aries agro

‘નર’ પપૈયાના થડમાં લાકડા કે લોઢાની ફાડ મારી દઈએ એટલે એ ‘નર’ ઝાડને પણ ફળો લાગવા માંડે છે :

હા, થોડા ઘણા અંશે આ વાત સાચી છે, પણ એ ન સમજાય તેવો ચમત્કાર નથી. મધપૂડામાં ઈંડા મૂકવાનું કામ માત્ર ‘રાણીમાખી’ જ કરતી હોય છે. વળી આખી વસાહતમાં રાણી તો એક જ હોય છે. થોડી નર માખીઓને બાદ કરતાં બાકીની બધી જ માખીઓ જે સ્વયંસેવકની ફરજ બજાવતી હોય છે, તે બધી નપુંસક હોય છે, પણ જયારે રાણીમાખીનું જીવન ઓચિંતાનું સમાપ્ત થવાની ઘટના બને છે ત્યારે વસાહતને જાળવી રાખવાના અદમ્ય આશયથી આવા સ્વયંસેવકો પોતે પણ કયારેક ઈંડા મુકવા લાગી જાય છે. પણ તે નિર્જીવ હોવાથી તેમાંથી માખીઓ બનથી નથી. કંઈક એમ જ…

નર પપૈયાને સામાન્ય પરિસ્થિતિ માં ફળો લાગતાં નથી. પણ જયારે આપણે એના થડમાં લોઢું કે લાકડું-ફાટ પાડીને ભરાવી દઈએ, ત્યારે  એને ઈજા પહોંચે છે. એની જીંદગી જોખમમાં મૂકાઈ જાય છે. એને ‘અકાળે મૃત્યુ આવી જશે’ એવો ભય લાગે છે. એના મનમાં ચિંતા ઉદભવે છે કે ‘અરેરે ! બચ્ચાં (બિયાં) પેદા ન થયા અને મારે મરી જવાનું થશે ! વંશ વહ્યો જશે તો ?’ એટલે નર ફુલોની વચ્ચે માદા ફુલો ખિલવા માંડે છે અને બીજ પેદા કરવાનો પ્રયત્ન શરૂ કરે છે. નર પપૈયો આવા માદાફૂલો તો ખિલવે છે પણ તે સંપૂર્ણ અવયવો વાળા ન હોવાથી બંધાયેલા ફળમાં બિયાં ઉત્પન્ન થતાં નથી. બરાબર નિરીક્ષણ કરજો ! નર પપૈયાના ઝાડને જે ફળો લાગેલાં હશે, તે લાંબી દાંડી પર ઘાટઘૂટ વિનાના અને અંદર બિયાં ન હોય તેવા માલુમ પડશે. પ્રકૃતિ સૌ જીવમાં પોતાનો વંશ ચાલુ રાખવાની જે અદામ્ય ઈચ્છા મુકી છે તે આના પરથી સાબિત થાય છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

રોપ ઉછેર માટે ગાદી ક્યારાની માહિતી

તમામ ૠતુઓમાં અને ખાસ કરીને વરસાદનીૠતુમાં ગાદી કયારા પસંદ કરવામાં આવે છે. નર્સરીનીજમીનને લેવલ કરી તેને નીંદણ, જડિયા, પથ્થરો, કાંકરા વગેરે દૂર કરવા છે. નર્સરી બેડની માટીને ૫-૧૦ કિગ્રા પ્રતિ ચો.મી. સારી

વધુ વાંચો....

પ્લગ ટ્રે નર્સરીની તકનીક

હાઈ-ટેક નર્સરીમાં પ્લાસ્ટીકની ટ્રે અથવા પ્રો-ટ્રેનો ઉપયોગ સામાન્ય રીતે શાકભાજીના તંદુરસ્ત રોપાઓ ઉછેરવા માટે થાય છે. રોપાઓ ઉછેરવા માટે મુખ્યત્વે બે પ્રકારની પ્લાસ્ટિક પ્રો-ટ્રેનો ઉપયોગ થાય છે. કાકડી, શક્કરટેટી, ટામેટા અને રીંગણના

વધુ વાંચો....

નર્સરીમાં આવરણ (મ્લચીંગ)ની ઉપયોગીતા

• નર્સરીમાં બીજના વધુ સારા અંકુરણ માટે ભેજ, ઓકિસજન અને તાપમાન મહત્ત્વપૂર્ણ પરિબળો છે. સારા/સ્વસ્થ રોપાઓ મેળવવા માટે નીચેના પરિબળો પર ધ્યાન આપવું આવશ્યક છે • બીજ વાવ્યા પછી તરત જ બીજ

વધુ વાંચો....

પપૈયામાં છોડનો વિકાસ અટકાવનાર આ રોગનું નિયંત્રણ કેમ કરશો ?

પપૈયાના પાન કરચલીવાળા અને વિકૃત થવા, પાંદડાની કિનારીઓ અંદર અને નીચે તરફ વળી જાય , નસો જાડી થવી.પાંદડા ચામડા જેવા, બરડ અને વિકૃત થઈ જાય . છોડનો વિકાસ અટકી જાય . અસરગ્રસ્ત

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks