોય તો તે ‘જંતુનાશકોના અવશેષ’ તરીકે ઓળખવામાં આવે છે.આવા અવશેષો ના રહે તેવીરીતની

વધુ વાંચો>>>>

આપણું ખેતીનું ભવિષ્ય પણ એઆઈ ટેક્નોલોજીના ફેરફાર સાથે બદલવાનું છે

નવી દુનિયા કેવી હશે તેની વાત કરું તો વિજ્ઞાનની ઝડપ એટલી છે કે ખાવા-પીવા, કામ કરવા, રહેવા-ફરવા, ભણવા, ખેતી અને ખોરાક વગેરે ક્ષેત્રોમાં પણ જબરદસ્ત ગતિએ નવા ફેરફારો આવ્યા છે અને હજુ આવી રહ્યા છે. 21મી સદી ટેક્નોલોજીની સદી છે. ટેક્નૉલૉજી આપણા જીવનને, આપણી ખેતીને કેવી

વધુ વાંચો>>>>

શું છે આ એ આઈ અને ચેટ જીપીટી ?

વાવણી પછી બધા જ નિરાંતમાં છે. શ્રાવણ મહિનો બેઠો છે એટલે ભક્તિનું પૂર આવ્યું છે . વરસાદને લીધે બધી મોલાત લીલીછમ્મ થઈ ગઈ છે બધા જ સારા બિયારણની પસંદગી કરીને ખુશ છે બધા બિયારણ સારી રીતે ઉગી બેઠા થઇ ગયા છે . આપણને ખબર છે કે

વધુ વાંચો>>>>

જંતુનાશક દવાની ખરીદી સમયે રાખવાની કાળજીઓ

કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે લાભકારી જીવાતો અને પર્યાવરણને નુકસાન ન કરતી હોય અથવા તો ઓછું નુકશાન કરતી હોય તેવી જંતુનાશક દવા કે નિંદામણ નાશક દવાની પસંદગી કરવી જોઈએ. જંતુનાશક દવા તેના અધિકૃત પરવાનેદાર (લાઈસન્સ હોલ્ડર) પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઈ પણ સંજોગોમાં અસર

વધુ વાંચો>>>>

સફળ પ્રાકૃતિક ખેતી કેમ કરી શકાય ?

આપણા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાહેબ પ્રાકૃતિક ખેતીના અભિયાન સાથે જોડાયેલા છે આખા દેશના ખેડૂતોને જમીન જીવતી રાખવાના સરળ રસ્તા બતાવતા રહ્યા છે તે આપણા કિશાનો માટે આવકારદાયક છે . તેમના વક્તવ્યમાં તેઓશ્રી જીવામૃત અને અમૃતમાટી વિશે સમજાવે છે, ઘન જીવામૃતનો ઉપયોગ, પાક સંરક્ષણ માટેના પ્રાકૃતિક

વધુ વાંચો>>>>

નિંદણ વિશે ફરીવાર નોંધ કરી લ્યો. નિંદણ પણ વિવિધ પ્રકારના હોય છે.

વાવણી પછી છોડનો વિકાસ થાય અને છોડના વિકાસની સાથે સાથે આપણી ખેતીના હઠીલા નિંદણો પાકને આપેલા બહુમુલ્ય ખાતરોમાં, પ્રકાશમાં, પાણીમાં ભાગ પડાવવા આવી જાય છે. નિંદણ વિશે ફરીવાર નોંધ કરી લ્યો.નિંદણ પણ વિવિધ પ્રકારના હોય છે. નિંદણને જીવનચક્રના આધારે વાર્ષિક, દ્રિવાર્ષિક અને બહુ વાર્ષિક નિંદણ હોય

વધુ વાંચો>>>>

ગુલાબી ઈયળની વાતો

ગુલાબી ઈયળ વાળો કપાસ જલ્દી વેચી નાખવો અને આપણા ગામની નજીક આવેલા જીનર્સ પાસે જઈને કપાસનો કચરો બાળી દેવા પણ સમજાવવું જોઈએ પણ આપણે કોઈ નું માનીએ ખરા ?  આજે તમને બધાને આ વાતના માધ્યમ થી થોડી રમુજી પણ કૃષિ શિક્ષણ આપે તેવી વાત કરવી છે

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતી જૈવિક નિયંત્રણની રીત – ૩

વનસ્પતિજન્ય કીટકનાશકોનો ઉપયોગ કરવો દા.ત. તમાકુનો ઉકાળો, લીંબોળીનાં મીંજ/ પાંદડાનાં દ્રાવણનો ઉપયોગ. નીમાસ્ત્ર : ચૂસિયાં પ્રકારની જીવાતો અને નાની ઈયળોના નિયંત્રણ માટે બ્રહ્માસ્ત્ર : મોટી જીવાતો અને ઈયળોના નિયંત્રણ માટે અગ્નિ અસ્ત્ર (અગ્ન્યસ્ત્ર) : વૃક્ષના થડ અથવા દાંડીઓમાં નુકસાન કરતા કીટકો, કળીઓમાં નુકસાન કરતી જીવાતો, ફળોમાં

વધુ વાંચો>>>>

મગફળીમાં પોટાશની અગત્યતા નોંધીએ.

ખાતરની વાત આગળ વધારીએ અને મગફળીમાં પોટાશની અગત્યતા નોંધીએ. મગફળીએ તેલીબીયાનો પાક છે તેથી તેમાં પોટાશની આવશ્યકતા વધુ છે. પોટાશ વિશે ઈન્ડિયન પોટાશ લી. એટલે આઈપીએલ જણાવે છે કે પોટાશ એટલે ચાર રસ્તે ઉભેલા ટ્રાફીક પોલીસ જેવું કાર્ય કરે છે. પોટાશ તત્વ ની ઉપલબ્ધી ન હોય

વધુ વાંચો>>>>

“સૂર્યનો પ્રકાશ” ખેતીપાકોને મદદ કરે ?

સૂર્યના કિરણોમાં સાત રંગ હોય છે. વનસ્પતિના પાનનો રંગ લીલો હોય છે એટલે લીલા રંગ સિવાયના અન્ય રંગના કિરણોને પાંદડાં માહ્યલાં હરિતદ્રવ્યો પોતાની ઝાળમાં સમાવી લે છે અને આ રીતે વનસ્પતિ સૂર્યશક્તિના સહારે હવામાંના કાર્બન ડાયોકસાઇડ તથા મૂળ વડે શોષાએલ પાણી દ્વારા શર્કરા-ગ્લુકોઝ એટલે કે “સત્વ”

વધુ વાંચો>>>>

હળદરની વિવિધ જાતો

કર્ક્યુમા લોન્ગા : ભારતમાં સૌથી વધારે ઉગાડવામાં આવતી લોન્ગા પ્રકારની હળદર તરીકે ઓળખાય છે કર્ક્યુમા એરોમેટીકમ : તેમાં રહેલા તેલને કારણે અનોખી સુગંધ આવે છે જેને કારણે તે લોકપ્રિય છે કર્ક્યુમા અમાડા રાઈઝોમમાં કાચી કેરીની સુગંધ અને સ્વાદ આવે છે અને લોકપ્રિય રીતે આંબા હળદર તરીકે

વધુ વાંચો>>>>

દાડમમાં કેળવણી

દાડમનો છોડ ક્ષુપ વર્ગનો હોવાથી તેને કુદરતી રીતે વધવા દેવામાં આવે તો ઝાંખરા જેવો વિકાસ થાય છે. માટે દાડમના છોડમાં નીચેના ભાગે વધુમાં વધુ ત્રણ ડાળીઓ રહેવા દેવી જોઈએ. બાકીની ડાળીઓ કાપતા રહેવું. જમીનથી આશરે ૬૦ સે.મી. ઊંચાઈ પછી નીકળતી ડાળીઓ રાખવી. આ પ્રમાણે છોડને કેળવવાથી

વધુ વાંચો>>>>

મરચી ની ખેતી માટે આવતા વર્ષે કઈ જમીન પસંદ કરવી જોઈએ ?

મરચીની ખેતી માટે આપણે પહેલા વાત થઇ તે પ્રમાણે કાળી ચીકણી માટી ને બદલે  સારા નિતાર વાળી જમીન માફક  છે અથવા જ્યાં પાણી નો નિતાર સારી રીતે થતો હોઈ તેવી સારા ઓર્ગનિક મેટર સાથેની જમીન હોય તે પડું પસંદ કરાય તમારી જમીન નો પી એચ 6.5

વધુ વાંચો>>>>

બીજ પૂરેપૂરું ઉગે એ માટે શું કરવું?

જમીનમાં યોગ્ય તરેહ બેઠેલ હોય તો જ વાવણી કરીએ.. કોરાભીના-બાકાસીયા ભીનામાં વાવણી કદિ ન કરવી.. વાવતી વખતે જમીનના ચાસમાં બીજ પડી જાય પછીથી તે ભીની માટીથી ઢંકાઇ જાય, તેના પર માપસરના દળે જ માટી પડે અને સહેજ દબાણ પણ મળી જાય, કે જેથી બધા બીજ ને

વધુ વાંચો>>>>

ખારેક્માં પરાગનયન દરમિયાન પડતી મુશ્કેલીઓ

ખારેકમાં માદાના હાથા ખુલ્યા પછી ૨-૩ દિવસમા પરાગનયન કરવું જરૂરી છે. અન્યથા પરાગનયન વિફ્ળ થવાની શક્યતા રહે છે. ખારેકના ઝાડમાં માદા હાથા એક સાથે ખુલતા નથી તેથી ખારેકમાં કૃત્રિમ પરાગનયન કરવું પડે છે. તેમજ દર વર્ષે ઝાડની ઊંચાઈ વધતી હોવાથી પરાગનયનનું કાર્યશ્રમ માગી લેતી પ્રક્રિયા છે.

વધુ વાંચો>>>>

મકાઈ : મકાઈ ધાન્યપાકોની રાણી

મકાઇને ધાન્ય પાકોની રાણી કહેવામાં આવે છે. મનુષ્ય અને પશુ આહારમાં તેમજ મરઘાં બતકાંના ખોરાકમાં એક આગવું સ્થાન ધરાવે છે. મકાઈમાંથી ઘણી બધી ઔધોગિક વસ્તુઓ પણ બને છે.બીમાર માણસને આપવામાં આવતું ગ્લુકોઝ પણ મકાઈમાંથી બને છે.મકાઈ લીલા ડોડા માટે, ધાણી, શાકભાજી (બેબીકોર્ન), તેલ અને ઇથેનોલ માટે

વધુ વાંચો>>>>

ચાલો આ વર્ષે મરચીમાં 45 થી 60 મણ ઉત્પાદન કોને લેવું છે ? જોડાવ આજની ખેતી બ્લોગમાં

એક ખેડૂત મિત્ર  કહે છે કે આજની ખેતી બ્લોગ મરચીનો એન્સાઇક્લોપીડિયા છે તે વાત એટલી સાચી નથી કારણ કે હજુ તો ગયા  વર્ષ કરતા પણ મરચીની ખેતીમાં વધુ આવક કેમ થાય તે વિચારવું છે અને ખેડૂતમિત્રોને વિના મુલ્યે માહિતી આપી આ વર્ષની મરચીની ખેતી બદલી નાખવી

વધુ વાંચો>>>>

વનસ્પતિમાં પોતાની પેઢી આગળ વધારવાની જીજીવિષા “કુદરતનું અદભુત” સર્જન છે ?

માત્ર માણસોને ઘડવામાં જ આવી કારીગરી કુદરતે કરી છે એવું નથી હો ભૈ ! જરા નજર કરો ! તલ-મગ કે મગફળી, સાગ-સિસમ કે ખેર, આંકડો-બાવળ કે કેરડા-કેતકી હોય કે હોય ભલેને હાથલિયો થોર ! અરે, ખરખોડી-લાંપડું કે લજામણી-બધાં ગણાય ‘વનસ્પતિ’ જ, પણ પ્રકૃતિએ બધાના સંકટ સામે

વધુ વાંચો>>>>

બાયો ફર્ટીલાઈઝરનો ખરીદતી વખતે શું ધ્યાન રાખવું ?

છેલ્લા થોડા વર્ષોમાં બાયો ફર્ટીલાઈઝરનો વપરાશ વધ્યો છે જેવા કે નાઈટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા (રાઈઝોબીયમ કલ્ચર) ફોસ્બોબેસિલસ કે પોટાશ સોલ્યુબલ બેક્ટેરિયાનો વપરાશ વધ્યો છે. આ બાયો ફર્ટીલાઈઝર જમીનમાં પડેલા ફોસ્ફરસ અને પોટાશને અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં લાવવામાં આપણને મદદ કરે છે. આ માઈક્રોબ્ઝ જીવંત હોવાથી ખરીદતી વખતે

વધુ વાંચો>>>>

પાક વૃદ્ધિ પ્રતિરોધકો કોને કહેવાય ?

જે પદાર્થ વનસ્પતિની (વૃદ્ધિ તથા વનસ્પતિની જૈવિક ક્રિયાઓ જેવી કે અભિક્રિયા અને ચયાપચયની ક્રિયા અટકાવવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાર્થોને પાક વૃદ્ધિ પ્રતિરોધક કહેવાય છે. દા.ત. ૨, ૪ ડાયકલોરફીનોકસી એસિટીક એસિડ (૨-૪-ડી), મેલીક હાઈડ્રેઝાઈડ (એમ.એચ), ફોસ્ફોન-ડી, ટ્રાયક્લોરો ફીનોકસી એસિટીક એસિડ (૨-૪-૫-ટી), ક્લોરો કલોરીન ક્લોરાઇડ અને સાયકોસીલ

વધુ વાંચો>>>>

હોળીની ઝાળ અને અખાજ ત્રીજનો પવન કહે છે આવતું વર્ષ સારો વરસાદ છે

હોળીની ઝાળ , અખાજ ત્રીજનો પવન , ટીટોડીના ઈંડા , લીમડામાં લીંબોળી , બોરડીમાં બોર , નિન્દામણમાં છોડવા, ભડલીના સુવાક્યો, પક્ષીની વર્તણુક આ બધું જોઈને આપણા અનેક અનુભવીઓ વર્ષા વિજ્ઞાનના વર્તારા કરતા હોય છે .આ વર્ષની ગરમીની વાત અને દનૈયાં તપયાની વાત કરતા સૌનું કહેવું છે

વધુ વાંચો>>>>

આજે તમને સમજાય છે કે ઝાડવા આપણા મિત્ર છે.

આજે આ કાળઝાળ ગરમીની વાત કરવી છે આપણી વાડીની જમીન , કૂવો ,બોર , પાઈપલાઈન કે પછી શેઢો આજે પોકારી પોકારીને કહે છે કે હે મારા દેવના દીધેલ ખેડૂત મિત્ર અને મારા ખેતરના ભાગીયા તમે આ ગરમ ગરમ લૂના સુસવાટા શું કહે છે તે સાંભળો. લૂ

વધુ વાંચો>>>>

ખેતીમાં માહિતી અને સંચાર ટેકનોલોજીનો ઉપયોગ

આજનો યુગ ટેકનોલોજીનો છે, આ બાબત આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ. કૃષિને મજબૂત અને ટકાઉ બનાવવા માટે જ્ઞાન આધારિત ખેતી પદ્ધતિઓને વિકસિત કરવા માટે આઇસીટી ટેકનોલોજીઓનો ઉપયોગ કરવાની એક મોટી ઝુંબેશ શરૂ કરવી પડશે. જે માટે નીચેના મુદ્દાઓ પ્રમાણે પગલાં લેવા પડશે. • બજાર અને વેરહાઉસના

વધુ વાંચો>>>>

નર્સરી કયારા ક્યાં અને કેવી રીતે તૈયાર કરવા ?

સપાટ ક્યારા પૂર્વથી પશ્યિમમાં ૧ મીટર પહોળી અને ઉત્તરથી દક્ષિણ દિશામાં ૩-૫ મીટર લંબાઈની જરૂરિયાત મુજબ તૈયાર કરવી જોઈએ. જમીન તૈયાર કર્યા પછી, ખાતર અને ખાતરોની ભલામણ કરેલ માત્રા નર્સરી બેડમાં મિશ્રિત કરવામાં આવે છે. વરસાદની મોસમમાં ભારે વરસાદ અથવા વધુ સિંચાઈવાળા વિસ્તારમાં કયારાની સંભાળ રાખવા

વધુ વાંચો>>>>

ખેતીની નવી નવી માહિતી સંયુક્ત રીતે ખેડૂતો સુધી પહોંચાડવા આ કંપનીએ એમઑયું કર્યા.

ખેડૂતને વૈજ્ઞાનિક માહિતી સમયસર અને સચોટ રીતે મળી રહે તે માટે આઈ.સી.એ.આર. એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ પુસા દિલ્હી અને ભારતની પ્રખ્યાત અને જાપાનના કોલિબ્રેશનમાં ગ્રીન પેસ્ટીસાઈડ બનાવતી જાણીતી કંપની ધાનુકા એગ્રીટેક લિમિટેડ દ્વારા તાજેતરમાં એમઓયુ થયું આઈસીએઆર અને ધાનુકા મળીને ખેતીની નવી ટેકનોલોજીની

વધુ વાંચો>>>>

નાગભાઇએ વાવેલ 108 મરચીની જાતોના અવલોકનની વાત જાણો.

હવે વાત કરીએ આ 108 જાતની મરચીમા નાગભાઈને ત્યાં જોવા મળેલ અવલોકન. એકી સાથે વાવેતર થયેલા આ 108 મરચાના પ્લોટમાં નિરીક્ષણ કરતા એવું જોવા મળ્યું કે જે મરચાનો રંગ પીળાશ પડતો હતો એ બધીજ વેરાઈટીઓમાં જીવાતનું પ્રમાણ અન્ય વેરાઈટીઓ કરતા વધારે જોવા મળ્યું. દેશી ટાઈપની મરચાની

વધુ વાંચો>>>>

મરચીની ખેતીના વાવેતર માટે જાણવા જેવી આ વાતો ખાસ નોંધો.

આવતા વર્ષે એપ્રિલ ફૂલ ન બનવું હોય તો મરચીની ખેતીના વાવેતર માટે જાણવા જેવી વાત આજે નોંધો. આજે એક એવા ખેડૂતની વાત કરવાની છે જેના અતૂટ વિશ્વાસે એમની ખેતીમાં જીવન બદલી નાખ્યું, આપણે વાત કરીએ છીએ જુનાગઢ જિલ્લાના જામકા ગામના નાગભાઈ ધાધલની, નાગભાઈ પરંપરાગત ખેતી કરતા

વધુ વાંચો>>>>

વેલ્યુ એડિસન કરીને પોતાની ખેતપેદાશને સીધી જ ઉભોક્તાઓને વેચો

આપણે વખતો વખત કહીએ છીએ કે વેલ્યુ એડિસન એટલે મૂલ્ય વર્ધન કરીને પોતાની ખેતપેદાશને સીધી જ ઉભોક્તાઓને શહેરમાં વેચો વોટ્સઅપ, ટેલિગ્રામ ચેનલ દ્વારા આજે ઘણા ખેડૂતો તરબૂચ ટેટી ખારેક દળેલું મરચું સોર્ટેક્ષ વિણાટ ઘઉં, એરંડિયું પટ આપેલ ઘઉં વગેરે સીધા ઉપભોક્તાને વેચે છે . મરચી, ધાણા,

વધુ વાંચો>>>>

કોરોમંડલ ઇન્ટરનેશનલ દ્વારા ડ્રોન દીદી પ્રોજેક્ટ

કોરોમંડલ ઇન્ટરનેશનલ નામની મૃરૂગપ્પા ગ્રુપની ખાતરની વિશાળ કંપનીએ તાજેતરમાં આંધ્રપ્રદેશના અને રંગારેડી જિલ્લામાં ડ્રોન દીદી પ્રોજેક્ટ અંતર્ગત 200 મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપને ડ્રોન આપવામાં આવ્યા . આ ડ્રોન ચલાવવાની મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવી સાથે આ ડ્રોન ખેતીમાં દવા છંટકાવ કરવા માટે ખૂબ જ ઉપયોગી હોવાથી આખા

વધુ વાંચો>>>>

ઓર્ગનિક નહિ રેસિડયુઅલ ફ્રી શાકભાજી અને ફળોની ખેતીનો સમય છે

ઓર્ગેનિક ફળો અને શાકભાજી બજારમાં મેળવવા મુશ્કેલ છે ? શું ઓર્ગનિક શાકભાજી ઉગાડી શકાય? તમે કહેશો કે જો જંતુનાશક દવા છાંટ્યા પછી તેના રેસિડ્યુઅલ ફળ ઉતારતી વખતે રહેતા નથી તો તે ફળો – શાકભાજી ઓર્ગેનિક કહેવાય. ઓર્ગનિક નહિ રેસિડયુઅલ ફ્રી શાકભાજી અને ફળોની ખેતીનો સમય છે

વધુ વાંચો>>>>

જૈન ઈરીગેશન દ્વારા ખેડૂતોએ ટપકની ઉપયોગીતા અને સંભાળની માહિતી

ઉનાળાની શરૂઆત છે ત્યારે પિયત પાણીનું મૂલ્ય ખેડૂતોને હવે સમજાય છે . ટીપે ટીપે પાણી પાવાની અત્યંત અસરકારક પદ્ધતિ હોવા છતાં જે ખેડૂતે ડ્રીપ વસાવતા નથી તે ખેડૂતો આર્થિક દ્રષ્ટિએ વળતર મેળવતા નથી કારણ કે ખુલ્લા પિયતમાં ચોમાસા દરમિયાન પણ વધુ પડતા ભેજને લીધે રોગ જીવાંતની

વધુ વાંચો>>>>

મશરૂમમાં વિટામિન ડી માનવને પોષણ આપે

ભારતમાં લોકોમાં વિટામિન – ડી અને વિટામીન B12 ની ખામી જોવા મળી રહી છે ડોક્ટરો તેના માટે ખોરાક બદલવા અને જરૂર પડે તો ગોળી અને ઇન્જેક્શન આપે છે વિટામિન ડી આપણા શરીરમાં સૂર્યપ્રકાશ લેવાથી પૂર્તિ થાય છે તેમ છતાં જરૂર પડતા વિટામિન ડી માટે ડોક્ટરો કોડ

વધુ વાંચો>>>>

2050 સુધીમાં ફૂડ લેબમાં કેમ પેદા ન થાય ?

મનુષ્યનો પોતાના શરીરના સ્વાસ્થ્ય માટે જોઈએ જરૂરી લિપિડ એટલે કે ફેટ અને ઓઇલ , પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ, વિટામિન, મિનરલ અને પાણી. આ બધું લેબમાં કે ફેકટરીમાં બને તેવું વૈજ્ઞાનિકો નવુજ હટકે વિચારી રહ્યા છે એ લોકો વિચારે છે કે 2050 સુધીમાં ફૂડ લેબ માં કેમ પેદા ન

વધુ વાંચો>>>>

શું આવતા વર્ષોમાં ખેતીની જરૂર નહિ પડે ?

તમેજ વિચાર કરો , દેશ અને દુનિયામાં વિકાસ થઇ રહ્યો છે ખેતીની જમીન ઘટી રહી છે તેમ છતાં અનાજ, ફળો , શાકભાજીની અછત નથી થઇ .કરોડો લોકો સ્વાસ્થ્ય માટે સલાડ અને સારા ફળો માંગે તો ખેડૂતો મહેનત કરીને તે પુરા પાડે છે .આ માટે આપણે જમીન

વધુ વાંચો>>>>

2050 આવતા આવતા ખેતીમાં શું પરિવર્તન થવાનું છે ?

થોડા વર્ષોથી આખી દુનિયામાં એવો વાયરો વાયો છે કે ખેતી પેદાશના ભાવ ખેડૂતને મળતા નથી, આજે આખા વિશ્વના ખેડૂતો પ્રદર્શનો કરી કહી રહ્યા છે કે અમે જગતના તાત છીએ અમે ફૂડ પેદા કરીયે છીએ અમને બચાવો. આજે વિશ્વભરના ખેડૂતો મુંજાયને પોતાને ફાવે તેવા બીજા વ્યવસાય તરફ

વધુ વાંચો>>>>

મગફળીમાં અફલાટોક્ષિન નામની ઝેરી ફૂગના લીધે ખોરી થઇ જાય છે

• મકાઈના પાકમાં પેદા થતી અમુક ફૂગના લીધે મકાઈ ઝેરી બની જાય છે. કારણ કે મકાઈમાં ગ્લોબલ વોર્મિંગના લીધે અફલાટોક્ષિનનું પ્રમાણ વધી રહ્યું છે. આપણે ત્યાં મગફળીમાં અફલાટોક્ષિન નામની ઝેરી ફૂગના લીધે ખોરી થઇ જાય છે તે મગફળી વિદેશમાં નિર્યાત થઇ શક્તિ નથી. મગફળીના પાથરા ને

વધુ વાંચો>>>>

ચાલો આપણા ગ્રામને આદર્શ ગામ, રામ ગ્રામ બનાવીયે

આપણા આરાધ્ય દેવ અને આપણા હૃદયના સમ્રાટ રામ ભગવાનનો ઉત્સવ આપણે કરીયે છીએ , રોજ આપણે રામજી મંદિર જઇયે છીએ ત્યારે ચાલો આપણા ગ્રામને આદર્શ ગામ , રામ ગ્રામ બનાવીયે .આપણા ગામમાં ગ્રામ એકતા આવે તે માટે રામના ગુણોને આપણા જીવનમાં લાવવા પ્રયત્ન કરીયે. આપણા જીવનમાં

વધુ વાંચો>>>>

વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા મરચા પાવડર બનાવીને પોતાની બ્રાન્ડથી વેચી રહ્યા છે.

મૂલ્યવર્ધન કરીને ખેત પેદાશ વેચવા અને ડાઇરેક્ટ વેચાણ કરીને સારી આવક કરવાનું હવે બધા વિચારી રહ્યા છે . વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી એપ્લિકેશન આ માટે આપણી મદદ કરે છે . આજે ઘણા ખેડૂતો શહેરના મિત્રો અને કુટુંબીજનો સાથે વોટ્સએપ અને ટેલિગ્રામ સાથે જોડાઈને મરચા પાવડર બનાવીને

વધુ વાંચો>>>>

આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે

તમને સમાચાર મળ્યા ? વૈજ્ઞાનિકો કહે છે કે આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે . અલીનીનોની અસર કહોકે બદલાય રહેલા હવામાન કહો કે પછી ગ્લોબલ વોર્મિંગ કહો આખા વિશ્વમાં ગરમી વધવાના એંધાણ છે . ગરમીનો વધારો કેટલાય પ્રસ્નો લાવે છે , કહેવાય છે કે આફ્રિકાના

વધુ વાંચો>>>>

મરચીના વધુ ઉત્પાદન માટે ખેડૂતોએ શું નવીન પગલાં લીધા ?

મરચીની ખેતીની વાત કરીયે તો આપણા ગોંડલ વિસ્તારના મરચાની ક્વાલિટી એટલી સારી થાય છે કે આખા દેશમાંથી વેપારીઓ ગોંડલ યાર્ડમાંથી મરચી ખરીદવા આવે છે . આપણા ગોંડલ યાર્ડમાં અધધ મરચી આવતી હોવા છતાં આ વર્ષે ખેડૂતોને મરચીની ખેતીમાં એકંદરે સારા ભાવ મળ્યા છે . આવતા વર્ષે

વધુ વાંચો>>>>

વાવશો તો ફાવશો યુએસ ૪૭૫૩

US- ૪૭૫૩સુરેશભાઈ હિન્દુભાઇ સભાયાગામ ઃ પાટી તા. બોટાદ, જી. બોટાદ, મો. ૯૯૦૪૬ ૬૪૫૪૯ US- ૪૭૫૩ યુએસ સીડ્સ કંપનીની કપાસની જાત છે.જેમાં મોટા જીંડવા અને નાની વરખડી એટલે કે સીરીઝમાં જીંડવા આવે છે. ચુસીયા પ્રકારની જીવાત ઓછી લાગે છે. વીણવામાં સરળ છે. અને વજનમાં બીજી વેરાઈટી કરતા

વધુ વાંચો>>>>

કપાસ ઉત્પાદનની હોય આશા તો વાવો સીરી અને રાજા

સીરીનાગજીભાઈ ઉકાભાઈ ભંડેરીગામ ઃ મોડપર તા. જી. જામનગર મો. ૯૮૯૮૬૪ ૬૧૫૯મારા ખેતરમાં નુઝીવીડું સીડ્સ કંપનીનું સીરી (૮૯૯) કપાસનું વાવેતર કરેલ છે. સીરી કપાસમાં ચુસીયા પ્રકારની જીવાત સામે ખુબ જ સહનશીલ જાત છે. તેથી દવાના છંટકાવનો ખર્ચ પણ બચે છે. સીરી કપાસમાં નજીક નજીક જીંડવા પુષ્કળ સંખ્યામાં

વધુ વાંચો>>>>

કાકાજી વાવજો ઉપજ વધારજો

માર્કિવ સીડ્સ કંપનીની કપાસની KAKAJI BG II જાતને છેલ્લા બે વર્ષથી ખેડૂતો ખૂબજ બહોળા પ્રમાણમાં વાવેતર કરી રહ્યા છે અને હાલમાં ખેડુતો વચ્ચે મુખ્ય ચર્ચાનો વિષય બની રહ્યો છે જેનું મુખ્ય કારણ આ જાત ગુલાબી ઇયળ સામે પ્રતિકાર શક્તિ ધરાવે છે અને ૧૧૫-૧૨૫ દિવસ સુધી ગુલાબી

વધુ વાંચો>>>>

કપાસની સુપર જાત સુપર બંટી અને અંબુજા

અંબુજા (PRCH ૭૩૯)વિનોદભાઈ સાવલિયા – ગામઃ મોવિયા તાલુકા ઃ ગોંડલ, જીલ્લો ઃ રાજકોટ મે એશિયન એગ્રી જીનેટીકસ લિમિટેડનો અંબુજા (PRCH૭૩૯) કપાસ બીજ વાવેતર કરેલ છે. મારો કપાસ બહુ જ સારો છે. મારો કપાસ ખુબ જ ઊંચો અને સારો છે. આ કપાસની જાતમાં સિરીઝમાં જીંડવા લાગે, સતત

વધુ વાંચો>>>>

કુંડલી ગામના ઈશાભાઈનો કપાસ

૨૦૨૩ ના વર્ષમાં કપાસ ની વાત આવે તો ખેડૂતના મોઢા પર નિરાશા જોવા મળે એવા સમયગાળામાં પણ બોટાદ જીલ્લા ના રાણપુર તાલુકાના કુંડલી ગામના ખેડૂત ઈશ્વરભાઈ મોતીભાઈ રબારી ના ચહેરા પર અનેરુ સ્મિત ને ખુશી જોવા મળી કારણ પૂછતા ઈશ્વરભાઈ જણાવે છે કે મે કર્તવ્ય સીડ્સ

વધુ વાંચો>>>>

વિક્રમ બીગ્ગી કપાસનો સમય આવી ગયો છે.

રમેશભાઈ જયરામભાઈ ગુજરાતી ગામ ઃ મેસપર તા. ગોંડલ . જી. રાજકોટ મો. ૯૮૨૪૫૦૨૩૫૧ હું ઘણા વર્ષોથી કપાસનું વાવેતર કરું છું આ વર્ષે ખેડૂતની જૂની અને જાણીતી વિશ્વાસુ કંપની વિક્રમ સીડ્સની નવી કપાસની જાત બીગ્ગીનું વાવેતર કરેલ હતું. મારા ખેતરમાં આના સીવાય પ્રચલિત કંપનીનું કપાસની જાતોનું વાવેતર

વધુ વાંચો>>>>

મહિકો બાઉન્સર તો બાહુબલી છે.

બાઉન્સરભરતભાઈ કનુભાઈ – ગામ ઃરફાળા તા. | જી. રાજકોટ મો. ૯૬૦૧૫ ૧૫૮૩૦ મેં આ વર્ષે મહિકો કંપનીના બાઉન્સર કપાસની જાતનું વાવેતર કરેલ જેમાં ચુસીયા જીવાત ઓછી લાગે છે. દવાના છંટકાવ ઓછા હોવાથી મહેનત અને સમયનો બચાવ થાય છે. બાઉન્સર કપાસના મોટા અને વજનદાર જીંડવા હોવાથી ઉત્પાદન

વધુ વાંચો>>>>

વેદા સીડ્સ ધર્માં ગોલ્ડ અને પ્લેટીનમ કપાસ

વેદા ધર્મા ગોલ્ડચીમનભાઈ નાથુભાઈ કયાડા, ગામઃ દેવકી ગાલોલ, તા. જેતપુર જી. રાજકોટ મો. ૯૪૨૬૧ ૮૫૦૭૧ સૌ ખેડૂત મિત્રોને જાણવું છું કે મેં મારા ખેતરમાં વેદા સીડ્સ સાયન્સ પ્રા. લી. કંપનીની કપાસની જાત વેદા ધર્માગોલ્ડ બીજી ઈંઈં નું વાવેતર કરેલું છે. આ કપાસની જાતની મુખ્ય વિશેષતાઓ તમને

વધુ વાંચો>>>>

ટોપ કપાસ એગ્રીટોપ

એગ્રીટોપ – ૭૭૭ સત્રીભાઈ કનુભાઈ જોશી ગામ : પીઠડ, તા. જોડિયા જી. જામનગર મો. ૮૧૨૮૭ ૪૭૭૧૭ મેં આ વર્ષે એગ્રીટોપ – ૭૭૭ જાતનું વાવેતર કરેલ આ જાતમાં છોડ ખુબ જ મજબુત ખીલામૂળ વાળો અને છેલ્લે સુધી લીલો રહે છે. આ જાતના જીંડવા મોટા, ભરાવદાર તથા ઉપર

વધુ વાંચો>>>>

હર હાલમેં ખુશહાલ ઓમેગા સૌથી મોટું જીન્ડવું

સોલાર એગ્રોટેક પ્રા લી.- રાજકોટની ઓમેગા બીજી-૨ (સોલાર-૧૦૮) જાત ખેડૂતોમાં ચર્ચાનો વિષય બની ગયેલ જાત છે. ઓમેગા ભારત સરકારની નોટીફાઈડ થયેલી જાત છે. આ જાત મધ્યમ અવધિ એટલે કે ૧૬૦ – ૧૭૦ દિવસમાં પાકતી જાત છે. આ જાતની ખાસ વિશેષતા એ છે કે ખુબ જ મોટા

વધુ વાંચો>>>>

કપાસની કોટબેંક-અલ્ટીમેટ અને મોક્ષા

કોટબેંકજેન્તીભાઈ માધવજીભાઈગામ ઃ મોટી વાવડી તા. ઉપલેટા જી. રાજકોટમો. ૮૧૪૦૦૮૩૦૮૮હું કોટબેંકનું વાવેતર છેલ્લા ૨ વર્ષથી કરું છું, આ જાતની ખાસિયત એ છે કે આ જાતમાં જીંડવા સીરીઝમાં આવે છે. અને ચુસીયા જીવાત ઓછી આવે છે. આ મોટા જીંડવાની જાત છે. ફળાઉ ડાળીની સંખ્યા પણ વધારે છે

વધુ વાંચો>>>>

ખેતીમાં રહેવું હોય પ્રાઈમ તો વાવો રાસી પ્રાઈમ

નમસ્કાર ખેડૂત મીત્રો,રાસી સીડ્સ પ્રા. લી. વતી આપ સર્વે ખેડૂત મીત્રોને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ જાણો છો કે રાસી સીડ્સ છેલ્લા ૫૦ વર્ષોથી કપાસના ઉચ્ચ સંશોધિત બિયારણો બનાવી આપના સુધી પહોંચાડે છે. અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો રાસી સીડ્સ દ્વારા ગામડે- ગામડે

વધુ વાંચો>>>>

વાવો સહેનશાહ બનો શાહુકાર – વિશ્વાસ સીડ્સ

એ રામ રામ ખેડૂત ભાઈઓ મજા માં ને?, હવે મારે તમને આજે એક આપણો ફાયદો થાય તેવી વાત કરવી છે. આમ તો આપણે ભગવાન ભરોસે અલગ અલગ પાક અને અલગ અલગ વેરાઈટીનું વાવેતર કરતા હોઈએ છીએ એવી જ રીતે મેં આ વખતે વિશ્વાસ સીડ્સના ભરોસે તેમની

વધુ વાંચો>>>>

લ્યો બોલો ! જીરુમાં પણ લશ્કરી ઈયળોનું નુકશાન

વાત છે તીથવા તા. વાંકાનેર જી. મોરબીની તીથવાના ખેડૂત જુબેર રસુલભાઈ વકાલિયાની વાડીમાં જીરુંનું વાવેતર છે. જીરું 20 દિવસનું થયું છે. ખેતરમાં જીરુંના છોડ કપાયેલા નજરે ચડ્યા જમીનની તિરાડોમાંથી લશ્કરી ઈયળ સપોડેપ્ટરા લિટયુસ જોવા મળી. લ્યો બોલો. જીરુમાં પણ લશ્કરી ઈયળોનું નુકશાન તીથવાના ખેડૂતોમાં જોવા મળી

વધુ વાંચો>>>>

મિત્ર બેક્ટેરિયા અને મિત્ર ફૂગ દ્વારા આપણા પાકનું રક્ષણ કરવાની સરળ રીત

પાક સંરક્ષણ માટે મિત્ર બેક્ટેરિયા અને મિત્ર ફૂગ દ્વારા આપણા પાકનું રક્ષણ કરવાની સરળ રીત આપણને વડોદરાની જાણીતી કંપની એગ્રીલેન્ડ બાયોટેક લી. દ્વારા આપીને આપણી મદદે આવી છે. એગ્રીલેન્ડ બાયો ફર્ટિલાઇઝર, બાયો લોજીકલ પેસ્ટીસાઇડ, બાયોલોજીકલ ફંગીસાઇડ, બાયોલોજીકલ નીમેટીસાઇડ વગેરે બનાવે છે. અત્યારે તો એગ્રીલેન્ડના લશ્કરી ઈયળના ફેરોમોન

વધુ વાંચો>>>>

આખી દુનિયાના કૃષિ વૈજ્ઞાનિકો જૈવિક નિયંત્રણની અને આઈપીએમ તરફ વળ્યાં છે.

ખેતીમાં પાક સંરક્ષણ માટે વપરાતી જંતુનાશકોની વિપરીત અસરો ધ્યાનમાં આવતા આખી દુનિયાના કૃષિ વૈજ્ઞાનિકો જૈવિક નિયંત્રણની અને આઈપીએમ તરફ વળ્યાં  છે. વિશ્વની નામાંકિત કંપનીઓ જૈવિક નિયંત્રણ માટેની નવી શોધ અને સંશોધન શરુ કરી દીધું છે.  હવે પછીના કૃષિ મેળામાં તમને બાયોલોજીકલ સોલ્યુશન પ્રોડક્ટ્સ વધુ જોવા મળશે અને આપણને

વધુ વાંચો>>>>

નવું અપનાવવાથી કેવો ફાયદો થાય તે તમારે જાણવું હોય તો વાંચો…

નવું અપનાવવાથી કેવો ફાયદો થાય તે તમારે જાણવું હોય તો નોંધો કે બિયારણએ ખેતીનો પાયો છે બીજની પસંદગી જેટલી સારી તેટલી તમારી ખેતી સમૃદ્ધ. કારણ કે નવા નવા બીજમાં હોય છે અનુવાંશિક ગુનો નો ભંડાર આજે વૈજ્ઞાનિકો જે નવા બીજ શોધે છે તેમાં તે રોગ-જીવાત સામે

વધુ વાંચો>>>>

તરબૂચ – ટેટી માટે ક્રોપ કવરનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ?

તરબૂચ અને શક્કરટેટીના ઉત્પાદનમાં ખેડૂતો નવતર પ્રયોગ કરી રહ્યા છે. કેટલાક ખેડૂતમિત્રો કોપ ક્વર (નોન વુવન પ્લાસ્ટિક ક્વર)ની મદદથી શક્કરટેટીનું વાવેતર ફેબ્રુઆરીની જગ્યાએ જાન્યુઆરીમાં જ કરવા લાગ્યા છે. જેમાં પાને ક્રોપ ક્વરના લીધે વાવેતરમાં શરૂઆતની અવસ્થામાં રોગ જીવાત તેમજ ઠંડી સામે રક્ષણ મળે છે. જેના લીધે

વધુ વાંચો>>>>

પ્રત્યેક છોડ ધાર્યું ઉત્પાદન મેળવે તે માટે ખાતરનો પ્રોગ્રામ મેળવવો જોઈએ .

ધાર્યુ ઉત્પાદન લેવા જમીન ચકાસણી વૈજ્ઞાનિક રીતે એનપીકેની સાથે માઈક્રોન્યુટ્રીયન્ટ અને જમીન – પાણીના પીએચ. ઈ.સી. વગેરેના આધારે કરવી પડશે . પ્રત્યેક છોડ ધાર્યું ઉત્પાદન મેળવે તે માટે પોષણની ગણતરી કરવા એગ્રોનોમિસ્ટની મદદ લઇને ખાતરનો પ્રોગ્રામ મેળવવો જોઈએ . છોડ મૂળ દ્વારા અથવા પાંદડા દ્વારા કેટલું

વધુ વાંચો>>>>

જમીન એ શું છે ? તે આપણે સમજવું પડશે

માટીની વાત આવી છે તો જમીનની ફળદ્રુપતાની વાત કરી લઈએ. આપણી જમીન ફળદ્રુપ રહે, આપણી જમીન જીવતી રહે તે માટે જમીન એ શું છે ? તે સમજવું પડે આપણી જમીન એટલે વરસોના વરસો સુધી કેળવેલી આપણા બાપ-દાદાની મહેનતનું પરિણામ છે. આપણી જમીન એટલે આપણા છોડનો આધાર,

વધુ વાંચો>>>>

ખેતી કરવા વેજ્ઞાનીક અભિગમ કેળવવો પડશે

સાવચેતી ની વાત છે ત્યારે આપણને હવે બધુ સમજાય ગયું છે કે ખેતી કરવા કોઈ જુની પુરાણી રીત હવે નહિ ચાલે વેજ્ઞાનીક અભિગમ કેળવવો પડશે . વાવોને લણી આવો એવું હવે નથી . ખેતી માટે આંખ કાન ખુલા રાખી રોજ રોજ ખેતરે આટો મારવાની કળા ખીલવવી

વધુ વાંચો>>>>

લાભ પાંચમ એટલે નવા વરસે આપણી ખેતીમાં શું બદલાવ લાવવો ?

લાભ પાંચમ એટલે નવા વર્ષની શરૂઆત વિશે વાત કરીએ, નવા વરસે આપણી ખેતીમાં શું બદલાવ લાવવો ?  ગયા વરસે લીધેલા સાચા ખોટા નિર્ણયોની યાદી ડાયરીમાં જોઈને નવા વરસે ઉત્તમ ખેતી માટે કૃષિ વિજ્ઞાનને ભેરે લઈને નફાકારક ખેતીની વેજ્ઞાનિક વાત ફોન ડાયરીમાં ટપકાવી લેવી જોઈએ. ફોનની વાત

વધુ વાંચો>>>>

ડાયરી રાખવાની ટેવ કે હિસાબ પોથી રાખવીની ટેવનો લાભ

કારતક મહિનો એટલે ડહાપણનો મહિનો, હિસાબનો મહિનો, કારતક મહિને એ સમજાય કે ખર્ચ બાદ કરતા સિલક કેટલી રહી, આ જમા ઉધારની નોંધ આપણને ઘણું શીખવી જાય છે. કારતક મહિને કરેલી ડાયરીની નોંધ આવતા વર્ષ માટે સોનેરી નિર્ણયોની ગરજ સારે છે. પરંતુ થાય છે એવું કે જેઠ

વધુ વાંચો>>>>

આખું વર્ષ જે શ્રેષ્ઠ અને ઉત્તમ હતું તેની નોંધ વખતો વખત કરી ન હોય તો કારતક મહિને કરી લેવી.

આજે માહિતીનો આધુનિક યુગ છે ત્યારે આપણી પાસે સાચી ખોટી માહિતીનો ધોધ વહી રહ્યો છે વોટ્સઅપ યુનિવર્સીટીમાં આવતા ગતકડાં ક્યારેક સાચા બીજ અને સાચી જંતુનાશક કે સાચી સમજણથી વંચિત રાખી દે છે. વાંચેલું આપનાવવાની લાલચ અને  ઉતાવળ કરાવે તેવા વોટ્સેપનો પાર નથી  એટલે અમુક આપણ ને

વધુ વાંચો>>>>

આજે આપણે જે છીએ તે એટલે આપણે વખતો વખત લીધેલા નિર્ણયોનો સરવાળો

એક ખેડૂતપુત્ર તરીકે દરેકને દીપાવલીનું પર્વ ઉમંગ ઉત્સાહ અને આનંદથી કુટુંબ સાથે ઉજવવાની હોંસ હોય તે સ્વાભાવિક છે. દિવાળી રંગે ચંગે માણવા  માટે આપણે આખા વર્ષ મા લીધેલા નિર્ણય જવાબદાર હોય છે કારણ કે લીધેલા નિર્ણયોનો સરવાળો એટલે આજની પરિસ્થિતિ આપણા પોતાના વિકાસમાં એટલે કે આજે

વધુ વાંચો>>>>

સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયાં 

બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15  લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જાે ઉપદ્રવ વધારે જણાય તો ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિ.લી. અથવા મેલાથીઓન ૫૦ ઇસી 15  મિ.લી. અથવા ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6  ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી 15  ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ

વધુ વાંચો>>>>

ધાણામાં નિંદામણનાશક

● ધાણાના પાકમાં નીંદણના કારણે ઉત્પાદનમાં ૫૦-૭૧ ટકા સુધી ઘટાડો થાય છે. નીંદણના ઉપદ્રવને ધ્યાનમાં રાખીને ૨-૩ આંતરખેડ અને ૨ હાથ નિંદામણની જરૂરિયાત રહે છે. ● પેન્ડીમિથેલીન ૧.૦ કિ.ગ્રા. સક્રિય તત્ત્વના રૂપમાં ૪૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટરનું દ્રાવણ બનાવી હેક્ટરે ૫૦૦ થી ૬૦૦ લિટર મુજબ વાવણી

વધુ વાંચો>>>>

ગાયને સારું ઘાસ આપીએ તેનાથી ગાયનું પેટ ભરાય પણ પોષણ મળે છે કે કેમ ?

આપણે ગાય રાખીયે પણ ગાયને સારું ઘાસ ખવડાવતા નથી , ગાય નું પેટ ભરાય પણ પોષણ મળે છે કે કેમ ? તેનો વિચારજ કરતા નથી . ગાયનું પેટ ભરાય એટલે ઝીંઝવો જેવું ન ભાવે તેવું ઘાસ ખવડાવીએ છીએ , પશુ કહેતું નથી કે એલા હું તમને

વધુ વાંચો>>>>

આપણે ગાય રાખીયે તો ગાય આધારિત ખેતી કરી શકીયે?

ગાય આધારિત ખેતીની વાત કરવી છે પણ ગાય કોઈ ને રાખવી નથી , આજે ગાય અને બળદ કોઈને પોસાતા નથી કારણ કે છેલ્લા બે દસકાથી આપણા વડીલોએ ભાવાવેશમાં આવી કન્યા છાત્રાલયો સારી કરી ઉત્તમ કામ કર્યું . પણ ગામડે ગામડે દીકરો ખેતી કરશે એટલે દીકરાને શિક્ષણ

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતીમાં ઓછી પ્રોડક્ટિવિટી સામે આપણી આવક કેમ જાળવવી ?

પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી , સજીવ ખેતી , ઓર્ગનિક ખેતી આ બધી ખેતી કરવી હોય તો તેના માટે મહત્વની વાતો કઈ છે? પહેલી વાત કે આજકાલ લોકોને ઓર્ગનિક ખાવું છે એટલે જો તમે આવી ખેતી કરવા ધારો તો સૌ પ્રથમ તમારી થોડી જમીનમાં આ પ્રયોગ

વધુ વાંચો>>>>

કૃષિ વિજ્ઞાન જુના અંકો માંથી : ઘઉંનાં પાકનું ક્યારે વધુ ઉત્પાદન મળે ?

વર્ષ ૧૯૭૬નું જાન્યુઆરીના અંકમાં ચપાયેલ લેખ આજે પણ પ્રસ્તુત છે. કૃષિ વિજ્ઞાન સદા વૈજ્ઞાનિક અભિગમને રજુ કરતુ રહે છે તે તમારા ધ્યાનમાં આવ્યું હશે.

વધુ વાંચો>>>>

એક અળસિયું પોતાના જીવનકાળ દરમ્યાન કેટલા માઈલનો પ્રવાસ કરે ?

એક અળસિયું જમીનમાં હરે ફરે ત્યારે પોતાના જીવનકાળ દરમ્યાન કેટલા માઈલનો પ્રવેશ કરે તેનો વિચાર કરીએ. અળસિયાનું જીવન 4 થી 8 વર્ષનું હોય છે. અમુક અળશિયા 27 ફૂટ પ્રતિ કલાક જમીનમાં વહન કરે છે તો અમુક 240 ફૂટ પ્રતિ કલાક વહન કરે છે. આપણે ઝડપી અળશિયાની

વધુ વાંચો>>>>

વૈજ્ઞાનિક ખેતી સાથે અળસિયાનું સંવર્ધન કરો

આપણને પ્રશ્ન થાય કે શું બધા પ્રકારના અળશિયા કે જેને અર્થવર્મ કહેવામાં આવે છે તે લાભકારી છે, હા અળશિયાના ઘણા લાભ છે અળસિયું પોતાના ખોરાક માટે માટી ખાય છે અને તે જમીનમાં કાણું પાડી માટી ખાતું ખાતું આગળ વધે છે અને પાછું આવે છે ત્યારે નવું

વધુ વાંચો>>>>

અળસિયું આપણી જમીનને ખેડે છે

ખેડૂતો અને બગીચા ધારકોનું ગમતું અળસિયું આપણી જમીનને ખેડે છે સમગ્ર વિશ્વમાં રહેલા અળશિયાને લીધે 140 મિલિયન ટન આનાજ, ફળો, શાકભાજીનો પાક આપણને મળે છે તેવું અનુમાન કરનાર ઇકોલોજિસ્ટ શ્રી હેલન ફિલિપ કહે છે કે અળશિયાને લીધે જમીનની ગુણવત્તા જે સુધરે છે તેના લીધે વિશ્વના લોકોને

વધુ વાંચો>>>>

અળસિયું આપણી જમીનનું હળ

અળસિયું આપણી જમીનનું હળ છે જે ઊંડી ખેડ કરે છે પાણી જમીનમાં પચાવવામાં મદદ કરે છે જમીનમાં રહેલા સડેલા સેન્દ્રીય તત્વોને ખાઈને દાણાદાર સ્વરૂપે તેની હગારમાં ફળદ્રુપ માટીના કણો આપણા પાકને પોષણ આપે છે અળસિયાના અનેક પ્રકાર અને પ્રજાતિ છે પરંતુ મહત્વની ચાર પ્રજાતિની વાત કરીએ

વધુ વાંચો>>>>

આજે ખેતી કરનાર વિચાર કરે છે કે નફો કેમ મળે ?

આજે ખેતી કરનાર વિચાર કરે છે કે નફો કેમ મળે ? ખેતી પરવડતી નથી એવું પણ કોઈ કહે . ખેતી માં બદલાવ લાવે છે તે કમાય છે . રોજ ખેતરમાં આંટો મારે અને ખેતીને ધંધો સમજે અને પછી વિચારે કે આજની ખેતીની શી સમશ્યા છે ?

વધુ વાંચો>>>>

દૂધમાં ફેટ વધારવા પોષણ યુક્ત નવીન ચારો પશુ ને ખવડાવવો.

● વરસાદ ઓછો પડ્યો છે, જે વિસ્તારમાં પશુ પાલન થાય છે તે વિસ્તારમાં પશુના ચારાની વ્યવસ્થા અને આયોજન કરવું પડશે. પશુ ચારા માટે આપણે પહેલા દેશી જુવાર, વાઢવાળી લાલ જુવાર, દેશી મકાઈ, જીંજવો અને નેપિયર વાવેતર કરતા હતા હવે. આપણે જો દૂધ ઉત્પાદન વધારવું હશે ,

વધુ વાંચો>>>>

ખેતર ઉભેલો કપાસ અને મગફળી શું વાત કરે છે તે સાંભળો

વરસાદ નથી ત્યારે ખેતર ઉભેલો કપાસ અને મગફળી શું વાત કરે છે તે સાંભળો : કપાસ પછીની હારથી શરૂ થતી મગફળીનો એક છોડ કપાસને કહે તમારે તો હજુ સારું છે કે તમને જમીનમાં રહેલા વ્હાઈટ ગ્રબ-મુંડા અથવાતો સફેદ ધૈણ નથી આવ્યા. આ વર્ષે કેવું વાતાવરણ રહ્યું

વધુ વાંચો>>>>

કાળી થ્રીપ્સ ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ અને ગ્રીસમાં પણ બોકાહો બોલાવી રહી છે.

કાળી થ્રીપ્સ મરચીના પાકમાં ગયા વર્ષે ભારતમાં તેલંગાના, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, છત્તીસગઢ અને આંધ્રમાં મરચીના ખેતરોના ખેતરો સાફ કરી નાખ્યાના સમાચાર તમને ન મળ્યા હોય તો તમે ઘણા અજાણ છો. આ કાળી થ્રીપ્સ ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ અને ગ્રીસમાં પણ બોકાહો બોલાવી રહી છે. ગુજરાતમાં અમુક જગ્યાએ ગયા

વધુ વાંચો>>>>

આખું વિશ્વ થ્રીપ્સ નિયંત્રણ માટે કમરકસી રહ્યું છે

થ્રીપ્સ એક એવી જીવાત છે કે આખું વિશ્વ તેના નિયંત્રણ માટે કમરકસી રહ્યું છે. એમાંય કાળી થ્રીપ્સ ની પ્રજાતિ થ્રીપ્સ પારવી સ્પીનસ સામે લડવા માટે વર્લ્ડ વેજીટેબલ, ઇક્રિસેટ અને APSA એશિયા પેસિફિક સીડ એસોસિયેશન દ્વારા ઇક્રિસેટ હૈદરાબાદ ખાતે 30 નવેમ્બર 2023 ના રોજ મળીને આ કાળી

વધુ વાંચો>>>>

તમારી પાસે થ્રીપ્સના ઈંડાને નાશ કરવાનો ફક્ત બે દિવસનો ટાઈમ હતો.

જંતુદવાની પસંદગી માત્રથી થ્રીપ્સનો કંટ્રોલ નહીં થઈ શકે તે માટે વાતાવરણ, હવામાન અને થ્રીપ્સના જીવનચક્રને સમજવું પડશે. આ વિગતનો ફોટો પાડી તમારી ગેલેરીમાં સાચવી રાખો. દા.ત. સાંજે તમે સુવા જાવ ત્યારે થોડું ઠંડુ વાતાવરણ હતું. અડધી રાત્રે ઓઢેલું કાઢી નાખવાનું મન થાય તો તમે ફળિયામાં આવજો

વધુ વાંચો>>>>

થ્રીપ્સ નામની નાનકડી જીવાત કેવડું નુકસાન કરે છે

મરચી ઉગાડતા ખેડૂતોને ખબર છે કે થ્રીપ્સ નામની નાનકડી જીવાત કેવડું નુકસાન કરે છે થ્રીપ્સને કુદરતે અજોડ ક્ષમતા અને જંતુનાશકો સામે લડવાની શક્તિ આપી છે આપણે ત્યાં જંતુનાશક દવામાં ક્યુ ઝેર છે તે પણ મોટાભાગે ખેડૂતો જાણતા નથી કે થ્રીપ્સને મારવા કઈ કઈ વિવિધ દવાઓ આવે

વધુ વાંચો>>>>

ગુલાબીથી કપાસ બચાવવા ખાસ યાદ રાખો

અત્યારે આવેલી આત્મઘાતી પેઢી નું સચોટ નિયંત્રણ કરો નહીંતર ગુલાબીનો બીજો વેવ ઠંડીની શરૂઆત થાય ત્યારે જરૂર આવે છે તે યાદ રાખજો . શિયાળાના ભૂર પવન વાય તે સમયે કપાસની કૂણપ ઓછી રાખવા જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું રહે તે માટે એક પાટલુ છોડી એક પાટલામાં પિયત

વધુ વાંચો>>>>

સમાચાર છે આ ગુલાબી ઈયળ પાછી ફક્ત કપાસમાં ઈંડા મૂકે છે

કોશેટા અવસ્થા : આપણા વિસ્તારમાં ગુલાબી ઈયળનું જીવન ચક્ર લાંબા ગાળાનું જોવા મળ્યું છે તેથી હાલ જે ઈયળો સુષુપ્ત અવસ્થામાં પડી હતી તેને અનુકુળ વાતાવરણ મળતાં કોશેટા અવસ્થામાં ગઈ અને અત્યારે આ લખાય છે ત્યારે . આ કોશેટ અવસ્થા જે ૧૨ થી ૧૫ દિવસની હોય છે.

વધુ વાંચો>>>>

વાવણી થાય ત્યારે કપાસ શા માટે વાવવાનું કહે છે ?

વાવણી થાય ત્યારે કપાસ શા માટે વાવવાનું કહે છે ? : કપાસની આગોતરી વાવણી કરશો તો તમારા કપાસમાં કુલ ચાંપવા વહેલા આવશે. ગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી જે અત્યારે આવી છે તેના કૂદાં વહેલા નીકળેલા ચાપવામાં ઈંડા મૂકવાની તક મળશે. જેથી ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધુ ને વધુ

વધુ વાંચો>>>>

ગુલાબી ઈયળ સુશુપ્ત અવસ્થામાં લાંબો સમય રહી શકે છે.

ઈંડા અવસ્થા : ગુલાબી ઈયળના ઈંડા બદામી રંગના હોય છે જે સામાન્ય રીતે ફુલ-ચાપવા તથા કાચા જીંડવા ઉપર હોય છે. જે નરી આંખે જોઈ શકાતા નથી. (ઇંડાનાશક છાંટવાથી ઇંડાનો નાશ કરી શકાય છે.) પ્રોફેનોફોસ + સાયપરમેથ્રીન અથવા ડેલ્ટામેથ્રીન + કલોરપાયરીફોસ સાથે સેફગાર્ડ દરેક છંટકાવમાં ઉમેરો૪. ઈચળ

વધુ વાંચો>>>>

ગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી આવી ગઈ તમને ખબર પડી ?

ગુલાબી ઇયળથી ડરવાની જરૂર નથી – સમયસર પગલા લો. ચાલો ગુલાબી ઈયળનું જીવનચક્ર સમજીએ. સુશુપ્ત અવસ્થામાં પડી રહેલ કોશેટામાંથી બહાર આવેલું ભુખરા રંગનું અને ઝાલરવાળી પાંખો ધરાવતું કદમાં ખૂબ નાનું-કૂદું પોતાની પેઢી આગળ વધારવા ફૂલ ભંમરીમાં ઇંડા મૂકે છે. ફુદાની આ અવસ્થા ૨ થી ૪ દિવસમાં

વધુ વાંચો>>>>

ગુલાબી ઈયળની વાતચીત – ૬

ટુંકમાં કપાસની ખેતી ફુલી ફાલી છે અને ફોરજી ના નામે નબળા કપાસ ખેડૂત ઉગાડે છે એટલે આપણુ જીવન ટકી રહેવાનું કારણ કે કપાસમાંજ જ ખેડૂતને કમાણી છે અને કપાસ સીવાય આમ તો તેની પાસે કોઈ વિકલ્પ નથી એટલે આપણે ડરવાનું કારણ નથી, આપણું જીવન ટકી રહેશે

વધુ વાંચો>>>>

ગુલાબી ઈયળની વાતચીત – ૫

ચાલો, જીંડવામાં ગરતા પહેલા ફેરોમોન ટ્રેપથી બચવાનું છે તે ઉપરાંત બીજું કાંઈ ઘ્યાન રાખવાનું બા ? હા ઈ વાત તો હું સાવ ભૂલી ગઈ સીન્થેટીક પાયરેથ્રોઈડ ઉપરાંત બેવેરીયા બેસીયાના નામની ફુગને અને આપણા શરીરને આડવેર છે તેથી જો ખેડૂત વાતાવરણમાં વરસાદી માહોલ  અને ભેજ હોય ત્યારે

વધુ વાંચો>>>>

વરી – મોરિયો ધાન

વરીના દાણા નાના હોવાને લીધે તેને ઝીણું ધાન્ય કહેવામાં આવે છે. વરીનું વાવેતર ડાંગ જિલ્લાના ડુંગરાળ પ્રદેશમાં થાય છે, વરીની ઉત્પાદકતા ૯૩૦ કિ.ગ્રા./હેક્ટર નોંધાયેલ. દાણાને છડ્યા પછીના ભાગને “મોરીયો” કહેવામાં આવે છે. જેનો ઉપયોગ લોકો ઉપવાસના દિવસે કરે છે. તેની પોષણયુક્ત ઉપયોગિતા વધુ છે. ગમે તેવી

વધુ વાંચો>>>>

લીંબુ વર્ગના ફળોમાં પોષક તત્વો આપવાનો ફાયદો 

 લીંબુ વર્ગના ફળઝાડના પાકોમાં જમીનમાં જસત તત્ત્વની ઉણપને લીધે પાનની નસો લીલી રહે છે, પરંતુ બે નસો વચ્ચેનો ભાગ પીળા રંગનો જોવા મળે છે. ખેડૂતો તેને ‘પીળીયા’ રોગથી ઓળખે છે. તે માટે ૧૦ લિટર પાણીમાં ૫૦ ગ્રામ ઝીંક સલ્ફેટ ઓગાળી ૩૦ દિવસના અંતરે ૩ છંટકાવ કરવાની

વધુ વાંચો>>>>

આજે આપણા દેશમાં પ્રાકૃતિક ખેતીની મુવમેન્ટ શરુ છે

ઓર્ગનિક ખેતીની મુવમેન્ટ આખા વિશ્વમાં પ્રસરી છે તે માટે IFOAM ઓર્ગનિક ઇન્ટરનૅશનલ સંસ્થાનો ચેલા 50 વર્ષનો પ્રયાસ છે. 50 વર્ષથી વિશ્વના 190થી વધુ દેશોમાં IFOAM ઓર્ગનિક પેદાશની મુવમેન્ટ ચલાવે છે. આજે 74.9 મિલિયન હેક્ટર જમીનમાં ઓર્ગનિક ખેતી થઇ રહી છે. ભારતમાં પણ આ સંસ્થા સાથે 40

વધુ વાંચો>>>>

હવે જિનેટિકલ મોડીફાઇડ રાયડો આવવાનો છે

રોટરી ઇન્ટરનૅશનલ દ્વારા આખા વિશ્વમાં પોલીઓની રસી માટે અનુદાન આપીને વિશ્વમાંથી પોલિયો નાબૂદ કરવાનું બીડું રોટરીએ જડ્પ્યું છે, આખા વિશ્વમાં રોટરી પોલીઓની રસી પહોંચાડે છે. ભારત પણ એમનું એક છે. આજે ફક્ત બે દેશો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સિવાય આખા વિશ્વમાંથી પોલિયોને નાબૂદ કરવામાં મદદ મળી છે.

વધુ વાંચો>>>>

આજે આ તો સમાચાર બનાવવાની ફેકટરીના સમાચાર છે.

લ્યો બોલો રોજ રોજ નવા નવા સમાચાર આવે છે આજે આ તો સમાચાર બનાવવાની ફેકટરીના સમાચાર છે. આજકાલ ફલાણાએ ટ્વીટર ઉપર ટ્વીટ કર્યુંને સમાચાર બનતા હોય છે, આ ટૂંકું ટચુકડા સમાચાર બનાવતા ટવીટરને થોડા દિવસથી પરસેવે રેબઝેબ છે, બહુ ઝાઝા ટ્વીટ થવા મંડ્યાને, બ્લુ ટીક વાળા

વધુ વાંચો>>>>

આગાહી હવે આર્ટીફીસીયલ ઇન્ટેલીઝન્ટ એટલે કે AI (કોમ્પ્યુટર) દ્વારા થશે

વરસાદના વર્તારો હોય કે ગરમીની આગાહી હવે આર્ટીફીસીયલ ઇન્ટેલીઝન્ટ એટલે કે AI (કોમ્પ્યુટર) દ્વારા આગાહી થશે. આ એ .આઈ. ધારો તે કરી શકે છે તેની વાત આપણે અગાઉ કરી હતી , હમણાંજ ચેસની રમતમાં ગેરી કાસ્પેરોવ જે વિશ્વનો પહેલા નંબરનો ચેસનો ખેલાડી છે તે AI સામે

વધુ વાંચો>>>>

કાંગ એટલે ફોકસટેલ મિલેટ

કાંગ એ વિશ્વના સૌથી જૂના હલકા ધાન્યપાકમાંનો એક પાક છે. આ પાકને અંગ્રેજીમાં ફોકસટેલ મિલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એશિયા, આફ્રિકા અને અમેરિકાના લગભગ ૨૩ જેટલા દેશોમાં તેની ખેતી થાય છે. તે સ્વ-પરાગિત અને ટૂંકા ગાળાનો પાક છે, જે માનવ વપરાશ માટે ખોરાક તરીકે વપરાય

વધુ વાંચો>>>>

ખેતરની વાત : ગંધક એટલે કે સલ્ફર વિશે પણ જાણીએ

આપણા પાકને જરૂરી ખાતર નાઈટ્રોજન-ફોસ્ફરસ અને પોટાશ પછીનું મહત્વનું તત્વ કોઈ હોય તો તે છે ગંધક એટલે કે સલ્ફર વિશે પણ જાણીએ. સલ્ફર બઝારમાં હવે દાણાદાર સ્વરૂપે મળે છે. આ એક ખાસ પ્રકારની માટી એટલે કે બેન્ટોનાઈટ સાથે મિક્સ કરેલું હોવાથી જમીનમાં નાખીયે ત્યારે બેન્ટોનાઇ ને

વધુ વાંચો>>>>

બટેટાની ખેતીમાં સૌથી સારું ફોલીયર સ્પ્રે ખાતર કયું છાંટવું ?

ખાતરની અને તેમાય ઉપરથી છાંટવાની વાત છે ત્યારે બટેટાની ખેતીમાં સૌથી સારું ફોલીયર સ્પ્રે ખાતર કયું છાંટવું તેવું કોઈ પૂછે તો એક જ નામ છે અને તે છે આઈસીએલ નામની પ્રખ્યાત કંપનીનું પોલીસલ્ફેટ ખાતર એક ફાયદા અનેકનું સૂત્ર સાથે બઝારમાં મળે છે. બટેટા માટે જરૂરી સલ્ફર

વધુ વાંચો>>>>

ખેતરની વાત : વરસાદ અને પાણી આપણા માટે વરદાન

અલનીનો હોય કે લા નેનો આપણે વાવાજોડા રૂપે કુદરતનો પ્રેમ વર્ષે છે આ લખાય છે ત્યારે પણ સર્વત્ર સારા વરસાદની આગાહી છે. મરચીના રોપમાં પાણી ફરી જતા ફેર રોપ કરવો પડે તેવી સ્થિતિ છે, કપાસ અને મગફળીમાં થોડું નુકશાન થયાના સમાચાર છે પણ વરસાદ અને પાણી

વધુ વાંચો>>>>

નિંદણ નિયંત્રણની વિવિધ પદ્ધતિઓ છે

આ બધા નિંદણને દૂર કરવા કેવી રીતે ? કૃષિ વૈજ્ઞાનિકશ્રી બી.ડી. પટેલ જણાવે છે તે ફરી તમારી ડાયરીમાં ટપકાવી લ્યો કે નિંદણ નિયંત્રણની વિવિધ પદ્ધતિઓ છે જેવી કે હાથથી નિંદામણ, ખેડ કે આંતરખેડ, યોગ્ય પાક પઘ્ધતિ પાકની ફેરબદલી, જૈવિક પઘ્ધતિ, રાસાયણિક પધ્ધતિ એટલે કે નિંદામણનાશકના છંટકાવ

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં યાંત્રિક પાક સંરક્ષણ પદ્ધતિ

હાથ અથવા હાથથી ચાલતા ઉપકરણો દ્વારા જીવાતની વસ્તી અથવા તેનાથી થતું નુકસાન ઘટાડતી પદ્ધતિને યાંત્રિક પદ્ધતિ કહેવામાં આવે છે.જીવાતના ઈંડાનો સમૂહ, ઈયળનો સમૂહ અને મોટી જીવાતોનો વીણીને નાશ કરવો.નારિયેળીના થડ ઉપર ૩૦ સે.મી. પહોળા પતરાની શંકુ આકારની ઝાલર અથવા પ્લાસ્ટિકનો પટ્ટો લગાવવાથી ઉંદરનું નુકસાન અટકાવી શકાય

વધુ વાંચો>>>>

જમીનને જીવંત રાખનાર માઈક્રોબ્ઝ વિષે જાણો.

બાયોલોજિક એટલે જીવંત માઈક્રોબ્ઝ જે જમીનમાં રહીને ઉપયોગી બને છે, જમીનને જીવંત રાખે છે આ માઈક્રોબ્ઝ એટલે માઈક્રોઓર્ગેનીઝ્મ કે જેમા ઉપયોગી બેક્ટેરિયાને ઉપયોગી ફૂગ હોય છે. દા.ત. ફોસ્ફરસ સોલ્યુબલ બેક્ટેરિયા જમીનના કણો સાથે ચોટી ગયેલ અને છોડને અલભ્ય થતો ફોસ્ફરસ રીલીઝ કરીને છોડને મળે તેવા સ્વરૂપે

વધુ વાંચો>>>>

બાયોલોજીકલ વિષે માહિતી મેળવો.

પ્રવર્તમાન કુદરતી ખેતી, સેન્દ્રીય ખેતી, જૈવિક ખેતી કે પ્રાકૃતિક ખેતીના સમયમાં બાયોલોજીકલ વાપરવાની ભલામણ ખુબ જ થાય છે. શું છે આ બાયોલોજીકલ એમાં રહેલ જીવંત ઉપયોગી બેક્ટેરિયા કે જીવંત ઉપયોગી ફૂગનો ઉપયોગ કરીને જમીનને વધુ સારી બનાવવાનો પ્રયાસ કરી શકાય. બાયોલોજીકલ વિષે માહિતી મેળવો. જમ્નીનને ઉપયોગી

વધુ વાંચો>>>>

કૃષિ વ્યવસ્થાપન : વરસાદ મોડો પડે તો તે અંગેનું આયોજન શું ધ્યાન રાખવું ? 

૧૫મી જુલાઇ સુધીમાં વાવણી લાયક વરસાદ પડે તો ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન આપતા વિસ્તારને અનુરૂપ પાક અને તેની જાતનું પ્રમાણિત બિયારણનું વાવેતર કરવું જેવા કે,…♦ ઉભડી મગફળી જીજી – ૨, ૫, ૬, ૭ તલ ગુજરાત – ૧, ૨, ગુજરાત તલ – ૧૦ (કાળો દાણો), દિવેલા- જીસીએચ

વધુ વાંચો>>>>

મરચી મંત્ર : મરચી ઉગાડવી હોય તો આટલું યાદ રાખજો

મરચીના રોપ માં અને ફેરરોપણી પછી ખાસ રીડોમિલનું ડ્રેન્ચિંગ ને ફૂગનો અને ચુસિયાની દવા છાંટીને સફેદમાખીનો ઉપદ્રવ શરું શરૂમાં થવા દેવો નહિ . ફેરરોપણી વખતે મરચાના રોપના મૂળને ઈમીડાકલોપ્રીડ અને રીડોમિલમાં બોળીને રોપણી કરાય .આમતો બધાનો એકજ પ્રશ્ન છે કે આ મરચીમાં કૂકડ ક્યાંથી આવે છે

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતીની ઉપભોગતાની બઝાર

આપણે ત્યાં ઓર્ગનિક ખેતી , પ્રાકૃતિક ખેતીની ઉપભોગતાની બઝાર ખોલવાની જરૂર છે , આપણે ત્યાં સેલડ માં ખવાતા પત્તા ભાજી વાળી એક્ઝોટિક શાકભાજી મોટા શહેરોમાં ગ્રીનહાઉસ માં હાઇડ્રોપોનીક્સ દ્વારા ઉગાડીને સેલડ બોક્સ તરીકે મુંબઈ અને હૈદરાબાદ જેવા શહેરો મા વેચવાનું શરુ થયું છે . અમેરિકા માં

વધુ વાંચો>>>>

કપાસના સમાચાર પહેલા ડુંગળીની વાત

આ વર્ષે ડુંગળીની બઝાર એમજ રહી ડુંગળીની ખેતીમાં બહુ કઈ લાભ ખેડૂતોને મળ્યો નહિ. ડુંગળીની બઝાર સતત ઢીલી રહી . સમાચાર છે કે નાફેડ 15 મેં 2023 આસપાસ બફર સ્ટોક માટે બઝારમાંથી ડુંગળી ખરીદશે જેથી ઉપભોક્તાઓને વ્યાજબી ભાવે જરૂર પડે ત્યારે ડુંગળી મળી રહે. કર્ણાટકમાંથી આ

વધુ વાંચો>>>>

મરચી અને શાકભાજી પાક સંરક્ષણ ટેલિગ્રામ ચેનલમાં અત્યારથી જોડાવાનું શરું થઇ ગયું છે

આ વર્ષે મરચીના પાકમાં ખુબ વાવેતર થાય તેવી શકયતા છે   એટલે મરચીમાં ક્યાં ક્યાં ફુગ અને બેકટેરીયાના રોગો લાગે છે ? . પાનના ટપકાનો રોગ.. મરચીમાં એન્થ્રેકનોઝ લાલ મરચા ઉગાડતા ખેડુતોને ખૂબ પરેશાન કરતો રોગ આવે તો શું કરવું ? નવી સારી ફુગનાશક કઈ આવી 

વધુ વાંચો>>>>

જેવુ કામ તેવા મેગેઝીનો બધા વાંચે અને તેના ધંધાને લગતા સેમિનારમાં પણ જાય

જેમ શેરબજાર વાળો વેપારી શેર બઝારનું છાપુ કેપિટલ વર્લ્ડ મંગાવે, ઓટો મોબાઈલવાળો વેપારી ઓટો મેગેઝીન મંગાવે, પડદા અને સોફા વાળા વેપારી હોમ ડેકોર મંગાવે, આર્કિટેક હોય તો તે ઇનસાઇડ આઉટસાઈડ મંગાવે , જેવુ કામ તેવા મેગેઝીનો બધા વાંચે અને તેના ધંધાને લગતા સેમિનાર માં પણ જાય

વધુ વાંચો>>>>

છેલ્લા થોડાં વર્ષોથી સારા વરસાદે ગુજરાતની ખેતી ને લાભ કર્યો છે

આ લખાય છે ત્યારે ભર ઉનાળામાં આવેલું આ ચક્રવાતી મોચા નામનું વાવાજોડું આંદામાન નિકોબાર અને બાંગ્લાદેશ માટે નુકશાનકારક સાબિત થશે તેવું અનુમાન થાય છે પરંતુ તમે આ વાંચતા હશો ત્યારે તે કદાચ દમણ ઉપરથી પસાર થઈ ગયું હશે આપણે નબળું પડીને પસાર થાય તેવી આશા રાખીયે

વધુ વાંચો>>>>

રાસી સીડ્સના કપાસમાં સફળ થયેલ ખેડૂતોના અનુભવો વાંચો કપાસ બીજ પસંદગી વિશેષાંક ૨૦૨૩

મેં રાસી સીડ્સનો નિયો કપાસનું વાવેતર કરેલ હતું જેમાંથી મને એકરે ૧૧૨ મણનું ઉત્પાદન મળેલ છે. અશોકભાઈ કાછડિયામુ. સીદસર તા. જામજોધપુર જી. જામનગર મો. 98254 92336 મેં રાસી સીડ્સનો નિયો કપાસનું વાવેતર કરેલ હતું જેમાંથી મને એકરે ૬૦ મણનું ઉત્પાદન મળેલ છે. મનસુખભાઈ ધનજીભાઈ ડાભીમુ. ભગુપુર

વધુ વાંચો>>>>

અજીત સીડ્સના કપાસમાં સફળ થયેલ ખેડૂતોના અનુભવો વાંચો કપાસ બીજ પસંદગી વિશેષાંક ૨૦૨૩

મેં અજીત સીડ્સનો ACH-૧૫૫ કપાસનું વાવેતર કરેલ હતું જેમાંથી મને એકરે ૧૦૦ મણનું ઉત્પાદન મળેલ છે. જશુભાઈ અગરસંગભાઈ રાઠોડ મુ. થોરીયાળી તા. સાયલા જી. સુરેન્દ્રનગર મો. 9925580776 મેં અજીત સીડ્સનો ACH-૫ કપાસનું વાવેતર કરેલ હતું જેમાંથી મને એકરે ૧૧૫ મણનું ઉત્પાદન મળેલ છે. જયેશભાઈ પરષોતમભાઇઅકબરીમુ. નાઘુના

વધુ વાંચો>>>>

તમારો કૂવો છલોછલ ભરેલો હોય તો પણ ડ્રીપ ઈરીગેશન વાપરો.

ઇઝરાયેલની ખેતીના વિડિઓ બધા ને જોવા છે પણ ઇઝરાયેલ કરે તેમ કરવું નથી હજુ ઘણા પૂછે છે કે શું ડ્રીપ ઈરીગશન નબળા વરસમાં જ વાપરી શકાય ? ના એવું નથી, જો સાંભળો તમારો કૂવો છલોછલ ભરેલો હોય બોરમાં ચોવીસ કલાક ચાલે તેટલું પાણી હોય તો પણ

વધુ વાંચો>>>>

તમારો સમય સારું અને સાચું કૃષિ જ્ઞાન મેળવવામાં વાપરો

આજે મારે તમને બધાને પૂછવું છે આપણામાંથી કોણ કોણ વોટ્સઅપ વાપરે છે. ? કોણ ખેતીના ફેસબુક ગ્રુપમાં જોડાયેલા છે ? તો વડીલ સહિત લગભગ બધા ખેડૂતો હાથ ઉંચો કરે કારણ કે વોટ્સએપઅને ફેસબુક એ આજના કાળ નું સૌથી સારુંસોસીયલ મીડિયા છે . તમે બધા વિવિધ ગૃપમાં

વધુ વાંચો>>>>

વિશ્વાસ સીડ્સના કપાસમાં સફળ થયેલ ખેડૂતોના અનુભવો વાંચો કપાસ બીજ પસંદગી વિશેષાંક ૨૦૨૩

મેં વિશ્વાસ સીડ્સનો મહામુની કપાસનું વાવેતર કરેલ હતું જેમાંથી મને એકરે ૬૮ મણનું ઉત્પાદન મળેલ છે. વિનુભાઈ મોહનભાઈ દેસાઈમુ. કુંકાવાવ તા. કુંકાવાવ જી. અમરેલી મો. 94271 03276 મેં વિશ્વાસ સીડ્સનો મહામુની કપાસનું વાવેતર કરેલ હતું જેમાંથી મને એકરે ૭૨ મણનું ઉત્પાદન મળેલ છે. જયરામભાઇ પંચાણભાઈ ચાવડા

વધુ વાંચો>>>>

નો ટીલેજ નો નવો કોન્સેપટ દ્વારા કરોડો ઉપયોગી બેક્ટેરિયાને કામે લગાડો.

આપણે જમીનને વારંવાર ખેડીને મદદ કરવાને બદલે નુકસાન કરતા હોઈએ છીએ , ભાસ્કર સાવે કહેછે કે જમીનને વારંવાર ખેડો નહિ , નિંદામણ પણ પાટલામાં આચ્છાદન કરો . આજે નો ટીલેજ નો નવો કોન્સેપટ આવ્યો છે , ઓછામાં ઓછી ખેડ દ્વારા જમીનને , તેની અંદર રહેલા કરોડો

વધુ વાંચો>>>>

કેરીના પલ્પમાંથી બેગ, પટ્ટા, શીટ જેવી મેંગો લેધરની વિવિધ પ્રોડક્ટ વિષે જાણો.

લ્યો બોલો , ચેનાઈ ની સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સી એલ આર આઈ દવારા નકામી અને બગાડી ગયેલી કે બિન વપરાયેલી કેરીના પલ્પ માં બાયોપોલિમર ઉમેરીને એવું લેધર બનાવ્યું કે તેમાંથી બેગ , પટ્ટા , શીટ જે ડિઝાઈનર મેંગો લેધર તરીકે ઉપયોગ થશે . ત્યાંના વૈજ્ઞાનિકે

વધુ વાંચો>>>>

લિકવિડસીલનો પટ આપેલા ફૂલો, શાકભાજી અને ફળો લાંબા સમય સુધી સારા રહે છે

આપણા દેશમાં બાગાયત ખેતી કે શાકભાજીની ખેતીમાં પોસ્ટ હાર્વેસ્ટ એટલેકે ઉતાર્યા પછીનો બગાડ કે વેડફાટ ખુબ વધારે થાય છે કારણકે આપણી પાસે પરિવહન માટે જરૂરી કોલ્ડ ચેઇન ઉપલબ્ધ નથી એટલે તમે સાંભળ્યું હશે કે સફરજન જેવા ફળો ઉપર મીણ નું પાતળું પડ ચડવામાં આવે તેના લીધે

વધુ વાંચો>>>>

ખેતરની વાત : આપણી ખેતીમાં ઉત્પાદકતા વધારવા ઉપર ઘ્યાન આપવું પડશે

તમો ઉનાળાના આ દિવસોમાં કપાસ, મગફળી, બાજરા, જુવાર, તલ, મગ, અડદના બીયારણનું તમારું સીલેકશન કરવાનું વિચારતા હશો. આપણે હવે આપણી ખેતીમાં ઉત્પાદકતા વધારવા ઉપર ઘ્યાન આપવું પડશે, ખર્ચ ઓછો કરીને ઉત્પાદકતા વધારવા શું કરવું તેની વાત ફરી કરીએ તો (૧) ઉત્તમ બીયારણની પસંદગી કરવી પડશે આપણા

વધુ વાંચો>>>>

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સ મરચીમાં વજન ખુબ સારો થાય છે.

વિશ્વાસ સીડ્સની યોગી જાતમાં વજન ખુબ સારો થાય છે. મેં વાવી તમે પણ વાવો. મેં આ વર્ષે વિશ્વાસ સીડ્સની મરચીનો અનુભવ કરેલ છે મેં આ વર્ષમાં વિશ્વાસ પટ્ટો અને યોગી મરચી વાવેલ હતી તેમાં આ યોગી વેરાઈટી એ તો માલા માલ કરી દીઘા તેમાં મને ઓછા

વધુ વાંચો>>>>

ખેતરની વાત : આ વર્ષે હવે પછીનો કૃષિમેળો કયાં થવાનો છે?

નવા સાધનો જોવા હોય અને તેના વિશે વધુ જાણવું હોય અથવા ખેતીમાં આવી રહેલી નવી નવી મશીનરી, ડ્રીપ ઈરીગેશન, ટ્રેકટરો, વિદેશની ખેતી એવું બધું જાણવા આ વર્ષે હવે પછીનો કૃષિમેળો કયાં થવાનો છે તે નોંધી રાખો. એગ્રી એશિયા દ્વારા સપ્ટેમ્બર 15-16-17, 2023 મહાત્મા મંદિર, ગાંધીનગર માં

વધુ વાંચો>>>>

ખેતરની વાત : મજૂર હવે મળતા નથી, કપાસ વીણવાની મજુરી પણ ખુબ લાગી

પરિણામ જોઈને સાધનો વાપરવા પડશે કારણ કે મજૂર હવે મળતા નથી, કપાસ વીણવાની મજુરી પણ ખુબ લાગી તે આપણને યાદ છે એટલે જ જયારે આપણા ખેત મજુરોના પ્રશ્નો સામે આપણે સામુહિક રીતે સ્વતંત્ર રીતે ખેત ઓજારો વસાવીશું. હવે નાના ટ્રેકટરો, વાઢીને પાથરા કરવાના રીપર, અદ્યતન પ્રકારના

વધુ વાંચો>>>>

ખેતરની વાત : બઝારમાં બ્રાન્ડેડ બીજ સસ્તુ આપે છે ? ઈ કેમ થતું હશે ?

આજે બધા ખેડૂતોનો પ્રશ્ન છે કે બઝારમાં એગ્રોવાળા વેપારીઓ બ્રાન્ડેડ બીજ સસ્તુ આપે છે ? ઈ કેમ થતું હશે ? બીજ ખરીદવા જાવ ત્યારે ઘણા વેપારી બ્રાન્ડેડ સરકાર માન્ય અથવા ખુબ જાણીતું બિયારણ સરકાર માન્ય ભાવ કરતા નીચા ભાવે વેચતા જોવા મળશે ત્યારે તમે ચેતી જજો

વધુ વાંચો>>>>
ખેતરની વાત

ખેતરની વાત : બીને બાયડીમાં કુળ અને ખાનદાન જોવું જોઈએ

ગામના ચોરે ગામ ડાયા આપણા વડીલ પણ આપણી બીજ પસંદગીની કપાસના પડીકા બીટીની વાત સાંભળી ને કહે છે કે એલા પાન ખાઈ ખાઈને તમારી મતિ મરી ગઈ લાગે છે. વડીલ હોય એટલે જૂનો દાખલો આપે અને કહે કે બીને બાયડીમાં કુળ અને ખાનદાન જોવું જોઈએ એમ

વધુ વાંચો>>>>

આવતા વર્ષે શેની ખેતી કરવી ? ગામના પાનના ગલ્લે ચર્ચા છે કે ખાવા પૂરતું શું વાવવું ?

બધાને જેમ જેમ ઉનાળો આવશે અને જમીન તૈયાર કરવાની હડપ થશે ત્યારે પહેલો વિચાર એ આવશે કે આવતા વર્ષે શેની ખેતી કરવી ? ગામના પાનના ગલ્લે ચર્ચા છે કે ખાવા પૂરતું શું વાવવું ? કોઈ કહે ભીંડો તો કોઈ કહે ટમેટા વાવીશ, કોઈને એમ થાય કે

વધુ વાંચો>>>>

આપણી જમીનના કરોડો ઉપયોગી સૂક્ષ્મ જીવો આપણી મદદે ઈશ્વરે મોકલ્યા છે.

