કીડી, મકોડા, માછલાં, દેડકા અને અમૂક જાતના કકણહરા અને બપૈયા જેવા પંખીઓ કુદરતમાં આવનારા ફેરફારો ઠંડી, ગરમી, વરસાદ, ધરતીકંપ, સુનામી જેવાની અગાઉથી એંધાણી મેળવી લેવાની વિશિષ્ટ શક્તિ ધરાવતા હોય છે. બસ ! આવી જ એક વિશિષ્ટ સૂજના કારણે ટીટોડી પણ જો ઉંચાણવાળું સ્થળ માળા માટે પસંદ કરે તો માનવું કે વરસાદનું પ્રમાણ વધારે રહેશે. અને નીચાણમાં કે કયાંક નદીનાં પટમાં માળો બનાવે તો માર્યા સમજો ! દુષ્કાળના જ એંધાણ ગણાય ! એવુંજ ઈંડા વહેલા મૂકવાની ઉતાવળ કરે અને જેઠ મહિનો આવતાં આવતાં બચડાં મોટા થઈ જાય તો સમજવું, ચોમાસું વહેલું મંડાશ બોલો ! ટીટોડીના આવા વર્તન પરથી વરસાદનો વર્તારો માપનારા ઘણાં ગલઢેરા હજુ મળી આવશે!

વેલાવાળા પાકોનું વધુ ઉત્પાદન મેળવવા શું કરાય ?
વેલાવાળા શાકભાજીના પાકો પાસેથી વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન લેવા માટે વેલા જમીન પર પડી રહેવાને બદલે એને ગમતી પરિસ્થિતિ ઉભી કરવા, એટલે કે એ ઉંચે લટકી રહે એવું કરવા “માંડવા પદ્ધતિ” અપનાવવી


















