aries agro

નરનો હાથો પૂરેપૂરો ફાટ્યો ન હોય તો પણ કાપી લેવો જરૂરી છે (નહીં તો પરાગરજનો વ્યય થાય છે). નર હાથાની પરિપક્વતા ચકાસવા તેને અંગુઠા અને પહેલી આંગળી વચ્ચે દબાવતાં તેમાંથી ચર ચર અવાજ સાંભળવા મળે તો તે તેની પરિપક્વતા સુચવે છે. નરનો હાથો કાપ્યા બાદ તેનું ઉપરનું પડ દૂર કરવું અને હાથાને છાંયામાં મૂકવો (સીધા સૂર્ય પ્રકાશમાં નહી). જ્યારે નરનાં હાથાને છાંયામાં સુકવવામાં આવે ત્યારે તેને કાપડથી અથવા એગ્રીનેટથી સારી રીતે ઢાંકવા અથવા સાદી જાળી વાળી લાકડાની પેટીમાં મૂકવા જરૂરી છે જેથી મધમાખીઓને પરાગરજ લઈ જતાં અટકાવી શકાય છે. પરાગનયનની પ્રક્રિયા સામાન્ય રીતે માદા હાથાઓ ફાયા પછી ૨-૩ દિવસના ગાળામાં કરવી જરૂરી છે. પરાગનયનની ઘણી પદ્ધતિઓ છે તેમાંથી ચાર મુખ્ય છે જે નીચે પ્રમાણે છે : (અ) હાથથી પરાગનયન હાથથી પરાગનયનની પ્રક્રિયામાં તાજા નરની બે થી ત્રણ સાંકળોથી ફાટેલા માદા હાથા પર છંટકાવ કરી અને તે સાંકળોને માદા હાથામાં ઊંધી મૂકી દેવામાં આવે છે. ઘણાં ખેડૂત મિત્રો માદા ફૂલની સાંકળોને બાંધી દે જેથી મૂકવામાં આવેલ નરની સાંકળો માદા હાથાની અંદર જ રહે. (બ) કપાસની રૂઈ વડે પરાગનયન અગાઉથી એકત્ર કરેલ નરનો પાવડર જે બોટલમાં ભરેલ છે તેમાં કોટન પ્લગ (કપાસની રૂઈ)ને પાવડરમાં સ્પર્શ કરાવી માદાના હાથા પર કોટન પ્લગ સ્પર્શ કરવાથી પરાગનયન થઈ જાય છે. (ક) પ્રવાહી મિશ્રણનો ઉપયોગ કરવો પરાગરજને પાણી સાથે ભેળવી માદા હાથા પર છંટકાવ કરી શકાય છે. (ડ) યાંત્રિક પરાગનયન શ્રમિકોની અછત હોય તેવી સ્થિતીમાં વારંવાર ઝાડ પર ચડ્યા વગર ટ્રેક્ટર માઉન્ટેડ ડસ્ટરનો ઉપયોગ કરી ઓછા સમયમાં વધુ ઝાડમાં પરાગનયન કરી શકાય. આ ઉપરાંત ખારેક સંશોધન કેન્દ્ર દ્વારા ઓછા ખર્ચે તૈયાર થતું હેન્ડ પોલીનેટર વિકસવામાં આવેલ છે, જે ખેડૂત પોતાની રીતે સરળતાથી બનાવી શકે છે. આ પોલીનેટરને ખારેકના ફાટેલા માદાના હાથા નજીક રાખી પ્લાસ્ટિકની લાંબી પાઈપનાં એક છેડે મોઢા વડે ફૂંક યા બલ્બ દ્વારા પ્રેસરથી પાવડર બહાર ફૂંકાય છે. અસરકારક પરાગનયન માટે બે થી ત્રણ વાર ફૂંક/પ્રેસર મારવાથી ખારેકના એક હાથાને જરૂરી પરાગરજ મળી રહે છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

જીવાત : કપાસની ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

વધુ વાંચો....

જીવાત : મરચીની થ્રિપ્સ

ફેરરોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફ્યૂરાન ૩% જી ૭ કિ.ગ્રા./એકર પ્રમાણે આપવી. ફેરરોપણી બાદ ૩૦ દિવસે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫% ઈસી 8 મીલિ અથવા સ્પીનોટેરામ

વધુ વાંચો....

જીવાત : ટામેટામાં પર્ણ-વ-ફળ વેધક

પર્ણ-વ-ફળ પાનકોરીયું મારવા માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા ફલ્યૂબેન્ડિએમાઇડ ૪૮૦% એસસી 6 મીલિ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬% ઓડી 12 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસે

વધુ વાંચો....

તમારી જમીનના રોગકારક હાજર છે પણ કેવી પરિસ્થિતિ મળશે ત્યારે તે પોતાની અસર દેખાડશે.?

