aries agro

મગફ્ળી છોડની ખાસ કરીને વેલડી પ્રકારની જાત જમીન પર પથરાઈ જતી હોઈ સૂકા અને અર્ધસુકા વિસ્તારના ઢાળવાળા ખેતરોની જમીનનું ધોવાણ અટકાવે છે અને પાણીને વહી જતું રોકે છે, આ પાક વધારે વરસાદ કે વાવાઝોડામાં અન્ય પાર્કો માફ્ક ઢળી પડતો નથી.

ઊંચી માત્રામાં ખાદ્ય તેલ ધરાવતો અગત્યનો પાક છે, જેમાંથી વનસ્પતિ ઘી બનાવી ઘી ની ગરજ પણ સારી શકાય છે. મગફ્ળી તેલમાંથી બનતા વેજીટેબલ ઘી માંથી અનેક પ્રકારના ફરસાણ અને મીઠાઈઓ બને છે. મગફ્ળી તેલ ઉત્તમ પ્રકારનું ખાદ્ય તેલ હોવા ઉપરાંત, લાંબો સમય સંઘરી શકાય છે.

કઠોળ વર્ગનો પાક છે તેથી છોડની મૂળ ગંડીકાઓમાં રાઇઝોબિયમ બેક્ટેરીયાને લઈ હવાનો નાઇટ્રોજન ખેંચી તેને સ્થિર કરી પોતાનો વિકાસ કરે છે અને વધારાનો નાઇટ્રોજન જમીનમાં ઉમેરે છે તેથી જમીન ફ્ળદ્રુપ બને છે.

છોડ નાનો હોઈ અન્ય બીજા કેટલાયે પાકો સાથે મિશ્ર પાક કે આંતરપાક તરીકે વાવી શકાય છે અને બે પાકોથી વધુ ઉત્પાદન લઈ શકાય છે તેમજ, મુખ્યત્વે વરસાદ આધારિત ચોમાસુ પાક હોઈ ખેતીનું જોખમ ઘટાડી શકાય છે. તુવેર, પાસ, એરંડા, તલ વગેરે સાથે વાવી શકાય છે.

મગફ્ળી ખોળ ઢોર અને મરઘાં, બતકા માટે શક્તિવર્ધક અને રૂચીવાળો પાચ્ય ખોરાક છે. ઉપરાંત સેન્દ્રીય ખાતર તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

ચોમાસુ, ઉનાળુ અને શિયાળુ ૠતુમાં પણ વાવી શકાય છે. બદામ અને કાજુ જેવા કિંમતી સૂકા મેવા સામે મધ્યમ અને ગરીબ પ્રજાનો એક પર્યાય બને છે.

વધુ ઓલીક એસિડનું પ્રમાણ ધરાવતી જાતોનાં તેલની ગુણવતા લાંબો સમય જળવાઈ રહે છે તેમજ સ્વાસ્થ્ય માટે સારું ગણવામાં આવે છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

મગફળીને બીજ માવજત કેમ જરૂરી ?

ઘણા વરસોથી એક જ જમીનમા દર વર્ષે મગફ્ળીનું વાવેતર કરવાથી જમીનજન્ય રોગો જેવા કે, ઉગસુક (કોલર રોટ), થડનો કોહવારો (સ્ટેમરોટ) વગેરેનું પ્રમાણ વધતુ જાય છે. જેના પરીણામે વાવેતર કરેલ વિસ્તારમાં છોડની સંખયા

વધુ વાંચો....

મોલોમશી, તડતડિયા (લીલી પોપટી), થ્રીપ્સ, સફેદમાખી અને લાલ કથીરી

મગફળી માં ચુસિયા પ્રકારની જીવાતોમાં મુખ્યત્વે મોલો-મશી, તડતડિયા (લીલી પોપટી), થ્રીપ્સ, સફેદ માખી અને લાલ કથીરીનો ઉપદ્રવ વધારે હોય છે. આ કીટકો પાનમાંથી રસ ચુસી નુકસાન કરે છે. જીવાતોના સંકલિત નિયંત્રણ માટે

વધુ વાંચો....

