aries agro

ઉત્તર ગુજરાતના લોહતત્ત્વની ઉણપવાળી જમીનમાં બટાટા ઉગાડતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત મલ્ટી માઈક્રોન્યુટ્રીઅન્સ મિક્સર ગ્રેડ-૨ (કે જેમાં લોહ ૬%, મેંગેનીઝ ૧%, ઝીંક ૪%, કોપર ૦.૩% અને બોરોન ૦.૫% હોય છે)ના ૧%ના દ્રાવણનો રોપણી બાદ ૪૦, ૫૦ અને ૬૦ દિવસે છંટકાવ કરવો.

ભીંડાના પાકમાં લોહ અને જસત તત્ત્વની ઉણપ વર્તાય છે. તેના નિવારણ માટે સરકારે માન્ય/નોટીફાઈડ કરેલ મલ્ટી માઈક્રોન્યુટ્રીસન્ટ મિક્ચર ગ્રેડ-૪ના ૧%નો છંટકાવ કરવામાં આવે છે. દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારનાખેડૂતોને ગ્રેડ-૪ (૧%)ના ૩ છંટકાવ (વાવણી બાદ ૪૫, ૬૦ અને ૭૫ દિવસે) કરવાની જ્યારે મધ્ય ગુજરાતમાં ૪ છંટકાવ (વાવણી બાદ ૧૫, ૩૦, ૪૫ અને ૬૦ દિવસે) કરવાની ભલામણ છે.

દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ટામેટાનું વાવેતર કરતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત મલ્ટી માઈક્રોન્યુટ્રીસન્ટ ગ્રેડ-૪ના ૧% દ્રાવણના ૩ છંટકાવ (ફેરરોપણી બાદ ૪૫, ૬૦ અને ૭૫ દિવસે) કરવા. આ જ પ્રમાણેની ભલામણ રીંગણ, કોબીજ અને લસણના પાકમાં પણ કરવામાં આવેલ છે.

શિયાળુ ઋતુમાં કંદ માટેની સફેદ ડુંગળીનું વધુ ઉત્પાદન મેળવવા ભલામણ કરેલ ના.ફો.પો. ઉપરાંત રાસાયણિક ખાતર 19-19-19  એનપીકેનો  ૦.૫%નો છંટકાવ ફેરરોપણી બાદ ૩૦, ૪૫ અને ૬૦ દિવસે કરવો. ધાણાના બીજ-ઉત્પાદન સાથે સંકળાયેલ ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે મહત્તમ બીજ- ઉત્પાદન મેળવવા માટે ધાણાના પાકમાં વાવણી બાદ ૩૦ અને ૪૫ દિવસે ફેરસ સલ્ફેટ ૦.૫% (૫૦ ગ્રામ/૧૦ લિટર પાણી) + સાઈટ્રીક એસિડ ૦.૧% (૧૦ ગ્રામ/૧૦ લિટર પાણી)નો છંટકાવ કરવો.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

જીવાત મોનિટરિંગ – કઈ જીવાત તમારા ખેતરમાં ઉપદ્રવ છે તે કેમ ખબર પડે ?

આપણા પાકમાં આવતી ચુસીયા જીવાત આપણા પાકને રસ ચૂસીને તો નુકસાન કરે જ છે પણ સાથે સાથે પાકમાં એક છોડ થી બીજા છોડ સુધી વાયરસ ફેલાવે છે કારણ કે આ ચુસીયા વાઈરસના

વધુ વાંચો....

અપ્રાપ્ય ફોસ્ફરસ પ્રાપ્ત કરવા માટે છોડને કોની મદદની જરૂર પડે છે ?

આ અપ્રાપ્ય ફોસ્ફરસ પ્રાપ્ત કરવા માટે રસપ્રદ વાત એ છે કે છોડ આ સમસ્યા જાતે હલ કરી શકતો નથી તેને કોઈની મદદની જરૂર પડે છે. આપણી જમીનમાં રહેલા કરોડો ઉપયોગી સૂક્ષ્મજીવો (Microbes)

વધુ વાંચો....