સમજીયે, તમારી જમીનના રોગકારક હાજર છે, વાતાવરણ અનુકૂળ છે અને રોગકારકને આશ્રય આપનાર કે ફેલાવનાર હાજર છે ત્યારે રોગ સરળતાથી પ્રવેશ કરે છે અને તેનું નિયંત્રણ સમયસર કરવામાં ના આવે તો પાકને

વધુ વાંચો....

ખેતીમાં જો અસરકારક રોગ વ્યવસ્થાપન કરવું હોય તો કઈ ત્રણ બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે.

આપણી ખેતીમાં આપણે જો અસરકારક રોગ વ્યવસ્થાપન કરવું હોય તો આ ત્રણ બાબતોનો યજમાન (HOST): મજબૂત આનુવંશિકતા (Genetics) અને રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતી જાતો વાવવી બીજું રોગકારક (PATHOGEN): ખેતરમાં રોગકારક જીવોના વર્તન

વધુ વાંચો....

ડિસીઝ ટ્રાયંગલ (રોગ ત્રિકોણ) ની મદદથી તમારા પાકને કેવી રીતે સુરક્ષિત રાખવો

આપણી મદદ માટે કૃષિ વૈજ્ઞાનિકોએ સમજાવેલ રોગ ત્રિકોણ વિષે સમજીયે . શું છે આ રોગ ત્રિકોણ? છોડમાં થતા રોગો ભાગ્યે જ કોઈ એક સિંગલ કારણનું પરિણામ હોય છે. આપણા ખેતરમાં રોગ ત્યારે

વધુ વાંચો....

કયો રંગ કઈ જીવાતને આકર્ષે છે ? તે જાણો.

વિવિધ રંગોના સ્ટિકી ટ્રેપ કઈ જીવાતને આકર્ષે છે તે જોઈએ તો પીળી સ્ટિકી ટ્રેપ (Yellow Sticky Trap) સફેદમાખી , મોલો-મશી , પાન કોરીયું , નાની માખી , પાંખોવાળી મોલોને આકર્ષે છે અને

વધુ વાંચો....

જીવાતની સમયસર ઓળખ અને નિરીક્ષણ માટેનું સૌથી અસરકારક સાધન વિષે જાણો.

સ્ટિકી ટ્રેપ (ચીકણા પિંજર) એ જીવાતોની વહેલી ઓળખ અને સંકલિત જીવાત વ્યવસ્થાપન (IPM) માટેનું સૌથી અસરકારક સાધન છે. અલગ-અલગ જીવાત અલગ-અલગ રંગો તરફ આકર્ષાય છે, જેનાથી જીવાત પાકને નુકસાન પહોંચાડે તે પહેલાં

વધુ વાંચો....

જીવાત મોનિટરિંગ – કઈ જીવાત તમારા ખેતરમાં ઉપદ્રવ છે તે કેમ ખબર પડે ?

આપણા પાકમાં આવતી ચુસીયા જીવાત આપણા પાકને રસ ચૂસીને તો નુકસાન કરે જ છે પણ સાથે સાથે પાકમાં એક છોડ થી બીજા છોડ સુધી વાયરસ ફેલાવે છે કારણ કે આ ચુસીયા વાઈરસના

વધુ વાંચો....

અપ્રાપ્ય ફોસ્ફરસ પ્રાપ્ત કરવા માટે છોડને કોની મદદની જરૂર પડે છે ?

આ અપ્રાપ્ય ફોસ્ફરસ પ્રાપ્ત કરવા માટે રસપ્રદ વાત એ છે કે છોડ આ સમસ્યા જાતે હલ કરી શકતો નથી તેને કોઈની મદદની જરૂર પડે છે. આપણી જમીનમાં રહેલા કરોડો ઉપયોગી સૂક્ષ્મજીવો (Microbes)

વધુ વાંચો....

પાક વૃદ્ધિ ઉત્તેજકો કોને કહેવાય ?

જે પદાર્થ વનસ્પતિની વૃદ્ધિ તથા (વનસ્પતિની જૈવિક ક્રિયાઓ જેવી કે અભિક્રિયા અને ચયાપચય વધારવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાર્થોને વૃદ્ધિ ઉત્તેજકો કહેવાય છે. દા.ત. દરેક પ્રકારના ઓકઝીન જેવા કે ૧-નેપ્થેલીન એસિટીક એસિડ

વધુ વાંચો....

ફોસ્ફરસ પૂરતું હોવા છતાં છોડમાં તેની ઉણપ કેવી રીતે હોઈ શકે?

કાગળ પર ફોસ્ફરસ પૂરતું હોવા છતાં છોડમાં તેની ઉણપ કેવી રીતે હોઈ શકે? ફોસ્ફરસની મોટાભાગની સમસ્યાઓ જથ્થાની નથી હોતી પણ તે છોડને ઉપલબ્ધ કેટલો થાય છે તે સમસ્યા છે. જમીનમાં પુષ્કળ પ્રમાણમાં

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks