
જુનવાણી વાત યાદ આવે છે , ગામની સીમમાં આપણે ઝાડ પેલા બકરા ચરાવનારાની બીકે અને હા , સેઢે ઝાડ હોય તો એક બે ચાસમાં પુરતો પાક ન આવે તેવી બીજી બીકના લીધે આપણે ઝાડનું નિકંદન કાઢી નાખ્યું અને બીજુ જેમ જેમ જમીનના ભાગ પડતા ગયા તેમ તેમ ટુકી જમીનમાં વૃક્ષો જગ્યા રોકવા માંડયા તેથી ઝાડને આપણે દેશવટો આપ્યો, આજે પણ વગડામાં ઉભેલા વગર પાણીના લીલાછમ લીમડા આપણને પોકારી પોકારીને કહે છે કે મને એકવાર વાવો તો ખરા, પછી મારું હું કરી લઈશ. આજે આખા દેશમાં નાનકડું જંગલ (ટાઈની જંગલ) બનાવવાની નવી પદ્ધતિ મિયાવાકી પદ્ધતિ આવી છે. તેનો વ્યાપ વધી રહ્યો છે. ટુંકી જગ્યામાં નાના-મોટા ઝાડ, નાના મોટા છોડ ધાટા વાવીને ૩ વર્ષ સુધીમાં જંગલ જેવું રૂપ આપી દેવામાં આવે તો પછી તેને પછી પાણીની પણ જરૂર પડતી નથી. છોડ એક બીજાના સહારે-એક બીજા સાથે સહજીવન જીવીને ભેજની આપ લે કરે છે તેવું વિજ્ઞાન કહે છે. પણ આપણું કેવું છે ? બાજુના ખેતરમાં મોટુ ઝાડ હોય તો તેને કહીએ મારા ખેતરમાં છાંયો પડે છે.


