પાક વૃદ્ધિ ઉત્તેજકો કોને કહેવાય ?

જે પદાર્થ વનસ્પતિની વૃદ્ધિ તથા (વનસ્પતિની જૈવિક ક્રિયાઓ જેવી કે અભિક્રિયા અને ચયાપચય વધારવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાર્થોને વૃદ્ધિ ઉત્તેજકો કહેવાય છે. દા.ત. દરેક પ્રકારના ઓકઝીન જેવા કે ૧-નેપ્થેલીન એસિટીક એસિડ

વધુ વાંચો....

ફોસ્ફરસ પૂરતું હોવા છતાં છોડમાં તેની ઉણપ કેવી રીતે હોઈ શકે?

કાગળ પર ફોસ્ફરસ પૂરતું હોવા છતાં છોડમાં તેની ઉણપ કેવી રીતે હોઈ શકે? ફોસ્ફરસની મોટાભાગની સમસ્યાઓ જથ્થાની નથી હોતી પણ તે છોડને ઉપલબ્ધ કેટલો થાય છે તે સમસ્યા છે. જમીનમાં પુષ્કળ પ્રમાણમાં

વધુ વાંચો....

મોસમ આવી મહેનતની

વર્ષા ઋતુ આવે એટલે મોસમ આવી મહેનતની , આપણા પાકના વધુ ઉત્પાદન માટે આપણે સમતોલ ખાતરનો ઉપયોગ કરીને આપણી આ વર્ષની ખેતીમાં સારું ઉત્પાદન લેવાનું છે ત્યારે આપણે જે તત્વો ખાતરના રૂપમાં

વધુ વાંચો....

સાચી અને સમયસરની સાચા મોલેક્યુલની દવા ન છાંટવામાં આવે તો ક્યાં ક્યાં રોગો આવે ?

સાચી અને સમયસરની સાચા મોલેક્યુલની દવા ન છાંટવામાં આવે તો ટામેટા આગોતરો સુકારો (Early blight), પાછોતરો સુકારો (Late blight), પાન પરના ડાઘ (Leaf spot) મરચાં એન્થ્રેકનોઝ (Anthracnose), સુકારો (Wilt), કોકડવાને લીધે થતી

વધુ વાંચો....

ચોમાસા દરમિયાન રોગોનું પ્રમાણ વધવા માટે ક્યાં પરિબળો જવાબદાર છે. ?

ચોમાસા દરમિયાન રોગોનું પ્રમાણ વધવા માટે કેટલાક પરિબળો જવાબદાર છે. હવામાં ઊંચો ભેજ ફૂગના બીજાણુઓ (spores) ને અંકુરિત થવામાં મદદ કરે છે. સતત પડતો વરસાદ પાંદડાને લાંબા સમય સુધી ભીના રાખે છે.

વધુ વાંચો....

ચોમાસું આવે એટલે ફૂગ, બેક્ટેરિયા અને અન્ય રોગકારકોને શા માટે વધુ આવે છે.

ચોમાસાની ઋતુ આવે એટલે જરૂરી વરસાદ લાવે છે જે પાકના વિકાસમાં મદદ કરે છે, ભૂગર્ભજળના સ્તરને સુધારે છે અને જમીનમાં ભેજ વધારે છે. જો કે, આ જ હવામાન ઘણી વનસ્પતિઓના રોગો માટે

વધુ વાંચો....

ફોસ્ફરસ ખાતર આપવાની રીત

ગુજરાત રાજ્યની મોટાભાગની જમીનમાં ફોસ્ફરસ પુરતા પ્રમાણમાં છે. તે જમીનમાં માટીના રજકણો સાથે જકડાયેલો હોય છે. તેથી પાકને તે સરળતાથી લભ્ય થઈ શકતો નથી. આવા અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવવા યોગ્ય ઉપાયો

વધુ વાંચો....
aries agro
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks