aries agro

નરનો હાથો પૂરેપૂરો ફાટ્યો ન હોય તો પણ કાપી લેવો જરૂરી છે (નહીં તો પરાગરજનો વ્યય થાય છે). નર હાથાની પરિપક્વતા ચકાસવા તેને અંગુઠા અને પહેલી આંગળી વચ્ચે દબાવતાં તેમાંથી ચર ચર અવાજ સાંભળવા મળે તો તે તેની પરિપક્વતા સુચવે છે. નરનો હાથો કાપ્યા બાદ તેનું ઉપરનું પડ દૂર કરવું અને હાથાને છાંયામાં મૂકવો (સીધા સૂર્ય પ્રકાશમાં નહી). જ્યારે નરનાં હાથાને છાંયામાં સુકવવામાં આવે ત્યારે તેને કાપડથી અથવા એગ્રીનેટથી સારી રીતે ઢાંકવા અથવા સાદી જાળી વાળી લાકડાની પેટીમાં મૂકવા જરૂરી છે જેથી મધમાખીઓને પરાગરજ લઈ જતાં અટકાવી શકાય છે. પરાગનયનની પ્રક્રિયા સામાન્ય રીતે માદા હાથાઓ ફાયા પછી ૨-૩ દિવસના ગાળામાં કરવી જરૂરી છે. પરાગનયનની ઘણી પદ્ધતિઓ છે તેમાંથી ચાર મુખ્ય છે જે નીચે પ્રમાણે છે : (અ) હાથથી પરાગનયન હાથથી પરાગનયનની પ્રક્રિયામાં તાજા નરની બે થી ત્રણ સાંકળોથી ફાટેલા માદા હાથા પર છંટકાવ કરી અને તે સાંકળોને માદા હાથામાં ઊંધી મૂકી દેવામાં આવે છે. ઘણાં ખેડૂત મિત્રો માદા ફૂલની સાંકળોને બાંધી દે જેથી મૂકવામાં આવેલ નરની સાંકળો માદા હાથાની અંદર જ રહે. (બ) કપાસની રૂઈ વડે પરાગનયન અગાઉથી એકત્ર કરેલ નરનો પાવડર જે બોટલમાં ભરેલ છે તેમાં કોટન પ્લગ (કપાસની રૂઈ)ને પાવડરમાં સ્પર્શ કરાવી માદાના હાથા પર કોટન પ્લગ સ્પર્શ કરવાથી પરાગનયન થઈ જાય છે. (ક) પ્રવાહી મિશ્રણનો ઉપયોગ કરવો પરાગરજને પાણી સાથે ભેળવી માદા હાથા પર છંટકાવ કરી શકાય છે. (ડ) યાંત્રિક પરાગનયન શ્રમિકોની અછત હોય તેવી સ્થિતીમાં વારંવાર ઝાડ પર ચડ્યા વગર ટ્રેક્ટર માઉન્ટેડ ડસ્ટરનો ઉપયોગ કરી ઓછા સમયમાં વધુ ઝાડમાં પરાગનયન કરી શકાય. આ ઉપરાંત ખારેક સંશોધન કેન્દ્ર દ્વારા ઓછા ખર્ચે તૈયાર થતું હેન્ડ પોલીનેટર વિકસવામાં આવેલ છે, જે ખેડૂત પોતાની રીતે સરળતાથી બનાવી શકે છે. આ પોલીનેટરને ખારેકના ફાટેલા માદાના હાથા નજીક રાખી પ્લાસ્ટિકની લાંબી પાઈપનાં એક છેડે મોઢા વડે ફૂંક યા બલ્બ દ્વારા પ્રેસરથી પાવડર બહાર ફૂંકાય છે. અસરકારક પરાગનયન માટે બે થી ત્રણ વાર ફૂંક/પ્રેસર મારવાથી ખારેકના એક હાથાને જરૂરી પરાગરજ મળી રહે છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

કંપનીન્યુઝ : સ્પાયરોટેટ્રામેટ – એક નવી દવા

સ્પાયરોટેટ્રામેટ – એક નવી દવા ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાત (કીટકો)ના નિયંત્રણ માટે વિવિધ કીટનાશક દવાઓનો ઉપયોગ થાય છે. ચીલાચાલુ કીટકનાશક દવાઓના વારંવાર થતાં ઉપયોગને પરિણામે લાંબા ગાળે જીવાતોએ તેની સામે પ્રતિકારક

વધુ વાંચો....

જીવાત : રીંગણ ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હે. પ્રમાણે સામૂહિક ધોરણે મુકવા . ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા સાયપરમેથ્રીન

વધુ વાંચો....

જીવાત : ચીકુમાં મોથ

પ્રોફેનોફોસ ૫૦% ઈસી 20 મીલિ અથવા પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% (૪૪% ઇસી) 20 મીલિ અથવા લેમડાસાયહેલોથ્રીન ૨.૫% ઈસી 8 મીલિ અથવા ક્લોરપાયરીફોસ ૨૦% + સાયપરમેથ્રીન ૪% (૨૪% ઇસી) 15 મીલિ 15

વધુ વાંચો....

શું તમે તૈયાર છો તમારા ગામમાં ફાર્મર ફિલ્ડ સ્કુલ શરુ કરવા ?

આપણે અગાઉ વાત કર્યા પ્રમાણે ખેડૂત પાઠશાળા માટે જો તમે આવા કોઈ જૂથો તમારા ગામના કૃષિ મિત્રના નેતૃત્વ સાથે બનાવો તો આપણે કૃષિ ખાતાની યોજના દ્વારા આવી ફાર્મર ફિલ્ડ સ્કૂલને આર્થિક અને

વધુ વાંચો....

શું છે ખેડૂત પાઠશાળા ? શું તમારા ગામમાં ‘ફાર્મર ફિલ્ડ સ્કૂલ’ છે ?

આપણે આ અગાઉ તમારા ગામના ગ્રેજ્યુએટ યુવાનની કૃષિ મિત્ર તરીકે પસંદ કરીને આખા ગામની ખેતીની સિકલ કેમ બદલી શકાય ? તેની વાત કરી હતી. તમારા ગામમાં સ્થાનિક સ્તરે તમારા કૃષિ ગ્રુપ દ્વારા

વધુ વાંચો....

મરચીમાં એન્થ્રેકનોઝ રોગનું નિયંત્રણ કેવી રીતે કરવું?

મરચીમાં એન્થ્રેકનોઝ રોગનું નિયંત્રણ કેવી રીતે કરવું? સૌથી પહેલું સારા જીનોટાઇપ વાળું રોગમુક્ત બીજ લઇ બીજ માવજત આપવી જોઈએ .ખેતી પદ્ધતિમાં ફેરફાર કરો. એકને એક ખેતરમાં મરચી ફરી નહિ . પાકની ફેરબદલી

વધુ વાંચો....

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં

વધુ વાંચો....

ખેડૂત પાઠશાળામાં ખેડૂતોને શું લાભ આપવામાં આવે છે.

ખેડૂત પાઠશાળા માટે તમે નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ના વૈજ્ઞાનિકોનો સંપર્ક કરી તાલીમ અને માર્ગદર્શન લઇ શકો . આપણી ખેડૂત પાઠશાળા માં કોઈ શિક્ષક ન હોય પણ એક તાલીમબદ્ધ માર્ગદર્શક (ફૅસિલિટેટર)

વધુ વાંચો....

મરચીમાં એન્થ્રેકનોઝ અચાનક ઝડપથી કેમ ફેલાય છે ?

મરચીમાં એન્થ્રેકનોઝ જયારે ગરમ અને ભેજવાળું વાતાવરણ હોય , હવામાં ભેજનું પ્રમાણ ખુબ વધારે હોય અને એ સમયે જો પાછું તાપમાન 20°C થી 27°C ની વચ્ચે હોય, ત્યારે આ ફૂગ ખૂબ ઝડપથી

વધુ વાંચો....

મરચી મંત્ર : આ વર્ષે મરચીમાં મલ્ચીંગ અને ટેકો આપવાનું ગોઠવશો.

બીજી અને ખૂબ જ અગત્યની નવી ટેકનીક છે છોડને ટેકો આપવાની જેને સ્ટેકીંગ કહે છે આમાં છોડને સહારો આપવામાં આવે છે જેનો ખૂબ મોટો ફાયદો થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે

વધુ વાંચો....

મરચીમાં એન્થ્રેકનોઝ ના ફેલાય તેના માટેના શું પગલા લેવા ?

મરચીમાં એન્થ્રેકનોઝ (Anthracnose) અથવા પરિપક્વ ફળનો સડો (Fruit Rot/Die-back) એ ફૂગથી થતો બહુ મોટો રોગ છે. આ રોગ ક્યારે ફેલાય છે અને તેને કાબૂમાં લેવા માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ ?

વધુ વાંચો....

બીજ મંત્ર : આપણી દુનિયા શિક્ષકો વિનાની સ્કૂલોમાં પ્રવેશ કરી રહી છે.

પરંપરાગત શિક્ષકો વગર ચાલતી શાળાનો સમય હવે આવી ગયો છે. મેસેચ્યુસેટ્સના બોસ્ટન સ્થિત આલ્ફા સ્કૂલમાં આપનું સ્વાગત છે, જે આ જ શૈક્ષણિક સત્રથી શરૂ થવા જઈ રહી છે. ‘આલ્ફા’ નામ જાણ જોઈનેને

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks