મલ્ચિંગ

“મલ્ચીંગ” એટલે આવરણ. આવરણ એટલે હોય એના પર પડ ચડાવી દેવું-કશાકનું કવર કરી દેવું. કહોને એવીરીતે ઢાંકણ કરી વાળવું કે અંદર જે હોય તે બહારના ઝંઝાવાતો સામે સલામતી અનુભવી શકે. મલ્ચિંગથી ભેજની જાળવણી થાય જો જમીન ઉપર ઢાંકણ થયેલ હોય તો નીચેનો ભેજ હવામાં ઉડતો અટકે છે. પરિણામે પાકને પાણીની ખેંચ ઓછી પડે છે. પાક એટલું વધારાનું પાણી ઓછું માગે છે. મલ્ચિંગની નીચે નિંદામણના બીજ બફાઇ મરતા હોવાથી ઉગવાની ક્ષમતા ગુમાવી બેસતા હોય છે. મલ્ચિંગને લીધે હવામાનનું તાપમાન ખૂબ જ ઊંચું હોય ત્યારે આવરણ નીચેની જમીનમા પૂરતો ભેજ જળવાય રહે છે . મલ્ચિંગથી હોય તો વરસાદની સીધેસીધી મારકણી થપાટ લગતી નથી એટલે ‘જમીન ધોવાણ’ ની નઠારી અસરમાંથી બચી જાય છે. કારણ કે તોફાની વરસાદની થપાટ ધરતીને લાગતા પહેલાં મલ્ચિંગ ઝીલી લે છે.બંધારણ બગડતું અટકે છે. જેનો પાક ‘વધુ વળતર’ ના રૂપમાં જવાબ આપી શકે છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

નર્સરીમાં આવરણ (મ્લચીંગ)ની ઉપયોગીતા

• નર્સરીમાં બીજના વધુ સારા અંકુરણ માટે ભેજ, ઓકિસજન અને તાપમાન મહત્ત્વપૂર્ણ પરિબળો છે. સારા/સ્વસ્થ રોપાઓ મેળવવા માટે નીચેના પરિબળો પર ધ્યાન આપવું આવશ્યક છે • બીજ વાવ્યા પછી તરત જ બીજ

વધુ વાંચો....

મલ્ચિંગ શેનું શેનું કરી શકાય ?

મલ્ચિંગ આપેલ પાણીમાંથી કેટલુંક પાણી બાષ્પ થઈ ઊડી જતું હોય છે. તેને રોકવું હોય તો ? જમીન ઉપર ઢાંકણ [મલ્ચિંગ] કરી દઇએ તો આ કામ સરળ બને. આવરણ ઘણી રીતે કરી શકાય.

વધુ વાંચો....

સેન્દ્રીય મ્લચીંગ એટલે શું ?

કોઈપણ પ્રકારના ખેતીના કચરાને જ્યારે જમીન ઉપર પાથરવામાં આવે તેને આવરણ કહે છે. દા.ત. બાજરીના ઢુંસા, મગફ્ળીના ફોતરા, ઘઉંનું કુંવળ, ડાંગરનું પરાળ, નકામું ઘાસ, દિવેલાની ફોતરી, રાઈનું ભૂસું, શેરડીની પાતરી, લાકડાનો વેર,

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં જમીનનું નિર્જીવીકરણ કેવી રીતે કરવું?

 હાલના સમયગાળામાં ગ્રીન હાઉસની ખેતીમાં સફ્ળ થવા માટે ગ્રીન હાઉસની જમીનને વર્ષમાં એકવાર નિર્જીવીકરણ કરવી અતિ આવશયક છે. સામાન્ય રીતે ગ્રીન હાઉસમાં નિર્જીવીકરણ માટે ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧%) નામનું રસાયણ વપરાય છે. ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧%

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : ટામેટા માટે ગ્રીન હાઉસમાં કેવું વાતાવરણ જોઈએ ?

ટામેટાના વિકાસના તમામ તબક્કાઓ જેવાં કે વાનસ્પતિક વૃદ્ધિ, ફૂલધારણ, ફ્ળધારણ અને ફ્ળની પાકવાની અવસ્થાને પ્રભાવિત કરતું પ્રાથમિક પરિબળ તાપમાન છે. ટામેટાની સારી વૃદ્ધિ માટે ૧૦° સે, અને ૩૦° સે. વચ્ચેના તાપમાનની જરૂર

વધુ વાંચો....

વૃદ્ધિ નિયંત્રકોના મુખ્ય કાર્યો

• છોડના થડની અને મૂળની આડી અને ઊભી વૃદ્ધિ • છોડના કોષમાં રહેલ ઉત્સેચકોની પ્રક્રિયા ઉપર નિયમન અમુક ઉત્સેચકોનું સંશ્લેષણ • પર્ણના લીલા રંગ આપનાર હરીત દ્રવ્યોનું સંયોજન • છોડના વજનમાં વધારો

વધુ વાંચો....

મિશ્રપાક- આંતરપાક વાવેતર કરવાના લાભ ક્યાં છે ?

એકથી વધારે પાકનું વાવેતર હોય તો એકાદ પાકમાં રોગ જીવાત, સવા-કવા કે વરસાદી હવામાનના કારણે નિષ્ફળતા મળે તો પણ ઉત્પાદન સાવ શૂન્ય થતું નથી. કેટલાક લાંબી મુદતે પૂરા થતા અને ખૂબ વહેલા

વધુ વાંચો....

ફળ ફાટવાની સમસ્યા

ઘણી વખત દાડમના ફળ પાકવા આવવાની અવસ્થાએ ઝાડ પર જ ફાટી જાય છે. આવ કિસ્સામાં ઘણી વખત ખેડૂતો જાણ્યે-અજાણ્યે તેને રોગ સમજી તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. જો યોગ્ય

વધુ વાંચો....

ખેતીમાં “સૂર્યશક્તિ”નો વધુ લાભ લેવા શું કરવું ?

પાકોનાં વાવેતર વખતે પૂર્વ-પશ્ચિમ ચાસની દિશા રાખી હોય તો આખા ચાસને સૂર્યપ્રકાશ વધારે વખત મળી શકે. નવા પ્લાંટેશન એવા કરી શકાય કે જેમાં ઊંચા વધતાં સાગ જેવા, મધ્યમ ઉંચાઇએ વધતાં શૃપ ટાઇપના

વધુ વાંચો....

પાક વૃદ્ધિ ઉત્તેજકો કોને કહેવાય ?

જે પદાર્થ વનસ્પતિની વૃદ્ધિ તથા (વનસ્પતિની જૈવિક ક્રિયાઓ જેવી કે અભિક્રિયા અને ચયાપચય વધારવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાર્થોને વૃદ્ધિ ઉત્તેજકો કહેવાય છે. દા.ત. દરેક પ્રકારના ઓકઝીન જેવા કે ૧-નેપ્થેલીન એસિટીક એસિડ

વધુ વાંચો....

મગફળીને બીજ માવજત કેમ જરૂરી ?

ઘણા વરસોથી એક જ જમીનમા દર વર્ષે મગફ્ળીનું વાવેતર કરવાથી જમીનજન્ય રોગો જેવા કે, ઉગસુક (કોલર રોટ), થડનો કોહવારો (સ્ટેમરોટ) વગેરેનું પ્રમાણ વધતુ જાય છે. જેના પરીણામે વાવેતર કરેલ વિસ્તારમાં છોડની સંખયા

વધુ વાંચો....

લીંબુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

લીંબુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો : • ફળપાકોમાં ખાસ કરીને લીંબુના પાકમાં નેપ્થલીક એસિટીક એસિડ (એન.એ.એ.) ૨૦ પી.પી.એમ. અથવા ૨-૪-ડી ૮ પી.પી.એમનાં છંટકાવ કરવાથી ફળો ખરતાં અટકાવી શકાય છે. (૧૦ લીટર પાણીમાં ૨૦૦

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks