

કોઇપણ કંપની પોતાના વ્યાપાર માટે જ અસ્તિત્વમાં આવી હોય એ હકીકત છે, દરેક કંપની પોતાના વિકાસ માટે જ કામ કરતી હોય એ પણ એક સ્વિકાર્ય બાબત છે. દરેક કંપનીના ઉદ્દેશ અલગ હોય છે અને દરેક કંપનીના અભિયાન અને દ્રષ્ટિકોણ પણ અલગ હોય છે. અહીં આપણે એક કંપનીની વાત કરવા જઇ રહયા છીએ જેની સ્થાપના ૧૯૯૪ માં થઇ અને આજે ૨૦૨૫માં એ કંપની એક સરસ હેતુ સાથે વિકાસના પથ ઉપર આગળ વધી રહી છે, ખુબ જ ધીમા કદમથી ચાલતી આ કંપનીની ચાલ ધીમી જરૂર છે પણ દરેક કદમ એક ઠોસ કદમ તરીકે સાબિત થઇ રહયો છે
અહીં આપણે વાત કરીએ છીએ કૃષિક્ષેત્રમાં કામ કરવાના ઉદ્દેશ સાથે અસ્તિત્વમાં આવેલી કંપની એગ્રીલેન્ડ બાયોટેક લીમીટેડની જેની સ્થાપના ૧૯૯૪ માં થઇ અને તેના સ્થાપક છે શ્રી રામજીભાઈ માંગુકીયા, શ્રી ડો. મુકેશભાઇ પટેલ અને શ્રી જેરામભાઈ માંગુકીયા. ત્રણ વ્યક્તિની મહેનત અને દીર્ઘ દ્રષ્ટિનું સોપાન એટલે એગ્રીલેન્ડ બાયોટેક લી.
એગ્રીલેન્ડની સ્થાપના માત્ર જૈવિક પાકપોષણ અને જૈવિક પાકસંરક્ષણને લગતાં પ્રોડક્ટ વિક્સાવી ખેતીમાં આવતી સમસ્યાઓને નિવારવા માટે થઇ, હા અહીં પણ વ્યવસાયનો ખ્યાલતો હતો જ પણ માત્ર એવો વ્યવસાય કે ત્યાં વ્યવસ્થાની સાથે ભારતમાં ખેતી ક્ષેત્રે એક નવો ખ્યાલ ઉભો થાય, આજે સમગ્ર ભારતમાં જૈવિક દવા, ખાતરના ઉત્પાદક તરીકે એગ્રીલેન્ડ પાયોનિયર છે અને મક્કમ કદમ સાથે વિશ્વમાં આગળ વધે છે. આજે એ વાતને આપણે ગૌરવ તરીકે લઇ શકીએ છીએ કે એગ્રીલેન્ડ તેના નેટવર્કમાં અને ખેડૂતોના દિલો, દિમાગમાં એક વિશ્વાસના પ્રતીક તરીકે સ્થાન ધરાવે છે અને એનું એક જ કારણ છે કે દરેક પ્રોડક્ટ બાબતે કંપની ખૂબ જ જવાબદારી નિભાવે છે. ખેતી અને ખેડૂતોની ચિંતા કરે છે અહીં એક જવાબદાર વ્યક્તિ તરીકે એમ પણ કહી શકીએ કે એગ્રીલેન્ડ પોતે ખેડૂત અને ખેતીની જવાબદારી સમજે છે, ખેતીની જરૂરીયાતને સમજે છે, ખેડૂતની જરૂરીયાત અને હાલતને સમજે છે તેમજ તેની મદદ કરવા માટે તત્પર છે.
બાયોલોજીકલ પ્રોડક્ટનું ઉત્પાદન કરવું એક પડકાર છે, એક જવાબદારીપૂર્વકનું કામ છે અને એથી આગળ જોઇએ તો ખેડૂતોની અપેક્ષા પરિણામની બાબતમાં રસાયણની તુલનામાં અહીં ખુબ જ વધારે છે એ એટલાં માટે કે જે સમસ્યાનું સમાધાન રસાયણ કે અન્ય પાસે નથી મળતું એ સમાધાન જૈવિકમાં ખેડૂતો શોધી રહયા છે એટલે અહીં એગ્રીલેન્ડ એના પાયોનિયર હોવાના ગૌરવને જાળવવા કટિબધ્ધ છે. કોઇપણ પ્રકારની અતિશયોક્તિ વગરનું માર્કેટિંગ એ એગ્રીલેન્ડનો હકારાત્મક અભિગમ રહયો છે અને એના કારણે જ તો દરેકનો વિશ્વાસ બનીને ઉભરી રહયું છે એગ્રીલેન્ડ. આજે એગ્રો ઇનપુટ્સની વાત કરીએ તો રસાયણ કે અન્ય પદ્ધતિ જ્યારે સમસ્યાના સમાધાન બાબતે હાથ ઊંચા કરી દે છે ત્યારે અને ત્યાંથી એગ્રીલેન્ડ એના જૈવિક હથીયાર વડે લોકોને મદદ કરે છે અને ખેડૂતોના કિંમતી પાકને બચાવે છે.
ખેતી પાકોમાં આવતી સમસ્યાઓ પૈકી હઠીલા રોગ અને હઠીલી જીવાત જ્યારે માથું ઉચકે છે અને દરેક પદ્ધતિઓ નિષ્ફળ નીવડે છે ત્યારે એગ્રીલેન્ડના જૈવિક પ્રોડક્ટ ખેડૂતોને ખૂબ જ કામમાં આવે છે માટે આજે ગુજરાત ઉપરાંત બીજા દશ રાજ્યોના ખેડૂતોના મુખે એગ્રીલેન્ડ એક જવાબદાર કંપની હોવાનું સંભળાય છે જે સૌથી મોટું બ્રાન્ડ હોવાનું સાબિત કરે છે જે વિશ્વાસનું પ્રતીક છે. એગ્રીલેન્ડનાં ઘણાં પ્રોડક્ટ પણ જબરદસ્ત બ્રાન્ડ તરીકે ઉભરી રહયા છે જેમકે મોનીટર, યોર્કર, બાયોસોફ્ટ, બાયોફીલ્ડ, માયકોઝોન, સુડોઝોન, રનોફ, નોમેટ ફેરોમોન ટ્રેપ અને લ્યોર ઉપરાંત અનેક પ્રોડક્ટ આજે એગ્રોના વેપારી મિત્રોના હોઠે છે જે કંપની માટે ગૌરવ છે.
આજે મોનીટર એક જૈવિક ફૂગનાશક અને માયકોઝોન જૈવિક ખાતર તરીકે જે રીતે વિક્સી રહયું છે એ જોતા એવું લાગે છે કે આ બન્ને પ્રોડક્ટ દુનિયાના સર્વશ્રેષ્ઠ જૈવિક પ્રોડક્ટ છે અને લોકો તેને બિરદાવી રહયા છે જે ખૂબ જ આનંદની વાત છે. એગ્રીલેન્ડના દરેક પ્રોડક્ટને બનાવવા માટે કંપની પાસે પોતાનું સંશોધન યુનીટ અને સંશોધન માટે ખૂબ જ ઉચ્ચ કક્ષાની ટીમ છે, સંશોધન અને અભ્યાસ થયા પછી પ્રોડક્શન ટીમ છે અને તેના શ્રેષ્ઠ વ્યવસ્થાપન માટે ખૂબ જ અભ્યાસુ ઓફીસ ટીમ છે આ ઉપરાંત વેચાણ અને વિકાસ માટે માર્કેટિંગમાં કામ કરતી ટીમ પણ ખૂબ જ જાણકાર, કૃષિના દરેક પાકની સમસ્યાને સમજી શકે અને કઇ પ્રોડક્ટ ક્યાં વાપરવી જોઇએ એની જાણકારી ધરાવે છે એટલે એગ્રીલેન્ડ દરેક ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠ કામગીરી કરે છે. એગ્રીલેન્ડ એક માત્ર કંપની નથી પરંતુ વિશ્વાસનું નામ છે જે ખેતી અને ખેડૂતોના હિત માટે હંમેશા તત્પર છે માટે એગ્રીલેન્ડ સૌથી અલગ છે, સૌથી ખાસ છે અને સૌથી વિશ્વાસુ છે આવો સૌ એગ્રીલેન્ડ સાથે હાથ મિલાવીએ એક નવો અનુભવ અને નવો વિશ્વાસ કેળવીએ અને સમૃદ્ધિના રસ્તે સૌ સાથે મળીને આગળ વધીએ કારણ કે ખેતી છે તો જીવન છે, ખેતી છે તો આપણે છીએ. ખેતી એ આપણી જીવાદોરી છે, ખેતી અને ખેડૂતો આપણાં દેશનું ગૌરવ છે અને એગ્રીલેન્ડ એ ગૌરવનું અભિન્ન અંગ છે.
ડૉ. ગની પટેલ
એગ્રીલેન્ડ બાયોટેક લીમીટેડ
૩૬, પ્રીન્સ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, મોટા મોતીપુરા, તા. સાવલી, જી. વડોદરા, ગુજરાત
વધુ વિગત માટે હેલ્પલાઇન : ૯૮૭૯૪ ૨૭૭૭૧ | ૯૮૨૫૦ ૭૩૬૨૮ ઉપર સંપર્ક કરી શકો છો.


























