aries agro

અનાજ કઠોળ સડી ન જાય તે માટે

[1]અનાજ, ચોખા, કઠોળને સુરક્ષિત રાખવા દર સો કિલો અનાજમાં એક કિલો મુજબ દિવલનો પટ આપી-મોઇને સંગ્રહ કરવો

[2] મગ, અડદ, તુવેર, ચણા જેવા કઠોળને આખેઆખા સંગ્રહવાને બદલે તેની ‘દાળ’ બનાવી સઘર્યાં હોય તો તેમાં કઠોળના ભોટવા લાગતા નથી.

[3]પીપમાં કઠોળ ભરી ઉપર ઝીણી રેતીના અરધો ઇંચના થરનું ઢાંકણ કરી દીધું હોય તો પણ ભોટવાથી રક્ષણ મળે છે.

[4] કઠોળની દાળને પણ જો દિવેલનો પટ ચડાવી દીધો હોય તો તે સડતી નથી.[5].અનાજ-કઠોળમાં પારો ભેળવી ઢાંકી મૂકીએ તો પણ તે સડતું નથી.

[6]લીમડામા પાન કે લીંબોળીનો ભૂકો કે ઝીણી રાખ અંદર ભેળવ્યાં હોય તો પણ તે સડતા નથી.

[7] કેટલીક બહેનો તો ફુદીનો, લસણ અને આમલીના પાન ભેળવી આ બધું સુરક્ષિત રાખે છે.

[8] કોથળાની થપ્પી કરતી વખતે તમાકુનો ભૂકો કે મીઠું વચ્ચે વચ્ચે ભભરાવતા રહ્યા હોઇએ તો પણ જીવાતો દૂર રહે છે.

[9] વચ્ચે વચ્ચે સંભાળતા રહેવાથી ખ્યાલ આવે કે ઉપરોક્ત ઉપાયો ઊણા ઉતરશે તો રાસાયણિક દવાઓનો ઉપાય ‘અનિવાર્ય અનિષ્ટ’ ગણી-એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની ત્રણ ગ્રામની ગોળી એક ક્વીંટલ અનાજ માટે મૂકી, હવાચૂસ્ત ઢાંકણ કાપડ-પ્લાસ્ટિક ઢાંકી દેવું.

આવી બીજી પણ ઘણી દવાઓ હવે તો બજારમાં મળવા માંડી છે. જેના સમયસરના ઉપયોગથી સંરક્ષણમાં વાંધો આવતો નથી

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

આબોહવાના બદલાવની કૃષિ પાકો ઉપર થતી અસરો

આબોહવાના બદલાવની કૃષિ પાકો ઉપર થતી અસરો • પૃથ્વીના વાતાવરણમાં અંગારવાયુનું (co2) પ્રમાણ વધવાને કારણે ઘઉં અને ડાંગર જેવા પાકોમાં વૃદ્ઘિ અને વિકાસ વધુ અને પાણીનું બાષ્પીભવન ઓછું જોવા મળશે. તેમ છતાં

વધુ વાંચો....

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ • કૃષિમાં ખાસ કરીને ઊંચા તાપમાન, ક્ષારીય જમીનો, વારંવાર પૂર તથા દુષ્કાળની આફતો સામે ટકી શકે તેવા પાકો અને તેની જાતોની વાવણી કરવી. • હવામાન આગાહી તથા

વધુ વાંચો....

“ગાદી ક્યારા પદ્ધત્તિ” થી ક્યાં ક્યાં પાક લઇ શકાય ?

જમીનની અંદર તૈયાર થનારા, બટેટા, ગાજર, મૂળા, ડુંગળી, બીટ, આદુ, હળદર જેવા બધા કંદપાકોમાં ગાદી ક્યારા થી સહેજે ઉત્પાદનમાં દોઢા વજનનો વધારો અને ઉત્તમ ગુણવત્તા મેળવી શકાય છે. બે ફૂટ પહોળા અને

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks