
શાકભાજી પાકમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો
ટમેટામાં ફૂલ આવવાની શરૂઆત થયે ૨.૪-ડી ૫ પી.પી.એમ.નો (૫ મી.ગ્રા. એક લીટર પાણીમાં) અને ત્યાર બાદ ૧૫ દીવસે છંટકાવ કરવાથી સારી ગુણવત્તાવાળા વધુ ફળનું ઉત્પાદન મળે છે. ડુંગળીની ફેરરોપણી કર્યા પછી ૪૫માં દિવસથી શરૂ કરીને ૧૫ દિવસના અંતરે ૧૦૦ પી.પી.એમ. (૧૦૦ મી.ગ્રા. એક લીટર પાણીમાં) નેપ્થલીક એસિટીક એસિડ (એન. એ. એ.)ના ત્રણ છંટકાવ કરવાથી મોટા કદની ડુંગળીનું ઉત્પાદન મેળવી શકાય છે.
દુધીમાં ૩૦૦ પી.પી.એમ. ( એક લીટર પાણીમાં ૩૦૦ મી.ગ્રા.) મેલીકહાઈડ્રેઝાઈડ (એમ.એચ) છાંટવાથી ફળની લંબાઈ અને ઉત્પાદન વધુ મેળવી શકાય છે. શક્કરટેટીમાં ૧૦૦ થી ૨૦૦ પી.પી.એમ. (૧૦૦ થી ૨૦૦ મી.ગ્રા. એક લીટર પાણીમાં) ઈથરેલ તેમજ ૧૦ થી ૨૦ પી.પી.એમ. (૧૦ થી ૨૦ મી.ગ્રા. એક લીટર પાણીમાં ૧૦થી ૨૦ પી.પી.એમ.) બેન્ઝીન એમીનો પ્યુરાઈન (બી.એ.પી.) છાંટવાથી સારી ગુણવત્તાવાળા ફળોનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
રીંગણની સુરતી રવૈયા જાતમાં ફળના વધુ જવણ માટે ૪ પી.પી.એમ. ૨-૪-ડીનાં દ્રાવણનો ફૂલ આવવાના સમયે અને ત્યારપછી ત્રીજા અઠવાડિયે એમ બે વાર છંટકાવ કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. (૪ મીલી ગ્રામ ૨૪-ડી ૧ લીટર પાણીમાં અથવા ૧ ગ્રામ ૨-૪,ડી ૨૫૦ લીટર પાણીમાં મિશ્ર કરવાથી ૪ – પીપીએમનું દ્રાવણ તૈયાર થાય છે.)























