aries agro

‘નર’ પપૈયાના થડમાં લાકડા કે લોઢાની ફાડ મારી દઈએ એટલે એ ‘નર’ ઝાડને પણ ફળો લાગવા માંડે છે :

હા, થોડા ઘણા અંશે આ વાત સાચી છે, પણ એ ન સમજાય તેવો ચમત્કાર નથી. મધપૂડામાં ઈંડા મૂકવાનું કામ માત્ર ‘રાણીમાખી’ જ કરતી હોય છે. વળી આખી વસાહતમાં રાણી તો એક જ હોય છે. થોડી નર માખીઓને બાદ કરતાં બાકીની બધી જ માખીઓ જે સ્વયંસેવકની ફરજ બજાવતી હોય છે, તે બધી નપુંસક હોય છે, પણ જયારે રાણીમાખીનું જીવન ઓચિંતાનું સમાપ્ત થવાની ઘટના બને છે ત્યારે વસાહતને જાળવી રાખવાના અદમ્ય આશયથી આવા સ્વયંસેવકો પોતે પણ કયારેક ઈંડા મુકવા લાગી જાય છે. પણ તે નિર્જીવ હોવાથી તેમાંથી માખીઓ બનથી નથી. કંઈક એમ જ…

નર પપૈયાને સામાન્ય પરિસ્થિતિ માં ફળો લાગતાં નથી. પણ જયારે આપણે એના થડમાં લોઢું કે લાકડું-ફાટ પાડીને ભરાવી દઈએ, ત્યારે  એને ઈજા પહોંચે છે. એની જીંદગી જોખમમાં મૂકાઈ જાય છે. એને ‘અકાળે મૃત્યુ આવી જશે’ એવો ભય લાગે છે. એના મનમાં ચિંતા ઉદભવે છે કે ‘અરેરે ! બચ્ચાં (બિયાં) પેદા ન થયા અને મારે મરી જવાનું થશે ! વંશ વહ્યો જશે તો ?’ એટલે નર ફુલોની વચ્ચે માદા ફુલો ખિલવા માંડે છે અને બીજ પેદા કરવાનો પ્રયત્ન શરૂ કરે છે. નર પપૈયો આવા માદાફૂલો તો ખિલવે છે પણ તે સંપૂર્ણ અવયવો વાળા ન હોવાથી બંધાયેલા ફળમાં બિયાં ઉત્પન્ન થતાં નથી. બરાબર નિરીક્ષણ કરજો ! નર પપૈયાના ઝાડને જે ફળો લાગેલાં હશે, તે લાંબી દાંડી પર ઘાટઘૂટ વિનાના અને અંદર બિયાં ન હોય તેવા માલુમ પડશે. પ્રકૃતિ સૌ જીવમાં પોતાનો વંશ ચાલુ રાખવાની જે અદામ્ય ઈચ્છા મુકી છે તે આના પરથી સાબિત થાય છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

વેલાવાળા પાકોનું વધુ ઉત્પાદન મેળવવા શું કરાય ?

વેલાવાળા શાકભાજીના પાકો પાસેથી વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન લેવા માટે વેલા જમીન પર પડી રહેવાને બદલે એને ગમતી પરિસ્થિતિ ઉભી કરવા, એટલે કે એ ઉંચે લટકી રહે એવું કરવા “માંડવા પદ્ધતિ” અપનાવવી

વધુ વાંચો....

“પાકની ફેરબદલી” શા માટે કરતા રહેવી ?

એકની એક જમીનમાં દર વરસે એનો એ પાક નહીં વાવતાં, બીજા પાકનું વાવેતર કરવું, તેનું નામ- “પાકની ફેરબદલી” અનાજ વર્ગના પાકો જમીનમાંના ઉપલા ચાર-પાંચ ઇંચના થરમાંથી, જ્યારે કઠોળ અને દ્વિદળ પાક છથી

વધુ વાંચો....

રોપ ઉછેર માટે ગાદી ક્યારાની માહિતી

તમામ ૠતુઓમાં અને ખાસ કરીને વરસાદનીૠતુમાં ગાદી કયારા પસંદ કરવામાં આવે છે. નર્સરીનીજમીનને લેવલ કરી તેને નીંદણ, જડિયા, પથ્થરો, કાંકરા વગેરે દૂર કરવા છે. નર્સરી બેડની માટીને ૫-૧૦ કિગ્રા પ્રતિ ચો.મી. સારી

વધુ વાંચો....

પપૈયામાં છોડનો વિકાસ અટકાવનાર આ રોગનું નિયંત્રણ કેમ કરશો ?

પપૈયાના પાન કરચલીવાળા અને વિકૃત થવા, પાંદડાની કિનારીઓ અંદર અને નીચે તરફ વળી જાય , નસો જાડી થવી.પાંદડા ચામડા જેવા, બરડ અને વિકૃત થઈ જાય . છોડનો વિકાસ અટકી જાય . અસરગ્રસ્ત

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks