– ઝીંકની પૂરતી સૂક્ષ્મ તત્વો વાવણી પહેલા બીજા રાસાયણિક ખાતરો સાથે ભેળવીને જમીનમાં દંતાળથી હારમાં બીજની નીચે વાવીને અથવા ઉભા પાકમાં છંટકાવ દ્વારા આપી શકાય. – જસતની ઉણપવાળી જમીનમાં કોઈપણ પાક માટે પ્રતિ હેક્ટરે ૨૫ કિલો ઝીંક સલ્ફેટ દર ત્રણ વર્ષે એક વખત અથવા તે ૮ થી ૧૦ કિલો પ્રતિ હેક્ટરે દર વર્ષે આપવું . આવી જ રીતે લોહની ઉણપવાળી જમીનમાં પ્રતિ હેક્ટર દર ત્રણ વર્ષે એકવાર ૫૦ કિલો અથવા દર વર્ષે ૧૫ થી ૧૭ કિલો ફેરસ સલ્ફેટ (હિરાકસી) આપવું

કઠોળ પાક જમીનને કેમ ફળદ્રુપ બનાવે ?
કઠોળપાકને કુદરતે અર્ધ સ્વાવલંબી બનાવી મૂળિયામાં એવી કરામત ગોઠવીને લેગ્યુમ બેક્ટેરિયાનો વાસ કરાવેલ છે કે નાઇટ્રોજનનો ઘણોબધો જથ્થો એ હવામાંથી બારોબાર ખેંચી મૂળની ગાંઠોમા સંગ્રહે છે. જે પોતે તો વાપરે જ છે


















