આ પ્રકારના બેક્ટેરિયલ પ્રજાતિને વનસ્પતિ વિકાસ વધારનાર બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મૂળના વિસ્તારમાં જીવતા મુક્તજીવી બેક્ટેરિયા (એકટોરાઈઝોસ્ફીયર), મૂળના બાહ્યત્વચા પર જીવતા બેક્ટેરિયા (રાઈઝોપ્લાન) અને મૂળની અંદર જાેવા મળતા બેક્ટેરિયા (એન્ડોરાઈઝોસ્ફીયર) મુખ્ય છે. આ બેક્ટેરિયા બેસિલસ, રાઈઝોબિયમ, સ્યૂડોમોનાસ, એઝોસ્પાઈરીલમ અને એઝોટોબેકટર વગેરેની પ્રજાતિઓ છે. આ પ્રકારના બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય નાઈટ્રોજન સ્થાપિત કરવાનું છે. રાઈઝોબિયમ પ્રજાતિ કઠોળ પાકો સાથે સહજીવન વિતાવી મૂળીય ગાંઠોનું નિર્માણ કરે છે જેના થકી નાઈટ્રોજન સ્થાપિત થાય છે. આ સિવાય આ પ્રકારના બેક્ટેરિયા હોર્મોન જેવા કે ઓક્ઝિન, જીબ્રેલિક એસિડ વગેરેના ઉત્પાદન વડે વનસ્પતિના વિકાસમાં વૃદ્ધિ સર્જે છે. ઘણા બેક્ટેરિયા બાષ્પીભૂત કાર્બનિક તત્વોનું ઉત્સર્જન કરતા હોય છે, દા. ત. ૨,૩,-બ્યુટેનડાયોલ, જે જૈવિક પરિબળો સામે વનસ્પતિમાં રોગ પ્રતિકારક ક્ષમતાનો વધારો કરે છે.