ચોમાસા દરમિયાન રોગોનું પ્રમાણ વધવા માટે કેટલાક પરિબળો જવાબદાર છે. હવામાં ઊંચો ભેજ ફૂગના બીજાણુઓ (spores) ને અંકુરિત થવામાં મદદ કરે છે. સતત પડતો વરસાદ પાંદડાને લાંબા સમય સુધી ભીના રાખે છે. હવામાં રહેલા બેક્ટેરિયા ને લીધે પાનના ટપકાંઓ રોગ આવી શકે છે . જોરથી પડતા વરસાદથી પાણીના છાંટા જમીનમાંથી રોગકારકોને તંદુરસ્ત છોડ સુધી ફેલાવે છે. નબળી પાણીના નિકાલની વ્યવસ્થા પણ પાણી ભરાવાને લીધે મૂળના તણાવનું કારણ બને છે. છોડ વચ્ચે ઘાટું વાવેતર પણ હવાની અવરજવર ઘટાડે છે અને ભીના પાંદડા સુકાવાની પ્રક્રિયાને ધીમી કરે છે. વાદળછાયું વાતાવરણ સૂર્યપ્રકાશને મર્યાદિત કરે છે, જેથી પાંદડા પર ભેજ જળવાઈ રહે છે તેને લીધે રોગોના ફેલાવાની શક્યતા વધી જાય છે.

ચોમાસું આવે એટલે ફૂગ, બેક્ટેરિયા અને અન્ય રોગકારકોને શા માટે વધુ આવે છે.
ચોમાસાની ઋતુ આવે એટલે જરૂરી વરસાદ લાવે છે જે પાકના વિકાસમાં મદદ કરે છે, ભૂગર્ભજળના સ્તરને સુધારે છે અને જમીનમાં ભેજ વધારે છે. જો કે, આ જ હવામાન ઘણી વનસ્પતિઓના રોગો માટે

















