આપણી મદદ માટે કૃષિ વૈજ્ઞાનિકોએ સમજાવેલ રોગ ત્રિકોણ વિષે સમજીયે . શું છે આ રોગ ત્રિકોણ? છોડમાં થતા રોગો ભાગ્યે જ કોઈ એક સિંગલ કારણનું પરિણામ હોય છે. આપણા ખેતરમાં રોગ ત્યારે જ આવે છે જયારે વૈજ્ઞાનિકો દ્વારા બતાવેલી આ ત્રણ પરિસ્થિતિ એકસાથે નિર્માણ થાય. ફાઈટોપેથોલોજી (વનસ્પતિ રોગ વિજ્ઞાન) માં, રોગના ફેલાવાને પરંપરાગત રીતે ત્રણ આવશ્યક ઘટકો વચ્ચેની પરસ્પર પ્રતિક્રિયા દ્વારા સમજાવવામાં આવી છે પહેલું છે યજમાન (Host), બીજું છે રોગકારક જીવ (Pathogen) અને ત્રીજું છે પર્યાવરણ (Environment) – જેને સામૂહિક રીતે ‘ડિસીઝ ટ્રાયંગલ’ (રોગ ત્રિકોણ) તરીકે ઓળખવામાં આવે છે.

કયો રંગ કઈ જીવાતને આકર્ષે છે ? તે જાણો.
વિવિધ રંગોના સ્ટિકી ટ્રેપ કઈ જીવાતને આકર્ષે છે તે જોઈએ તો પીળી સ્ટિકી ટ્રેપ (Yellow Sticky Trap) સફેદમાખી , મોલો-મશી , પાન કોરીયું , નાની માખી , પાંખોવાળી મોલોને આકર્ષે છે અને
