મગફળીના થડનો કોહવારો

પાક ફેરબદલી કરવી, એકની એક જમીનમાં મગફ્ળીનું વાવેતર કરવું નહીં. સંપૂર્ણ સડી ગયેલા સેન્દ્રિય ખાતરો જ વાપરવા. ટ્રાયકોડર્મા હારજીયાનમ ૨.૫ કિ.ગ્રા./હેક્ટર જમીનમાં વાવેતર સમયે ચાસમાં ૧૦૦ કિ.ગ્રા. એરંડાના ખોળ અથવા દેશી ખાતર

વધુ વાંચો....

મગફળીમાં આંતર પાકો

મગફ્ળી એ સૂકી ખેતી અને અનિયમિત વરસાદવાળા વાતાવરણમાં વવાતો પાક છે તેથી એકલો પાક લેવાથી મોટુ નુકસાન થવા સંભવ રહે છે. એટલે મગફ્ળી સાથે કપાસ, એરંડા, તુવેર, તલ, સૂર્યમુખી જેવા પાકો આંતરપાક

વધુ વાંચો....

મગફળીમાં અફલારોટ

વાવણી સમયે ઈજા થયેલ અને ફુગવાળા દાણા દૂર કરી સારું બીજ જ વાવેતર માટે વાપરવું જોઈએ. ફુગનાશક દવાઓની ભલામણ મુજબ બીજ માવજત આપી વાવેતર કરવું. પાક ફેરબદલી કરવી. મગફ્ળીનાં ડોડવા અને દાણામાં

વધુ વાંચો....

રોગ : મગફળીમાં ટીક્કા રોગ નિયંત્રણ

સારી ગુણવત્તાવાળા અને નુકસાન વિનાના બીજનો જ વાવેતરના ઉપયોગમાં લેવા જોઈએ. મગફળી ફોલીને તેના બીજને ભેજવાળી જગ્યામાં રાખવા નહીં. બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા. બીજની માવજત માટે ટેબૂકોનાઝોલ ૧.૨૫ ગ્રામ અથવા ૫

વધુ વાંચો....

મગફળી જેવા તેલીબિયા પાકોમાં પોષક તત્વોથી વધુ ઉપજ

ઘણી વખત જમીનમાં લોહતત્ત્વની ઉણપને લીધે મગફ્ળીના પાકમાં પીળાશ દેખાય ત્યારે ૧૦ લિટર પાણીમાં ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકસી) અને ૧૦ ગ્રામ સાયટ્રીક એસિડ (લીંબુના ફૂલ) ઓગાળી તેનો છંટકાવ કરવાની સલાહ….

વધુ વાંચો....

સાંકળા ગાળે ઘાટું વાવેતર પદ્ધતિ એટલે શું ?

કપાસના છોડને અનુકૂળ અને વધુ ઉત્પાદકતા મળે તે મુજબ સાંકડા ગાળે કપાસની વાવણી કરી એકમ વિસ્તારમાં વધુમાં વધુ છોડ સમાવવાની વાવેતર પદ્ધતિને સાંકડા ગાળે વાવેતર પદ્ધતિ કહેવાય છે. દુનિયાના ઘણા દેશોમાં છેલ્લા

વધુ વાંચો....

મગફળીમાં સફેદ ધૈણનું સંકલિત નિયંત્રણ

ઉનાળામાં ઊંડી ખેડ કરવી, આ જીવાતનાં ખેતરમાં ઈંડા મુકતા પુખ્ત ઢાલિયા કીટકના નાશ માટે ચોમાસાનાં પ્રથમ વરસાદ પછી શેઢા પરના ઝાડને રાત્રે ૮ થી ૧૦ દરમ્યાન હલાવી તેના પરના પુખ્ત ઢાલિયા કીટકોને

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks