વધુ ઉત્પાદન, દાણાની ગુણવત્તા અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે દર બે વર્ષે હેક્ટરે ૧૦ ટન છાણિયું ખાતર નાખવું.
• ટુકડી ઘઉંની સમયસરની વાવણી માટે પ્રતિ હેક્ટર ૯૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવો. આ પૈકી ૬૦ કિ.ગ્રા ફોસ્ફરસ અને ૪૫ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી સમયે પાયાના ખાતર તરીકે અને બાકીનો ૪૫ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી બાદ ૧૮-૨૧ દિવસે એટલે કે મુકુટ મૂળ અવસ્થાએ (પ્રથમ પિયતે) આપો.
પિયત કાઠીયા (ડ્યુરમ) ઘઉંની વાવણી માટેપ્રતિ હેક્ટરે ૧૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવો. આ પૈકી ૬૦ કિ.ગ્રા ફોસ્ફરસ અને ૬૦ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી સમયે
પાયાના ખાતર તરીકે અને બાકીનો ૬૦ કિ.ગ્રા.નાઈટ્રોજન પૂર્તિ ખાતર તરીકે મુકુટ મૂળ અવસ્થાએ ન આપતાં પ્રથમ ગાંઠ અવસ્થાએ એટલે કે (બીજા પિયતે) ૩૫ દિવસે આપવો.
મોડી વાવણીમાં ૮૦ કિગ્રા. નાઈટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવો. જે પૈકી ૪૦ કિગ્રા,ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે જ્યારે ૪૦ કિગ્રા,નાઈટ્રોજન ૧૮-૨૧ દિવસે મુકુટ મૂળ અવસ્થાએ અને ૪૦ કિગ્રા. નાઈટ્રોજન ૩૫ દિવસે પ્રથમ ગાંઠ અવસ્થાએ આપવો.
જમીન ચકાસણી રીપોર્ટ આધારે જે જમીનમાં ઝીંક અને લોહતત્ત્વની ઉણપ હોય તેવી જમીનમાં દર વર્ષે ૮ કિ.ગ્રા. ઝીક રાલ્ફેટ અને ૧૫ કિ.ગ્રા. ફેરસ સલ્ફેટ વાવણી પહેલાં ૩૦ કિ.ગ્રા. સારા છાણિયા કોહવાયેલા ખાતર સાથે મિશ્ર કરી આપવું.
• વાવણી પહેલાં જમીનમાં ઝીંક અને ફેરસ સલ્ફેટ આપી શકાયું ન હોય તો બજારમાં ઉપલબ્ધ સરકાર માન્ય માઈક્રોન્યુટ્રીયન્ટ ગ્રેડ-૪નું ૧%નું જથ્થો જમીન ચકાસણી અહેવાલ મુજબ આપવો હિતાવહ દ્રાવણ ઘઉંના ઊભા પાકમાં વાવણીના ૩૦, ૪૦ અને ૫૦ દિવસે છાંટવાથી પાકની વૃદ્ધિ સારી તેમજ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય છે.