aries agro

મરચીની ખેતી માં સારા પરિણામની ગુરુ ચાવી કઈ ?

ચાલો જીતો ને જિતાડીએ ,  આ  માસ્ટર – કી  બીજા ને પણ આપજો

આપણે થોડા વર્ષોથી એમજ માનીયે છીએ કે ખેતીની ચાવી બીજા પાસે છે આપણી પાસે નથી, પણ કોઈ પણ ધંધો હોઈ કે વ્યવસાય કે પછી નોકરી કે પછી ખેતી બધાની માસ્ટર- કી જો કોઈ હોઈ તો તે છે આ ચાર પ્રશ્નના જવાબ મેળવવા

ખેતી ની કોઈ સમશ્યા હોઈ કે ખેતીની અગવડતા કે મુશ્કેલી હોય, આ બધા માટે ઉપર આપેલા ચાર પ્રશ્નો નો જવાબ શોધી કાઢો એટલે દરેક સમશ્યામાં આ માસ્ટર- કી લાગે છે,

દા .ત. મરચીમાં રોગ આવ્યો છે,

મરચી પીળી થઇ ગઈ છે, મરચીના પાનમાં દવા છાંટ્યા પછી કુક્ડાય ગયા હોઈ , મરચી ને પાણી લાગી ગયું હોઈ કે પછી મરચીમાં પાનના ટપકા નો રોગ લાગ્યો હોય, દરેક સમશ્યા માટે ઉપરના ચાર પ્રશ્નો પૂછો અને જવાબ શોધો

દા. ત. મરચીમાં પાન ના ટપકાંનો રોગ લાગ્યો છે

પ્રશ્ન શું છે ? મરચીમાં પાન ના ટપકાંનો રોગ લાગ્યો છે , પાન ઉપર અનિયમિત આકારના ટપકાં
છે, પાન તોડીને નિષ્ણાંતને દેખાડવું જોઈએ અથવા સારા અને અનુભવી વેપારીને
આ પાન બતાવવું જોઈએ તોજ કારણ શું છે ? જવાબ મળે

આપણને વૈજ્ઞાનિક જવાબ જોઈએ , એમનામ કઈ પણ દવા છાંટો એવું નહિ , કારણ વૈજ્ઞાનિક સુજ વગર ખોટું નિદાન હોઈ તો ફેરો મોંઘો પડે કારણકે

એક દવા નો ડોઝ ખોટો ….મતલબ આવક માં ઘટાડો

જો સાચું કારણ મળી જાય તો આપોઆપ

ઉપાય શું છે ? નો જવાબ મળી જાય કે વરસાદના પાણી થી સતત પાન ભીના રહેવાથી
અને વાતાવરણ કે હવામાનના બેક્ટેરિયાથી બેક્ટેરિયલ સ્પોટ છે , સર્કોસ્પોરા
નથી તો કોપર સાથે સ્ટ્રેપટો છાંટો તેવો જવાબ મળે

છેલ્લું હું શું કરી શકું ?

હું કઈ કરું નહિ અથવા નિર્ણય મોડો લઉં ,

કે ભાગીયાના ભરોસે રહું તો

સાચી દવા પણ ઘણી વાર મોડી કે અવ્યવસ્થિત છાંટવાથી આપણું કામ સરે નહિ
અને એક રોગ મોડો કંટ્રોલ માં આવે એટલે પાક ઉત્પાદન માં નુકશાની આપી ને જાય

માસ્ટર- કી નો ઉપયોગ વારંવાર ખેતી માં કે સાંસારિક જીવનમાં કરતા રહેજો અને હા,

હું શું કરી શકું ?
નો જવાબ મળ્યો એટલે તમે સફળ

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

મનની વાત : કપાસમાં વરસાદ પછીની માવજત

અત્યારે બધી જ જગ્યાએ સારા પ્રમાણમાં વરસાદ પડેલ છે ત્યારે કપાસ અને અન્ય પાકોને નુકશાન થવાની શક્યતા છે ત્યારે કપાસના પાકમાં મુખ્યત્વે સુકારો અને ફળ ખરવાના પ્રશ્નો જોવા મળે છે તો આપણે

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત – ૧

મરચીના પાનના ટપકાનો રોગ કેવી રીતે લાગે ? મરચીના પાન સતત ૧૪ કલાક વરસાદ કે ઝાકળથી અથવા વરસાદ થી ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનું છોડ પર આક્રમણ થાય અને મરચીને ચેપ લાગે,

વધુ વાંચો....

કૃષિજ્ઞાન : કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ

કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ જીવન ચક્ર : કોસેટો > કુદુ ( પુખ્ત કીટક) > ઈંડા > ઇયળ ગુલાબી ઈયળના ફુદા નર અને માદા સરખા ક્રમમાં નીકળે છે એટલે કે એક માદા

વધુ વાંચો....

ભીંડાનો પીળીયો પીળી નસનો રોગ

રોગના અસરકારક નિયંત્રણ માટે શરૂઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી નાશ કરવો. ઇમીડાકલોપ્રીડ ના ૪૦, ૫૫ અને ૭૦ માં દિવસે ત્રણ છંટકાવ કરવાથી ભીંડાના પીળી નસના રોગ અને પ્રસારક ‘સફેદમાખી’ નું

વધુ વાંચો....

મરચી,ટામેટીનો કોકડવાનું કેવી રીતે નિયંત્રણ કરશો ?

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 8 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15  લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ  ઓડી 30 મીલિ

વધુ વાંચો....

જીવાત : મકાઈમાં પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા)

ધરૂવાડિયા ફરતે પિંજર પાક તરીકે એક મીટરે દિવેલા થાણવા તથા આ પાક ઉપર મૂકાયેલા ઇંડા તેમજ પ્રથમ અવસ્થાની ઇયળોના સમૂહવાળા પાનનો વીણીને નાશ કરવો. બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ અથવા

વધુ વાંચો....

દિવેલાનો સૂકારો

છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો.  સૂકારા સામે પ્રતિકારક  બીજની જાત ગુજરાત દિવેલા સંકર 7  જાતનું વાવેતર કરવું.  પહેલાં કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી જૈવિક નિયંત્રકનો ૧૦ ગ્રામ

વધુ વાંચો....

વેલાવાળા પાકમાં ફળમાખી

વેલાવાળા પાક (દૂધી, ગલકા, તુરીયા, કાકડી, ઘિલોડા, પરવળ) અને કેટલાક ફળપાકો (આંબો, ચીકુ, જામફળ, બોર)માં ફળમાખી થી સારા એવા પ્રમાણમાં નુકસાન થાય છે. વેલાવાળા શાકભાજી અને ફળપાકોમાં નુકસાન કરતી ફળમાખી અલગ-અલગ જાતિની

વધુ વાંચો....

રોગ : વેલાવાળા શાકભાજીમાં પાનના ટપકાં

વેલાવાળા શાકભાજીમાં પાનના ટપકાં : કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8  ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 50 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45  ગ્રામ 15  લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks