aries agro

ઝાડની કેળવણી અને છંટણી દ્વારા ઘેરાવા અને આકારને શરૂઆતથી જ નિયંત્રિત રાખી ઝાડને ઈચ્છિત આકાર આપવાની રીતને કેનોપી મેનેજમેન્ટ કહે છે.
ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં દરેક છોડનું થડ સીધું ટટ્ટાર રહે તે જરૂરી છે. માટે કલમને રોપ્યા બાદ છોડ લગભગ ૧.૦ મીટર ઊંચાઈનો થાય ત્યારે મુખ્ય ડાળીની ટોપ પરથી ગાંઠ (રીંગ બડ)ની નીચેથી કાપવું. જેથી કાપેલા ભાગની નીચેથી નવી ડાળીઓ ફૂટશે. જેમાંથી દરેક દિશામાં એક એક ડાળી મળે એ રીતે ત્રણથી ચાર ડાળીઓ રાખી બાકીની દૂર કરવી. આ જ ડાળીઓ આગળ જતા ઝાડની મુખ્ય ડાળીઓ બનશે. આ મુખ્ય ડાળીઓ લગભગ ૫૦-૬૦ સે.મી. લંબાઈની થાય ત્યારે ફરી વાર એ ડાળીને ટોચ પરથી ગાંઠની નીચેથી (રીંગ બડ) કાપવું. કાપેલા ભાગની નીચેથી જે નવી ડાળીઓ ફૂટશે તેમાંથી ત્રણ ડાળીઓ રાખી બાકીની ડાળી દૂર કરવી. આ રીતે એક મુખ્ય ડાળીમાંથી ત્રણ, ત્રણમાંથી નવ અને નવમાંથી સત્તાવીસ નવી ડાળીનું માળખું વિકસાવવાથી દરેક ઝાડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે છે અને ઝાડનો આકાર છત્રી જેવો તૈયાર થશે. ઝાડની કેળવણી માટે રીંગ બડની નીચેથી કાપવું.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

આંબામાં વૃદ્ધિ નિયંત્રણ

કેમીકલના ઉપયોગથી ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં ઝાડ વિકાસને કાબૂમાં લઈ શકાય અને ફૂલ આવવાની પ્રક્રિયા વહેલી લાવી શકાય. જેના માટે પેક્લોબ્યુટ્રાઝોલના ઉપયોગથી ૩૫% જેટલો વાનસ્પતિક વિકાસ અટકાવી શકાય. પોટાશિયમ નાઈટ્રેટ, સીસીસી ના છંટકાવ

વધુ વાંચો....

“ગાદી ક્યારા પદ્ધત્તિ” થી ક્યાં ક્યાં પાક લઇ શકાય ?

જમીનની અંદર તૈયાર થનારા, બટેટા, ગાજર, મૂળા, ડુંગળી, બીટ, આદુ, હળદર જેવા બધા કંદપાકોમાં ગાદી ક્યારા થી સહેજે ઉત્પાદનમાં દોઢા વજનનો વધારો અને ઉત્તમ ગુણવત્તા મેળવી શકાય છે. બે ફૂટ પહોળા અને

વધુ વાંચો....

બદલાતી પરિસ્થિતિમાં ખેતીમાં બદલાવ -1

વધુ ભેજસંગ્રહ માટે ઘાસની જીવંત વાડ બનાવવી. ઢાળની આડી દિશામાં ખેડ તથા વાવેતર કરવું. પાકની કાપણી બાદ ઊંડી ખેડ કરવી. ભારે જમીનની ભેજસંગ્રહ શક્તિ વધારવા સેન્દ્રિય ખાતરો તથા મોરમનો ઉપયોગ કરવો. આંતરપાક,

વધુ વાંચો....

આંબામાં નવીનીકરણ (રીઝુવીનેશન) કયારે કરી શકાય ?

આંબામાં નવીનીકરણ ખાસ કરીને જુના, ઓછા ઉત્પાદન આપતા બગીચા અથવા દેશી જાતોમાં નવીનીકરણ કરી શકાય. આંબામાં નવીનીકરણ કરવા માટેનો યોગ્ય સમય ચોમાસું પુરું થયા બાદ ઓકટોબર- નવેમ્બર મહિનાનો સમય યોગ્ય ગણવો. જો

વધુ વાંચો....

આંબામાં વાનસ્પતિક વિકૃતિ

પુષ્પવિન્યાસની વિકૃતિ :આ વિકૃતિમાં ફૂલો જાડા, ફૂલેલા અને વધારે પ્રમાણમાં ડાળીવાળા પૂષ્પ વિન્યાસ નીકળે છે પરાગરજનું પ્રમાણ ઘણું ઓછુ હોય છે, કેરી વટાણાનાં દાણા કરતાં મોટા થતા નથી, દુરથી જોતાં ફ્લાવરનાં દડા

વધુ વાંચો....

આંબામાં ફળોને મોટા કરવા માટે કઈ માવજત આપવી ?

ફ્ળ ધારણ અને ઉત્પાદન વધારવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ નોવેલ લીકવીડ ફર્ટીલાઈઝર ૧ થી ર ટકા પ્રમાણે (૧૦ લિટર પાણીમાં ૧૦૦ થી ર૦૦ મીલી પ્રમાણે) લઈ પ્રથમ છંટકાવ ફૂલ બેસવાનાં

વધુ વાંચો....

બાગાયત : ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એટલે શું ?

ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એટલે જમીનની ફળદ્રુપતાને હાનિ પહોંચાડ્યા વગર એકમ વિસ્તારમાં શક્ય તેટલા વધુ ઝાડ સમાવવા કે જેથી એકમ વિસ્તાર દીઠ વધુ ઉત્પાદન મેળવી શકાય. ઉદાહરણ તરીકે ૧૦ મી. બાઈ ૧૦ મી.

વધુ વાંચો....

આંબામાં ફળનું ખરણ અટકાવવા શું કરવું ?

કેરી વટાણાં જેવી થાય ત્યારે ખરણને અટકાવવા માટે ર૦ પી.પી.એમ. નેપ્થેલીન એસીટીક એસીડની સાથે ર % યુરીયાનો ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા (ર૦૦ લી. પાણીમાં ૪ ગ્રામ નેપ્થેલીન એસીટીક એસીડ અને

વધુ વાંચો....

આંબામાં વૃદ્ધિ નિયંત્રણ

કેમીકલના ઉપયોગથી ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં ઝાડ વિકાસને કાબૂમાં લઈ શકાય અને ફૂલ આવવાની પ્રક્રિયા વહેલી લાવી શકાય. જેના માટે પેક્લોબ્યુટ્રાઝોલના ઉપયોગથી ૩૫% જેટલો વાનસ્પતિક વિકાસ અટકાવી શકાય. પોટાશિયમ નાઈટ્રેટ, સીસીસી ના છંટકાવ

વધુ વાંચો....

આંબાનાં ફળમાં કપાસી (સ્પોન્જીટીસ્યુ)આવે તો શું કરવું ?

આપણે ત્યાં હાફુસ અને જમાદાર જાતની કેરીમાં જોવા મળે છે. મે મહિનામાં સૂર્યની સખત ગરમીથી જમીનમાંથી પરાવર્તિત થતી ગરમી લૂ ફળમાં ઘુસી જવાથી ફળના માવાને નુકસાન કરે છે. નુકસાન વાળો ભાગ બરાબર

વધુ વાંચો....

આંબામાં પાણી આપવું કે નહી. જો આપવું હોય તો કયારે આપવું ?

ફ્લાઉ આંબાના પાકને ફૂલ આવતા પહેલા ર થી ૩ માસ જેટલા સુકા ગાળાની જરૂરિયાત રહે છે. એટલે ચોમાસુ પુરુ થયા બાદ પિયતની જરૂરિયાત રહેતી નથી. કેરીનાં ફ્ળો વટાણા જેટલા કદના થાય ત્યારે

વધુ વાંચો....

આંબામાં કેળવણી અને છંટણીની અગત્યતા

આંબાના ઝાડમાં સૂર્યપ્રકાશનો પૂરેપૂરો ઉપયોગ કરવા, રોગ-જીવાત માટેનું અનુકૂળ વાતાવરણ દૂર કરવા, ઉત્પાદન વધારવાની સાથે સારી ગુણવત્તાવાળા ફળો મેળવવા માટે ઝાડની કેળવણી ખૂબ જ મહત્ત્વની છે. ઓવર ક્રાઉડીંગ (ટોચ પર અને અંદરના

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks