
ભારતમાં વવાતા શાકભાજીના કઠોળ પાકમાં વાલોળ/પાપડીનો પાક બહુ પ્રાચીન માનવામાં આવે છે. વાલોળ/પાપડીની લીલી શીંગોનો એકલા શાકભાજી તરીકે અથવા તો મિશ્ર શાકભાજી તરીકે રાંધવામાં ઉપયોગ કરવામાં આવે છે. વાલોળને Dolichosbean, Indianbean, Fieldbean, Commonbean, Hyacinthbean, lab lab bean Sem જેવા નામે ઓળખવામાં આવે છે. વાલોળ/પાપડી એ શાકભાજીનો ગૌણ પાક તેમજ તેની ઉત્પાદનક્ષમતા ઓછી હોવાને કારણે ગુજરાતમાં તેનું વાવેતર છુંટુછવાયું, શેઢાપાળા ઉપર, મિશ્ર પાક તરીકે અથવા તો કિચન ગાર્ડનમાં કરવામાં આવે છે. વાલોળ/પા૫ડીની કુમળી લીલી શીંગોનો શાકભાજી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે વેલાઓનો ઉપયોગ ઘાસચારા, સાયલેઝ બનાવવા તેમજ લીલા પડવાશ તરીકે કરવામાં આવે છે.


















