કઠોળનું મહત્વ કઠોળ જમીનમાં રહેલા નાઈટ્રોજનને ફિક્સ કરી જમીનની ફળઠ્ઠુપતા વધારે છે, સુકા અને લીલા કઠોળ જેવા કે ચણા, મગ, અડદ, કળથી, બીજ જેવા કે મઠ, વાલ, વટાણા, સોયાબીન, ફણસી. કઠોળમાંથી બે દળ થતી હોવાથી કઠોળને દ્વિદળી અનાજ પણ કહેવામાં આવે છે. જેમાં મગ, મઠ, ચણા, તુવેર, અડદ, સોયાબીન, વટાણા વિગેરેનો સમાવેશ થાય છે. આપણે દરરોજ રસોઈમાં દાળ અથવા કઠોળ શા માટે બનાવીએ છીએ ? એ મહત્વનો સવાલ છે. રોજના ભોજનમાં રોટલા, રોટલી જેટલો જ અગત્યનો તેમજ મહત્વનો ખોરાક કઠોળ અને દાળ છે. દાળ અને કઠોળની ખરી અગત્યતા તો તેમાં રહેલ પ્રોટીનને કારણે છે.

જમીન અને ભેજની આંબાની ખેતીમાં અસર
ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં જમીનનો પ્રકાર એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. જે જમીન મધ્યમ કાળી અથવા કાળી જેમાં વરસાદ પૂરો થયા બાદ લાંબા સમય સુધી જમીનમાં ભેજ રહે છે.


