કુદરતના સહયોગની વાત કરીયે. આપણી જમીનના કરોડો ઉપયોગી સૂક્ષ્મ જીવો આપણી મદદે ઈશ્વરે મોકલ્યા છે. ઉપયોગી ફૂગ એટલે કે મિત્ર ફુગની વાત કરીયે. અમુક સહજીવી રીતે રહેનારા જીવો કુદરતે બનાવ્યા છે. મતલબ બન્ને જીવોના સહજીવનથી બન્નેને લાભ થાય છે, દા.ત.માઈકોરાઈઝા નામની એક ફુગ છે. આ માઈકોરાઈઝા

વધુ વાંચો>>>>

મરચીના ખેડૂતો માટે ખુબ સારા સમાચાર છે

મરચીની વાત નીકળી છે તો નોંધો કે મિઝોરમ રાજ્યમાં ઓર્ગેનિક રીતે પકાવવામાં આવતી મરચીની જાત બર્ડ આઈ પહેલી વખત અમેરિકામાં નિકાસ થઇ છે. ત્યાંના કૃષિ મંત્રી સી.લાલરીસાંગા કહે છે કે મિઝો મરચી 7.5 મેટ્રિક ટનની નિકાસ મિઝો મરચીના ખેડૂતો માટે ખુબ સારા સમાચાર છે ખાસ કરીને

વધુ વાંચો>>>>

મરચી ઉગાડનારા ખેડૂતો માટે બીજ ખરીદતા પહેલાનો સંદેશ

મરચીનો તંદુરસ્ત રોપ તૈયાર કરો, રોપમાં ચૂસિયા જીવાત ન આવે તેમાટે મચ્છરદાની જેવી ઈન્સેકટ નેટ લગાડો, પાળા પધ્ધતિના પાળા બનાવીને મરચીને ચોપો, ધોરીયાની સાઈડમાં રોપસો તો ફુગ જન્ય મૂળના રોગ વધુ લાગશે, બની શકે તો ડ્રીપ પઘ્ધતિ દ્વારા મરચીની ખેતી કરો, રોગ અને વાતાવરણને ખાસ સંબંધ

વધુ વાંચો>>>>

ખેડૂતો પોતાને ગમતી જાતોના ઉભા પાકનું નિદર્શન જોઈને નવી જાતો પસંદ કરે છે.

વીએનઆર સીડ્સ કહે છે કે દર વર્ષે અમે ચયન નામનો પસંદગી પ્રોગ્રામ કરીયે છીએ આ કાર્યક્રર્મમાં અમે આખા દેશમાંથી અમારા ડીલરો, પ્રગતિશીલ ખેડૂતો અને ભારતની પ્રખ્યાત બીજ કંપનીને બોલાવીએ છીએ આ ક્રોપ શો માં અમે અમારી રિસર્ચ ટિમ દ્વારા તૈયાર કરેલ વિવિધ પાકોની સેંકડો જાતોને પ્રદર્શિત

વધુ વાંચો>>>>

ભારતમાં બોલગાર્ડ ટુ પછીની રાઉન્ડઅપ રેડી ફલેકસ કયારે આવશે ?

બાયોટેકનોલોજીની વાત પણ થોડી કરી લઈએ મોન્સાન્ટોની બોલગાર્ડ ટેકનોલોજી ભારતમાં બોલગાર્ડ ટુ પછીની રાઉન્ડઅપ રેડી ફલેકસ કયારે આવશે ? તે સમય જ કહેશે. પરંતુ મોન્સાન્ટો એ અમેરીકા અને કેનેડામાં રાઉન્ડઅપ રેડી- ૨ એકસ્ટેન્ડ નામની બે નિંદામણનાશકો સામે લડે તેવી નવી ટેકનોલોજી સોયાબીન માટે લોન્ચ કરી .

વધુ વાંચો>>>>

ભવિષ્યની આપણી કુડ સીકયોરીટી

ભારતમાં ખેતી ઉપર ધ્યાન આપવાની વાત કહેતા ગ્લોબલ ફેડરેશન ઓફ એગ્રીકલ્ચરના ડો. અજીત મારું કહે છે કે આપણે જો અન્ન અને ખોરાક પ્રત્યે ધ્યાન આપીશું તો ભવિષ્યની આપણી કુડ સીકયોરીટી ઉપર સારું કામ કરી શકીશું. ખેતીનું ઉત્પાદન વધારવું હશે તો . સમયસરનું સચોટ કૃષિમાર્ગદર્શન અને યોગ્ય

વધુ વાંચો>>>>

મકાઈના પાકમાં પેદા થતી અમુક ફૂગના લીધે મકાઈ ઝેરી બની જાય છે.

• મકાઈના પાકમાં પેદા થતી અમુક ફૂગના લીધે મકાઈ ઝેરી બની જાય છે. કારણ કે મકાઈમાં ગ્લોબલ વોર્મિંગના લીધે અફલાટોક્ષિનનું પ્રમાણ વધી રહ્યું છે. આપણે ત્યાં મગફળીમાં અફલાટોક્ષિન નામની ઝેરી ફૂગના લીધે ખોરી થઇ જાય છે તે મગફળી વિદેશમાં નિર્યાત થઇ શક્તિ નથી. મગફળીના પાથરા ને

વધુ વાંચો>>>>

બોલ્ટ નામની પ્રોડક્ટ્ ખેડૂતોની વધુ ઉપજ આપવામાં મદદ કરશે.

• વિશ્વની નામાંકિત નૉવાઝાઇમ કંપની બાયોએજીના માધ્યમથી ભારતમાં બોલ્ટ ગ્રેન્યુલ 4 કિલો પેકીંગમાં લાવેલ છે જે ભારતમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપની ખેતીવાડી શાખા વેચશે. આ બોલ્ટ નામની પ્રોડક્ટ્સ બાયો સ્ટિમ્યુલન્ટ છે જેમાં હ્યુમિક એસિડ, એમિનો એસિડ અને વિટામિન સાથે જૈવિક ઉપયોગી બેક્ટેરિયા હશે જે ચાસમાં આપવાથી

વધુ વાંચો>>>>

એક નવી જાત શોધતા વર્ષો લગતા તે હવે ટૂંકા સમયમાં શોધાશે અને ખેડૂતોને મળશે.

• ખેતીમાં ટેક્નોલોજીની વાત આગળ ચલાવીએ તો ખેતીમાં બાયો ઈન્ફોર્મેટિક, રોબોટ ડ્રોન, જિનોમિક્સ વગેરેને લીધે ખેતીમાં નવા સંશોધન આગળ વધશે અને ખેતીનો નવો યુગ આવશે તેવું લાગે છે. પાકની નવી જાતમાંથી અમુક નઠારા ગુણો દૂર કરી શકાશે. એવા એવા સાધનો ઇન્ફ્રારેડ ટેક્નોલોજી દ્વારા શોધાયા છે કે

વધુ વાંચો>>>>

બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી

• બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી છે જે 2050માં આવનારી ખાધ્ય જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ છે ભારત પણ કપાસ પછી બાયો ટેક્નોલોજી ક્ષેત્રે 13 નવા પાકોમાં ખેડૂતોની મદદે આવનાર છે જેમાં બટેટા, તુવેર, ચણા, કેળા, રાયડો વગેરે સામેલ છે. નવા સંશોધન માટે સુપ્રીમકોર્ટની લીલી ઝંડી

વધુ વાંચો>>>>

મૂળનો મહત્તમ વિકાશ થવાથી ખેડૂતોની વધુ ઉપજ આપવામાં મદદ કરશે.

• વિશ્વની નામાંકિત નૉવાઝાઇમ કંપની બાયોએજીના માધ્યમથી ભારતમાં બોલ્ટ ગ્રેન્યુલ 4 કિલો પેકીંગમાં લાવેલ છે જે ભારતમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપની ખેતીવાડી શાખા વેચશે. આ બોલ્ટ નામની પ્રોડક્ટ્સ બાયો સ્ટિમ્યુલન્ટ છે જેમાં હ્યુમિક એસિડ, એમિનો એસિડ અને વિટામિન સાથે જૈવિક ઉપયોગી બેક્ટેરિયા હશે જે ચાસમાં આપવાથી

વધુ વાંચો>>>>

ખેતીમાં બાયો ઈન્ફોર્મેટિક, રોબોટ ડ્રોન, જિનોમિક્સ વગેરેને લીધે નવો યુગ આવશે તેવું લાગે છે.

ખેતીમાં ટેક્નોલોજીની વાત આગળ ચલાવીએ તો ખેતીમાં બાયો ઈન્ફોર્મેટિક, રોબોટ ડ્રોન, જિનોમિક્સ વગેરેને લીધે ખેતીમાં નવા સંશોધન આગળ વધશે અને ખેતીનો નવો યુગ આવશે તેવું લાગે છે. પાકની નવી જાતમાંથી અમુક નઠારા ગુણો દૂર કરી શકાશે. એવા એવા સાધનો ઇન્ફ્રારેડ ટેક્નોલોજી દ્વારા શોધાયા છે કે વૈજ્ઞાનિકે

વધુ વાંચો>>>>

બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી છે

બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી છે જે 2050માં આવનારી ખાધ્ય જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ છે ભારત પણ કપાસ પછી બાયો ટેક્નોલોજી ક્ષેત્રે 13 નવા પાકોમાં ખેડૂતોની મદદે આવનાર છે જેમાં બટેટા, તુવેર, ચણા, કેળા, રાયડો વગેરે સામેલ છે. નવા સંશોધન માટે સુપ્રીમકોર્ટની લીલી ઝંડી મળવાને

વધુ વાંચો>>>>

કૃષિમાં આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ

ખેતીની નવી નવી શોધ અને સંશોધન આપણી ખેતીને બહેતર બનાવવા માંથી રહી છે કૃષિમાં આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ એટલે કે એ.આઈ. દ્વારા ઘણા સુધારા અને સાધનો આવી રહ્યા છે જે આપણા પાકને હવામાનને સમજીને પાક ઉત્પાદન વધારવામાં મદદ કરશે.આ ટેક્નોલોજી આપણે સામુહિક ધોરણે અપનાવવી પડશે . આપણા દેશમાં

વધુ વાંચો>>>>

ટેન્શીયોમીટર કહે છે કે પિયતની જરૂર છે 2 ઇંચ પિયત આપો

મૂળ પ્રદેશમાં કેટલો ભેજ છે તેની માપણી કરવા હવે ટેન્શીયોમીટર આવે છે જે તમને કહે છે કે પિયતની જરૂર છે 2 ઇંચ પિયત આપો અને હા હવે ભેજ માપક યંત્ર તમે સીધા મોબાઈલ સાથે જોડીને ઘેર બેઠા સંદેશ મેળવી શકો છો કે કેટલો ભેજ જરૂર છે

વધુ વાંચો>>>>

ભેજને સાચવવાની નવી નવી અનેક પદ્ધતિ વૈજ્ઞાનિકોઓ શોધી છે

હવે તો પાછી ભેજને સાચવવાની નવી નવી અનેક પદ્ધતિ વૈજ્ઞાનિકોઓ શોધી છે તેમાં ડ્રિપની સાથે મ્લચીંગ કરવું અને મૂળ પ્રદેશમાં હાઈડ્રોજેલ નાખીને મૂળ પ્રદેશ સતત ભેજવાળો રાખીને આપણે મોટી બાજી જીતી શકીએ છીએ તે આપણને કેમ સમજાતું નથી ? નક્કી કરો કે હવે ડ્રિપ વગર ખેતી

વધુ વાંચો>>>>

ડ્રિપ અને ફર્ટિગેશનના વિજ્ઞાનને હજુ આપણે સમજ્યા નથી .

ઇઝરાયલે જયારે વર્ષોના અનુભવે સિદ્ધ કર્યું તે ડ્રિપ અને ફર્ટિગેશન ના વિજ્ઞાનને હજુ આપણે સમજ્યા નથી . ડ્રિપ અને ફર્ટીગેસનનું વિજ્ઞાન ને અપનાવા પાછી પાની કરવી અને છોડને આઘાતમાં રાખીને ઉત્પાદન આપતો અટકાવવો, મિત્રો ઘડીક છોડને ભેજ હોય, બીજો દી ભેજ ન હોય તો છોડના મૂળ

વધુ વાંચો>>>>

છોડની દેહધાર્મિક ક્રિયા પણ સુચારુ રૂપે ચાલે તો છોડ મણિકા આપે ને ?

આપણા પાકના મૂળ પ્રદેશને જોઈએ છે સતત ભેજ અને આ સતત ભેજ જળવાય તો રૂટઝોન પોતાનું કાર્ય શ્રેષ્ઠ રીતે કરીને પોષણ ખેંચે અને મૂળ પ્રદેશમાં પડેલું ખાતર તે પાયાનું હોય કે ડ્રિપ દ્વારા પ્રવાહી સ્વરૂપે આપ્યું હોય તે સરળતાથી છોડ લઇ શકે તો છોડની દેહધાર્મિક ક્રિયા

વધુ વાંચો>>>>

અલનીનોની ઐસીતૈસી કરવી હોય તો ટપક પિયત વાપરો

આવનારા વર્ષોમાં અલનીનોની ઐસીતૈસી કરવી હોય તો આપણે ટપક પિયત એટલે કે ડ્રિપના ફાયદા વિષે સમજી લઈએ, છોડના રૂટઝોન એટલે કે મૂળ પ્રદેશમાટે જરૂરી પાણી-પિયત- કેટલું જોઈએ તેની વૈજ્ઞાનિક સૂઝ ખીલવીએ તો છોડ પણ ખુશ અને આપણું ખીચું પણ ખુશ કારણ કે વધુ પડતા રેડ પાણીમાં

વધુ વાંચો>>>>

હવે ઉનાળામાં પાણીની ખેંચ પડશે તેવું ખેડૂતો કહે છે,

આપણે શિયાળુ પાક મોટા પાયે લીધો છે હવે ઉનાળામાં પાણીની ખેંચ પડશે તેવું ખેડૂતો કહે છે, વળી પાછું બીવડાવવા માટે જન્મેલું છાપું અને વોટ્સએપ સોશિયલ મીડિયા આપણને બીવડાવે છે કે આવતા વર્ષે અલનીનોને લીધે વરસાદ ઓછો આવશે. આપણે શા માટે ડરવું જોઈએ ? આપણા ગુજરાતને બે

વધુ વાંચો>>>>

ખેતીનું આગોતરૂ આયોજન ક૨વાથી કયા તબ્બકે કેટલા નાણાની જરૂર પડશે

ખેડૂતને પોતાની ખેતીમા આવક –જાવકનો હિસાબ રાખવાથી ક્યા પાકમાથી કેટલો નફો થયો અને કયા પાકમા નુકશાન થયુ તેની જાણકારી મળે છે. વિવિધ પાકોની નફા- નુકસાનની સરખામણી કરીને ભવિષ્યમાં મહત્તમ નફો લેવા માટે કયા પાકો લેવા તેનું આયોજન કરી શકાય છે. ખેતીનું આગોતરૂ આયોજન ક૨વાથી કયા તબ્બકે

વધુ વાંચો>>>>

પાક ધિરાણની મહત્તમ રકમ

બેંકો તેમજ વિવિધ ધિરાણ સંસ્થાઓ ખેતી માટે વિવિધ પ્રકારનું ધિરાણ આપવાનું કાર્ય કરે છે જેમાં પાક ધિરાણ સૌથી મહત્વનું ગણાય છે. વિવિધ બેંકો અને સંસ્થાઓ દ્વારા આવા પાક ધિરાણની મહત્તમ રકમ (સ્કેલ ઓફ ફાઈનાન્સ) નક્કી કરવામાં પ્રવર્તમાન ખેતી ખર્ચની માહિતીનો આધાર લેવામાં આવે છે. ધિરાણની રકમ

વધુ વાંચો>>>>

કપાસની ખેતી ફરી સફેદ સોના ની ખેતી બની છે

કપાસની ખેતીમાં જો ભાવ સારા ટકે તો આવતા વર્ષે કપાસનું વાવેતર 20 ટકા વધશે તેવું જાણકારો કહે છે ત્યારે પડધરીના જુના નારણકાના ખેડૂત રાજેશ ભાલોડીયા કહે છે કે કપાસની ખેતી બહુ સારી છે તેણે આદિત્ય સીડ્સનું મોક્ષ વાવેલ, જીંડવા મોટા અને પુષ્કળ, વીણવામાં સરળ ત્યારે અમરેલી

વધુ વાંચો>>>>

ગુલાબીની ગેરહાજરી માં ખુબ સારું ઉત્પાદન આવવાના ગામડે ગામડે થી સમાચાર મળે છે

બોલગાર્ડ 2 કપાસમાં આ વર્ષે ગુલાબીની ગેરહાજરી માં ખુબ સારું ઉત્પાદન આવવાના ગામડે ગામડે થી સમાચાર મળે છે હળવદ તાલુકાના ધનશ્યમગઠના ખેડૂત શ્રી મનીષભાઈ ગોવાણી તો એટલા ખુશ છે કે વાત પુછોમાં તેમણે અજીત 52 કપાસ કર્યો હતો અને ભાવનગરના સીદસર ગામના ભુરાભાઇ વિરડીયા કહે છે

વધુ વાંચો>>>>

કપાસની ખેતીમાં બીજ પસંદગી ખુબ અગત્યની છે

કપાસની ખેતીમાં બીજ પસંદગી ખુબ અગત્યની છે ત્યારે કૃષિવિજ્ઞાન માસિક દ્વારા એપ્રિલ અને મે 2023 નો અંક બીજ પસંદગી વિશેષાંક તારીખે પ્રસિદ્ધ થશે તેમાં ગુજરાતમાં સફળ થયેલી બોલગાર્ડ 2 કપાસની વિવિધ જાતોના ખેડૂતોના અભિપ્રાય પ્રસિદ્ધ થશે જેથી ખેડૂતો આ સફળ ખેડૂત સાથે સીધી વાત કરીને પોતાની

વધુ વાંચો>>>>

કપાસ આ વર્ષે વધુ સફળ થયા તેનું કારણ જાણીએ

કપાસની વાત છે ત્યારે કપાસ આ વર્ષે વધુ સફળ થયા તેનું કારણ જાણીએ તો કુદરતનો સાથ મળ્યો ગુલાબી ઈયળનું જીવનચક્ર તૂટ્યું ગુલાબી ઓછી આવી એટલે આ વર્ષે સરકાર માન્ય કપાસ બોલગાર્ડ 2 ખુબ સારા થયા આવતા વર્ષે બોલગાર્ડ 2 ની વિવિધ જાતો જેવી કે રાશિ ,વિક્રમ,અજિત,

વધુ વાંચો>>>>

કપાસ ફરી સોળે કળાએ ખીલ્યા

કપાસની આ વર્ષની રંગત એટલી સારી છેકે બોલગાર્ડ 2 કપાસ ફરી સોળે કળાએ ખીલ્યા અને આવતા વર્ષે કપાસ વર્ષ હોય તો ના નહિ તેવું કપાસની ખેતીમાં થયું છે અરવલ્લી બાયડ ના વજાવત ગામના ખેડૂત ચંદ્રસિંહ સોલંકી એ ગયા વર્ષ વિક્રમ સીડ્સનો મેડલ કપાસ વાવ્યો હતો મેડલ

વધુ વાંચો>>>>

કપાસમાં ભરાવદાર જિંડવા વજનદાર ઉત્પાદન

આ વર્ષે બોલગાર્ડ ટુ કપાસના પરિણામો એ ખેડૂતોને ફરી કપાસ માટે વહાલ થાય તેવું ઉત્પાદન આવ્યું છે રાશિ કપંનીનો નિયો કપાસ વાવેતર કરનાર ખેડૂતશ્રી કેતન વસાણીયા ગામ ખીજડીયા 99042 29159 કહે છે કે કપાસની ખેતી આ વર્ષે મારે સારી રહી કારણકે તેમાં કપાસમાં ભરાવદાર જિંડવા વજનદાર

વધુ વાંચો>>>>

ખાતરનો સપ્રમાણ ઉપયોગ કરવો પડશે.

● ખાતરના ભાવ વધી રહ્યા છે અને હજુ વધશે, છોડને પોષણની જરૂર છે પાક ઉત્પાદન લેવું હશે તો ખાતરનો સપ્રમાણ ઉપયોગ કરવો પડશે. પણ આ ખાતર આપણા છોડને જોઈએ તે સ્વરૂપે ક્યારે મળે તે તમને ખબર છે ? દા.ત. યુરીયા સીધું છોડ લઇ શકતો નથી. જમીનમાં

વધુ વાંચો>>>>

રેસીડ્યુલ ફ્રી ખોરાક, શાકભાજી, ફળો, અનાજની ડિમાન્ડ નીકળી છે.

● આજે દુનિયામાં રેસીડ્યુલ ફ્રી ખોરાક, શાકભાજી, ફળો, અનાજની ડિમાન્ડ નીકળી છે. બધાને રેસીડ્યુલ ફ્રી ખાવા જોઈએ છે એટલે અસંખ્ય ખેડૂતો નીતિમતા જાળવીને પોતાના ખેતરમાં પાક ઉત્પાદન મેળવવા માટે રેસીડ્યુલ ફ્રી જંતુનાશક અને ફૂગનાશક છાંટે છે. ખાતરો પણ પ્રમાણસર અને ક્લોરીન ફ્રી વાપરીને ઓછા ખર્ચે ઉપજ

વધુ વાંચો>>>>

ચાલો ફાર્મ ટુ ફોર્ક શરુ કરીએ પોતાનો ધંધો.

કોવિડ પછી આ પ્રયોગ વધુને વધુ સફળ થઇ રહ્યો છે. સીધું ખેડૂતો પાસેથી પેદાશ મળવાથી વચ્ચે રહેલા દલાલો- મિડલમેન નીકળી જવાથી ખેડૂતને મંડી કરતા ઊંચા ભાવ મળે છે. અને ઉપભોક્તાને રિટેઇલ ભાવ કરતા વ્યાજબી ભાવે ગુણવત્તા ભરેલો માલ મળે છે. ચાલો ફાર્મ ટુ ફોર્ક શરુ કરીએ

વધુ વાંચો>>>>

ફાર્મ ટુ ફોર્ક કોન્સેપ્ટ ફૂલ્યો ફાલ્યો છે

આજકાલ સમગ્ર વિશ્વમાં ખેતીની ઉપજને ફાર્મ ટુ ફોર્ક એટલે કે ખેતર થી ઘરનો કોન્સેપ્ટ ફૂલ્યો ફાલ્યો છે. આ પ્રક્રિયામાં ઉપભોક્તાને પણ લાભ થાય છે. કારણ કે ખેતર પરથી સીધું ઉપભોક્તાને પેદાશ મળતી હોવાથી ઓછો હાથના સંપર્કમાં આવવાથી સ્વચ્છ અને તાજી ઉપજ મળે છે. ખાસ કરીને શાકભાજી,

વધુ વાંચો>>>>

ખેતીની ટેક્નોલોજી સમજવી પડશે

આપણે આપણી નજર ખોટ્ટી ભાવ ઉપર ટકાવી છે ખરેખર આપણે આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉત્પાદન વધારવાની જરૂર છે .ગયા વર્ષ કરતા આપણે એકમ વિસ્તાર દીઠ પાંચ મણિકા વધુ ઉતારો મળે તો માલ વેચવા જાવ ત્યારે વીઘા દીઠ આવક વધુ થઇ ગણાય , જેવું આ વર્ષે

વધુ વાંચો>>>>

આપણાં ખેડૂતો માટે તો એ અંગુઠો… 👍 ઠેગો થયો….

તમે જ વિચાર કરો આપણું જેમ વોટ્સએપ ગ્રુપ હોય તેવું દલાલોનું હોય કે નહિ ? તેમાં રોજે રોજ આવક જાવક , દેશાવરના ભાવ અને કાલ ક્યાં ભાવે આપણે બધાએ લેવું ? તેની ચર્ચા થતીજ હોય ને ?! એક દાખલો લૈયે તમારી નજીકની મંડી માં ટામેટા લેતા

વધુ વાંચો>>>>

અમેરિકામાં મંદી આવી રહી છે તે ભારતમાં પણ આવશે ?

આ ટેક્નોલોજીનો જમાનો આવ્યો છે . જેમ આપણા માટે મોબાઈલ લાભની વાત છે તેમ કપાસના દલાલો અને બકાલા ના વેપારીને પણ દેશ દેશાવરના સમાચારો મેળવીને પુરવઠા વિષે બધું ખબર પડી જતી હશે અને ઉપર પણ સ્પિનિંગ મિલ અને કાપડ બનાવતી કંપની પણ માંગ કરે તો ખરીદી

વધુ વાંચો>>>>

આપણે પકવેલા પાકની બઝાર કેમ ઘટતી જાય છે ?

આ વર્ષે બોલગાર્ડ કપાસના પરિણામ સારા છે ત્યારે રોજ રોજ છાપામાં વાંચીયે ત્યારે એમ થાય કે આપણે પકવેલા પાકની બઝાર કેમ ઘટતી જાય છે ? આપણું તો કોઈ નથી તેવું વારે વારે થયા કરે ? ખેડૂત ને તો બસ મુંજારો સિવાય કઈ નહિ, એમ લાગે ?

વધુ વાંચો>>>>

કોમ્પ્યુટરનું ભણ્યા પછી સારી જોબ નહિ મળતા પોતાના ઘરની અગાસીમાં શાકભાજીની ખેતી શરુ કરી

ઉત્તરપ્રદેશના આઝમગઢ ના એક યુવાન મિથિલેશ કોમ્પ્યુટરનું ભણ્યા પછી સારી જોબ નહિ મળતા પોતાના ઘરની અગાસીમાં શાકભાજીની ખેતી શરુ કરી તેની પત્ની વીંદયાવંશીની પણ તેની સાથે જોડાઈ અને પોતાના ટેરેસમાં મરચી, કોથમીર, ટામેટા, રીંગણાં, ભીંડો, કરેલા અનેક બીજા શાકભાજી પીવીસી પાઇપ અને કુંડા માં ઉગાડ્યા પોતાની

વધુ વાંચો>>>>

આંટો મારવો અને નિરીક્ષણ કરવાની ટેવ ખેતી ખર્ચ બચાવે છે

ખેતરમાં આંટો મારીને નિરીક્ષણ કરો. નોંધ કરો અને સૂચના આપો આનું નામ વ્યવસ્થાપન. આંટો મારવો અને નિરીક્ષણ કરવાની ટેવ ખેતી ખર્ચ બચાવે છે જો આપણે ખબર ન હોય તો એક મંત્ર જરૂર યાદ કરો ‘પૂછવામાં શું જાય ?’ પૂછો, પૂછશો તો પામશો. તમારી ખેતીમાં હાલની પરિસ્થિતિ

વધુ વાંચો>>>>

કથીરીનાશક એક નવું સારું કેમિકલ- મોલેક્યુલ બઝારમાં આવ્યું છે.

કથીરી માટે કથીરી નાશક જોઈએ બીજું કીટનાશક ચાલે નહિ . કથીરી એક નવું સારું કેમિકલ- મોલેક્યુલ બાઝાર માં આવ્યું છે. તમારી ડાયરીમાં નોંધી રાખો . હેક્ઝીથાયાઝોક્સ એ કૃષિમાં વપરાતી એક મહત્વની કથીરીનાશક તથા કીટનાશક છે. તે નિપ્પોન સોડા નામની જાપાનીઝ કંપની દ્વારા બનાવવામાં આવી છે. હેક્ઝીથાયાઝોક્સ

વધુ વાંચો>>>>

તમારી પાસે ખેતીનું કેવું જ્ઞાન છે ? શું તમે તમારું ખેતીનું જ્ઞાન ચકાસવા માંગો છો ?

આજના યુગમાં ખેતી પણ એમ નામ નહિ થાય ખેતીનું જ્ઞાન પણ સતત વધારવું પડશે તે માટે સારા સારા માસિક અને તમે આ વાંચો છો તેવી કોલમ નિયમિત વાંચવી પડશે .તમારી પાસે ખેતીનું કેવું જ્ઞાન છે ? શું તમે તમારું ખેતીનું જ્ઞાન ચકાસવા માંગો છો ? શુંતમે

વધુ વાંચો>>>>

ટામેટાની ખેતી મંડપ-તાર પદ્ધતિ દ્વારા મ્લચીંગ અને પાળા બનાવીને…

ટામેટાના ભાવ ફેબ્રુઆરી મહિના પછી વધે છે પરંતુ આ વર્ષે આખા દેશમાં ટામેટાની ખેતી છતીશગઢમાં સારી થાય છે આ વર્ષે ત્યાં 100 એકરમાં ટામેટાનો પાક ઉભો છે અત્યારે રોજની 14 ટ્રક ટામેટા બઝારમાં દિલ્હી સુધી જાય છે. છતીશગઢના ખેડૂતો મંડપ-તાર પદ્ધતિ દ્વારા મ્લચીંગ અને પાળા બનાવીને

વધુ વાંચો>>>>

થ્રીપ્સ નિયંત્રણ કરવા થ્રિપ્સના જીવનચક્રને સમજવું જરૂરી છે

થ્રિપ્સ નામની હઠીલી જીવાત માટે આપણે ખુબ દવાઓ છાંટવા છતાં કાબુ આવતો નથી તે જગ જાહેર વાત છે ત્યારે થ્રિપ્સના જીવનચક્રને સમજવું જોઈએ અને લેબલ થયેલા પાકમાં સારી કંપનીના બ્રાન્ડેડ જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ એકને એક દવા છાંટવાને બદલે દવાનું ઝેર બદલતું રહેવું જોઈએ હાલમાં બઝારમાં

વધુ વાંચો>>>>

ખાતર પૂરતા પ્રમાણમાં છોડને લભ્ય બને તે માટે કઈ નવી રીતો શોધાય છે ?

ખાતર પૂરતા પ્રમાણમાં છોડને લભ્ય તે માટે હવે વિવિધ રીતો શોધાય છે તેની વાત કરીયે . વિદેશની કંપનીએ યુરિયા ઉપર પટ આપવાનું DCD શોધ્યું છે જેને અંગ્રેજીમાં DICYANDIAMIDE ડાયસાયડીયામાઇડ કહે છે તેને એક યુરિયાની થેલી સાથે 15 કિલો DCD આપી દેવામાં આવેતો યુરિયાનું ડિનાઇટ્રીફીકેશન અને લીચિંગ

વધુ વાંચો>>>>

નાઇટ્રોજન ટુકડે ટુકડે આપવાની ભલામણ વૈજ્ઞાનિકો શા માટે કરતા હોઈ છે ?

સોઇલ હેલ્થની વાત આપણે કરીએ ત્યારે ખાતર વિષે પણ થોડું સમજી લેવું જોઈએ દા .ત નાઇટ્રોજન નાઇટ્રોજન આપીયે એટલે 30 % જેટલો હવામાં ઉડી જાય છે આ આપણું નુકસાન છે સાથે સાથે 5 થી 35 % જેટલો નાઈટ્રીજન બાયોલોજિકલ ઓક્સિડાયજેસન એટલે કે ડીનાઈટ્રીફિકેશન થવાથી છોડને મળતો

વધુ વાંચો>>>>

આવતા વર્ષે કપાસનું ક્યુ બીજ વાવવું ? તે સમજો.

કપાસના પાકના વાવડ લૈયે આ વર્ષે બોલગાર્ડ 2 કપાસનું વર્ષ ગણી શકાય, આવતા વર્ષે કપાસનું વર્ષ હશે તેવું બધા કહે છે ત્યારે આવતા વર્ષે કપાસનું ક્યુ બીજ વાવવું ? તે સમજવા અને નક્કી કરવા તમારે જુદી જુદી કંપનીના કપાસના ઉભા ખેતર ની મુલાકાત લેવી જોઈએ ,

વધુ વાંચો>>>>

મારો બેટો ૭ વરસનો થયો તોય વધતો કા નથી?

આપણા ગામમાં કોઈ છોકરાની ઉમર વધે તો પણ ઉંચાઈ વધે નહિ ત્યારે આપણા વડીલો કહેતા કે મારો બેટો ૭ વરસનો થયો તોય વધતો કા નથી? આની મા તો ઉચી છે અને બાપ પણ ઊંચો છે, લાગે છે કે આને પોષણની ખામી હશે એટલે આપણા વડીલો કહેતા

વધુ વાંચો>>>>

જમીન હશે તો ટેકનોલોજીના આ યુગમાં ખેતી ફરી ખેતી સજીવન થશે

ઘણા ખેડૂતો જમીન વેચી રહ્યા છે , જમીન આપણને બાપદાદાએ વારસાઈમાં દીધી છે.જમીન હશે તો ટેકનોલોજીના આ યુગમાં ખેતી ફરી ખેતી સજીવન થશે જોજો એક દી ખેતીના દિવસ આવવાના ખેતીમાં ટેકનોલોજી, હવામાન, વાતાવરણના તાપમાનના ફેરફારો અને સેન્દ્રીય તત્વોનું ઉમેરણ આપણે કરતા રહેશું , ડ્રિપ વાપરશું, મલ્ચીંગ

વધુ વાંચો>>>>

બાયો ટેક્નોલોજી આપણી ખેતીમાં આવી તો આંપણે શું ફાયદો થયો?

પંજાબ હોય કે મહારાષ્ટ્ર કે પછી આપણું ગુજરાત બધાને ખબર છે કે બાયો ટેક્નોલોજી આપણી ખેતીમાં આવી તો આંપણે શું ફાયદો થયો, 1996 થી બાયો ટેક્નોલોજી આવી , કપાસની ખેતીમાં આ ટેક્નોલોજીને બી ટી ટેક્નોલોજી કહેવામાં આવે છે .કહેવાય છે કે અત્યાર સુધીમાં ખેડૂતોનું એક બિલિયન

વધુ વાંચો>>>>

આ રોગ તમારા ખેતરમાં આવતો હોય તો કરવું શું ?

ફાયટોપ્થોરા બ્લાઈટ, મૂળનો સૂકારો મરચીમાં ત્યારે લાગે છે જયારે વરસાદની સીઝન હોય ત્યારે ખૂબ વરસાદ હોય, હવાથી છોડ ડગડગ થાતા હોય, જમીન અને થડ વચ્ચે જગાં થઈ હોય ત્યાં પાણી ભરાય, ચીકણી જમીનમાં આ રોગ થાય, છોડ ઉભો ઉભો સુકાય જાય, હવે રોગ તમારા ખેતરમાં આવતો

વધુ વાંચો>>>>

પાળા ઉપર મરચી હોય ત્યાં આ રોગ ઓછો દેખાય

મરચીનો બીજો રોગ ની વાત કરીયે તો મરચીના ઉભા છોડ સુકાવાની ગોંડલ વિસ્તારમાં રહેતી હોય છે પાણી રેડથી પાવતું હોય ત્યાં પાણીના પ્રવાહ તરફ આ સુકારો આગળ વધતો હોય છે એટલે જ આજે પ્રગતિશીલ ખેડૂતો સમજ્યા છે કે મરચીની ખેતી પાળા ઉપર કરવી જોઈએ તેને બદલે

વધુ વાંચો>>>>

એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડું જ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ?

ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે. અત્યારની વાત કરીયે તો દિવસ અને રાત્રીના મહત્તમ અને મિનિમમ તાપમાનમાં 15 ડિગ્રીનો તફાવત થાય તો મરચીમાં ભૂકી છારો આવાની શક્યતા વધી જાય આવા વાતાવરણમાં પાંદડા ઉપર છારો કે છાસીયોનો ચેપ લાગે છે. ચેપ લાગ્યા પછી કાળજી લેવામાં

વધુ વાંચો>>>>

મરચીના પાન શા કારણે ખરતા હતા તે તમારા માંથી કોણ કહેશે?

ગયા વર્ષે માંથી શીખ લેવી તે આપણું શિક્ષણ છે, ગયા વર્ષે દિવાળી પછી મરચીના પાન શા કારણે ખરતા હતા તે તમારા માંથી કોણ કહેશે? મરચીના પાટલામાં પાંદડા ખરતા નજરે ચડે તે શેનાએ લક્ષણ છે ? મરચીના વિવિધ રોગોને કારણે મરચીના પાંદડાનું ખરણ થતું હોય છે. દા.ત.

વધુ વાંચો>>>>

ખેડૂતો વેપારી બનો પછી જૂઓ ખેતીમાંથી મળશે સમૃધ્ધિ.

મુલ્યવર્ધન કરવું એ કઈ મોટી વાત નથી , આપણે પણ આપણા કોઠીમ્બાની કાચરી હોય કે પકવેલા અનાજ , તલ , મગ , અડદને વીણેલા અને સાફસુધરા કરી પોતાના પેકીંગમાં વેચી શકીયે , શીંગના સૂકા ઓળા પણ તમે વેચી શકો , જો તમે મરચી વાવી છે તો

વધુ વાંચો>>>>

મુલ્યવર્ધન કરીને માલ વેચવામાં ખુબ લાભ થઈ શકે

ખેતીની સમૃઘ્ધની વાત આવે ત્યારે વેલ્યુ એડીશન એટલે કે મુલ્યવર્ધન કરીને માલ વેચવામાં ખુબ લાભ થઈ શકે. દા.ત. તમે આ વર્ષે મરચીનું વાવેતર કર્યું છે તમે લાલા મરચા કરીને યાર્ડમાં સુકા વેચવાનો છો ત્યારે કેવો ભાવ રહેશે તે તો સમય જ કહેશે પરંતુ એક અખતરો કરો.

વધુ વાંચો>>>>

નવી રાહત અને સબસીડી અથવા તો વિવિધ સહાય મેળવવા અરજી કરવી

પ્લાનીંગ કરવાની વાત છે ત્યારે નવી રાહત અને સબસીડી અથવા તો વિવિધ સહાય મેળવવા અરજી કરવી હોય તો તમારા નજીકના બાગાયત અધિકારીને મળો અથવા મોબાઈલથી પૂછો કે આપણા ઘટકમાં કઈ સબસીડી કે સહાય મેળવવાનો સમય છે. દા.ત. તમે આવતા વર્ષે મરચી, ટમેટી, કારેલી કરવા માગતા હો

વધુ વાંચો>>>>

આ વર્ષમાંથી જે શીખ્યા તે યાદ રાખી આવતા વર્ષ માટે વિચાર કરો.

આ વર્ષમાંથી જે શીખ્યા તે યાદ રાખી આવતા વર્ષ માટે તારો શું વિચાર છે ? તેવો સવાલ તમને કોઈ પૂછે તો તમારો જવાબ શું હોય શકે ? તે તમારા આ વર્ષના અનુભવ પરથી નક્કી થાય .આ વર્ષેના અનુભવમાંથી શીખીયે તેને ડહાપણ કહેવાય , આવતા વર્ષની ખેતીમાં

વધુ વાંચો>>>>

કપાસના ભાવ ટકશે કે કેમ ?

રંગે ચંગે દિવાળીના તહેવારો ધામ ધુમથી ઉજવી ને આપણે મોસમ લઇ રહ્યા છીએ . ખળામાંથી કપાસ , મગફળી , સોયાબીનનો પાક આપણે લણ્યો છે આ વર્ષે તો ભાવ સારા રહેવાના છે કારણકે ચૂંટણીનું વર્ષ છે એટલે તેનો બરાબર લાભ લેજો , કપાસના ભાવ ટકશે કે કેમ

વધુ વાંચો>>>>

તો સારું હતું તે કર્યું હોત તો સારું હતું તેવું ડહાપણ દીવાળીએ ડોકાય છે.

એમ તો આપણા પાકને જરૂરી હોય તેવા પોષકતત્વો જેવા કે બોરોન, ઝીંક, મેગ્નેશીયમની પૂર્તિ કરીને સારું ઉત્પાદન લઈ શકાય છે. આ તત્વો જમીનનું પૃથ્થકરણ કરાવીને આ વર્ષની ખેતીમાં વાપર્યા હોત તો થોડા ખર્ચમાં ઉત્પાદન વધુ મળત પણ આપણને આ બધુ હવે દીવાળીએ સમજાય છે. આ કર્યું

વધુ વાંચો>>>>

શા માટે બીજા કરતા બે પૈસા વધુ ન કમાવવા ?

પાનના ગલ્લે મગનની વાત સાંભળી સુરેશ અને સુરેશની વાત સાંભળી તમે પણ ખેતીને નકામી ગણોતો અંતે તો તમને જ નુકશાન છે , જયારે ખેતી કરવાનો સ્વધર્મ મળ્યો છે ત્યારે ખેતીને વૈજ્ઞાનિક રીતે કેમ કરવી? તે વિચારવાનો સમય છે તો કારતક મહિને કણબી ડાયો કહેવાય શા માટે

વધુ વાંચો>>>>

શું તમને સમાચાર મળ્યા કે કૃષિ વિજ્ઞાન મેગેઝીન હવે ટેલીગ્રામમાં ફ્રી વાંચવા મળે છે ?

જો ના, તો જાણો કે ૫૧ વર્ષથી પ્રસિદ્ધ થતું કૃષિ વિજ્ઞાન દર મહીને પ્રસિદ્ધ થાય છે અને તેનું વાર્ષિક લવાજમ રૂ. ૩૯૯ /- છે તેમાં વૈજ્ઞાનિક ખેતીની છેલ્લામાં છેલ્લી માહિતી પ્રસિદ્ધ થાય છે, એક જ માહિતી તમને ઉપયોગી બને તો ખેતી માટે નફાકારક બની શકે. આજે

વધુ વાંચો>>>>

કારતક મહિને કણબી ડાયો

કારતક મહિને કણબી ડાયો તે કહેવતને અનુરૂપ આપણામાં નીવડેલા પાક માટે સારો અને નબળા પાક માટે તિરસ્કાર ભાવ સાથે મનમાં ડહાપણ ખીલતું હશે, કોઈની ડ્રિપ અને મ્લચીંગની સારી નફાકારક ખેતી જોઈને આવતા વર્ષે ડ્રિપ અને મ્લચીંગથી ખેતી કરવી તેવો વિચાર આવતો હશે , કોઈને વળી બોલગાર્ડ

વધુ વાંચો>>>>

બધા દેશો ફૂડ સિક્યોરિટી વિષે વિચારતા થયા છે ત્યારે બોયો ટેક્નોલોજીની નવી CRISPR ટેક્નોલોજી ખુબ જ મદદ કરી શકે છે.

આજે જ્યારે વિદેશના અનેક દેશોમાં દુષ્કાળની પરિસ્થિતિ છે ત્યારે તે દેશોમાં ફૂડ સિક્યોરિટીનો પ્રશ્ન ઉભો થયો છે બધા દેશો અન્ય દેશો પાસે મદદ માંગી રહ્યા છે ત્યારે બાયો ટેક્નોલોજી આવા વર્ષોમાં મદદ કરી શકે છે. ભવિષ્ય માટે પણ હવે બધા દેશો ફૂડ સિક્યોરિટી વિષે વિચારતા થયા

વધુ વાંચો>>>>

પાકના જિનમાં રહેલા અવગુણોને કાપીને સારો પાક મેળવવાની ટેક્નોલોજી

ક્રિસ્પર CRISPR ટેક્નોલોજીને હજુ સાવ સાદી ભાષામાં સમજીએ તો જે તે પાકના જિનમાં રહેલા અવગુણોને કાપીને સારો પાક મેળવવાની ટેક્નોલોજી, જેમાં નથી કોઈ ફોરેન જિનને (બહારનું) ઉમેરવાનું કે નથી કોઈ પ્રાણીજન્ય જિનને દાખલ કરવાનું ટૂંકમાં જિન મોડીફાઇડ નહિ પરંતુ જે તે જાતના સારા ગુણોને રાખીને નબળા

વધુ વાંચો>>>>

ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજીએ.

ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજવા પ્રયત્ન કરીએ આજે હજારો લોકો પૂરતું પોષણના અભાવે એનિમિયા રોગથી ગ્રસ્થ છે તેને વધુ વિટામિન વાળા ફળો મળશે જેમકે કેળામાં વધુ પીળા ફળો મળે કે જેમાં બીટા કેરોટીનનું પ્રમાણ વધારી શકાશે એવા ફેરફારો પણ આ ટેક્નોલોજીને લીધે થશે. ઘણાને મગફળીની એલર્જી થતી

વધુ વાંચો>>>>

વૈજ્ઞાનિકો હવે ક્રિસ્પર CRISPR ટેક્નોલોજી લાવ્યા છે

વૈજ્ઞાનિકો અને સંશોધકો સતત આનો રસ્તો શોધવા મહેનત કરી રહ્યાં છે બાયો ટેક્નોલોજી એટલે કે જિન ટ્રાન્સફર ટેક્નોલોજી એટલે કે જિનેટિક મોડીફાઇડ સામે હજુ પણ મીડિયાની ગેરસમજને લીધે આપણે ડરીએ છીએ તેથી વૈજ્ઞાનિકો હવે ક્રિસ્પર CRISPR ટેક્નોલોજી લાવ્યા છે તેમાં બહારનું એક પણ દાખલ કરવાનું હોતું

વધુ વાંચો>>>>

2050 સુધીમાં 9 બિલિયનથી વધુ લોકો આ ધરતી ઉપર હશે ત્યારે દરેકને અન્ન પુરુ પાડવું પડશે

મિત્રો, દુનિયાની વસ્તી વધતી જાય છે 2050 સુધીમાં 9 બિલિયનથી વધુ લોકો આ ધરતી ઉપર હશે ત્યારે દરેકને અન્ન પુરુ પાડવું પડશે સાથે સાથે કલાઇમેટ ચેન્જ એટલે કે હવામાન બદલી રહ્યું છે એટલે વધુને વધુ રોગો અને જીવાતો પાકમાં આવતી રહે છે અને આવી વિષમ પરિસ્થિતિમાં

વધુ વાંચો>>>>

ઓકટોબર મહિનાની ઠંડી પડવાથી આપણી ખેતીમાં આપણે શું ધ્યાન રાખવું ?

કપાસ ઉગાડતા ખેડૂતો ધ્યાન આપે ઓકટોબર મહિનાની ઠંડી પડવાથી આપણી ખેતીમાં આપણે શું ધ્યાન રાખવું ? ભૂરપવનની શરૂઆત થશે એટલે કે રાત્રીનું તાપમાન જેમ જેમ નીચું જતું જશે તેમ તેમ અમુક જીવાત ઓછી થશે તો ગુલાબી ઈયળના કોશેતા જે જમીનમાં પડ્યા છે તે આળસ મરડીને ફૂદામાં

વધુ વાંચો>>>>

શું છે આ આઘાત ?

• શું છે આ આઘાત ? છોડની આસપાસની વિપરીત પરિસ્થિતિને લીધે છોડને આઘાત લાગે છે તેનાથી છોડના વિકાસ અને ઉપજ દેવાની ક્ષમતામાં ઘટાડો આવે છે. આવો આઘાત વારંવાર આવે તો છોડની ઉપજ આપવાની આનુવંશિક ક્ષમતા ઉપર વિપરીત અસર થાય છે. છોડને આવતા આવા આઘાત બે પ્રકારના

વધુ વાંચો>>>>

છોડને આઘાતથી બચાવો તો મહત્તમ ઉત્પાદન મળી શકે છે

પાક ઉત્પાદનમાં વધુ ઉપજ લેવા ખાતર, પાણી અને પાક સંરક્ષણ કરી છોડએ જીવાત રોગથી બચવવા જોઈએ તેટલું આપણને ખબર છે પરંતુ કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે જેમ આપણને ટાઢ, તડકો અને વાતાવરણનો સ્ટ્રેસ(આઘાત) લાગે છે તેમ છોડને પણ જૈવિક આઘાત અને અજૈવિક આઘાતથી બચાવવો જોઈએ તો

વધુ વાંચો>>>>

ગુજરાતનું સૌથી વધું અસરકારક કૃષિ માસિક કર્યું ?

ગુગલ ઉપર ખાખાખોળા કરતા જાણવા મળ્યું કે ગુજરાતનું સૌથી વધું અસરકારક કૃષિ માસિક કર્યું તો જવાબ મળ્યો કે ૩૯૯/- ભરીને કૃષિ વિજ્ઞાનનું લવાજમ ભરી દર મહીને ખેતીની માહિતી મેળવી શકાય છે. પણ સાથે એ પણ જાણવા મળ્યું કે જો વિનામુલ્યે કૃષિ વિજ્ઞાન મોબાઈલમાં વાંચવું હોય તો

વધુ વાંચો>>>>

આજે સવાલ પૂછતાં આવડે તે શીખે છે

આજનો યુગ ટેલીકોમ્યુનિકેશનનો યુગ છે આજે માહિતી હાથવગી છે, જરૂર છે ગુગલને સાચો સવાલ પૂછવાની, આજે સવાલ પૂછતાં આવડે તે શીખે છે, રોજ થોડો સમય ગુગલને સાચો સવાલ પૂછીને ખેતીનું વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન જાની શકીએ છીએ. આજના યુગમાં ગુગલ સાચા અર્થમાં જ્ઞાનનો ભંડાર છે પણ જો

વધુ વાંચો>>>>

ફાર્મ મેનેજરની નજરમાંથી કાંઈ પણ છટકી જવું જોઈએ નહિ.

ફાર્મ મેનેજરની નજરમાંથી કાંઈ પણ છટકી જવું જોઈએ નહિ. એકાદ છોડમાં દેખાતા રોગના લક્ષણો તમારા ઘ્યાનમાં આવે કે તરત તેનું નિયમન કરવામાં આવે તો ખુબ જ ફાયદો થાય છે. વિવિધ પ્રોસેસ કરતા ભાગીયા ઘણીવાર કામના બોજામાં એકાદું અગત્યનું કામ ભૂલી જાય પણ યાદ કરાવવાનું તમારે છે

વધુ વાંચો>>>>

ખેતીમાં આવતી સમસ્યાના નિરાકરણ માટે જોઈએ કોઠાસુઝ.

ખેતીમાં આવતી સમસ્યાના નિરાકરણ માટે જોઈએ કોઠાસુઝ, ઝડપી નિર્ણય અને સમયસરનું સંચાલન, ભલેને પછી તમે ભાગીયા દ્વારા ખેતી કરાવતા હો પણ અંતે તો તમે તમારા ખેતરના મેનેજર છો, મેનેજરનું શું કામ છે ? મેનેજરનું કામ છે ખેતરમાં થતી દરેક પ્રોસેસ જેવી કે પાકસંરક્ષણ, પિયત વ્યવસ્થાપન, ખાતર

વધુ વાંચો>>>>

ટોલ્ફેનપાયરાડ એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે.

મોલો, તડતડીયા, સફેદ માખી અને થ્રિપ્સ તથા રીંગણમાં આવતી સફેદ માખીનાં નિયંત્રણ માટે એ સૌ પ્રથમ ૧૯૯૧માં મિત્સુબીસી કેમિકલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ. ટોલ્ફેનપાયરાડ એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે. આ કીટનાશક કીફન, ટોરાક વગેરે જેવા અલગ અલગ વ્યાપારી (બજારું) નામે મળે છે.

વધુ વાંચો>>>>

હવે વિચારો કે ઇઝરાયેલ અને આપણામાં શું ફેર ?

ઈઝરાયલના ખેડૂતો વિજ્ઞાન ને સમજીને નવા સંશોધન ની માહિતી સતત મેળવતા રહે છે અને હવે વિચારો કે ઇઝરાયેલ અને આપણામાં શું ફેર ? ખેતીની કંઈક નવી માહિતી મેળવીને તમારી ખેતી બદલી નાખો. આ બધું પૂછતા પંડીત થવાય, પુછવામાં આપણું શું જાય ? પૂછીએ તો કંઈક નવીન

વધુ વાંચો>>>>

વધુ ને વધુ પોષણક્ષમ ઉત્પાદન લેવું હશે તો પિયતને પણ ચોક્કસાઈ પૂર્વક આપવું પડશે

ખેતીનો યુગ છે અને ખેતીનો યુગ આવી રહ્યો છે ત્યારે ખેતી પાકોમાં સૌથી અગત્યની વાત પિયતના સંદર્ભે પણ વૈજ્ઞાનિક ખેડૂતોની મદદે આવી રહ્યા છે. વધુ ને વધુ પોષણક્ષમ ઉત્પાદન લેવું હશે તો પિયતને પણ ચોક્કસાઈ પૂર્વક આપવું પડશે. પાકને જરૂર છે ભેજની, નહિ કે પાણી આપણે

વધુ વાંચો>>>>

મરચીમાં ૧૪ પ્રકારની ફુગ, ૧૬ પ્રકારના વાયરસ, નીમેટોડ, ૫ પ્રકારના બેકટેરીયા અને ૬ પ્રકારના કીટકો લાગે છે,

હવે ટેકનોલોજી બદલાઈ છે રોગકારક જાણવા માટે અદ્યતન સાધનો જેવા કે મલ્ટીપલ પીસીઆર અને કેમીકલ અને માઈક્રોસ્કોપ- શુક્ષ્મ દર્શક યંત્ર આવ્યા છે અને તે કઈ દવાથી નિયંત્રણમાં આવશે તેનું પરિક્ષણ પણ લેબમાં થઈ શકે છે પરંતું હજુ ભારતમાં આવી પેથોલોજીકલ લેબો ખેડૂતો માટે બનવા જઈ રહી

વધુ વાંચો>>>>

તમારા થી રોગકારક ફેલાતા નથીને ? વિચારવું પડશે

ટુંકમાં રોગકારક ખેતરમાં ન આવે ત્યારથી શરૂ કરી તે રોગકારક ફેલાય નહિ તેવું કરવાની નિષ્ણાંત નજર કેળવવી પડશે. આંટો મારતા એકાદ છોડને ઉપાડીને ફેકી દેવો તો કયાં ફેંકવો, બાજુના ખેતરનુંં પાણી, તમારા ખેતરમાં નથી આવતું ને ? તમારા બળદ, સાંતી, સાધનો કે તમારા કે મજુરના પગ

વધુ વાંચો>>>>

ખેતરમાં આંટો મારો એકલ દોકલ છોડના પાન, થડ, છોડમાં થતા બદલાવને ઘ્યાનમાં લ્યો

કોઈપણ છોડ હોય, મરચી હોય કે ટમેટા, કપાસ હોય કે કમોદ બધા પાકમાં રોગના લક્ષણો દેખાવાનું શરૂ થાય ત્યારે પગલા લેવા પડે કાણા વાળા ટપકા થાય, પાણી પોચા ટપકા થાય, મૂળ કે થડ ઉપર ગળું પડે, છોડને ઉભક લાગ્યો હોય તેમ એકાદ છોડ મરી જતો નજરે

વધુ વાંચો>>>>

રોગના ફેલાવ નિયંત્રણ માટે વાતાવરણ કેવી રીતે અગત્યનું છે ?

મરચીમાં રોગ ફેલાવા માટે રોગકારક સાનુકુળતા મળે ત્યારે રોગ ફેલાય છે. એટલે કે રોગના ફેલાવ માટે વાતાવરણ ખુબ જ અગત્યનું છે. દા.ત. ફાટોપ્થોરા બ્લાઈટ, આ એક એવી ફુગથી થાય છે કે જેને સતત વરસાદ હોય, જમીન ભીનીને ભીની હોય, વાતાવરણમાં ભેજ વધુ હોય દા.ત. ૧૦૦% ભેજવાળા

વધુ વાંચો>>>>

મરચીનો સારો પાક લેવા કેટકેટલા પાપડ બેલવા પડે?

મરચીનો સારો પાક લેવા કેટકેટલા પાપડ બેલવા પડે તે દલાલને કે ખરીદનારને ખબર હોતી નથી આ લોકો . બઝારભાવ તળીયે બેસાડીને સસ્તામાં માલ પડાવી લેવાની પેરવી બધે થાય છે. તે જગ જાહેર છે. તેમ છતાં આપણે ખેડૂત તરીકે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવા મરચીના પાકમાં જીવાત,

વધુ વાંચો>>>>

દવા છંટકાવ વખતે વધુ ઝલદ દવાથી મરચીના છોડ પર શું અસર થાય છે ?

મરચીની પાઠશાળામાં આના વિશે પણ વાત થશે કે જમીનમાં પોષક તત્વોની ખામી મરચીને નુકશાન કરે છે. તેથી માઈક્રોન્યુટ્રીયન્ટ ખાસ જરૂરીયાત મુજબ આપવું પડે છે અને દવા છંટકાવ વખતે વધુ ઝલદ દવાથી મરચીના પાકમાં કેમીકલ થી પાંદડામાં સ્કોચિંગ પાનમાં કેમીકલ ની આડ અશર થવાથી નુકશાન થઈ શકે

વધુ વાંચો>>>>

મરચીની પાઠશાળા ખેતર ની વાત માં ભાગ લેવો જોઈએ

મરચી ઉગાડતા ખેડૂતોએ પોતાના મોબાઈલમાં ટેલીગ્રામ ડાઉનલોડ કરીને મરચીની પાઠશાળા ખેતર ની વાત માં ભાગ લેવો જોઈએ. મરચીની ખેતી કરવી હોય તો મરચી વિશે અત થી ઇતિ જાણી રાખવું પડે અને જે સમસ્યા હોય તેનું સવેળે નિરાકરણ કરવું જોઈએ. મરચીમાં વિવિધ આવતી સમસ્યા કઈ અને કેટલી

વધુ વાંચો>>>>

જર્મન દેશના લોકો કેવી રીતે ઓછા ખર્ચે ઉત્પાદન લે છે તેની વાતો મેળામાં જાણવા મળશે

વિદેશની વાત કરીએ તો આ મેળામાં જર્મન દેશનો મોટો ડોમ હશે ત્યાં ખેતીને લગતી માહિતી અને તે લોકો કેવીરીતે ઓછા ખર્ચે ઉત્પાદન લે છે તેની વાતો ત્યાં જાણવા મળશે , ઈફકોના નેનો યુરિયા , યુપીએ કંપનીના જંતુનાશકો અને ફુગનાશક, અમુલ ઓર્ગનિકના ઓર્ગનિક ખાતરો ,પ્રાકૃતિક ખેતીની માહિતી

વધુ વાંચો>>>>

પાકને ઉપયોગી તેવા ઇઝરાયલ, ઇટાલી, નેધરલેંડના ખેડૂતો વાપરે છે તેવા ખાતરો વિષે જાણો કૃષિ મેળામાં.

ગાંધીનગરના મેળાની માંડીને વાત કરું તો એગ્રો એક્ઝીમના સ્ટોલ ઉપર જશો તો ત્યાં તમને ભદ્રેશભાઈ અથવા અજીત રાજ મળશે તે તમને પોતાની ખેતીમાં ઉત્પાદન વધારવા માટે પાકને ઉપયોગી તેવા ઇઝરાયલ, ઇટાલી, નેધરલેંડના ખેડૂતો વાપરે છે તેવા ખાતરો વિષે સમજાવશે આ ખાતરના લાભ મેળવીને સફળ થયેલા ખેડૂતો

વધુ વાંચો>>>>

પ્રોટેક્ટિવ ફાર્મિંગ – મ્લચીંગ અને ગ્રો કવરનો જમાનો આવવાનો છે

પ્રોટેક્ટિવ ફાર્મિંગ વિષે હવે વધુ જાણવું પડશે એટલે એમ કહો કે મ્લચીંગ અને ગ્રો કવરનો જમાનો આવવાનો છે ગ્રો કવર ની માહિતી માટે ગ્રો ઈટ સુરતની કંપનીના સ્ટોલ ઉપર તમને પ્રોટેક્ટિવ ફાર્મિંગ વિષે અત થી ઇતિ માહિતી મળશે તે સ્ટોલ નંબર ૩૯ની જરૂર મુલાકાત લેજો અને

વધુ વાંચો>>>>

આ યુગ માર્કેટિંગનો છે એટલે સાચું શું ને ખોટું શું તે પારખવાની નજર પણ રાખવી પડે

માહિતી મેળવવા માટે રેડિયો પણ પહેલા ખુબ ઉપયોગી હતો હવે મોબાઈલ દ્વારા વોટ્સઅપ ગ્રુપ, ટેલીગ્રામ ગ્રુપ, ફેસબુક પેઇઝ દ્વારા ઉભા પાકના વિડીયો અને ખેડૂતની મુલાકાત જોવા મળે છે. વિવિધ ચેનલ દ્વારા ખેડૂતોના ઇન્ટરવ્યુ હવે મોબાઈલમાં જોવા મળે છે આ એક માહિતી છે! હા, આ યુગ માર્કેટિંગનો

વધુ વાંચો>>>>

કૃષિ યૂનિવર્સિટીના દ્વારે થી :

આપણંા રાજયમાં કૃષિ સંશોધન, કૃષિ શિક્ષણ અને કૃષિ વિસ્તરણ પ્રવૃતિ ક્ષેત્રે કુલ ચાર કૃષિ યુનિવર્સિટી કાર્યરત છે. (૧) દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (૨)આણંદ કૃષિ યુનિવર્સિટી (૩) નવસારી કૃષિ યુનિવર્સિટી અને (૪) જુનાગઢ કૃષિ યુનિવર્સિટી. આ તમામ કૃષિ સંશોધન કાર્યમાં હજારો કૃષિ વૈજ્ઞાનિકો સામેલ છે. આધુનિક ખેત પઘ્ધતિઓ,

વધુ વાંચો>>>>

આપણે ખેતીને પોષણક્ષમ બનાવવા ખેતીને લગતું વાંચન અને નવી ટેકનોલોજી આપણે ફરજીયાત લાવવી પડશે.

ખેતીની આવક બમણી કરવાની વાત છે ત્યારે આપણે ખેતીને પોષણક્ષમ બનાવવા ખેતીને લગતું વાંચન અને નવી ટેકનોલોજી આપણે ફરજીયાત લાવવી પડશે. હજુ તો રોગ-જીવાત અને ખારાશ સામે અને ઓછા પાણી સામે લડવાનું આવવાનું છે એટલે આપણે વિજ્ઞાનની સાથે રહેવાની જરૂર છે. સરકારે પણ સબસીડીથી ઉપર ઉઠીને

વધુ વાંચો>>>>

ખેતી આજે ટેકનોલોજીના માઘ્યમથી દીવસે દિવસે નવા યુગમાં પ્રવેશી રહી છે

ખેતી આજે ટેકનોલોજીના માઘ્યમથી દીવસે દિવસે નવા યુગમાં પ્રવેશી રહી છે, જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ તે બધાને જોઈએ અન્ન, વસ્ત્ર આ બધા માટે જોઈએ ખેત પેદાશ, ખેતીમાં નવો યુગ વિશ્વમાં આવી ગયો છે. અમેરીકા જેવા દેશમાં ચોક્કસાઈ વાળી ખેતી શરૂ થઈ છે.

વધુ વાંચો>>>>

ડ્રિપના લીધે આપેલા દ્રવ્ય ખાતરોનો છોડ પૂરતો લાભ લઈને તમારા ખર્ચનું જબરૂ વળતર આપશે

ખાતરની વાત ચાલે છે ત્યારે જેમણે ડ્રીપ ઈરીગેશન આ વર્ષે અપનાવ્યું છે તે બધા ને આ બલ્ક ખાતરનો ખર્ચ ઓછો થશે એટલે કે ખાતર ખર્ચમાં ઘણી બચત કરી શકે છે. એટલું જ નહિ ડ્રિપના લીધે આપેલા દ્રવ્ય ખાતરોનો છોડ પૂરતો લાભ લઈને તમારા ખર્ચનું જબરૂ વળતર

વધુ વાંચો>>>>

પોટાશ પાયામાં જ આપી દેવાથી કપાસની ખેતીમાં ખુબ લાભ થાય છે.

તેલીબીયાની ખેતી હોય એટલે કે કપાસ, બાગાયત , મગફળી કે એરંડાની ખેતી હોય તો પોટાશનો ઉપયોગ વધારો. પોટાશ પાયામાં જ આપી દેવાથી કપાસની ખેતીમાં ખુબ લાભ થાય છે. ટુંકમાં તેલીબીયા પાકોમાં પોટેશીયમ સમયસર આપો તેમ ઉપજમાં મોટો લાભ કરાવી આપે છે એટલે જ કહેવાનું કે કપાસમાં

વધુ વાંચો>>>>

છોડ માથોડાઢક થઈ જાય ત્યારે છોડમાં નાઈટ્રોજન વધુ પ્રમાણમાં થઈ ગયું છે તે સમજો

છોડનો વિકાસ એકલો સારો નથી તેની વાત પણ નોંધો તમારા કપાસના જેવા ૪ થી સાડાપાંચ ફુટના થાય એટલે તેની મુખ્ય અગ્રકલીકા કાપો જેને ડુંખ કાપવી અથવા નીપીંગ કરવું પણ આપણે કહીએ છીએ, છોડ માથોડાઢક થઈ જાય ત્યારે છોડમાં નાઈટ્રોજન વધુ પ્રમાણમાં થઈ ગયું છે તે સમજો

વધુ વાંચો>>>>

યોગ્ય મોલેકયુલની પસંદગી કરો એકને એક ગ્રુપની દવા વારંવાર છાંટો નહિ

કપાસની ખેતી હોય કે શાકભાજીની બધામાં હવે ચૂસિયા જીવાતનો ઉપદ્રવ વધી રહ્યો છે. ત્યારે યોગ્ય મોલેકયુલની પસંદગી કરો એકને એક ગ્રુપની દવા વારંવાર છાંટો નહિ , તમે જયારે દવા ખરીદો ત્યારે તમારી ડાયરીમાં ક્યુ મોલેક્યૂલની દવા તમે ભાગીયાને આપી તે નોંધ કરો અને દવા છંટાયા પછી

વધુ વાંચો>>>>

જાપાનમાં માછલીનું ઉત્પાદન વધે તે માટે જિન એડિટિંગ ટેક્નોલોજી

જાપાનમાં માછલીનું ઉત્પાદન વધે તે માટે જિન એડિટિંગ ટેક્નોલોજીને આધારે સીઆરઆઈએસપીઆર દ્વારા રેડ સી બ્રેયમ અને પફફર માછલી નું ઉત્પાદન વધુ ઝડપી બનશે, માછલીનું ઉત્પાદન વધશે અને માછલીનું વજન પણ વધશે. જાપાનના રેસ્ટોરન્ટના આગ્રહ ને ધ્યાનમાં લઈને જાપાન આ ટેક્નોલોજી અપનાવવાને માન્યતા આપી છે , જિન

વધુ વાંચો>>>>

કથીરી માટે જાણીતું મોલેક્યુલ ક્લોરફેનપાયર

કથીરીની વાત ચાલે છે ત્યારે કથીરી માટે જાણીતું મોલેક્યુલની વાત કરીયે અને એનું નામ છે ક્લોરફેનપાયર એ સૌ પ્રથમ ૨૦૦૧માં બી.એ.એસ.એફ. કેમિકલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ. ક્લોરફેનપાયર એ પાયરોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક તથા કથીરીનાશક છે.બઝારમાં તે વિવિધ નામે મળે છે આ કીટનાશક લેપિડો,

વધુ વાંચો>>>>

રાલીઝ ઇન્ડિયા દ્વારા બે નવા ફુગનાશક બઝારમાં મુખ્ય છે

રાલીઝ ઇન્ડિયા દ્વારા બે નવા ફુગનાશક બઝારમાં મુખ્ય છે એક છે કેપ્સસ્ટોન અને બીજું છે ઝાફૂ આ બને ફુગનાશક નેકબલાસ્ટ અને સીથ બ્લાઇટ નામના રોગ માટે અસરકારક છે ડાંગર ઉગાડતા ખેડૂતો માટે આ નવી ફુગનાશક વધુ ઉત્પાદન લેવામાં મદદ કરશે તેવું રાલીઝ કંપનીના વૈજ્ઞાનિકોનું માનવું છે

વધુ વાંચો>>>>

જીવાતો પ્રતિકાર શક્તિ કેવી રીતે કેળવે છે ?

