

આ જીવાતની માદા કીટક છાણીયાં ખાતરના ખાડામાં ઈંડા મૂકતી હોવાથી નાળિયેરીના બગીચામાં અથવા નજીકમાં ખાતરના ખાડા કરવા નહી.
આજુબાજુના ખાતરના ખાડામાં ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી ખાતરના ખાડાને માટીથી ઢાંકી દેવાથી અથવા તો ખાતરના ખાડામાં ક્લોરપાયરીફોસ ૧.૫% અથવા ક્વિનાલફોસ ૧.૫% ભૂકી છાંટતા ઈયળો મરણ પામશે.
બગીચામાં સ્વચ્છતા જાળવવી, સૂકાઈ ગયેલા કે સડતા નાળીયેર દૂર કરવા.
ઉપદ્રવવાળા ઝાડમાં કાણું ખુલ્લું કરી તેમાં સળીયો નાખી ગેંડા કીટકનો નાશ કરવો.




