જીવાતો પ્રતિકાર શક્તિ કેવી રીતે કેળવે છે તે દાખલ સાથે સમજીયે , દરેક જંતુનાશકના મોલેક્યુલ ( ઝેર ) જીવાતની એલ ડી 50 વેલ્યુના આધારે ડોઝ નક્કી કરે, દા.ત. કથીરી એટલે કે અષ્ટપાંગ જીવાત કે જેને ચાર જોડી પગ હોય અને તે બીજી જીવાત કરતા જુદી પડે

વધુ વાંચો>>>>

શું આપણે જીવાતોની નવી પેઢી વધુને વધુ શક્તિશાળી બનાવવા મદદ કરીએ છીએ ?

મોટો પ્રશ્ર્ન એ છે કે બધી બધી જીવાત દિવસે દિવસે બધી દવા સામે પ્રતિકાર શક્તિ કેળવતી જાય છે, બધી જીવાતો હવે સામી થઇ છે કારણ આપણે જીવાતોની નવી પેઢી વધુને વધુ શક્તિશાળી બનાવવા મદદ કરીએ છીએ ? અને અત્યારે જે દવા બાઝારમાં છે તેનાથી મરે નહિ

વધુ વાંચો>>>>

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ?

જીવાતને મારવી હોય તો કઈ અવસ્થામાં મારવી આપણાં માટે સહેલી ? દા . ત . આપણે કોશેટાને મારવા જમીનની ઊંડી ખેડ કરીયે . કોસેટાનો નાશ કરવા જૈવિક નિયંત્રણ કરીએ તેમ છતાં કેટલાક કોશેટા બચી પણ જાયને તેમાંથી કૂદું બહાર આવેને ઈંડા મૂકે તો પછી તેમાંથી ઈયળ

વધુ વાંચો>>>>

આપણા પાકમાં આવતી વિવિધ જીવાતોનું જીવન ચક્ર કેવી રીતનું હોય છે ?

જીવાતની વાત ઉપરથી યાદ આવ્યું કે આ બધી આપણા પાકમાં આવતી વિવિધ જીવાતોનું જીવન ચક્ર કેવી રીતનું હોય છે તે આપણને ખબર હોવી જોઈએ અને આપણને દરેકને એક પ્રશ્ર્ન રહે છે કે આપણા પાકમાં આવતી જીવાત જેમ જેમ સમય જાય છે તેમ તેમ કેમ કંટ્રોલમાં આવતી

વધુ વાંચો>>>>

ગુલાબી ઈયળને શેનો ડર લાગે છે ?

ગયા અઠવાડિયાની ગુલાબીની ચોખ્ખી વાતું સાંભળીને આપણા વાચક મિત્રોને જાગતા કરી દીધા પણ વાત વાતમાં ગુલાબી ઈયળે તેને શેનો ડર લાગે છે તે આપણને બધુ કહી દીધું એટલે આપણા જેવા પ્રગતિશીલ ખેડૂતોને બધી ખબર પડી ગઈ કે ગુલાબીનું સચોટ નિયંત્રણ કેમ કરવું ? ગુલાબીની દુખતી રગ

વધુ વાંચો>>>>

ટેકનોલોજીની સરળતાને લીધે આપણી કેટકેટલીક મુશ્કેલીઓ સરળ થઇ રહી છે

સમય બદલાય રહ્યો છે, ટેકનોલોજીની સરળતાને લીધે આપણી કેટકેટલીક મુશ્કેલીઓ સરળ થઇ રહી છે, તમે વિચાર તો કરો કે છેલ્લા થોડા વર્ષમાં શહેરના આપણા ખાનપાન અને કપડા લતાની ખરીદીમાં કેવો બદલાવ આવ્યો છે . આજકાલ માંગો તે ઓન લાઈન મળે છે , માંગો તે કપડા, માંગો

વધુ વાંચો>>>>

આજે વિશ્વમાંનો ટીલેજનો યુગ આવ્યો છે

સેન્દ્રીય તત્વો વધારવા હશે, જમીનમાં કાર્બન ગુણોત્તર  જાળવવો હશે તો ઓછામાં ઓછી ખેડ  કરવી પડશે આજે વિશ્વમાંનો ટીલેજનો યુગ આવ્યો છે છત્તીશગઢ જેવા રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો મોટા પાળા ઉપર ખેતી કરે છે જે પાળા  ૨-૪ વર્ષ સુધી એમ જ રાખવામાં આવે છે.  સેન્દ્રીય તત્વો અને જમીનની

વધુ વાંચો>>>>

પશુપાલન દ્વારા દૂધ-ઘી-માખણનું સેવન થતું મહેનત સામે ખેડૂતોને બળ મળતું,

ત્યારે પશુપાલન દ્વારા દૂધ-ઘી-માખણનું સેવન થતું મહેનત સામે ખેડૂતોને બળ મળતું, ગાયની પેડીગ્રી – વંશપરંપરાગત સંવર્ધન થતું, બળદને ખાણ અને તેલ પીવડાવાતું, બળદના શીંગડાને તેલ લગાડવામાં આવતું, પશુ સાજા માંદા થાય તો તેની કાળજી લેવાતી. પશુને ખરેરો થતો.  વિચારતો કરો, આવું હતું ત્યારે આપણી જમીન ફળદ્રુપ

વધુ વાંચો>>>>

જુના વર્ષોમાં ખેડૂતો પોતાના બળદ અને ગાય સાથે ફોટો પડાવી ટીંગાડતા

જુના વર્ષોમાં ખેડૂતો પોતાના બળદ અને ગાય સાથે ફોટો પડાવી ટીંગાડતા , વડીલો પશુને પાળતા અને સાચવતા, પોતાના બળદને વેચવો પડે તેમ હોય ત્યારે સામે ખેડૂતની માનવતા જોતા, બીડી પીતો હોય તેવો ખેડૂત પસંદ કરતા કારણ બળદને પણ એટલી ઘણી પોરો મળે તેવું વિચારતા , ત્યારે

વધુ વાંચો>>>>

જમીનમાં સોઇલ કાર્બન વધારવા શું કરવું ?

જમીનમાં સોઇલ કાર્બન વધારવા શું કરવું ? સોઇલ કાર્બન માટે જમીનમાં શેનું ઉમેરણ કરવું કે જમીનને તંદુરસ્ત રાખવા શું પગલા લેવા તેની ઝુંબેશ પહેલા ઉપાડવાની જરૂર છે અને સાથે સાથે ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવવા પડશે તો જ પેદાશ રેસીડયુલ ફ્રી થાય અને તો જ સાચું ઓર્ગેનિક

વધુ વાંચો>>>>

ઓર્ગેનિક એટલે શું ?

જેમાં પાક ઉગાડવા અને વૃદ્ધિ માટે વાપરેલા ઇનપુટસની આડ અસરથી  મુક્ત હોય એટલે કે રેસીડયુલ ફ્રી ખેતી કરવી જોઈએ તે વાત કંઈક સમજાય તેવી છે પરંતુ આપણી  જમીનની તબિયત બગડી ગઈ છે તેને કેમ સુધારવી તેની વાત બહુ ઓછા કરે છે ? જમીનનું સ્વાસ્થ્ય સુધારવા માટે

વધુ વાંચો>>>>

ઓર્ગનીક ખેતી, કુદરતી ખેતી

ઓર્ગનીક ખેતી, કુદરતી ખેતી, પ્રાકૃતિક ખેતી કે ઝીરો બજેટ આવા આવા અનેક નામોથી ખેડૂતોને ખેતી માટેની નવી રાહ બતાવવા માટે લોકો લાગી પડ્યા છે, સોશિયલ મીડિયા પણ ઓર્ગેનિક ખાવાની વાતુંએ એવું ચોટી ગયું છે કે ઓર્ગેનિક ન કરતો ખેડૂત પણ હું જંતુનાશક વાપરતો નથી તેની રેકર્ડ

વધુ વાંચો>>>>

સપાટ ખેતરમાં જેમણે કર્યા હોય તે ખેડૂતોએ તો સફાળા જાગી જવાની જરૂર છે.

જે ખેતરમાં વરસાદનું પાણી ભરાય રહેતું હોય, જયાં ખેતરનો ઢાળ આવેલ હોય, પાળા કરીને વાવેતર કરવાના પાકોને જો સપાટ ખેતરમાં જેમણે કર્યા હોય તે ખેડૂતોએ તો સફાળા જાગી જવાની જરૂર છે. દા.ત. મરચીનો પાક પાળા ઉપર કરવાનો પાક છે પરંતુ જે ખેડૂતો મરચી પછી મરચી અને

વધુ વાંચો>>>>

આજે પણ વગડામાં ઉભેલા વગર પાણીના લીલાછમ લીમડા આપણને પોકારી પોકારીને કહે છે કે …

જુનવાણી વાત યાદ આવે છે , ગામની સીમમાં આપણે ઝાડ પેલા બકરા ચરાવનારાની બીકે અને હા , સેઢે ઝાડ હોય તો એક બે ચાસમાં પુરતો પાક ન આવે તેવી બીજી બીકના લીધે આપણે ઝાડનું નિકંદન કાઢી નાખ્યું અને બીજુ જેમ જેમ જમીનના ભાગ પડતા ગયા તેમ

વધુ વાંચો>>>>

વાવણી કરી હોય અને માથે લોઠો વરસાદ પડી જાય પછી….

સમજવાની વાત છે ત્યારે એ પણ સમજી લેવાની જરૂર છે. કે વાવણી  કરી હોય અને માથે લોઠો વરસાદ પડી જાય  પછી મોલાતને હુલાવી ફુલાવીને ઉપજ આપવા તરફ લઈ જવાની મોસમ આવી ગણાય,  કહેવાય છે ને કે મોસમ આવી મહેનતની …… હવે રંગે ચંગે મેળામાં જતા પહેલા

વધુ વાંચો>>>>

વરસાદના વાવડ છે ત્યારે આજની વાત વરસાદની

વરસાદ અનરાધાર વર્ષે અને એમાય જો ગામડે ગામડે આપણે રિચાર્જ અને ખેત તલાવડી કે ચેકડેમ બનાવ્યા હોય તો ગગન માંથી વરસેલા અમી જેવા મીઠા જળનું સંચય થાય અને આપણને ફરી ઉપયોગી થાય તેવું આપણે વગાડી વગાડીને કહેતા આવ્યા છીએ તેનો પ્રતિસાદ હજારો ખેડૂતો દ્વારા મળી રહ્યો

વધુ વાંચો>>>>
મગફળી, મકાઈ, મરચીમાં આવતી એસ્પરજીલસ ફ્લેવસ ગ્રુપની ફુગ

મગફળી, મકાઈ, મરચીમાં આવતી એસ્પરજીલસ ફ્લેવસ ગ્રુપની ફુગ

મિત્રો, શું તમને ખબર છે કે મગફળી, મકાઈ, મરચીમાં આવતી એસ્પરજીલસ ફ્લેવસ ગ્રુપની ફુગના લીધે 5 બિલિયમ લોકોના સ્વાસ્થ્ય ઉપર જોખમ છે આવા પાકમાં અફ્લાટોક્સીન નામનું ઝેર થાય છે, આવી મગફળી કે મરચી નિકાસ થતી નથી, આવી મગફળી માંથી બનાવેલું પીનટ બટર પણ નિકાસ થતું નથી

વધુ વાંચો>>>>

એક નવા સલાડનો ઉમેરો થયો – ટામેટા અને કેપ્સિકમ યુક્ત કાકડી

આજે નવી ટેક્નોલાજીની વાત કરવી છે આપણે જાણીયે છીએ કે ટામેટાની ખટાશ અને સ્વાદ માટે સારા છે , કેપ્સિકમ તેના કરકરાપણું માટે તો કાકડી જુદોજ સ્વાદ અને કરકરાપણું  માટે પ્રખ્યાત છે આ ત્રણેયનો સ્વાદ સૌને ગમે છે , કલ્પના કરો આ ત્રણેયનો સ્વાદ એક સાથે મળે

વધુ વાંચો>>>>
લ્યો ક્વાલિટી કેવો રંગ લાવે છે તે વાંચો.

લ્યો ક્વાલિટી કેવો રંગ લાવે છે તે વાંચો.

આંધ્ર પ્રદેશ થી સમાચાર છે અને ત્યાંનું છાપું ઇન્ડિયન એક્સપ્રેસ જણાવે છે કે જૂન 22 ના મરચી બઝાર ખુલતા મરચીની સારી જાતોમાં કે જેની કલર વેલ્યુ સારી હોય અને બેસ્ટ ક્વોલિટી હોય તેવી જાતોમાં કવીન્ટલ ના 7000 સુધી બોલાય હતા, દલાલોની સારી ખરીદીથી મરચીના ઉંચા ભાવને

વધુ વાંચો>>>>
બીટી ટેકનોલોજી

બીટી ટેકનોલોજી

બીટી ટેકનોલોજી ની વાત કરીયે આપણે  ત્યાં જિનેટિકલ મોડીફાઇડ કપાસની મંજૂરી મળી ત્યારે કેવા કેવા વિરોધો થયેલા પરંતુ બેસીલસ થુરેજેસીસ નામના  જમીનમાં રહેલા સામાન્ય બેક્ટેરિયા એ  આપણી કપાસની ખેતીમાં સુવર્ણ યુગ આપ્યો  હતો તેવુંજ કંઈક નાઇઝીરિયામાં જી એમ કાવપી  એટલે કે ચોળીની ખેતીમાં હવે ઈયળથી  બચાવ થશે

વધુ વાંચો>>>>
કૃષિ અને વિજ્ઞાન સાથ સાથ છે

કૃષિ અને વિજ્ઞાન સાથ સાથ છે

કૃષિ અને વિજ્ઞાન સાથ સાથ છે . આ ચોમાસામાં કઠોળ ની ખેતીમાં બધાએ  રસ લેવો જોઈએ , કઠોળની ખેતી આંતરપાક તરીકે કરી શકાય છે અને પૂરક આવક સાથે જમીનને પણ નાઈટ્રોજનની ભેટ આપે છે , કઠોળ પાકના મૂળમાં રહેલી મૂળગંડિકા હવામાંથી નાઇટ્રોજન લઈને છોડને આપીને સહજીવી

વધુ વાંચો>>>>
કૃષિ અને વિજ્ઞાન સાથ સાથ છે

ડાંગરની વિવિધ જાતો

આજે ટેક્નોલોજી અને કૃષિ વિજ્ઞાનની વાત કરવી છે ,બાયર ક્રોપ સાયન્સ દ્વાર બાંગલાદેશમાં એરિઝ 16019 નામની ચોખા – ડાંગર ની હાઈબ્રીડ જાત મૂકી છે જે મોટો દાણો ધરાવે છે અને એરિઝની ઉત્પાદન દેવાની શક્તિ પણ ખુબજ સારી હોવાથી બાંગ્લાદેશના ખેડૂતો માટે એક સારો અવસર આવ્યો છે  ,

વધુ વાંચો>>>>
ટકાઉ ખેતી નફાકારક નથી અને નફાકારક ખેતી ટકાઉ નથી એવા સમયે શું કરવું? 

ટકાઉ ખેતી નફાકારક નથી અને નફાકારક ખેતી ટકાઉ નથી એવા સમયે શું કરવું? 

ટકાઉ ખેતી નફાકારક નથી અને નફાકારક ખેતી ટકાઉ નથી એવા સમયે શું કરવું?  તેનો વિચાર કરવાની જરૂર છે, પ્રાકૃતિક ખેતી, કુદરતી ખેતી , સજીવ ખેતી, ઓર્ગનિક ખેતીનો વાયરો વાયો છે , શું આ ખેતીથી આપણી આજીવિકા જળવાશે ? શું આવી ખેતી આપણા માટે લાંબા ગાળે સારી

વધુ વાંચો>>>>

સમગ્ર વિશ્વમાં સારી ખેતી કરવા ટેક્નોલોજીનો, વિજ્ઞાનનો સહારો

છેલ્લે ફરી ડિજિટલ ફાર્મિંગની વાત કરી લઈએ સમગ્ર વિશ્વમાં સારી ખેતી કરવા ટેક્નોલોજીનો , વિજ્ઞાનનો સહારો લેવામાં આવી રહ્યો છે , હવામાન અને બદલતા તાપમાન સામે રોજે રોજની માહિતી દ્વારા ખેતી ખર્ચ ઘટાડીને ખેતી થઇ રહીઓ છે ત્યારે યુરોપની કંપની HORTA s.r.l. ની અનન્ય ડિજિટલ ટેકનોલોજી જોઈને બીએએસએફ કંપની દ્વારા હોર્ટટાને ખરીદી લીધી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ વિવિધ કંપનીઓ ડિજિટલ ટેક્નોલોજી સાથે બઝારમાં આવી રહી છે .ચાલો વિજ્ઞાન અને આપણી ખેતી ની વાતો વાંચતા રહો ફેસબુક અને ટેલીગ્રામ તથા વોટ્સઅપ ઉપર. જોડવા માટે નીચે લીનક આપેલ છે. #ખેતરનીવાત #કૃષિ_વિજ્ઞાન

વધુ વાંચો>>>>

ખેતરનીવાત

  હવામાનના બદલાવ  વિષે જણાવો તેવું  એક વાંચક અનિલભાઈ લખે છે એટલે આ વાત ફરીવાર વિગતે જોઈએ  , હવામાનના બદલાવની વાતને આપણે બરાબર  સમજવી પડશે તમને હવે ખબર છે કે આપણા બાપદાદાને હવામાનના બદલાવની તો અમને એમનામ ખબર પડી જાતી કે કાલ મેઘરવો આવશે અને શરીર

વધુ વાંચો>>>>

ખેતરનીવાત,

ખેડૂતો આજકાલ ખુબ હોશિયાર બનતા જાય છે આપણે આજકાલ સમજુ બન્યા છીએ , ટેક્નોલોજીને લીધે હવે વેપારીઓના લોભને પણ સમજવા મંડ્યા છીએ કારણકે આપણે અભ્યાસ કરીયે છીએ , એકબીજા સાથે ચર્ચા કરીયે છીએ , વૈજ્ઞાનિકોને પુછિયે છીએ , સારા મોબાઇલ એપ પોતાના મોબાઈલમાં રાખીયે છીએ સમૂહ

વધુ વાંચો>>>>

ખેતરનીવાત,

ઉત્પાદકતા વિશે સમજો કે આપણે કોઈ સારી ઉચ્ચ ગુણવત્તાવાળું અને શ્રેષ્ઠ જીનોટાઈપ ધરાવતું બીજ વાવીએ એટલે એમાં ઉપજ દેવાની ભરપુર ક્ષમતા છે પરંતુ આ ક્ષમતા બહાર ક્યારે આવે? જ્યારે આપણી જમીનમાં પૂરતા પોષક તત્વો, જમીનનો ભેજ, જમીનનું તાપમાન અને પાકની અવસ્થા મુજબ જરૂરી ખાતરો આપીયે .

વધુ વાંચો>>>>

આ બધી પાક જીવાતો હવે કેમ કાબુમાં આવતી નથી ?

આજે બધા વિચારતા થઇ ગયા  છે કે આ બધી પાક જીવાતો હવે કેમ કાબુમાં આવતી નથી ? કોઈ દિવસ વિચાર કર્યો કે પહેલા લાંબા વર્ષો પછી કોઈ એક દવા સામે જીવાત પ્રતીકારકતા કેળવતી, હવે તો નવી દવા આવી નહિ ને બીજા વર્ષે તે દવા આઉટઓફ ડેટ

વધુ વાંચો>>>>

ખેતરનીવાત,

  આવુજબાયો ટેક્નોલોજી એટલેકે બીટી ટેક્નોલાજી વિષે આપણે હજુ પણ વિજ્ઞાનને કોરાણે મૂકીને વિચારીયે છીએ એમાં આ સોસીયલ મીડિયા એ આગ લગાડેલી છે ખોટા સંદેશ ફેલાવવાની . બીટીની શોધ એક સારો આવિષ્કાર છે અને તેના 12 વર્ષ ભરપૂર લાભ આપણે લીધો તે ભૂલવા જેવું નથી ,

વધુ વાંચો>>>>

ખેતરનીવાત :

  આપણેમોબાઇલ ટેકનોલોજી  બદલાઈ છે. મોબાઈલ  આપણા માટે  ખુબ ઉપયોગી છે, મોબાઇલ  ખેતીમાં ઉપયોગી છે તે વાત હવે જગ જાહેર છે અને આપણે બધા પણ હવે મોબાઈલનો ખેતીમાં ઉપયોગને સમજી ગયા છીએ તેવી વાત ગયા વખતે કરતા હતા.આજે જરા હટકે વાત કરવી છે આજ કલ ઓર્ગેનિક

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks